________________
તા. ૧૯-૯-૧૯૭૦
પ્રબુદ્ધ જીવન
એકય માટેના પ્રયાસા : કેટલાક અનુભવા
(અમદાવાદની એક પ્રમુખ અને અનોખી એવી શિક્ષણસંસ્થા ‘ શ્રેયસ ના મુખ્ય સંચાલિકા બહેન શ્રી લીનાબહેન મંગળદાસે પષણ વ્યાખ્યાનમાળાના અનુસંધાનમાં તા. ૩-૯-૭૦ના રોજ મુંબઈ ખાતે ભારતીય વિદ્યાભવનમાં મળેલી સભામાં આપેલું વ્યાખ્યાન પ્રબુદ્ધ જીવનમાં બે હપતાથી આપવા ધાર્યું છે, તેમાંના પહેલા હપતા નીચે રજૂ કરવામાં આવે છે.
વિષયના મથાળા વિશે મારા પક્ષે ખુલાસા કરતાં જણાવવાનું કે શ્રી લીનાબહેને સૂચવેલ શિર્ષક પ્રથમ દર્શને મને સ્વીકાર્ય ન બનવાનું કારણ ઐકય શબ્દના અર્થ વિષેની મારી અને તેમની સમજૂતીમાં ફરક હતો. હું ઐકય શબ્દથી આજકાલ એકતાનો જે ઉપદેશ આપવામાં આવે છે તે સમજતા હતા; શ્રી લીનાબહેન ‘ ઐકય ’ શબ્દથી વ્યકિતગત આંતરબાહ્ય એકતા સૂચવવા માગતા હતા એમ તેમણે કરેલા ખુલાસાથી મારા ખ્યાલમાં આવ્યું. આ જાણકારી બાદ તેમના વ્યાખ્યાનવિષયના શિર્ષક અંગે મારે કશું જ કહેવા જેવું રહ્યું નહોતું. મને તે સંપૂર્ણ સ્વીકાર્ય છે.
શ્રી લીનાબહેન જણાવે છે કે આ પ્રવચનમાં કેટલાક ભાગ તેમણે તેમનાં રચેલાં પુસ્તકો ‘ઘડિયાળ ’ અને ‘ઊઠતાં બીજ' માંથી લીધા છે. પરમાનંદ)
વહાલાં મુરબ્બી શ્રી પરમાનંદભાઇ અને અહીં પધારેલ પ્રિય મુદ્ગણ,
આપ સહુની સમક્ષ આજે ઉપસ્થિતિ થવાં શ્રી પરમાનંદભાઈનું કહેણ મહિના પહેલાં મને આવ્યું હતું. ૧૯૬૩ માં ‘કોયસ પાછળ મારી દષ્ટિ' આ વિષયનું મેં આપ સંહુને સંબોધન કર્યું હતું. કોયસ ના કાર્યમાં શ્રી પરમાનંદભાઇ સતત રસ લેતા આવ્યા છે અને શ્રેયસ ને લઇને મારામાં વડીલાના આવા પ્રોત્સાહનથી કાર્યના વિકાસને વેગ મળે છે તેની અનુભૂતિથી મારું હૃદય કૃતજ્ઞતાથી નમે છે.
આજના વાર્તાલાપ માટે વિષય પસંદ કરવાનું શ્રી પરમાનન્દભાઇએ મારા પર છેડયું હતું. તેમની ઇચ્છા હતી કે હું કોયસ્ સંસ્થાના મારા કાર્યક્ષેત્ર વિશે કાંઈ કહું. આ પર મેં સારા એવા વિચાર કર્યો. આપની પાસે વર્ણના, આંકડા, માહિતી અને વિગતો હું રજૂ કરું ? તેથી શું ? તારીખો, પદ્ધતિઓ, અભિપ્રાયા, કહેવાતી સિદ્ધિઓ – એક જાતની જાહેરખબર, પ્રચાર: આ બધાથી શું ? આ વસ્તુઓ સદા પલટાતી, ફેરવાતી, કાંઇ વિશેષ નહીં. શ્રેાતાજન, સહુ સામાજિક અને શૈક્ષણિક કાર્યમાં જ પરોવાયેલાં, રીતતરકીબ Know how જાણવાને ઇન્તેજાર થાય જ એવું કાંઇ નથી. તે કયા વિષય પર બાલવું? ‘શ્રેયસ ’ પર? ‘શ્રેયસ ’શું છે? તે અમદાવાદમાં એક ટેકરી પરની પેલી સંસ્થા ? તેના અમુક કાર્યકરો, અમુક બાળકો, અમુક કાર્યક્ષેત્ર? હા, તેની વાતોથી શું? એ માટે તે માહિતીપત્રા છે. સંસ્થા રૂપે ‘શ્રેયસ ’ ખુદ માજુદ છે તે તેને જોઇને વધુ સ્પષ્ટ ખ્યાલ આવી શકે.
‘ શ્રેયસ ' શું ? શ્રેયસ : સહજતા, અકૃતિમતા, કલ્યાણ, સુખાકારી, પરમાનન્દ, ધન્યતા, અમૃત ( મેક્ષ ), મુકિત ( કૈવલ્ય ), પરમ સુખ (નિર્વાણ ). એ ‘કોયસ ' તે કલ્યાણકારી ઉન્નતિ પણ કહી શકાય. આ ઉન્નતિ તે ઐકયમાં રહેલી છે જે બાબત સ્વીસ તત્ત્વવેત્તા હેબરલીને બહુ સરસ રીતે પ્રસ્તુત કરી છે. -
હેબરલીને કહ્યું છે : “The · · pedagogieal situation exists wherever one individual has dealings, with another in the way of culture: Culture means
茶
cultivation of the spiritual potential by the exercise" of conduct which is directed towards unity"
“ એક વ્યકિત, બીજી વ્યકિત સાથે Culturć---ઉન્નતિના માર્ગમાં ભળે ત્યારે શૈક્ષણિક પરિસ્થિતિ ઊભી થાય છે. ઉન્નતિ – culture નો અર્થ ‘આચાર દ્નારા અઁ’ને ઉદ્દેશીને ચેતન તત્વનુ અનુ- શીલન, સંવર્ધન, અભિવૃદ્ધિ ".
',
આ પ્રમાણે ‘શ્રેયસ ’ સંસ્થા વિશેનું માહિતીપૂર્ણ પ્રવચન આપવાને બદલે, ‘ઐકય માટેના પ્રયાસો, કેટલાક અનુભવા’ આ વિષય પર બાલવાનું મેં સૂચવ્યું, પરમાનન્દભાઇ જરૂરથી અકળાયા—“ આ વિષય આકર્ષક નથી, ઐકય શાનું ? કોનું ? વિષય બદલો, ” મે જણાવ્યું, કે “ ઐકય પાતામાં પોતાના અને બહારબહારનાં સાથે—ભીતરે બહિરે. આવા પ્રયાસામાં અને અનુભવામાં જીવન વ્યતીત થાય છે માટે અને આ વિષય રાખવા દો. ” એક વડીલ તરીકે મોટા મનથી પરમાનન્દભાઇએ મારી જીદને નમતું આપ્યું અને મારા વિષયને મંજૂરી મળી ગઈ.
હૈબરલીને સંસ્કાર culture વિશેની વ્યાખ્યા બાંધતા કહ્યું છે:- “The pedagogieal............unity."
"
એનાથી ઊલટું ‘ કલ્ચર ’ એટલે ગાવાનું, નાચવાનું, બજાવવાનું, જમવાનું, કપડાં, ઘરદીવાનખાનાં, શિષ્ટાચાર thank you, please વગેરેનો ખ્યાલ આવે છે. “ કલ્ચરલ શા” ખૂબ પ્રચારમાં આવી . ગયા છે. તેને માટે ઇનામી સ્પર્ધાઓ થાય છે. શીલ્ડ અપાય છે અને છાપાં અને સંસ્થાકીય અહેવાલામાં ફોટા આવે છે.
હેબરલીનની culture “વિશેની સુન્દર વ્યાખ્યા ફરીથી તપાસીએ. Culture means cultivation of the spiritual
potential by the exercise of conduct which is ditected towards unity".
આપ્તેના અંગ્રેજી-સંસ્કૃત કોષમાં culture એટલે ઉન્નતિ, ઉત્કર્ષ લખેલું છે તે યથાર્થ લાગે છે. આચાર દ્વારા ઐકયને ઉદ્દેશી આન્તરિક સત્ત્વનું અનુશીલન-સંવર્ધન-વિકાસ તે culture યા ઉન્નતિ. “ એક વ્યકિત જ્યાં બીજી વ્યકિત સાથે આવા cultureઉન્નતિ વિષયક ઐકય લક્ષી સંસર્ગ કે વ્યવહારમાં આવે છે ત્યારે શૈશણિક પરિસ્થિતિ ઊભી થાય છે. પણ આપણા આખા ઉછેર, શિક્ષણ સામાજિક વ્યવહાર આપણને અન્યત્ર જ દોરી જતા હોય છે. તુરન્ત પરિણામ મળી જાય તે માટે આપણે અનેક જાતના કૃત્રિમ, વિકૃત, દૂષિત કીમિયાનો ઉપયોગ કરીએ છીએ અને છેક બાલ્યકાળથી માનવને મારીમચડીને ઘાટ આપી દેતાં હોઇએ છીએ.
આવા કીમિયા વડીલો; માબાપ, શિક્ષકો સમાજ આપણા પર અને આપણે આપણાં બાળકો પર અજમાવતા આવ્યા છીએ. આજના બીટલ અને હીપ્પી યુવકોના બળવા એની સામે જ છે. નહીંતર શેની સામે ?
કદાચ કોઈ જમાનામાં આજના સમય જેવી વ્યવસ્થિત કીર્મિયાગીરી યોજાઇ નહીં હોય ! જે સહજ સર્જન અને આનન્દના વિષયો હતા તેમાં પણ હરીફાઇ : રંગાળી, કેશગૂંફન, ગરબા, કોષ્ઠ માતૃત્વ! શાળામાં પણ ઇનામી મેળાવડા ! રાજ્યનાં ઍવૉર્ડ કોષ્ઠ લેખક, ક્લાકાર, સમાજસેવક કે શિક્ષક માટે પણ! જાણે કે તુલના દ્વારા કોઇને વખાણવાથી – બીજાને વખાડવાથી કે' હલકો બતાવી, નીચે પાડવાથી—મનુષ્યની કદર ના થતી હાય ! આવા cultural, કહેવાત ઉન્નતિ વિષયક ઉત્તેજના stimulus ' આપવાથી સંબંધામાં હંસાનુંસી, પક્ષાપક્ષી, દોરીસંચાર અને અંશુદ્ધાચારને વેગ મળે છે. માબાપ સુદ્ધાં પોતાનાં સન્તાના વચ્ચે દેખાવ, બુદ્ધિની ગુણ