________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૧૯૭૦
વિશેષ અધિકારો માત્ર ઐતિહાસિક અવશેષો જ છે. અને જવા જોઇએ એ વિષે કોઇ મતભેદને અવકાશ નથી. સ્થાપિત હિતો તેના બચાવ કરે અને લેાકશાહી અને નીતિની વાત કરે તે પોતાના સ્થાપિત હીતાના રક્ષણ માટે જ છે. રાજાઓને વળતર આપવામાં, આ સરકાર, બૅન્કોના રાષ્ટ્રીયકરણમાં કર્યું તેમ, ઉદાર–ઉડાઉ–રહેવાની છે. જે પ્રશ્નના ઉલ સરળતાથી સમજણપૂર્વક થઇ શક્યા હોત તે પ્રશ્નને બધા પક્ષાએ, પેાતાના રાજકીય હેતુઓ પાર પાડવા, જટિલ બનાવી દીધો. રાજાઓના સાલિયાણાં નાબૂદ કરવાથી કોઇ માટી ક્રાંતિ થઇ જવાની નથી.
કોર્ટમાં શું થશે ? સરકાર કલમ ૩૬૩ ઉપર આધાર રાખે છે. આ બાબતમાં કોર્ટને કોઇ હકુમત નથી એમ સરકારી નિષ્ણાતાના અભિપ્રાય છે. આ અભિપ્રાય સબળ જણાય છે. આમ છતાં આ બાબતમાં સુપ્રિમ કોર્ટ જુદો અભિપ્રાય આપે—આ બાબતમાં પણ સુપ્રિમ કોર્ટ સરકારના આ પગલાને ગેરકાયદે ઠરાવે તો મને આશ્ચર્ય નહિ થાય. બંધારણની કલમોનો અર્થ કરવામાં સુપ્રિમ કોર્ટના ચુકાદો છેવટનો રહે છે. પછી, પેાતાની નીતિના અમલમાં આવાં ચુકાદાથી ઉત્પન્ન થતાં અવરોધો દૂર કરવા, સરકારે બીજા પગલાં લેવા પડે છે. આખરી ચૂકાદો તો પ્રજાનો છે, કોર્ટનો નહિ. ચીમનલાલ ચકુભાઈ શાહ
તા. ૧૧-૯-૭૦
સાભાર-સ્વીકાર
અણુવ્રત: સાધના વિશેષાંક સંપાદક: રિષભદાસ રાંકા, પ્રકાશક: બાલચંદજી, અ. ભા. અણુવ્રત સમિતિ, છતરપુર રોડ, મહારોલી, ન્યુ દિલ્હી - ૩૦. કિંમત રૂા. ૩-૫૦.
રામના રસિયા : સંપાદક: પુનિત પદરણુ, પ્રકાશક: પુનિત પ્રકાશન મંદિર, ચંદુલાલ શકરાલાલ પ્રજાપતિ, મણિનગર, અમદાવાદ-૮ કિંમત ૧-૨૫.
મુકિતધામ વૃન્દાવન: લેખક: ઇશ્વરલાલ મ. મહેતા પ્રકાશક: ઉપર મુજબ. કિંમત ૧-૨૫,
પ્રીતમના પ્રેમીઓ: સંપાદક: પુનિત પદરણ, પ્રકાશક: ઉપર મુજબ કિંમત ૧-૨૫.
બાપુની બલિહારી ભાગ - ૧: લેખક: પુનિતપ્રિય, પ્રકાશક: ઉપર મુજબ કિંમત ૧-૨૫.
રોગ અને આરોગ્ય: ભાગ -૨, લેખક: ડૅા. હરિકશનદાસ ગાંધી, પ્રકાશક: ઉપર મુજબ કિંમત ૧-૨૫,
મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન ભાગ ૧-૨ લેખક: સતીશચંદ્ર પ્ર. દેસાઇ, પ્રકાશક: ઉપર મુજબ. કિંમત બંને ભાગની ૨-૫૦.
ઉત્તરની યાત્રા, ભાગ ૧-૨ લેખક: યોગેશ્વર, પ્રકાશક: ઉપર મુજબ કિંમત બંને ભાગના ૨-૫૦.
રાજયશાસ્ર-વિચાર : લેખક: પુરુષોત્તમ ગણેશ માવલંકર, પ્રકાશક સન્નિષ્ઠ પ્રકાશન, માવલંકર હવેલી, ભદ્ર, અમદાવાદ - ૧. કિંમત રૂા. ૩-૫૦.
સોવિયેત હેસ્પીટલની મારી ડાયરી અને બીજા લેખા: લેખક: મણિભાઇ ગિ. શાહ, પ્રકાશક: સમાચાર સંચય, વિલેપારલે—પશ્ચિમ, મુંબઇ - ૫૬: પ્રાપ્તિસ્થાન: રવાણી પ્રકાશનગૃહ, તિલકમાર્ગ, અમદાવાદ: કિંમત રૂા. ૨-૫૦.
શીલ ધર્મની કથાઓ : ભાગ ૧ તથા ૨ લેખક : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા, પ્રકાશક : શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, ૭૭, મારવાડી બજાર, મુંબઇ-૨. કીંમત રૂ’૫-૦૦
આપણી કહેવતો : લેખિકા : શ્રી અનસૂયાબહેન ભૂપેન્દ્ર ત્રિવેદી; પ્રકાશક : સંનિષ્ટ પ્રકાશન, માવલંકર હવેલી, ભદ્ર, અમદાવાદ-૧. કીંમત રૂ. ૩-૫૦.
નાગરિક ઘડતર : લેખક તથા પ્રકાશક : શ્રી ડાહ્યાભાઇ નાગરિક, આરામ,હાળી ચકલા, આણંદ. કીમત રૂ. ૪-૦૦,
(1
૧૯૯
પ્રસન્નતાપ્રેરક પષણ વ્યાખ્યાનમાળા
પર્યુષણ વ્યાખ્યાનમાળા એ શ્રી મુંબઇ જૈન યુવક સંધની લગભગ છેલ્લા ૩૭-૩૮ વર્ષથી ચાલતી એક આગવી પ્રવૃત્તિ છે. આ વખતે વ્યાખ્યાનમાળાનાં અંતિમ દિવસે એક મુરબ્બીએ કહ્યું, “છેલ્લા છ મહિનાથી હું આ દિવસેાની રાહ જોતો હતો અને નવ દિવસ તો રાંખના પલકારામાં ચાલ્યા ગયા, તમે નવા નવા વકતાઆને લાવી ખરેખર - કયાંય સાંભળ્યું ન હોય અને કાંય સાંભળવા પણ ન મળે એવું સાંભળવાની જે તક મને આપા છે. એથી અમને ખૂબ આનંદ થાય છે. અમે તમારી પ્રવૃત્તિ ઉપર પ્રસન્ન છીને.” અમને લાગે છે કે આ શબ્દોમાં જ વ્યાખ્યાનમાળાની ફળશ્રુતિ આવી જાય છે. યુવાન અને પ્રૌઢ - ભાઇઓ અને બહેના- સૌને વ્યાખ્યાનમાળા આકર્ષી શકે છે એ જ વ્યાખ્યાનમાળાની સફળતાની સૂચક છે.
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાની ટૂંક વિગત આ પ્રમાણે છે. આમ તે પર્યુષણના આઠ દિવસ હતા. પરંતુ નવા દિવસ રવિવાર-રજાને દિવસ હોઇ અમે એને પણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમમાં લઇ લીધા, એટલે અમે તા. ૨૯-૮-૭૦ શનિવારથી તા. ૬-૯-૭૦ રવિવાર સુધી વ્યાખ્યાનમાળા ભારતીય વિદ્યાભવન ખાતે બેઠવી હતી. નવે દિવસ શ્રોતાઓની સારી હાજરી હતી એટલું જ નહિ બબ્બે કલાક સુધી એકધારી શાંતિ જળવાતી હતી અને વકતાઓની જેમ શ્રોતા! પણ વિશિષ્ટ કોટિના જોઇ અમે સંતાષ અનુભવતા હતા. નવ દિવસના અઢાર વ્યાખ્યાનો જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન ધરાવતી વ્યકિતરાના ગાઠવવામાં આવ્યા હતા. માત્ર એક ફેરફાર સિવાય પ્રસ્તુત કાર્યક્રમ સળંગ જળવાઈ રહ્યો હતો. આ ફેરફાર - પ્રા. ઉમાશંકર જોષી, જે શનિવાર તા. ૫-૯-૭૦ નાં વ્યાખ્યાન આપવાનાં હતા તે અનિવાર્ય કારણે આવી શક્યા નહિ એટલે બીજા દિવસનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન શનિવાર તા. ૫-૯-૭૦ નાં રોજ રાખવામાં આવ્યું હતું અને રવિવારે ડૉ. જગદીશચંદ્ર જૈનના પ્રવચન પછી રેડિયો કલાકાર શ્રી હરિશ ભટ્ટનાં સુગમ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
બહારગામથી આવનાર વ્યાખ્યાતાઓમાં હતા – શ્રી કિશનસિંહ ચાવડા, શ્રી દામુભાઇ શુકલ, શ્રી રેવરેન્ડ ફાધર લેસર, શ્રી રાહિત મહેતા, શ્રીમતી મંજુલાબહેન ત્રિવેદી, પ્રા. સુસ્મિતાબેન મેઢ, શ્રીમતી લીનાબેન મંગળદાસ તથા શ્રીમતી શ્રીદેવીબહેન મહેતા હતા. જ્યારે બાકીના વકતા સ્થાનિક હતા.
પ્રતિવર્ષની જેમ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન સૌના આદરણીય વિદ્રાન પ્રાધ્યાપક શ્રી ગૌરી પ્રસાદ ઝાલાએ શેાભાવ્યું હતું. તેઓશ્રી અન્ય રોકાણથી એક દિવસ ઉપસ્થિત થઇ શકયા ન હતાં અને ત્યારે પ્રમુખસ્થાને પ્રા. રમણલાલ ચી. શાહ હતા. શ્રી ઝાલાસાહેબ અને શ્રી રમણભાઇનાં માર્ગદર્શન અને સુંદર સંચાલન માટે અમે બંને મહાનુભાવાનાં ખૂબખૂબ ઋણી છીએ.
પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રીમતી શ્રીદેવીબહેનનું અને પ્રા. સુસ્મિતાબહેનનું પ્રવચન સંગીત સાથે હોઇ મધુર બન્યું હતું. આ વખતે બે પ્રવચનો, એક શ્રી પાર્થસારથિનું અને બીજું ફાધર લેસરનું, અંગ્રેજીમાં હતા. આ પ્રવચનો પણ હૃદયસ્પર્શી હતા. અન્ય વકતાઓ પણ પૂરી તૈયારી સાથે આવ્યા હોઇ એમનાં વિષયાને પૂરેપૂરો ન્યાય આપી શકયા હતા અને દરેકનું વક્તવ્ય આકર્ષક રહ્યું હતું. વ્યાખ્યાનોની સંપૂર્ણ સમાલોચના પ્રા. ઝાલાસાહેબ હવે પછી લખીને આપવાના હોઇ અત્રે વ્યાખ્યાનોની લાંબી નોંધ અમે લેતા નથી. અમે બધા વકતાઓના આ સ્થળેથી હાર્દિક આભાર માનીએ છીએ.