________________
તા. ૧-૯-૯૭૦
પ્રબુદ્ધ જીવન
પિતાના પક્ષના ઉમેદવારને મત આપે છે. પાંચ ટકા આમ તેમ ફેર થાય એટલું જ. આ લોકશાહી ઘડાયેલી કહેવાય.
આપણે ત્યાં પચાસ-સાઠ. પક્ષે છે. જે ફ્રાન્સની પરિસ્થિતિ હતી અને એક વખત જે જર્મનીની પરિસ્થિતિ હતી, આજે ઇટાલીની છે – તે તરફ આપણે જઈ રહ્યા છીએ. પ્રજામાં અને નેતાએમાં ચારિત્ર નથી એ કારણે લોકશાહી ભયમાં છે. આજે માત્ર આપણા સ્વાર્થમાં જ આપણે રચ્યાપચ્યા રહીએ છીએ. દેશ માટે ભાગ આપવા કોઇ જ તૈયાર નથી. સ્વાર્થની પણ મર્યાદા અને હદ હોવી જોઈએ. આપણામાં પૈસા અને સત્તા માટે અમર્યાદ ઘેલછા છે. આપણામાં વર્ણવાદ, પ્રાન્તવાદ અને કોમવાદનું ઝેર પણ મોટા પ્રમાણમાં પ્રસરી રહ્યું છે. ઓરિસ્સામાં લોખંડનું કારખાનું નાંખવાને નિર્ણય કેન્દ્ર સરકાર ન કરે તે એના વિરોધમાં આખું ઓરિસ્સા બંધ થાય. માઇસેર–મહારાષ્ટ્રના સીમા પ્રશ્નને ઝઘડો ન પડે તે આખું મહારાષ્ટ્ર બંધ રહે. આ બધાંનાં મૂળ ઊંડા ઉતરતા જાય છે. આપણે ત્યાં જ્ઞાતિ–પેટા જ્ઞાતિએ આ બધું લેહીમાં જ ભરેલું છે. આપણે બેમાંથી ચાર થવા તૈયાર થઇશું, પણ બેના એક થવામાં માનતા નથી. આ બધા પછી એમ કહેવામાં આવે છે કે આપણે ત્યાં તે ડિકટેટરશીપ જોઇએ. આમ કહેવાવાળા કોઇ એ વાત સમજતા નથી, કે ડિકટેટરશીપથી કોઇ પ્રજા સુખી થતી નથી.
આપણા દેશમાં સાંસ્કૃતિક એકતા છેલ્લા પાંચ હજાર વર્ષથી છે, પણ રાજકીય એકતા-One Nation...એ ભાવ હજી અંતરમાં ઊતર્યો નથી. એના જન્મ માટે જે કારણભૂત હતા તે નેતાઓ ગાંધીજી નહેરુ-સરદાર–તેમના પ્રત્યે પ્રજાને પૂરો આદર હતો, તેમના ભેગ–ત્યાગ વિષે પ્રજાને સંતોષ હતું અને તેઓ દીર્ધદષ્ટા અને શકિતશાળી પુરુષ હતા.
અત્યારના આપણા માનસની વાત કયાં કરવી? ગાંધીજી અને વિનોબાજી જેવાને છાપાવાળાઓ પણ સાવ ભૂલી ગયા છે.
કેટલાક એમ કહે છે કે અમેરિકન પદ્ધતિની પ્રેસિડેન્શિયલ પદ્ધત્તિ વધારે અનુકુળ થશે. પરંતુ અન્ય બંધારણ ગમે તે જાતનું હોય, પ્રજામાં શિસ્ત અને રાષ્ટ્રની વફાદારીની ભાવના ન હોય તો તે સફળ ન થાય.
જ્યાં દરેક માણસની પૂરી કિંમત અંકાય, જ્યાં અસમાનતાને ગણ સ્થાન હોય ત્યાં જ સાચી લોકશાહી અમલમાં આવે.
લોકશાહી ભયમાં છે એનું એક કારણ શ્રી રાજગોપાલાચારી (રાજાજી) એ આપે છે કે આ લાયસન્સ-કોટા રાજ્ય છે, અને સરકાર સર્વસત્તાધીશ થઈ ગઈ છે. રાજાજી મેટા માણસ છે એમને અપણાથી શું કહી શકાય? બાકી દરેક માણસ સમજણપૂર્વક સમાજનું હિત શેમાં છે એ લક્ષ્યમાં રાખીને વર્તે, દરેક વ્યકિતને પિતાની સમાન ગણે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને મૈત્રી કેળવે
જ્યાં અંકુશેની જરૂર બહુ ઓછી રહે, જ્યાં ઓછામાં ઓછું શાસન હોય અને ઓછામાં ઓછા નિયંત્રણ હોય તે સાચી લેકશાહી સરકાર ગણાય. પણ આ બધામાં જનતાને પૂરો સહકાર જોઇએ. આજે પરિસ્થિતિ સાવ ઊલટી દિશાની છે. કાયદા વધતા જ જાય છે. તેમાંથી કેમ છટકવું તેના રસ્તાઓ શોધાય છે અને એ કારણે વળી કાયદાઓ વધે છે અત્યારે આખી દુનિયામાં રાજસત્તા વધતી જાય છે. હું તો એમ માનું છું કે સાચી સમાનતા લાવવી હોય તે વ્યકિતની સ્વતંત્રતા ઉપર અંકુશ અનિવાર્ય છે. સમાનતા લાવવી હોય તે સ્વેચ્છાએ ત્યાગ શીખવો જોઇએ. જેમકે ગાંધીજીની ટ્રસ્ટીશીપની ભાવનાને સિદ્ધાંત. બાકી અંકુશ હશે ત્યાં ભ્રષ્ટાચાર આવવાને છે જ, પ્રજા પુરુષાર્થ નહિ કરે ત્યાં સુધી આને કોઇ ઉપાય નથી.
આ પ્રવચન પૂરું થયા બાદ ગૃપના બીજા મંત્રી શ્રી ચીમન- ભાઇ ગેસળિયાએ શ્રીયુત ચીમનલાલ ચકુભાઇ શાહનો સંસ્થાવતી આભાર માન્યો હતો.
ચીમનલાલ ચકુભાઈ શાહ
એક ચર્ચાપત્ર (તા. ૧-૮-૭૦ના “પ્રબુદ્ધ જીવનમાં આને કોઇ જવાબ ખરો?” એ મથાળા નીચે બહેન ગીતા પરીખની એક ટૂંકી નોંધ પ્રગટ થઇ હતી તેના અનુસંધાનમાં શ્રી નિહારિકાબહેન તરફથી મળેલ ચર્ચાપત્ર નીચે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તંત્રી) મુરબ્બી શ્રી પરમાનંદભાઇ,
મુંબઇ તા. ૧૧-૮-૭૦ - મને લખવાને મહાવરો નથી એટલે લખીને બહુ સારી રીતે કહી શકતી નથી, છતાં સંકોચ સાથે લખું છું.
૧ લી ઓગસ્ટના પ્રબુદ્ધ જીવનમાં શ્રી ગીતાબહેન પરીખ અમદાવાદની કૅલેજના વિદ્યાર્થીઓ વિષે લખ્યું છે, મને લાગે છે કે આમાં વિદ્યાર્થી કરતાં આપણાં દેશનું સુકાન સંભાળી રહેલાં મહાનુભાવે વધુ દોષિત છે. વસતિ વધારાથી અકળાઇને, તેને રોકવાના પ્રચારમાં કોઇ પણ પ્રકાર વિવેકને રાખ્યા વિના આંધળુકિયે પ્રચાર થઇ રહ્યો છે, તે વિદ્યાર્થીની હલકી મનેદશા માટે વધુ જવાબદાર છે.
ભારતીય સંસ્કૃતિને સર્વનાશ કરવા બેઠાં હોય તેમ ગલીએ ગલીએ કુટુંબનિયોજનના પાટિયાં જોવા મળે છે. હાથમાં કોઇ પણ દૈનિક, અઠવાડિક, માસિક કે ખાસ અંક લઇએ તે પ્રથમ ધ્યાન ખેંચાય તેમ “નિરોધની જાહેરખબર જોવા મળે છે. ટેલિફેન ડીરેકટરીના પૂંઠા પર પણ તે જ જાહેરાત. સિનેમા માં અને રેડિયો. પર હંમેશ બે ત્રણ વખત “નિરોધ’ની જાહેરખબર સાંભળવી રહે. તે પણ મભમ નહિ! સ્પષ્ટતા કરે કે “નિરોધ પુરુષે વાપરવાનું સાધન છે. ઘરમાં મા - બાપ કે વડીલોને દીકરા - દીકરી સાથે બેસી છાપું જોવાનું કે રેડિયો સાંભળવાનું સહેજે સંકોચભર્યું લાગે. નાના અણસમજુ બાળકો જિજ્ઞાસાથી “નિરોધ” શું છે તેવો પ્રશ્ન કરે છે. ચેડાં મેટા ને અધકચરી સમજણવાળા ખંધુ હસે છે.
પુખ્ત ઉંમરના માટે ખાસ સિનેમા શોમાં કે પ્રદર્શનમાં સંતતિનિયમન વિષે સમજાવાય તે યોગ્ય કહેવાય, પણ રોજિંદી વસ્તુની જેમ સંતતિનિયમનના સાધનોની આ રીતે ખુલ્લેઆમ જાહેરાત કરવાનું, કેટલે અંશે ઉચિત ગણાય? કુટુંબનિયમન માટે સંયમ પણ અગત્યનું અને શિષ્ટ સાધન છે. તે તરફ આજના યુવાન માનસનું લક્ષ્ય પહોંચે એ પ્રકારને પ્રચાર, સરકારી કે સામાજિર્ક રાહે થતું નથી. હવે તે ગર્ભપાતને પણ કાયદેસર બનાવવાનાં ચક્રો ગતિમાન થતાં જાય છે ને આ રીતે સંસ્કૃતિની સાથે તંદુરસ્તીને પણ નાશ કરવાનું નક્કી કર્યું હોય તેમ લાગે છે.
આજનું યુવાન માનસ જવાબદારી વિના મેળવાય તેટલો આનંદ મેળવવા ઇચ્છે છે. સંતતિનિયમનનાં સાધનોને બહાળે પ્રચાર અને રોકટોક વિના મેળવવાની સુગમતાથી આપણી કુટુંબવ્યવસ્થા વેરવિખેર થઈ જશે. આજે જીવનનાં દરેક ક્ષેત્રે સ્ત્રીપુજ્ય સાથે કામ કરે છે. બન્નેને એકબીજાનાં સંપર્કમાં આવવાના અનેક પ્રસંગે રોજ મળે છે. એકાંત પણ મળે છે. વિજાતિય આકર્ષણ ટાળવાનું સરળ નથી. આજ સુધી સમાજ, ધર્મ અને વધુ અંશે તેમાંથી આવતી જવાબદારીને ભય, તેમને જાતિય સંબંધથી દૂર રાખવામાં સફળ થતા હતા. પરંતુ સંતતિનિયમનના સાધનો છૂટથી ને સહેલાઇથી દરેક સ્થળે મેળવી શકવાની સગવડ, અને તેનાં બહોળા પ્રચારે, કેન્ટિનમાં જઇ નાસ્તો કરવા જેટલી સરળ અને સહજ જાતિય ભૂખ સંતોષવાની સગવડ કરી દીધી છે. આજે તેમાં કયાંય ખાનગી ‘ગંભીર’ કે ‘સંકોચ” જેવું કોઇને લાગતું દેખાતું નથી..
આવી વિનાશકારી કટુંબનિયમનની ઝુંબેશ રોકવા કોઈ આગળ નહિ આવે, તે આપણી લગ્ન-પ્રથા સાવ પડીભાંગશે. કટુંબની પવિત્ર ભાવનાને સમુળગો નાશ થઈ જશે. કોણ સામા વ્હેણમાં તરવાની હામ ભીડશે?
નિહારિકા
કારણે વળી કા
તો એમ માનીશ અક્સિક ગાંધી