________________
તા. ૧-૯-૧૯૭૦
પ્રભુ જીવન
પડકાર્— A challenge of change
=
પરિવર્તનના
(‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' માં ૧૬-૮-૭૦ ના રોજ પ્રગટ થયેલા હેવાલ પરથી ટૂંકાવીને)
વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પંદરમી ઓગસ્ટના દિવસે ત્રેવીસમા સ્વાતંત્ર્યદિન નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગું એક મહત્વનું પ્રવચન કરતાં ઝડપથી બદલાઈ રહેલા સમયના પડકાર ઝીલી લેવા લોકોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતા. તેમના ૩૭ મિનિટના આ પ્રવચનમાં તેમણે કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના ઉલ્લેખ કર્યો હતા. ઉપસ્થિત થયેલી જનમેદનીએ ભારે હર્ષનાદો વડે તેમને વારંવાર વધાવી લીધા હતાં.
વડાપ્રધાને જાહેર કર્યું હતું કે જગત જ્યારે આગેકૂચના ઊંબરે ઊભેલું છે ત્યારે આપણે જો સમયની રફ્તાર સાથે કદમ મીલાવીને નહીં ચાલીએ તે જગતના બીજા દેશો કરતાં આપણે પાછળ પડી જઇશું અને આપણે જ આપણા સમાજને નબળા બનાવી દઇશું. ધંટડીની જેમ રણકતા અવાજે તેમણે પોતે હાજર રહેલા લોકો સમક્ષ પ્રતિજ્ઞા લેતા કહ્યું હતું:—
“હું અત્યારે પ્રતજ્ઞિા લઉં છું કે, મારી શકિત અને તાકાતના છેલ્લા બુંદ સુધી ભારતની ગરીબાઇ સામે હું લડતી રહીશ.
“પરિસ્થિતિ મોટા પાયા પરનું પરિવર્તન માંગે છે. પરિવર્તનના આ પડકારને પહોંચી વળવા માટે મારી સાથે ચાલવાનો હું મારા દેશવાસીઓને આગ્રહ કરું છું.
“મને આશા છે કે આપણા સૌના સંયુકત સહકાર વડે આપણે આપણા દેશનું ભાવિ ઊજળું અને સુંદર બનાવી શકીશું. પ્રત્યેક ભારતવાસીએ પોતાની દરેક પ્રવૃત્તિમાં દેશનું હિત અગ્રસ્થાને રાખવું જોઇએ. વીતી ગયેલા વર્ષ દરમ્યાન પ્રજાના દિલમાં નવી આશાઓ અને નવી મહત્ત્વાકાંક્ષાઓ જન્મી છે. અને આ મહત્ત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાનું કામ ઘણું મોટું કામ છે અને તે આપણે સૌએ નિષ્ઠાપૂર્વકના કાર્યદ્રારા સમાજમાં મેટા પરનું પરિવર્તન આણીને જ પાર પાડવાનું છે. હવે આપણને ગોકળગાયની ગતિ પરવડે તેમ નથી.
પાયા
“હું એમ ઇચ્છું છું કે દરેક માણસ પોતાની જાતને બે પ્રશ્નો પૂછે: મેં મારા દેશને માટે શું કર્યું છે? મે પ્રમાણિકપણે આજે કેટલું કામ કર્યું છે? જો આ બે પ્રશ્નોના વ્યાજબી ઉત્તરો પ્રત્યેક માણસ રોજ આપી શકે તો આપણે ઘણી સારી ઝડપે પ્રગતિ સાધી શકીશું.”
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ધ્યાન ખેંચતાં પ્રશ્નોને ઉલ્લેખ કરતાં સૌ પ્રથમ પડોશી દેશ પ્રત્યે મૈત્રીના હાથ લંબાવતાં તેમણે જણાવ્યું કે ભારત બધા જ અણઉકલ્યા મુદ્દાઓ વિષે-અલબત્ત પાતાનું હિત ન જોખમાય એ રીતે—વાટાઘાટો દ્રારા—સમાધાન કરવા તૈયાર છે. પશ્ચિમ એશિયામાં અમેરિકાની શાંતિદરખાસ્તો સ્વીકારી લેવા માટે પ્રમુખ નાસરે બતાવેલી હિંમત અને મુત્સદ્દીગીરીની તેમણે પ્રશંસા કરી હતી. રશિયા અને પશ્ચિમ જર્મની વચ્ચે થયેલા ના— યુદ્ધના કરારોને તેમણે વિશ્વશાંતિ તરફના બીજા કદમ તરીકે વર્ણવ્યું હતું. દક્ષિણ આફ્રિકાને શસ્ત્રો આપવાના બ્રિટશ સરકારના નિર્ણયને વખોડી કાઢતાં તેમણે જણાવ્યું કે એથી તો રંગભેદની વૃત્તિને ટેકો મળશે અને સરવાળે દક્ષિણ આફ્રિકાના પડોશી દેશાને માટે એક નવું ભયસ્થાન ખડું થશે.
ભારતની સરહદોનું રક્ષણ કરી રહેલા જવાનોને તેમણે અભિનંદન આપ્યાં હતાં અને સમગ્ર પ્રજાને તેમને ટેકો આપવાનું જણાવતાં કહ્યું કે, માત્ર શસ્રો પૂરા પાડીને નહીં, પણ ભારતને આર્થિક રીતે સ્વાયત્ત બનાવીને અને દેશની એકતાને મજબૂત બનાવીને આપણે એમને સાચા ટેકો આપી શકીશું.
દેશના આંતરિક પ્રશ્નો વિષે ચર્ચા કરતાં તેમણે કહ્યું હતું કે આપણે ભાવાનો વધારો ખાળવા જ રહ્યો, કારણકે બાંધેલી આવક
],
૧૦૧
વાળા મોટા વર્ગ ઉપર ભાવ વધવાથી ઘણા મોટો બાજો આવી
પડે છે.
શ્રીમતી ગાંધીએ “ઇન્ડીઅનાઇઝેશન” - હિંદીકરણ - ના સૂત્રને વખોડી કાઢયું હતું અને જણાવ્યું હતું કે કોમવાદ એક એવું દૂષણ છે કે જેના પરિણામે દેશ નબળા પડતા જાય છે અને પ્રગતિ રૂધાઇ જાય છે. દેશના પછાત અને શાષિત વર્ગો વિષે બાલતાં તેમણે કહ્યું હતું કે લાંબા સમયથી તેમના પ્રત્યે અન્યાય થતો રહ્યો છે. સમાજે તેવા લોકોને ઊંચે આવવામાં તમામ મદદ કરીને પોતાની ફરજ બજાવવી જોઇએ. દેશના યુવકોને તેમણે હિંસાને માર્ગે નહી જતાં, સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં પરિવર્તન આણવાના મહત્ત્વના કાર્યમાં સહભાગી થવાની અપીલ કરી હતી,
ભારતની વિદેશ નીતિ પહેલાં હતી તેવી આજે પણ છે અને ભારત હજી પણ હિંસા કે તાકાતના પ્રદર્શન વડે નહીં, પરંતુ વાટાઘાટો દ્વારા જ દરેક પ્રશ્નનું નિરાકરણ કરવામાં માને છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તાજેતરમાં બનેલા ઉપર જણાવેલા બે-ત્રણ મહત્ત્વના બનાવામાં ભારતની વિદેશનીતિના જ સ્વીકાર છે એમ
તેમણે જણાવ્યું હતું. હિંદી ચીનમાં ચાલી રહેલી લડાઇને તેમણે કર્મનસીબ ગણાવી હતી અને તેના પરિણામે અશકય યાતના ભોગવી રહેલા અસંખ્ય માણસા - સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને વૃદ્ધો – પ્રત્યે તેમણે ભારતની પ્રજાની વતી સહાનુભૂતિ બતાવી હતી.
દેશી રાજાને મળતાં સાલિયાણા અંગે એક ચર્ચાપત્ર
“જમીન - આંચકો” ની પ્રવૃત્તિ વિષે બોલતાં વડા પ્રધાને કહ્યું હતું કે “આજના પ્રસંગે હું એ વિષે ટીકા કરવા ઇચ્છતી નથી તેમ છતાં હું એટલું તો કહીશ જ કે થોડાક માણસો ઘણી મોટી જમીનાના માલિક હોય અને કેટલાંક માણસા પાસે ઘણી ઓછી જમીનો હાય, જ્યારે ઘણા બધાં લોકો પાસે મુદ્દે જમીન ન હોય એ આખી પરિસ્થિતિ ઠીક નથી એ દરેક માણસે બરાબર સમજી લેવું જોઇએ. કોઇપણ દષ્ટિએ એમાં ન્યાય જળવાતો નથી એમ કહેવું જ જોઇએ.”
આ અન્યાયના નિરાકરણ અર્થે સરકારે કેટલાક પગલાં લીધાં છે અને બીજા કેટલાક કાયદા ત્વરાપૂર્વક ઘડાઇ રહ્યા છે. જુદા જુદા રાજ્યની સરકારો પણ જમીન સુધારાના આ કાયદાઓનો અમલ કરે તે વિષે કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે. જોકે આટલી વિશાળ વસતિ વાળા દેશમાં પ્રત્યેક વ્યકિતને જમીન આપી શકાય એ શક્ય નથી એમ પણ તેમણે જણાવ્યું હતું.
પ્રવચનના અંતભાગમાં તેમણે કહ્યું હતું, “આપણે એક પ્રજા છીએ. આપણે સૌ ભારતના નાગરિકો છીએ. આ પ્રાચીન દેશમાં - ભારતમાં - જન્મ મળ્યો હાવા વિષે આપણા સૌના મનમાં ગૌરવ છે. આપણા આ પ્યારા દેશ પ્રત્યેની ફરજો આપણે સૌએ અદા કરવાની છે. ભગીરથ પુરુષાર્થ વડે આપણે દેશને પ્રગતિને રસ્તે દોરવાના છે અને સાચા અર્થમાં આપણે આપણા દેશને મજબૂત અને રામુદ્ધ, સંયુકત અને બિનકોમી બનાવવાનો છે.'
સંકલન: સુબોધભાઇ એમ. શાહુ
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું પ્રત્યક્ષ શિક્ષણ, માનનીય શ્રી નેહરુની પ્રેરણા અને માનનીય શ્રી વલ્લભભાઇ પટેલની બુદ્ધિગમ્ય લાકસેવાની ધગશભરી સલાહ માન્ય રાખીને ભારતભરના રાજવીઓ તેમનાથી પ્રભાવિત થયા અને બ્રિટિશરોએ જે આમસભા જ સર્ટપરી ગણાય તે જાતનું શિક્ષણ ભારતીય જનોને પોતાના દષ્ટાંતથી જ