________________
૨૧૨
પ્રબુદ્ધ જીવન
જૂનાં સ્મરણાને તાજા કરતા એક પત્ર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયના ઉદ્ઘાટન બાદતરતમાં જ મારા વ્યાપારવ્યવસાયના કારણે જેની સાથે મારો વર્ષો જૂના સ્નેહસંબંધ છે અને જે મને પેાતાના એક વડીલજન સમાન લેખે છે તે ચિં. ભાઈ હીરાલાલ મુનિ તરફથી એક પત્ર મળ્યો સ્વ. ગીરધરલાલ હરખજી મુનિ સાથે ભાગમાં મેં વર્ષો સુધી ઝવેરાતના વ્યાપાર કર્યો. કુલ્ફી હાઉસ, બીજે માળ, ૭૭, શેખમેમણ સ્ટ્રીટમાં અમારી પેઢી હતી. ગીરધરલાલ મુનિના ભત્રીજા ભાઈ હીરાલાલ મુનિઅમારી સાથે બેસતા અને પેાતાના અલગ વ્યવસાય કરતા. એ વર્ષો દરમિયાન નીચેના પત્રમાં જેમના ઉલ્લેખ છે તે સ્વ. મણિલાલ મેકમચંદ શાહ અને સ્વ. વ્રજલાલ ધરમચંદ મેઘાણી અમારી પેઢી ઉપર અવારનવાર આવતા અને અવારનવાર કલાકો સુધી અમારી ચર્ચાવાર્તા ચાલતી. એ જ રીતે શ્રી દીપચંદ ટી. શાહ પણ અવારનવાર આવતા. આમાંથી વ્રજલાલ મેઘાણીનું ૧૯૪૭માં, મણિલાલ મેાકમચંદ શાહનું ૧૯૫૪માં અને શ્રી ગીરધરલાલ મુનિનું ૧૯૬૨ માં અવસાન થયું. શ્રી દીપચંદભાઈ અને હું આજે હયાત છીએ અને મિત્રભાવે મળતા રહીએ છીએ. પ્રસ્તુત પત્રમાં ભાઈ હીરાલાલે અમારા એ મિલનપ્રસંગેાને યાદ કર્યા છે. અને સાથે સાથે મારી પ્રત્યેનો આદરભાવ તેમણે વ્યકત કર્યો છે. મારી સહધર્મચારિણી, જેને યાદ કરવાનું, સંસ્થાના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગના મારા નિવેદન દરમિયાન, મારા ધ્યાન ઉપર આવ્યું નહાવું તેના સ્મરણને પણ ભાઈ હીરાલાલે આ પત્રમાં સંકલિત કર્યું છે. આ પત્રના લખાણમાં રહેલા મધુરભાવથી મારુ દિલ ખૂબ પ્રભાવિત બન્યું અને આત્મશ્લાધાના દોષ વહોરીને પણ પ્રબુદ્ધ જીવનના વાચકોને આ સ્મરણનોંધના ભાગીદાર બનાવું એવી મનમાં ફરેલી ઈચ્છાને વશ થઈને આ પત્ર નીચે પ્રગટ કરવા હું પ્રેરાયો છું. -પરમાનંદ
મુંબઈ, માટુંગા, તા. ૨૮-૧૨-’૬૯
પરમ પૂજય પરમાનંદભાઇની સેવામાં,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નવા કાર્યાલય સાથે તમારું શુભનામસ્મરણ અંકિત થયાના અહેવાલ વાંચી બહુ આનંદ થયો. અને ભૂતકાળનાં ઘણાં સંસ્મરણો તાજાં થયાં.
સમાજને સાચી ષ્ટિ આપી, સદાચાર તરફ વાળવાને જીવનને ઊર્ધ્વગામી બનાવવાના તમારો આદર્શ અને સદ્. મુ. મણિભાઈ માકમચંદ શાહની સેવાતમન્નાને ચરિતાર્થ કરવાના સુકાર્યમાં વર્ષોથી તમે તન્મય બન્યા છે. મુ. મણિભાઈના તમારા પરત્વેના અનન્ય આદર, વિશ્વાસ અને ભકિતભાવને તમે સાર્થક કરી બતાવ્યા એ ખરેખર ગૌરવર-પ્રદ ઘટના છે. તમને બન્નેને એ વિષે વિચારવિનિમય કરતા સાંભળવાના અનેક વખત મને લ્હાવા મળતા એટલે
સદ્. મુ. મણિભાઈની પુણ્ય—સ્મૃતિ સાથે તમારું નામસ્મરણ અંકિત થયું એ મારા માટે નિત્યનું સુભગ દર્શન છે. મોટા માણસની શુભનિષ્ઠા અને સાદાઈ તે ઘણી વાર જોવા-સાંભળવા મળે છે પણ સાદા ને સરળ માણસની મેટાઈ તેની સંનિષ્ઠા ને સેવા-તમનાની ઝાંખી તો કોઈક વાર જ થાય છે. જીવનનાં શાશ્વત મૂલ્યો સમજવા તે સમજાવવાની હેતુપ્રધાન પ્રવૃત્તિ પ્રમાણમાં ઘણી નાની જણાય છે પણ તેનું મૂલ્ય કેટલું મોટું છે? એ પછીથી જ સમજાય છે અને ત્યારે જ એ સાધુતામાં વસેલી મેટાઈનું દર્શન થાય છે. નિરવધિ કાળના ગર્ભમાં બધું વિલીન થઈ જાય છે. પરંતુ નિર્વ્યાજ પ્રેમ અને નિ:સ્વાર્થ કર્તવ્ય તેના સાતત્યે નિત્ય જીવંત જ રહે છે અને એ પરંપરાએ જ સંસ્કૃતિ ઘડાય છે અને માનવજાત ઊજળી દેખાય છે. તમારા કાર્યમાં તમે સવિશેષ યશભાગી ને પ્રેરણારૂપ નિવડે તેવી અભ્યર્થના સાથે તમને આ પ્રસંગે સાચા હૃદયના વંદન કરું છું.
આ પ્રસંગે સંવેદનશીલ સદ્. ડૉ. વ્રજલાલ મેઘાણીની પુણ્ય સ્મૃતિ પણ તાજી થઈ. માનવતાના એ મહાપૂજારી ભાવાવંશે ગરીબાઈમાં અમિરીનાં દર્શન કરાવતી એમની વાર્તાઓ અવાર
તા. ૧૬-૧૭૦
નવાર આવી વાંચી સંભળાવતા ત્યારે તેમના પવિત્ર હૃદયની વ્યથા અને અનુકંપાનાં અવર્ણનીય દર્શન થતાં. જેવું બોલતાં ને લખતાં એવાં જ સંવેદને કોમી હુલ્લડમાં સ્વેચ્છાએ એ શહીદ થયા. એવા અર્વાચીન દિધિચનાં દર્શન આજે કેટલા દુર્લભ છે?
આવા ઘણાં સંસ્કારસ્વામીએ અને વિચારકો સાથેના તમારા સત્સંગના મૂક સાક્ષી બનવાનું સુભાગ્ય મને પ્રાપ્ત થયું છે તેને હું જિંદગીનો અમૂલ્ય લ્હાવો સમજું છું.
તમારી આવી સંસ્કાર—સાધના ને પ્રવૃત્તિ પરત્વે મારા સદ્. કાકા આવે જ આદર ધરાવતા હતા. સદ્. મુ. મણિભાઈ અને તમારા નામસ્મરણને, તમે બન્ને જાણે સાથે બેઠા હો તેમ જોવા હયાત નથી તે વાતથી મને ભારે ખેદ થાય છે. અને આપણે વીતાવેલાં વર્ષાના ભૂતકાળ સજીવન થઈ અનેક સંસ્મરણો તાજા કરે છે, અને આંખો ભીની થાય છે.
પ્રારંભકાળના શ્રી દીપચંદભાઈ જેવા સહૃદી ને બીજા
તમારા ઘણાં સહકાર્યકરોની સ્મૃતિ સહેજે થાય છે, તે સર્વ સાથેન પરિચય અને સંસ્મરણા મારા મને મારી મોંઘી મૂડી છે. તે સર્વને
નમસ્કાર.
આ પ્રસંગે એ વાતનો ઉલ્લેખ કર્યા સિવાય દિલની મારી
આ વાત મને અધૂરી લાગે છે. ઘણા ઘણા વિચારકો, સાહિત્યકારો ને સંસ્કારસ્વામી સાથેના તમારા નિકટના પરિચયે તે બધાનું ઊજળું આતિથ્ય કરવામાં ને બીજા ઘણીય અગવડો વેઠી પૂ. વિજ્યાબહેને સદાય હસતા મોંએ જે ભાગ આપ્યો છે તેના પણ ઘણાં વર્ષો સુધીના હું સાક્ષી છું. પરાપૂર્વથી લક્ષ્મણ પત્ની ઊર્મિલાના અનન્ય ભાગને અંધારપટમાં પૂરી દઈને અને સ્રીને પુરુષની અર્ધગના કહીને તેની મહત્તાની રેખા બાંધી દેવામાં આચિત્ય લેખાતું આવ્યું છે. એ દષ્ટિએ, તમારી સ્મૃતિમાં તેઓ પણ સમાઈ જાય છે એવા આશ્વાસન સાથે અમારા સર્વ કુટુંબીજન તરફથી તેમને પણ સાચા હ્રદયનાં વંદન કરી તેમના પ્રતિ અમારા સર્વના આદર અને માનની ભાવના વ્યકત કરવાની તક લઉં છું.
સદ્. મુ. મણિભાઈ અને ડા. મેઘાણી જેવા ઘણા લાગણીવશ ને ઊર્મિશીલ ભાઈઓનેતા હરહંમેશ નિભાવી લીધા છે. મારી પણ કોઈ ક્ષતિ હોય તે તેવી ઉદારતાએ નિભાવી લેવા વિનંતિ કરતા તમારા હીરાલાલ ભૂ. મુનિના નમસ્કાર. સાપુતારા પર્યટન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો અને તેમના કુટુંબીજનો માટે નાસિક નજીક પણ ગુજરાત રાજ્યમાં-દરિયાની સપાટીથી લગભગ ૩૫૦ ફીટની ઊંચાઈએ આવેલ સાપુતારા નામના હીલ સ્ટેશનનું જાન્યુઆરી તા. ૨૪મીને શનિવાર રાતથી સામવાર તા. ૨૬મીની રાત સુધીનું પર્યટન ગાઠવવામાં આવ્યું છે. આ પર્યટનમાં જોડાનાર ભાઈ-બહેનોને તા. ૨૪મી જાન્યુઆરી શનિવારે રાત્રિના ૧૦-૫૦ વાગ્યે વિકટોરિયા ટરમિનસથી ઉપડતી ભુસાવળ પેસેન્જરમાં નાસિક લઈ જવામાં આવશે અને ત્યાંથી બસમાં સાપુ તારા પહોંચાડવામાં આવશે. એ જ રીતે જાન્યુઆરી તા. ૨૬મીને સોમવારે સાંજના ચાર વાગ્યે સાપુતારાથી નીકળીને નાસિક થઈને મંગળવાર સવારના સાડા પાંચ વાગ્યે મુંબઈ પાછા ફરવાનું રહેશે.
આ પ્રવાસમાં જોડાનાર ભાઈ–બહેનાએ વ્યકિત દીઠ રૂા. ૬૦ અને બાર વર્ષથી નીચેના બાળકો માટે રૂ. ૪૦ ભરવાના રહેશે. પ્રવાસમાં જોડાનારે બને તેટલું નાનું બેડીંગ, ટોર્ચ તથા ગ્લાસ સાથે લાવવાના રહેશે. આ પર્યટન ૪૦ પ્રવાસીઓ પૂરતું વિચારવામાં આવ્યું છે. તેથી સંઘના જે સભ્યોને આ પર્યટનમાં જોડાવાની ઈચ્છા હોય તેમને સંઘના કાર્યાલયમાં જરૂરી રકમ સત્વર ભરી જવા વિનંતી છે. ચીમનલાલ જે.શાહ, સુબોધભાઈ એમ. શાહ, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ