________________
પ્રભુ
સત્તાની વાત છે. તેના હકકથી તે તેમ કરી શકે છે. બ્રિટનના વડાપ્રધાન વિલ્સને તેમ ઘણી વાર કર્યું છે, નહેરુએ પણ તેમ કરેલ છે અને આવા ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે ઈંગ્લેન્ડમાં પણ એમ કહેવામાં આવેલ છે કે, વડાપ્રધાન સર્વસાધીશ થઇ ગયા છે. અમેરિકન પ્રેસિડન્ટ આથી પણ વધારે સત્તા ભાગવે છે, પણ તેથી તે સરમુખત્યાર નથી.
આપણે ત્યાં અથવા ગમે તે લેાકશાહી રાષ્ટ્રમાં જ્યાં પાર્લામેન્ટો જે રીતે ચાલતી હોય છે તેમાં પ્રાઇમમિનિસ્ટર મહત્વની વ્યક્તિ હોય છે. તેથી ઉપર જણાવેલ કારણસર ઇન્દિરા ગાંધીના પગલાના કારણે લેાકશાહી ભયમાં છે એમ હું માનતા નથી, જ્યાં સુધી પાર્લીમેન્ટમાં તેની તરફેણમાં બહુમતિ છે. એમ તો જવાહરલાલ નહેરુ ઇન્દિરા કરતા ઘણા વધારે ડિટેટર હતા તે વાત હવે ઘણા પ્રધાનો કહેતા સાંભળવામાં આવે છે અને તેઓ એમ પણ કહે છે કે, ત્યારે તેમની હાજરીમાં આ વાત કરી શકવાની હિમ્મત તેઓ કરી શકતા. હા, ઇન્દિરા ગાંધીના વિચારો . ઉદ્દામવાદી છે અને કૉંગ્રેસમાં ભંગાણ પડયું તે પણ આ કારણે જ પડયું છે. સામ્યવાદી પક્ષ તેને ટેકો આપે છે માટે તે સામ્યવાદી છે એમ કહેવું તે પણ યથાર્થ નથી. ડી. એમ. કે, અકાલી દળ વિ. બધા જ પક્ષો તેમને ટેકો આપે છે, પણ તે સૌ પોતપોતાના સ્વાર્થ માટે જ ટેકો આપતા હોય છે.
નહોતા
८८
એમ તે કામરાજે પણ કહ્યું છે કે ઇન્દિરાને હઠાવવા માટે સામ્યવાદીઓન પણ ટેકો લેવા જોઇએ. મારારજીભાઇએ જનસંઘના ટેકો લેવાની વાત કરી છે, અને આ બે આગેવાના બીજા પક્ષના ટેકો લેવાની વાત કરે છે એ કારણે જ એમ ન કહી શકાય કે તેમણે કેંગ્રેસની નીતિને ત્યજી દીધી છે.
આમ તો ભારતના સામ્યવાદી પક્ષ પણ કેટલા વહેંચાયેલા છે, કોઇ પણ દેશમાં નથી એટલેા આ પક્ષ ભારતમાં છિન્નભિન્ન બની ગયા છે.
આ પક્ષમાં પણ માત્ર સી. પી. આઈ જ ઇન્દિરાગાંધીને ટેકો આપે છે. અને ઇન્દિરાગાંધી અત્યારના રાજકારણને અનુલક્ષીને તેના ટેકો સ્વીકારે છે. આ કારણ સામે ધરીને કહેવું કે લાકશાહી ભયમાં છે તો તે કારણ વજુદવાળુ ન ગણાય.
અત્યારે વર્તમાનપત્ર પૂર્ણ સ્વતંત્રતા ભાગવે છે. સામ્યવાદી દેશામાં આમ નથી બની શકતું. સરકારની ગમે તેવી ટીકા અને તે પણ ઇર્ષ્યાભાવે કરવી હોય તો તે પણ કરવાની બધાને સ્વતંત્રતા છે. ભારતભરના બધા જ પક્ષામાંથી હજુ કોઇ પણ પક્ષને તેમણે ગેરકાયદેસર નથી ઠરાવ્યો. પ્રીવેન્ટિવ ડીન્ટેન્શન એકટ પણ કાઢી નાખવામાં આવ્યો છે. મતદાર ભયથી મત આપે છે એમ પણ કોઇ કહી નહિ શકે. ભારતમાં અત્યારે પણ મતદાર પૂરો સ્વતંત્ર છે. ગઇ ચૂંટણીમાં મતદારે તેના પરચા બતાવી આપ્યો છે અને હવે પછીની ચૂંટણીમાં પણ તે ભારે મોટા પ્રમાણમાં જોવા મળશે.
મતદાર
૧૯૬૨ સુધી કોંગ્રેસ જ મુખ્ય પક્ષ હતો. એટલે મતદારને પૂર સ્વાતંત્ર્ય નહોતું એમ કહી શકાય, ઊલ્ટું અત્યારે તો સ્વતંત્ર છે. વાણીસ્વાતંત્ર્ય ઉપર તરાપ પડે, રાજકીય પક્ષ રચવાની સ્વતંત્રતા લઇ લેવાય ત્યારે કહી શકાય કે લોકશાહી ભયમાં છે. અત્યારે એવું કાંઇ છે નહિ.
પણ બીજી રીતે લેાકશાહી ખરેખર ભયમાં છે અને તેનાં કેટલાંક કારણો આપણે તપાસીએ.
અત્યારની ચૂંટણી એટલી ખર્ચાળ થઇ ગઇ છેકે જેની પાસે ખૂબ નાણું ખર્ચવાની છૂટ હોય તે જ ઉમેદવારી કરી શકવાની હિમ્મત કરી શકે છે અને ચૂંટણી લડી શકે છે. જેની પાસે નાણાંની મેટા પ્રમાણમાં વ્યવસ્થા નથી તેવા લાયક ઉમેદવાર પણ પ્રજાના
તા. ૧-૯-૧૯૭૦
જીવન પ્રતિનિધિ તરીકે ઊભા રહી શકતા નથી. એવી અનુકૂળતા તેના માટે રહી નથી અથવા તો જે હતી તે ઓછી થતી જાય છે. ચૂંટણી અમાપપણે ખર્ચાળ થતી જાય છે. વળી તેમાં કાયદા પ્રમાણેના ખર્ચ કરી શકાય એવા નિયમો કોઇ પાળતા જ નથી. જો કોઇ ખર્ચ અંગેના નિયમોને વળગીરહીને ચૂંટણી લડે તો તે ચૂંટાઇ પણ શકે નહિ. આથી રાજકીય પક્ષાએ યેનકેનપ્રકારેણ મોટા ભંડોળા ચૂંટણીના અનુસંધાનમાં એકઠાં કરવા પડે છે. એ કારણે પાર્લમેન્ટરી લેાકશાહી ભયમાં છે એમ કહી શકાય. સાચી લાકશાહીમાં તે જનતા સેવકોને બાલાવીને ખડા કરે અને કહે કે આ અમારો પ્રતિનિધિ છે અને તેને અમારે ચૂંટવા છે.'
બીજો ભય: રાજકારણમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તે અતિ ભયંકર છે. અને આ ફુંકત ઇન્દિરાગાંધીએ વધાર્યો છે એમ નથી. કોઇ રાજકીય પક્ષ કે તેના નેતા એનાથી મુકત નથી. આ લોકશાહીના ખરો ભય છે. આ ભય વધતો જાય છે. રાજકીય ક્ષેત્રમાં પડેલા આગેવાનો અને પક્ષાનું કલ્પનાતીત અધ:પતન થયું છે. ‘પાટલીબદલુઓ' જેને “ આયા - રામ ગયા - રામ” ના શબ્દપ્રયોગથી ઓળખવામાં આવે છે - આ પ્રક્રિયા પણ ભયંકર અને શરમ રૂપ છે. આને બધા જ પક્ષા ઉત્તેજન આપે છે. આ પ્રક્રિયાના વિકાસ ભારે ચિન્તાનો વિષય છે એમ બધા જ સ્પષ્ટપણે સમજતા હાવા છતાં તેને કોઇ અટકાવી શકતા નથી.
ઉત્તર પ્રદેશના ચરણસિંહની વાત લ્યો. તે પોતાની મરજી પ્રમાણે બધાને નચાવી શકે છે–ધમકી ઉચ્ચારી શકે છે.
ત્રીજો ભય: આજે ત્રેવીશ વર્ષ પછી પણ, જે કારણે, જેને માટે, આપણે આઝાદી પ્રાપ્ત કરી તેમાં બહુ ઓછી પ્રગતિ કરી છે. ગરીબી, બેરોજગારી, ફુગાવા અને દેશ ઉપર દેણાના ડુંગરના ભાર—આ બધું વધતું જ રહ્યું છે. પ્રથમ તે આ પ્રશ્નોને હલ કરવા જોઇએ. પણ તેમ કરવાને માટે કોઇ પણ શકિતશાળી નથી. ૨૨ વર્ષ સુધીની જૂની સરકારે પણ શું કર્યું? આવાં કારણાને લીધે આજે પ્રજાના રોષ ઉગ્રપણે ફેલાયા છે. કારણ કે જે પ્રથમ કરવું જોઇતું હતું તે કરવામાં આપણે નિષ્ફળ પુરવાર થયા છીએ. કાંઇ નથી થયું તેમ નથી. મોટી મોટી યોજનાઓ-કારખાનાઓન વિકાસ - વગેરે સારા પ્રમાણમાં થયા છે, પણ તેમાં વેગ અને વ્યાપકતાનથી આવી. જે થયું છે તે કીડી વેગે થયું છે. અસમાનતા ઓછી થઇ નથી—બલ્કે વધી છે. તવંગર વધારે તવંગર થયા છે. ગરીબ વધારે ગરીબ થયા છે. મધ્યમ વર્ગ ઘસાતા જાય છે. આથી હિંસાનું વાતાવરણ દિવસાદિવસ વધતું રહ્યું છે. દરેક ક્ષેત્રે પ્રજાના આખા માનસમાં ઉત્તેજના વધી રહી છે, અને તેથી નાનામાં નાના ક્ષુલ્લક કારણસર પણ મેટાં તોફાનો ફાટી નીકળતાં વાર લાગતી નથી. ખરી રીતે આગેવાનોએ અને પ્રજાએ શિસ્ત કેળવવી જોઇએ અને લોકશાહી અને ટોળાશાહી વચ્ચેને! ભેદ સમજતા થવું જોઇએ. પ્રજામાં સમજણપૂર્વકની શિસ્ત હાવી જોઇએ. સાચી નિડર આગેવાની વિના લોકશાહી ટકે નહિ તે ફાલેફ લે તે કર્યાંથી? આગેવાન પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હોવા જોઇએ. રેતીમાં સિમેન્ટ ભેળવીએ ત્યારે સિમેન્ટ-ફ્રર્કિટ તૈયાર થાય છે અને પૂરી મજબૂતાઇ ધારણ કરે છે. આગેવાન સિમેન્ટની જગ્યાએ છે. જે સિમેન્ટ ન હોય તો રેતીનાં કણ કણ છૂટા થઇ જવાનાં છે. અત્યારના નેતાઓ બધા જ માટીપગા છે. જેના પ્રત્યે પ્રજાને આદર, વિશ્વાસ, માન હોય એવા એક્કય નેતા જોવા મળતા નથી. અને પ્રજાના પણ એટલા જ દોષ છે. પ્રજા તરીકેનું ચારિત્ર્ય આપણામાં રહ્યું નથી.
ઈંગ્લેન્ડના દાખલા જોઇએ તો ત્યાં આજે પણ પ્રજાજાગૃતિ એટલી જ ટકી રહેલી છે. એ પ્રજામાં શિસ્ત છે. ત્યાં આપણી માફ્ક પક્ષાડુઓનાં ભાગ્યે જ દર્શન થશે. ત્યાં મોટે ભાગે મતદાર
2