________________
:900
પ્રબુદ્ધ જીવન
ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિભાગાને રાહત પહોંચાડવાની દિશાએ રોડ અવિદભાઇ મફતલાલના ભગીરથ પ્રયાસ (તા. ૮-૮-૧૯૭૦ના જૈનમાંથી સાભાર ઉષ્કૃત ) સંસાર સુખી અને ઊજળો બને છે, નિ:સ્વાર્થ સેવાકાર્યોથી. સેા વાર બાલ બાલ કરવાનું મૂલ્ય એક જ વાર કામ કરી બતાવવવાના મહિમા આગળ કશું જ નથી. કામના પીઠાળ વગરનાં બાલેલાં વેણ રેતીના લાડુની જેમ વેરાઇ જાય છે. બાલના સાચા તેલ એમાંથી કર્તવ્યપરાયણતાનું સત્ત્વ કેટલું પ્રગટે છે, એના આધારે જ થાય છે, બાકી તા કેવળ હવામાં બાચકા સમજવા,
ગુજરાત–મહારાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિ અને ભારતના મહાન દાનધર્મવીર શેઠ શ્રી અરવિંદભાઇ મફતલાલની દુષ્કાળ—સંકટ–નિવા રણની સેવાઓ, એ આવી મૂંગી અને નિષ્ઠાભરી કર્તવ્યપરાયણતાનું જ સુપરિણામ છે. એમની આવી નિર્ભેળ સેવાઓએ આપણા દેશની દીન-સાધનહીન—ગરીબ માનવજાત ઉપર કેટલા બધા ઉપકાર કર્યો છે! એમની આ સેવાએ આટલા વ્યાપક પ્રમાણમાં અને સમયસર દેશને ન મળી હોત તો દુષ્કાળના કારમા પંજામાં સપડાયેલ પ્રદેશાની ગરીબ જનતાની અને પશુસંપત્તિની કેવી ખાનાખરાબી થવા પામત એની કલ્પના જ રૂવાડાં ખડાં કરી દે એવી છે.' એમ કહેવું જોઇએ કે પેાતાની આવી ઉદાર સેવાપરાયણતાને લીધે શેઠ શ્રી અરવિંદભાઇએ આપણને હજારો. માનવીઓ અને પશુઓના વિનાશના મોટા કલંકમાંથી ઉગારી લીધા છે.
બે વરસથી ગુજરાત રાજ્યના ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, એ ત્રણે વિભાગે દુષ્કાળના મહાસંકટમાં સપડાયા હતા. બનાસકાંઠા, કચ્છ અને ઝાલાવાડની કામધંધા વગરની ગરીબ જનતા અને ત્યાંનાં ઢોરો માટે હરિત-નાસ્તિના જ મોટો સવાલ ઊભા થયા હતા. આમ તો આ અસાધારણ મુસીબતના સામના કરવા માટે ગુજરાત રાજ્યની સરકારે પણ વેળાસર સારી જાગૃતિ બતાવી હતી અને સરકારના આ પ્રયત્નો આ સંકટને પાર કરવામાં સારા પ્રમાણમાં ઉપયોગી પણ નીવડયા હતા. ગુજરાત સરકારની અને ખાસ કરીને ગુજરાત રાજ્યના મહેસૂલખાતાના પ્રધાન શ્રી પ્રેમજીભાઈ ઠક્કરની દુષ્કાળ રાહત માટેની આ કાર્યવાહી ધન્યવાદ અને પ્રશંસાને પાત્ર છે, એમાં શક નથી.
આમ છતાં આપણા દેશના સરકારી કારોબારમાં જે ખરાબી ઘર કરી બેઠી છે, તેને લીધે દુષ્કાળ—સંકટનિવારણના કે રાષ્ટ્રનવનિર્માણના ગમે તે કાર્યમાં લગાવેલાં સમય, શકિત અને ધન અરધાં પણ ભાગ્યે જ ઊગી નીકળે છે. પરિણામે આવાં કામેામાં લાખા કરોડો રૂપિયા ખરચાવા છતાં એના બદલામાં લેાકાને સાચી રાહત કેટલી મળે છે, અને કેટલું નાણુ ચવાઇ-ખવાઇ વેડફાઇ જાય છે, એના દેશહિતચિન્તકની ઊંઘ ઉડાડી મૂકે એવા બેાલતા દાખલા ગયા વર્ષે બનાસકાંઠામાં ચાલેલાં સરકારી રાહત કામે પ્રસંગે જાણવા મળ્યા હતા !
સરકારી તંત્રના આવા કડવા અનુભવ ધ્યાનમાં રાખીને શ્રી અરવિંદભાઈએ પોતાના હસ્તકનાં દુષ્કાળ રાહત કામા માટે સરકારી તંત્રથી સાવ સ્વતંત્ર એવું વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું હતું; અને એમાં એક બાજુ કાર્યક્ષમતા અને પ્રમાણિકતા સચવાય તેમ જ બીજી બાજુ સરકારની દખલગીરીથી સર્વથા મુકત એવાં સરકારી સહાય
અને સહકારને પૂરેપૂરો ઉપયોગ કરી શકાય, એવી તકેદારી રાખી હતી. આવી કાર્યવ્યવસ્થા ઊભી કરવામાં શ્રી અરવિંદભાઈએ જે કુશાગ્રબુદ્ધિ, દુરંદેશી અને ધ્યેયનિષ્ઠા દાખવી છે, એ સૌ કોઈને માટે દાખલારૂપ બની રહે એવી છે. ગુજરાત સરકારે પણ શ્રી અરવિંદભાઈ હસ્તકનાં રાહત કામામાં પેાતાને અવાજ રાખવાનો આગ્રહ ન રાખતાં ખેલદિલી અને ઉદારતાપૂર્વક જે સહાય અને સહકાર આપ્યાં, તે માટે એને પણ ધન્યવાદ ઘટે છે. એના ઉપરથી એટલું તે સાબિત થાય જ છે કે ગુજરાત સરકારની ઇચ્છા પણ લોકોને સાચી રાહત મળે એવી હતી; અને એ માટે એ શક્ય પ્રયત્ન કરવામાં કયારેય પાછી નથી રહેતી.
તા. ૧-૯-૧૯૭૦
એ માટે દરરોજ આવી પ્રત્યેક વ્યકિતને શરીરપેાષક અને શકિતવર્ધક સુખડી એકસો ગ્રામ જેટલી નિયમિત મળતી રહે એવી વ્યવસ્થા ગુજરાતના બધા દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે કરવામાં આવી હતી; સાથે સાથે બાજરી કે એવું પાષક અનાજ મળતું રહે એવી ગાઠવણ કરવાનું પણ તેઓ ચૂકયા ન હતા.
રોજ હજારો મણ સુખડી તૈયાર કરવી, અને રાજમાર્ગોથી દૂર દૂર અગાચર પ્રદેશમાં વસેલાં હજારો ગામડાંમાં વસેલા લાખો ગામડાવાસીઓને નિયમિત પહોંચતી કરવી, એ કામ કેટલું જંગી અને જટિલ છે, એના સાચો ખ્યાલ તા જેઓ એ કામ સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય એમને જ આવી શકે. અમ છતાં એકલા કચ્છમાં સુખડી વહેંચણીનું કામ કેટલા મોટા પાયા ઉપર ગાઠવવું પડયું હતું એનો ખ્યાલ “ ધી ટાઈમ્સ ઑફ ઇન્ડિયા ” દૈનિકના તા. ૧-૮-૭૦ના અંકમાં આપેલી કેટલીક વિગતો ઉપરથી પણ આવી શકે છે.
શેઠશ્રી અરવિંદભાઈના હસ્તકના દુષ્કાળ રાહત કામાની સૌથી મેટી કે અસાધારણ કહી શકાય એવી વિશેષતા એ હતી કે એમાં રોજી મેળવવા માટે શરીરશ્રામ કરનાર પ્રત્યેક વ્યકિતની શારીરિક શકિત ટકી રહે એની પૂરી તકેદારી રાખવામાં આવી હતી; અને
આ વિગતો મુજબ એકલા કચ્છમાં જ ૧૦૫૩ ગામડાંઓને સુખડી અને બાજરો પહોંચાડવામાં આવતાં હતાં. રોજ ૮૦ ટન જેટલી સુખડી બનાવવામાં આવતી હતી; અને ૪૨ જીપગાડીઓ અને ૪ મેટર ટ્રકોના મોટા વાહન કાલા દ્વારા એની વહેંચણી કરવામાં આવતી હતી. આ રીતે રોજ નવ લાખ ઉપરાંત માણસોને સુખડીનો લાભ મળતા હતા. આ કામ વ્યવસ્થિત રીતે ચાલતું રહે એ માટે પાંચસો જેટલી તો સ્થાનિક કમિટી રચવામાં આવી હતી. એમ કહેવું જોઈએ કે આ કાર્યને સફળ બનાવવામાં જેમ જંગી આર્થિક સહાયની જરૂર હતી તેમ નિ:સ્વાર્થ અને સેવાપ્રેમી કાર્યકરોના વિશાળ એકરાગી જૂથની પણ એટલી જ જરૂર હતી. આ કાર્ય સફળતાપૂર્વક શાભી ઊઠયું હાય તો તે આવા કાર્યકરોને કારણે.
ઠેર ઠેર આવા સેવાપરાયણ કાર્યકરોનું જૂથ ઊભું કરવામાં શેઠ શ્રી અરવિંદભાઈની એક વ્યાપારી ઉદ્યોગપતિ તરીકેની કાર્યદક્ષતા અને વ્યવહારનિપુણતાએ પણ ઘણા મહત્ત્વના હિસ્સા આપ્યા છે, એમાં શક નથી. આથી પણ આગળ વધીને કહેવું હોય ત એમ કહેવું જોઈએ કે દેશવાસીઓના સંકટનિવારણ માટે પોતાનાં તન-મન-ધન સહર્ષ સમર્પિત કરવાની શ્રી અરવિંદભાઈ શેઠની ઉત્કટ તમન્ના અનેક કાર્યકરોના " અંતરને સ્પર્શી ગઈ અને, ગોવર્ધન પૂર્વતને તાળવા જેવા વિકટ કાર્યના સાથી બનીને પેાતાના જીવનને કૃતાર્થ બનાવવા એ સૌને દોરી લાવી. જ્યોતથી જ્યોત પ્રગટે, એ રીતે આ સેવાપ્રવૃત્તિના વિસ્તાર થતો રહ્યો અને એ માટે સાચદિલ સેંકડો કાર્યકરોના વણમાગ્યો સાથ મળતો રહ્યો. આ પ્રસંગ ઉપરથી આનંદ અને આશ્ચર્યપૂર્વક એમ પણ જાણી શાય છે કે જો નેતા શાણા, સેવાભાવી અને નિ:સ્વાર્થ હોય તો, પ્રામાણિક અને શકિતશાળી કાર્યકરોની ભારે અછતના આ યુગમાં પણ નેકદિલ, નિષ્ઠાવાંન અને નિ:સ્વાર્થ સેંકડો સાથીઓ સહેજે મળી આવે છે.
આ દુષ્કાળ–રાહત માટે નાણાંની વ્યવસ્થા કેવી રીતે થઈ એ પણ જાણવા જેવું છે. અમેરિકાની કેર ( Care ) નામની સંસ્થા તરફથી ચાર કરોડ ત્રીસ લાખ રૂપિયાની કિંમતની સામગ્રી મળી; ગુજરાત રારકારે પચીસ લાખ રૂપિયા આપ્યા; અને શેઠશ્રી અરવિંદભાઈ હસ્તકના સદ્ગુરુ સેવા સમાજે અઠ્ઠાવીશ લાખ રૂપિયા આપ્યા. આમાં પૂરી આર્થિક મદદ મળી એ તે મહત્ત્વનું છે જ; સાથે સાથે શકિતશાળી વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં આવ્યું એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ ઉપરથી એ પણ જાણી શકાય છે કે શ્રી અરવિંદભાઈ અમેરિકામાં કેટલી વગ ધરાવે છે; અને અમેરિકાની કેર સંસ્થાને એમના ઉપર કેટલા બધા વિશ્વાસ છે.
શ્રી અરવિંદભાઈએ જેમ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં દુષ્કાળરાહતનું આવું માનવતા અને રાષ્ટ્રસેવાનું કામ કર્યું છે, તેમ પહેલાં રાજસ્થાન અને બિહારમાં પણ આવા પ્રકારનું જ સેવાકાર્ય કર્યું હતું. આ હકીકત એમ સૂચવે છે કે તેઓનું દૃષ્ટિબિંદુ રાષ્ટ્રવ્યાપી વિશાળ છે, અને નાત-જાત કે પ્રાંત-ભાષાના નકલી ભેદોથી મુકત બનીને દીન દુ:ખી માનવજાતની સેવામાં તેઓ શ્રાદ્ધા ધરાવે છે અને એ માટે પૂરતા પ્રયત્ન પણ કરે છે. આ ભાવના શેઠશ્રી અરવિંદભાઈની સાચી ધાર્મિકતા, સંસ્કારિતા અને રાષ્ટ્રીયતાના કીતિકળશ બની રહે એવી છે. વળી આનાથી પણ ચડી જાય એવી છે એમની વિનમ્રતા. આ બધાં સત્કાર્યના યશ તે ભગવાનને અને પોતાના માતુશ્રીને આપે છે; અને પોતે તો માત્ર એનું નિમિત્ત છે એમ માને છે; અને કીર્તિની ઝંખનાથી દૂર રહે છે.
રતિલાલ દીપચંદ દેસાઈ