________________
:
તા. ૧-૯-૧૯૭૦
સાધના
સાધનાના સ્વરૂપ અને પ્રકારના આધાર સાધ્ય શું છે તેના ઉપર છે. વ્યાપક અર્થમાં કહીયે તો કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિઅર્થે વ્યવસ્થિત પ્રયત્ન કરવા તેનું નામ સાધના. લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો તે લક્ષ્ય જે રીતે સફળ થાય તેવા માર્ગ લેવા તે તેની સાધના. તેવી જ રીતે, સત્ત્ત, કીતિ, જે કાંઈ મેળવવું હાય તેને માટે વિશિષ્ટ પ્રકારની સાધના જરૂરી છે. વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરવી હોય તો તેને માટે સાધના કરવી પડે. કોઈ પણ કાર્યમાં કુશળતા મેળવવી હાય તો તેની સાધના કરવી પડે. આ બધા પ્રકારની સાધનામાં મનની કાંઈક એકાગ્રતા અનિવાર્ય છે. ચિત્તને બીજી બધી દિશામાંથી વાળી લઈ, ધ્યેય - જે કાંઈ હોય - તેની સિદ્ધિ અર્થે એકાગ્ર થયું તેમાં સાધનાની સફળતા છે. એકાગ્રતા સાથે કોઈ પણ સાધનામાં ત્યાગ પણ જરૂરી છે. વિદ્યાર્થીએ અભ્યાસ કરવા હાય તે રમતગમત કે મેાજશાખ જતા કરવા પડે. લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય તો, કેટલીક વખત, શારીરિક સુખ, કૌટુમ્બિક પ્રેમ કે સહવાસ, એવું ઘણું છેાડવું પડે છે. એક મેાટી ધનવાન વ્યકિતએ એક વખત મને કહેલું કે, ધન પ્રાપ્ત કરવામાં તેમના ત્યાગ અને તપશ્ચર્યા (તેમની દષ્ટિએ) આછાં નથી,
પ્રબુદ્ધ વન
સામાન્યપણે, આપણે સાધનાના ઉલ્લેખ કરીએ છીએ ત્યારે જીયનની સાધના અથવા આધ્યાત્મિક ઉન્નતિ માટેની સાધના, એ અર્થમાં આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, રવિન્દ્રનાથ ટાગારના સાધના ઉપરનો લેખસંગ્રહ આ વિષયનું ગહન નિરૂપણ છે. જીવનનું અંતિમ લક્ષ્ય શું અને તે પ્રાપ્ત કરવાના માર્ગ શું તે બધાય દર્શનાના વિષય છે. ચાર્વાક દર્શનને બાદ કરીયે તો, બીજા બધા ભારતીય દર્શના એકમત છે કે જીવનનું ચરમ ધ્યેય મેક્ષ અથવા ભવચક્રના ફેરામાંથી મુકિત છે. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે અનેક મતભેદો અથવા વિચારવૈવિધ્ય હોવા છતાં, આચારમાં મેક્ષમાર્ગી બધા દર્શનાની એકતા છે. આત્મ - અનાત્મ અથવા જીવપુદ્ગલના સંબંધ ગમે તે કારણે થયા હોય, અને અનાદિ હોવા છતાં, તે અનંત નથી, તેમાંથી મુકિત છે. કર્મબંધનું કારણ અવિદ્યા કહા, કપાય, વાસના કે તૃષ્ણા કહા, એ બધામાંથી મુકિત મેળવવાની સાધના એક જ છે, પણ આ આચાર - ધર્મને પાયો, દેહથી આત્મા ભિન્ન છે, જેમ અસી ને મ્યાન, આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા, દેહાધ્યાસ ઓછા કરવા એ શ્રાદ્ધા વિના, આ સાધના નિરર્થક છે. આપણે જેને ધર્મ કહીયે છીયે તે આ સાધના છે. પણ એ ધર્મનું આચરણ શ્રાદ્ધાપૂર્વક થાય તે માટે તેને તાત્વિક પાયા ન હોય તે, તે માત્ર પરંપરાગત વિધિનિષેધામાં જ પરિણમે છે થવા માત્ર સામાજિક સુખસગવડ ઘાટેના માર્ગ તરીકે સાધન રહે છે. તે તાત્ત્વિક પાયે શ્રીમદ્ રાજચંદ્રે આ શબ્દોમાં કહ્યો છે.-
આત્મા છે, તે નિત્ય છે; છે. કર્તા નિજ કર્મ; ભાકતા વળી મોક્ષ છે; મેક્ષ ઉપાય સુધર્મ.
આ ષપદમાં પહેલા પાંચ પદ જ્ઞાન અથવા શ્રાદ્ધાનાં છે. તે પાંચ પદ હાય ત્યારે સુધર્મ, મેાક્ષના ઉપાય તરીકે સમજાય છે. સુધર્મનું સમજણપૂર્વક આચરણ થાય તે માટે માણસ મુમુક્ષુ અથવા આત્માર્થી હોવો જોઇએ. આત્માર્થીના લક્ષણ શ્રીમ ્ દે વર્ણવ્યા :–
કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણી દયા; ત્યાં આત્માર્થ નિવાસ.
જીવનું આત્માર્થી થવું અથવા મેાક્ષના અભિલાષી થવું, તે પૂર્વકર્મના ઉદયથી થાય, સદ્ગુરુ સમાગમથી થાય, ઊંડી ઝંખનાથી થાય, આ કાંઈક અકળ છે; સતતજાગૃતિ, આત્મનિરીક્ષણ, ગહન ચિંતન,
ما
૧૦૫
સ્વયંસ્ફૂરણ, કાંઇક નિમિત્ત બને. દીર્ધકાળની સાધના પણ જરૂરી બને. શ્રીમદે કહ્યું છે:
વૈરાગ્યાદિ સફળ તે, જો સહ આતમજ્ઞાન, તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તાઁ નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન, ખટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન, ત્યાગ, વિરાગ વિના જ્ઞાન નથી, પણ ત્યાગ, વિરાગમાં જ અટકે તા ભૂલે નિજ ભાન—ત્યાગ વિરાગ, માત્ર આતમજ્ઞાનની પ્રાપ્તિના નિદાન છે, અંતિમ ધ્યેય આત્મજ્ઞાન છે.
મારો અનુભવ એવા છે કે સામાન્ય જન માટે, માનવસેવા, પ્રાણિદયા અને બને તેટલા, સામાજિક કલ્યાણના કાર્યો, સાધનાના રાજમાર્ગ છે. તેમાં ત્યાગ અને નમ્રતા, કેળવાય છે અને મૂર્છા ઓછી થાય છે. તે સાથે અભ્યાસ અને ચિન્તન હોય તો જાગૃતિ રહે છે, કષાય ઓછા થાય છે અને પ્રસન્નતા વધે છે. આ બધાને પાયા ચિત્તની સ્થિરતા છે. ભટકતા મનને રોકવું, કાચબા જેમ શરીર સંકોરે છે તેમ, વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચવી એટલે કે સંયમને જીવનનો પાયો બનાવવા અને તેને બને તેટલા વધારતા રહેવું. આ માર્ગે જતાં, સાંસારિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઉદાસીનતા આવે એ સ્વભાવિક છે. વિચરે ઉદયપ્રયોગ–આ સાધના છે. ૨૨-૨૬૭૦ ચીમનલાલ ચકુભાઈ
‘મારા
કચ્છ’
(ગાંધીજીની મૂળ આત્મકથા જ્યાંથી પૂરી થાય છે ત્યાર પછીના તેમના જીવનની કથા તેમનાં જ થનાને સંકલિત કરીને ભૂમિપુત્રમાં કેટલાક સમયથી આત્મકથા : ‘ઉત્તરકાંડ' એ મથાળા નીચે પ્રગટ થઈ રહેલ છે. આ આત્મકથા : ઉત્તરકાંડ સંકલિત કરનાર છે શ્રી. વાલજી ગોવિંદજી દેસાઈ. આમાંના ૫૦મા હતા પોતાના પહેરવેશમાં પરિવર્તન કરતાં કરતાં માત્ર કચ્છ ધારણ કરવાના નિર્ણય ઉપર ગાંધીજી કેમ અને કયા સંયોગામાં આવ્યા તેની વિગતો રજૂ કરે છે. આ વિગતોમાં ગાંધીજીના દિલમાં રહેલી કરુણા અને દીનદલિત જને સાથેની આત્મીયતા સાધવાની ઉત્કટતાનું આપણને અપૂર્વ દર્શન થાય છે. ગાંધીજીનું જ્યારે ચોતરફ અવમૂલ્યન થઈ રહ્યું છે ત્યારે ગાંધીજી વિશે સમ્યક્ દર્શન પ્રાપ્ત કરવામાં આ વિગત ઉપયોગી નીવડશે. પરમાનંદ )
મારી જિંદગીમાં મેં જે ફેરફારો કર્યા છે તે મહાન પ્રસંગાને લીધે જ કર્યા છે. [અને તે પૂર્ણ વિચારપૂર્વક કર્યા છે.] વળી તે ફેરફાર કર્યા વિના મારાથી જ્યારે નથી રહેવાયું ત્યારે જ મેં તે કર્યા છે. એવા ફેરફાર મેં મદુરામાં મારા પોશાકમાં કર્યો.
પ્રથમ વિચાર મને બારીસાલમાં થયેલા. ખુલનાના દુષ્કાળપીડિત લોકોને સારુ મને મેણાં મારી કહેવામાં આવ્યું કે [યા] ભૂખે ને નાગા મળે છે ત્યારે તમે કપડાં બાળા છે. ત્યારે મને લાગ્યું કે માત્ર કચ્છભેર રહી મારી ધોતિયું - પહેરણ ડૉ. રાયને મેલું, પણ મેં મારા ઊભરાને રોકયો, [કેમ કે] તેમાં હુંપણું હતું. હું જાણતા હતો કે મેણામાં કાંઈ વજૂદ ( છે નહિ]. ખુલના મદદ જતી હતી ને એક બંગાળી જમીનદાર જ તેનું (ક) નિવારણ કરવા સમર્થ હતા. ત્યારે મારે કાંઈ જ કરવાની જરૂર નહોતી.
બીજો પ્રસંગ મારા સાથી મહમદઅલી મારા દેખતાં જ પકડાયા ત્યારે આવ્યો. તે પકડાયા પછી તરત હું... સભામાં ગયો, તે જ વેળા પહેરણ - ટોપી ઉતારવાના (વિચાર આવ્યો). પણ તેમાં દેખાવ થવાનો દોષ આવશે એમ ધારીને મે મારા આવેશને રોકયો.
ત્રીજો પ્રસંગ. મદ્રાસની મુસાફરીમાં આવ્યો. લોકો કહે કે ‘અમારી પાસે પૂરી ખાદી જ નથી; અને ખાદી મળે છે તો પૈસા