________________
૧૦૪
પ્રબું
જીવન
તા. ૧-૯-૧૯૭૦
કેવી રીતે તેને યાત્રા કરાવશે! પણ એપિતાને તે પુત્રીની એકેએક ઇચ્છા કોઇપણ ભેગે પૂરી કરવી હતી અને તે લઇ ગયા. યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં આઠ દિવસ અચૂક તેને લાવીને બેસાડે, રાતના દામજીભાઇ પાસે સુવે. તે અર્ધા અર્ધા કલાકે પડખું ફેરવવા તેમને ઉઠાડે પણ દામજીભાઇ કોઇ દિવસે થાકયા નથી કે મોઢા ઉપર જરા સરખો કંટાળો પણ લાવ્યા નથી. દરેક માબાપ પોતાના સંતાને માટે કરે છે પણ ઊંડે ઊંડે અવ્યકતપણે મનમાં બાળકો તરફથી કંઇક આશા સેવતા હોય છે. પણ આપુત્રી તરફની તેમને કંઇ આશા નહોતી. છતાં મારી રેખાને જરાએ ઓછું ન આવે, એની અપંગદશાનું તેને ભાન પણ ન થાય એ જ તેમનું લક્ષ્ય. વીસ વીસ વર્ષ સુધી આ રીતે જતન કરવું એ ખરેખર એક વિરલ વાત્સલ્ય છે. ભાગ્યે જ આપણને કોઇ ઠેકાણે જોવા મળે. પણ આટલું જતન કરવા છતાંએ માત્ર ચાર દિવસની માંદગી ભોગવી ગત એપ્રિલ માસની ૨૨ મી તારીખે તેનું અવસાન થયું. માતાપિતાને શુન્ય જેવાં કરી મૂક્યાં. એ આત્મા જ્યાં હશે ત્યાં અવશ્ય એ માતા પિતા ઉપર આશીર્વાદ વરસાવતે હશે.
- તા. 8: જણાવતાં આનંદ થાય છે કે નવ મહિના ઉપર શ્રી મુંબઇ જૈન યુવક સંઘના કાર્યાલયનું સ્થળાંતર કર્યું ત્યારે આ બહેન રેખાના હાથે કુંભ–સ્થાપના કરાવી પુત્રીને એ લહાવો લેવાને આનંદ આપી માતાપિતા ખૂબ હર્ષિત થયા હતા. તથા તે જ સમયે રૂ. ૫,૦૦૦ આપી “રેખા દામજીભાઇ વૈદકીય રાહત કેન્દ્ર” એ નામ આપી વૈદકીય રાહત કેન્દ્ર શરૂ કરવાનું જાહેર કર્યું. અને છ મહિના થયા એ રાહત કેન્દ્ર શરૂ પણ થઇ ગયું છે. [‘વિકાસ’માંથી સાભાર ઉધ્ધત] મેનાબહેન નરોતમદાસ
“આપણી સાધુ સંસ્થા અંગે-૯ તીર્થકરોની ગેરહાજરીમાં તેમના ગુણાનું પૂજન કરવા માટે જેમ અરિહન્તાદિની પ્રતિમા બનાવવામાં આવી છે, જે સિદ્ધ પુરુષો થઇ ગયા તે બધામાં જે અનન્તજ્ઞાનદર્શનાદિ અનુપમ અને અદ્રિતીય ગુણ હતા એવા ગુણો આરાધકમાં પ્રગટે એ ભાવથી મૂર્તિની પૂજ, અભિષેક વગેરેને જે પ્રબંધ કરાયા છે તે જ કોઇ હેતુ સાધુસંસ્થાના અસ્તિત્વમાં રહેલું છે અને તેની પરંપરાથી સંઘના ચાર અંગે ગણાતા આવ્યા છે; સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. આ પૈકી એકાદ અંગનું જે સ્વરૂપ હતું તેમાંથી ન્યુનાધિક કરવું તે સંઘને ખંડિત કરવા સમાન છે; પરિસંવાદમાં ઘણાએ કહ્યું છે કે હાલના સાધુગણની આચારપ્રણાલિકામાં ફેરફાર અનિવાર્ય અને જરૂરી છે, અને તેમ કરીને જ આ સંસ્થાને જીવન રાખી શકાશે. પણ આ વાત અને કથન બરાબર નથી તેમ જ તે જૈન ધર્મના કાયમી અસ્તિત્વ માટે હિતકારી નથી. આદર્શ હમેશાં ઊંચે જ હોય. તેને કોઇ પહોંચી ન શકે એટલે તેને ટૂંકો કરવો તે બુદ્ધિમાની નથી. જૈન દર્શનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એમ પાંચે વાનાં ગણાવેલ છે તે જો ધ્યાનમાં લેવામાં આવે તો, હાલ જે દેખાય છે તેમાં આશ્ચર્ય પામવા જેવું ન લાગત અને બધું બગડી રહ્યું છે માટે તેને સુધારવાને બદલે તેના આચાર - નિયમે હળવા કરીને બગડેલું છે તે ઠીક છે એવું સર્ટિફિકેટ આપવા જેવું કરવાની કોશિષ આ ગણાશે અને તે કરવાનો અધિકાર શ્રાવક ગણને નથી જ.
શ્રાવક શ્રાવક રહેવા પ્રયત્ન કર્યો હોત તે સાધુસંસ્થાની આ દશા ન થાત. શ્રાવક આચારવિચારે જેટલા પડ્યા છે તેટલી જ બૂરી અસર આ સાધુગણમાં પડી છે, કારણ કે છેવટે સાધુઓ પણ શ્રાવક સમાજમાંથી ઊપજે છે અને તેઓ શ્રાવકોના અન્નપાણીથી પોષાય છે. અન્નને અને મનને તથા પાણી અને વાણીને સૃષ્ટિને સંબંધ છે. તેથી અન્યાયપાજિત અન્ન-પાણીની અસર સાધુસમાજ ઉપર પડી છે. આ સાધુઓના આચારમાં કંઇક હળવાપણું દાખલ કરીને અને તેમના માટે ગૃહસ્થી જેવી સુવિધાઓની જોગવાઇ કરીને તે સંસ્થાને સુધારી શકાશે નહિ. ઊલટું તે સંસ્થા સાવ નામશેષ થઇ જશે. - જ્યારે ભૌતિકતાનાં ઘોડાપૂર ધસમસી રહ્યા છે ત્યારે આધ્યાત્મિકતાની ઉચ્ચતર કસોટી તેમની સામે મૂકવી જોઇએ અને તેને પહોંચીવળવાની હામ ભીડનારાઓને તમામ પ્રકારની સગવડ શ્રાવક સમાજે કરી આપવી જોઈએ. આને બદલે જે કામ ગુહસ્થોએ કરવાનાં
છે તેવાં કામો સાધુઓને કરવાનું કહીને તે સંસ્થાનું અસ્તિત્વ જ મયમાં મૂકવાનું આપણે કરી રહ્યા છીએ એમ મને લાગે છે.
પૂજ્ય ગાંધીજી કહેતા હતા કે સત્યને ગજ કદી ટૂંકો ન થશે, જ્યારે આપણે પોતાના આચાર - વિચારોની શિથિલતા સુધારવાને બદલે સાધુઓના આચાર - વિચાર ઢીલા કરવાની સગવડ ઊભી કરવા મથી રહ્યા છીએ એમ મને લાગે છે. આથી તેમને કઈ રીતે ઉદ્ધાર થવાને છે કે તેમનું કઈ રીતે ભલું થવાનું છે, તે મને સમજાતું નથી.
આજે જૈન ધર્મ - ત્યાગ તપને ધર્મ - સારાય વિશ્વમાં જુદી ભાત પાડે છે અને જેના તરફ વિશ્વના મહાન ચિતકો આકર્ષાયા હતા અને હજુ ય આકર્ષાય છે - આવા ધર્મની ભવ્યતાને તેડી પાડવાનું હીણું કામ આજને વામન અને ટૂંકી દૃષ્ટિવાળે શ્રાવક ન કરે તે જોવાની સુજ્ઞ શ્રાવકસમાજની માટી ફરજ છે. પરિસંવાદના અધ્યક્ષ શ્રી ચીમનભાઇએ ખૂબ જ હિંમતથી પરિસંવાદના આ સુરને વિરોધ કર્યો છે અને સાચી વાત રજુ કરી છે. તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
સાધુસંસ્થામાં શરૂ થયેલી શિથિલતા કાઢવાની ખુબ જરૂર છે અને તે માટે આચારસંહિતા કડક બનાવીને તે પળાયે તે પાકો - ચેકી પહેરો શ્રાવક સમુદાયે રાખવો જોઇએ અને તે સાથે તે પળાય એવી પૂરી સગવડ પણ તેમને કરી આપવી જોઇએ. તેમ કરીને જ વિશ્વધર્મ થવાં લાયક જેને ધર્મને આપણે ટકાવી શકીશું અને સાધુસંસ્થા ટકશે તો જ તીર્થંકરના ગુણેનું કંઇક અંશે અનુકરણ કરવાનું જેને સમાજ માટે શકય બનશે. આ મારો નમ્ર મત છે. હિંમતનગર, તા. ૨૫-૭-૭૦.
કપિલ ટી. કોટડિયા
તંત્રી જૈન શાસન” પ્રાર્થનાની શક્તિ પ્રભુની સાથે સંબંધ રચવા માટે પ્રાર્થના એક ઉત્તમ સાધન છે. એના વડે પ્રભુ સાથેના સંપર્કના અનેક દ્વાર ખુલ્લાં થાય છે. આપણે પ્રભુને માતા, પિતા, ભાઇ, બહેન અને સ્વામી રૂપે જોઇએ છીએ, આપણે એનાં પ્રિય બાળકો છીએ એવું જ માનીએ છીએ, આવા માનેલા સંબંધે એની સાથેનું સાનિધ્ય આપે છે. આપણે એની વધુને વધુ નિકટ જઇએ છીએ. જ્યારે આપણે પ્રભુને સ્વામીરૂપે જોઇએ છીએ ત્યારે એ આપણે માર્ગદર્શક બની સત્યના પંથે ચાલવા માટે બળ આપે એવું પ્રાર્થીએ છીએ. પ્રભુનો વાસ આપણી અંદર જ છે અને એ આપણી પ્રાર્થના, અવશ્ય સાંભળતે હોય છે. આવી પ્રાર્થનાદ્રારા આપણે ઘણુ બળ મેળવી શકીએ છીએ. પણ પ્રાર્થના એ યાચના ન બની જવી જોઇએ. પ્રભુ સાથેના એકત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક માત્ર ઉદ્દેશ આપણી પ્રાર્થનાની ભીતરમાં હોવા જોઇએ.
અહીંયા ‘જ્ઞાન’ શબ્દ યથાર્થ જ વપરાય છે, કારણ હંમેશા જ આપણે અને પ્રભુ એક છીએ પણ એ એકત્વનું આપણને જ્ઞાન હોતું નથી. આ જ્ઞાનને અભાવે માને ભૂલી ગયેલાં બાળક જેવાં આપણે બની ગયા છીએ. જો કે મા તે આપણી અંદર હતી જ પણ આપણા ચક્ષુ જ બંધ હોય તો શી રીતે એના દર્શન કરી શકીએ? જે પળે જ્ઞાન થાય અને આંખ ખુલે છે કે માનાં દર્શન થાય છે. આવી જ રીતે આપણા આંતરચક્ષુ ખેલતાં જ પ્રભુની પ્રેમાળ મૂર્તિ દેખાશે. આ જ્ઞાન થતાં જ આપણને ભાગવત કૃપાને પ્રકાશ દષ્ટિગોચર થશે.
પ્રાર્થનાદ્રારા પ્રાપ્ત થતું પ્રભુનું સાન્નિધ્ય આપણને વધુ ને વધુ પવિત્ર અને માયાળું બનાવે છે. નામ–જપ પણ પ્રાર્થના જેવી જ શાન્તિ અને પવિત્રતા અર્પે છે, એના દ્વારા જ સાચે આનંદ પ્રાપ્ત થાય છે.
પણ આપણી પ્રાર્થના કેવી હોવી જોઇએ? પ્રાર્થના એ યાચના ન બની જવી જોઇએ. કોઇ પણ ભૌતિક વસ્તુ માટે પ્રાર્થના કરવી યોગ્ય નથી. જે યાચના કરવી જ હોય તો પ્રભુના સાક્ષાત્કારની જ યાચના કરવી જોઇએ. પ્રભુ કહે છે કે “જે કંઈ હું તને આપીશ એ સર્વ ક્ષણભંગુર જ હોવાનું. એક “હું” જ શાશ્વત છે. જે નું પ્રાર્થશે કે હું તારો બનું તો જરૂર હું તારો બનીશ.” પણ ઊંડાણથી તપાસતાં જણાશે કે આપણે પ્રભુને ઇચ્છતા નથી પણ એની આપેલી વસ્તુઓ જ ઇચછીએ છીએ. આવી ક્ષણિક વસ્તુઓથી સાચી શાન્તિ કે શાશ્વત આનંદ કયાંથી મળી શકે? આપણે તે પ્રભુને પ્રાર્થના કરવી, કાં તે એ આપણા બને અથવા આપણને એના પોતાના બનાવે. આપણે એના બનીએ કે આપણા બને, એ વસ્તુ આખરે તે એક જ છે. બન્નેમાં અમૃતત્વની જ યાચના છે અને સાચે આનંદ અને શાન્તિ તે એ અમૃતત્વમાં જ હોઇ શકે.
સંકલન : શ્રી માલતી ખાંડવાળા.