________________
* ૧૧૦
પ્રભુ
જીવન
તા. ૧૬-૯-૧૯૭૦.
: વ્યાખ્યાનમાળામાં, વ્યાખ્યાનની શરૂઆતમાં ભજનને કાર્ય- ક્રમ વાતાવરણને પવિત્ર અને ગંભીર બનાવતો હતે. ભજનો સંભળાવ્યા હતા શ્રીમતી શારદાબહેન - શ્રીમતી રમાબહેને - શ્રીમતી નિરુબહેને અને શ્રીમતી મંદાકિનીબહેને. રવિવાર તા. ૩૦-૮-૭૦ - નાં રોજ બે પ્રવચનને અંતે કુ. કલ્પના વેએ તથા એમની
મંડળીના કલાકારોએ એમનાં મધુર કંઠે ગીતો અને ભજનો સંભળાવ્યા હતા. વ્યાખ્યાનમાળાના અંતમાં શ્રી હરીશ ભટ્ટ સુગમ સંગીતને સુંદર કાર્યક્રમ રજૂ કરી શ્રોતાઓને મુગ્ધ કર્યા હતા. આ બધા ભાઇબહેનોને હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ. . કોઇ પણ પ્રવૃત્તિ આજે ખર્ચ વિના થતી નથી. દરેક કાર્ય પાછળ અર્થ અનિવાર્ય છે. અને સંસ્થાના વિકાસ સાથે ખર્ચ વધે એ પણ સ્વાભાવિક છે. એટલે અમે આ વખતે રૂા. ૨૫,૦૦૦ ની ટહેલ નાખી અને અમે જણાવતાં આનંદ અનુભવીએ છીએ કે અત્યાર સુધીમાં રૂા. ૧૭,000 અમે ભેગા કરી શકયા છીએ. આ માટે સૌ મિત્રોને અમે આભાર માનીએ છીએ. ભારતીય વિદ્યા ભવનનાં પ્રવેશ દ્વારે બબ્બે અઢી ક્લાક ઝોળી લઈને ખડે પગે ઊભા રહેતા માતૃસંસ્થાના માતાજી ચંચળબાને, અમારી કારોબારીનાં ઉત્સાહી સભ્ય શ્રી બાબુભાઇ જી. શાહ તથા શ્રી નિરૂબહેને સુધભાઈ શાહને પણ અમે કેમ ભૂલી શકીયે ? સભાગૃહમાં વ્યવસ્થા સાચવવામાં કારોબારીના સભ્યો શ્રી મફતભાઇ, શ્રી દામજીભાઇ, શ્રી પ્રવિણભાઇ અને શ્રી યંતીભાઇને સાથ અમને બહુ ઉપયોગી થયો. આ માટે એમનો પણ આભાર.
I અંતમાં રામે કહેતા ૨જાનંદ પરમ - રમાનંદ અનભવીએ છીએ કે વ્યાખ્યાનમાળા પાછળનો આત્મા છે સંઘના પ્રાણસમાં શ્રી પરમાનંદભાઇ. તેમનું સમગ્ર ચિન્તન, અને દીર્ધદષ્ટિવાળું આયોજન આ વ્યાખ્યાનમાળા પહેલા ઘણા લાંબા સમયથી ચાલતું હોય છે. એમની વિદ્રતા - એમને અનુભવ અને એમને સૌ સાથે વિશાળ સંપર્ક વ્યાખ્યાનમાળાને સમૃદ્ધ બનાવે છે. આ વર્ષે એમની નાદુરસ્ત તબિયત છતાંય વ્યાખ્યાનમાળા પાછળ તેમણે અનહદ પરિશ્રમ લીધા છે. આપણા સૌના સદ્ભાગ્યે નવે દિવસ તે વ્યાખ્યાનમાળામાં ઉપસ્થિત થઇ વકતાઓને સુંદર પરિચય પણ કરાવી શકયા હતા. વ્યાખ્યાનમાળાના અંત ભાગમાં પોતાને સંતોષ વ્યકત કરતા અને પિતાની ધન્યતા અનુભવતા એમણે કહ્યું - “આ દેહને કોઈ ભરોસે નથી. આયુષ્યની અસર શરીર ઉપર થાય જ છે. ખબર નથી હું આવતે વર્ષે આપ સૌને મળી શકીશ કે નહિ. મળીશું તો આનંદ છે જ. ન મળીએ તો પણ મારું સ્વપ્ન સિદ્ધ થયેલું જોઇ હું મારી જાતને ધન્ય માનું છું.” એમના આ શબ્દોથી વાતાવરણ ગંભીર થઇ ગયું અને એક સન્નાટો વ્યાપી ગયો. આ વખતે સૌનાં દિલમાં એક જ પ્રાર્થના હતી, “પરમકૃપાળુ પરમાત્મા શ્રી પરમાનંદભાઇને તંદુરસ્તી બક્ષે અને દીર્ધાયુ કરે.”
ચીમનલાલ જે. શાહ
સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જેન યુવક અંધ.
લયમાં નીચેના સરનામે સત્વર મેકલી આપે. ૩૮૫, સરદાર વી. પી. રોડ, બે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ -૪, જો ચેક મેકલે તે Bombay Jain Yuvak Sangh એ નામને મોકલવા વિનંતિ છે. સંઘ દ્વારા જે રકમ એકઠી થશે તે ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવશે. ચીંચણ જવા-આવવાનું સંધદ્વારા
યોજાનાર પર્યટણ મુનિ સંતબાલજી હાલ બોઈસર બાજુએ આવેલા ચીંચણ ખાતે મહાવીરનગરમાં બીરાજે છે. તેમના પુણ્ય સમાગમને લાભ મળે એ હેતુથી તા. ૧૦ મી અને ૧૧ મી ઑકટોબર એમ – બે દિવસનું શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો અને તેમના કુટુંબીજનો માટે એક પર્યટણ યોજવા ધાર્યું છે. તા. ૧૦ મી શનિવારે સવારના ભાગમાં મુંબઈથી નીકળવું અને તા. ૧૧મી ઓકટોબર સાંજ યા રાત્રીના ભાગમાં મુંબઈ પાછા ફરવું. આ પર્યટન અંગે કાર્યક્રમ વિચારાય છે. વ્યકિત દીઠ રૂ. ૨૦ અને ૧૨ વર્ષની નીચેનાં બાળકો માટે રૂ. ૧૨પર્યટનમાં જોડાનાર સભ્ય ભરવાના રહેશે. આ સંબંધે વધારે વિગતો “પ્રબુદ્ધ જીવન’ના હવે પછીના રકમાં અપવામાં આવશે. પ્રસ્તુત પર્યટન પરિમિત સંખ્યા માટે હીઈને પર્યટનમાં જોડાવા ઇચ્છનાર સભ્યને ઉપર સુચવ્યા મુજબની રકમ સંઘના કાર્યાલયમાં સત્વર ભરી જવા અને પોતાનું નામ નેધાવી જવા વિનંતી છે. સ્વર્ગસ્થ શ્રી કાંતિલાલ ઉમેદચંદ બરોડ્યિા
અંગે શેક પ્રસ્તાવ સંઘની કાર્યવાહક સમિતિના એક સભ્ય શ્રી કાંતિલાલ ઉમેદચંદ બરોડિયાના તા. ૩૦-૮-૭૦ ના રોજ થયેલ આકસ્મિકદુઃખદ અવસાન અંગે, તા. ૧૨-૯-૭૦ ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ નીચે પ્રમાણે શેક પ્રસ્તાવ પસાર કર્યો હતો:
શ્રી મુંબઇ જેન યુવક સંઘના વર્ષોજના કાર્યકર અને ચાલુ કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી કાન્તિલાલ ઉમેદચંદ બરોડિયાના તા. ૩૦-૮-૭૦ ના રોજ નિપજેલ એકાએક અવસાનથી સંઘની કાર્યવાહક સમિતિ ઊંડા શોકની લાગણી અનુભવે છે.
તેમની ઉંમર ૫૧ વર્ષની હતી. તેઓ અર્થશાસ્ત્રના અભ્યાસી, હતા. તેમણે વ્યાપાર-વ્યવસાય સાથે જોડાયેલી અનેક જાહેર સંસ્થાના અધિકારપદે નિયુકત રહીને સેવા બજાવી હતી. છેલ્લાં પાંચ વર્ષથી સોલ્વન્ટ એકસ્ટ્રેક્ટ એસોસિયેશનના મંત્રી તરીકે તેઓ કામ કરતા હતા. કૅમર્સ ગ્રેજ્યુએટ એસેસિયેશનના . સ. ૧૯૬૧ ની સાલથી આજ સુધી તેઓ પ્રમુખ હતા. શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહક સમિતિના તેઓ વર્ષોથી એક સભ્ય હતા. વિલે-પાર્લેની અનેક જાહેર સંસ્થાના તેઓ સક્રિય કાર્યકર હતા. આ ઉપરાંત ગુજરાતી તેમ જ અંગ્રેજી ભાષા ઉપર તેઓ સારું પ્રભુત્વ ધરાવતા હતા અને સારા લેખક તેમ જ વિવેચક હતા. મુંબઇના એલ ઈન્ડિયા રેડિયો ઉપર તેમના વાર્તાલાપે અવારનવાર જાતા હતા. તેમના અવસાનથી તેમનાં પત્ની અને પરિવારને અસાધારણ ખેટ પડી છે. તેઓ પ્રત્યે આ સભા ઊંડી સહાનુભૂતિ દાખવે છે અને તેમના આત્માને શાશ્વત શાંતિ ઈચ્છે છે.
છે. રમણલાલ સી. શાહને અભિનંદન
સંઘની કાર્યવાહક સમિતિના એક સભ્ય છે. રમણલાલ સી. શાહની મુંબઈ યુનિવર્સિટીએ ગુજરાતી વિભાગના રીડર તરીકે નિમગૂંક કરી છે તે માટે તા. ૧૨-૯-૭૦ ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ તેમને અભિનંદન આપ્યા હતા.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
સંઘ સમાચાર શ્રી મુંબઈ જેનયુવક સંઘ તરફથી શરૂકરવામાં આવેલ
ગુજરાત રેલ-રાહત ફંડ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તા. ૧૨-૯-૭0 શનિવારના રોજ મળેલી કાર્યવાહક સમિતિએ, ગુજરાત - સૌરાષ્ટ્રમાં વરસાદ અને પૂરના કારણે જે અભૂતપૂર્વ આફત આવી પડી છે તેને લક્ષ્યમાં રાખીને સંઘ દ્વારા ગુજરાત રેલ રાહત ફંડ'ની શરૂઆત કરી છે અને તેમાં તે જ વખતે કાર્યવાહક સમિતિના સભ્યો દ્વારા ફાળો નોંધાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને તે નોંધાયેલી રકમ રૂા. ૧૮૦૫-૦૦ની થઈ છે. તે આથી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા તેના પ્રશંસકો તેમ જ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો અને ચાહકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પોતપોતાને યોગ્ય ફાળો સંઘના કાર્યા
મહાપુરુષ તે મહાન ન હતા એવું સાબિત કરવાનો પ્રયત્ન લોકોએ શરૂ કર્યો છે, પરંતુ આ એક ઘણી મોટી ભૂલ છે. માણસે જો મહત્તાની કદર નહિ કરે તે જગત કૃપણ, અલ્પ, મૂઢ, સંચિત અને તામસી થઇ જશે.
શ્રી અરવિંદ