SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૮-૧૯૭૦ વધુ પસંદ થઇ પડી છે; શિષ્ટ અને સુસંસ્કૃત વ્યવહારોને બદલે દંભ, ઢોંગ અને જૂઠાણું આપણને વધારે ગમે છે; સંવાદમય જીવનના સ્વચ્છ સમન્વયના બદલે સૂરાજીવનના વિસંવાદે વધુ આકર્ષી રહ્યા છે. માનવની જિંદગી સાવ જ ક્ષુલ્લક અને સત્વહીન બની ગઇ છે, કારણ કે માણસે માણસને ચૂંચ્યો છે. પરંતુ અહીં આટલું સ્વીકારીશ કે અનિષ્ટને ઉથલાવી નવનિર્માણ કરવાનું જે ખમીર સાચા સૈનિકમાં હોય છે તે મારામાં નથી. -અંતિમ કટી :મારા જીવનકાળ દરમ્યાન હું કોઇનાં આંસુ લૂછી શકો હોઉં, કોઇને ઘડીભર પણ હસાવી શકયો હોઉં, કે કોઇના જીવનમાં . ક્ષણિક ઉલ્લાસ આણી શકયો હોઉં તે મારું જીવન સાર્થક લેખું છું અને આથી વિશેષ તો જે મૂલ્યોનું મેં જીવનમાં મહત્ત્વ ગમ્યું છે એને અમુક અંશે પણ આચાર-વિચારમાં ઉતારી શકો હોઉ તે જીવ્યાને મને સંતોષ થશે. દાગ હેમરશીલ્પે કહ્યું છે કે સૌથી કપરી કસોટીજેમાંથી કોઇ જ બચી શકતું નથી -- જો માણસ માટે હોય તો તે મૃત્યુને ભેટવું એ છે. વીતી જતાં વર્ષો, દસકામાં બદલાતાં જાય છે. પ્રિય સ્વજને અને સ્નેહી મિત્ર હંમેશ માટે ચાલ્યા જાય છે. અને આપણે પણ સમાપ્ત થતા જીવન વિશે સભાન બની અણગમતી એ અંતિમ પળને કઇ રીતે આવકારી શકીશું એની ઘેરી ગમગીની અનુભવીએ છીએ. કબીરે પ્રાર્થના કરી હતી કે: જબ તુમ આયે જગતમેં, જગત હંસા તુમ રેય. ' 'એસી કરની કર ચલો પ્યારે. તુમ હંસત. જાએ, જગ રોય.* સિત્તેર વર્ષ પૂરાં થયાં ત્યારે મારે પણ બીજી શી અપેક્ષા હોઈ શકે? ' અનુવાદક: - મૂળ અંગ્રેજી: સૌ. શારદાબહેન બાબુભાઇ શાહ, ગગનવિહારી મહેતા બ્રધર ઘરનું કામ સંભાળે, જ્યારે ફાધર ધર્મ ને શિક્ષણ વગેરેનું કામ કરે. હાલ એમાં થોડો ફેરફાર થયું છે અને કેટલાક બ્રધર ડિગ્રી પણ લે છે અને શિક્ષણ ને ધર્મના કાર્યમાં મદદ પણ કરે છે. પણ ધર્મવિધિઓ તે ન જ ચલાવી શકે. “મધર’ અને ‘સિસ્ટર’ની વાત કંઇક જુદી છે. ફાધરબ્રધર માટે મેં લખ્યું હતું કે તાલીમમાં અને કાર્યમાં ફેર છે કારણ કે ચર્ચમાં ધાર્મિક ક્રિયાઓ ફકત ફાધર ચલાવી શકે, બ્રધર નહિ. હવે સ્ત્રીઓ તો એ ક્રિયાઓ ચર્ચમાં ન ચલાવી શકે એટલે એ રીતે મધર અને સિસ્ટરમાં કોઇ ફેર નથી. તાલીમમાં ફેર ખરે. મુખ્ય ખ્યાલ મેં જણાવ્યું હતું તે અસલમાં હતો : મધર ભણાવવાનું વગેરેનું કામ કરે જયારે સિસ્ટર ઘરનું કામ કરે. પછી તે એ અંતર ઓછું થયું છે અને સ્ત્રીઓનાં ઘણાખરા સંઘમાં મધર-સિસ્ટરોને ભેદ નકળી ગયો છે.” સૂન સને હે કીસન કાલા...” સાયગલ-સંધ્યા શ્રી મુંબઇ જેન યુવક સંઘના ઉપક્રમે તા. ૮-૮-૭૦ શનિવારે સાંજે ૬ વાગે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં સ્વ. શ્રી. કુન્દનલાલ સાયગલના કલા-શિષ્ય શ્રી હરીશ ભટ્ટને એક ગીતને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બરાબર ૫-૪૫ વાગે કલાકાર શ્રી હરીશભાઇ ભટ્ટ તેમની મંડળી સાથે આવી પહોંચ્યા હતા અને અમે તેમનું જૈન યુવક સંઘ વતી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી ચીમનલાલ જે. શાહ કલાકારને શ્રોતાએને પરિચય આપતાં કહ્યું હતું કે ““શ્રી હરીશભાઈ ખૂબ સાદા અને સરળ કલાકાર છે. એમનાં ગીતે અવારનવાર ઑલ ઇન્ડિયા રેડિયે પરથી પણ બ્રોડકાસ્ટ કરવામાં આવે છે. સાયગલનાં ગીતો એમની એક ખાસ વિશેષતા છે. એમના કંઠ વડે સાયગલને આબેહૂબ રજૂ કરવાને એમને પ્રયાસ છે. સાયગલ એમના કલાગુરુ છે. એમને વિશેષ પરિચય તે એમનાં ગીતો જ આપ સૌને કરાવશે.” દરમ્યાનમાં આખું સભાગૃહ ચિકાર ભરાઇ ગયું હતું અને કાર્યક્રમની શરૂઆતમાં જ પ્રાર્થના બાદ શ્રી હરીશભાઇએ પહેલું ગીત ગાયું: “આઈ બહાર... આજ આઇ બહાર ... બહાર આજ ...” અને સભાગૃહમાં ન્યુ થિયેટર્સના ત્રણ દશકા પહેલાનાં એ જમાનાની બહાર છવાઇ ગઇ. શ્રી હરીશભાઈએ હારમોનિયમ પર પોતાની નજર સામે જ સ્વ. શ્રી. સાયગલને ફોટો રાખ્યો હતો. ગીત પછી ગીત ગવાતાં ગયાં અને હરીશભાઈનાં સૂરીલા અવાજે સાયગલના કંઠનું દર્દ જીવંત કર્યું. દરેક ગીતના અંતે એમની મંડળીના સહકલાકાર શ્રી મુકુંદભાઇ જાની એમની જોશીલી ઉદમિશ્રીત હિંદી જબાનમાં Compere નું કામ કરતાં હતાં. વચ્ચે વચ્ચે કયાંક કયાંક થોડી શાયરી વડે ગવાઇ ગયેલા ગીતને ઉલ્લેખ અને હવે પછી આવનારા ગીતનું એંધાણ આપીને બંને વચ્ચેની કડીનું કામ કરતાં હતાં. રંગ જામતો ગયો અને ફરમાઇશોની ચિઠ્ઠીઓ આવવા લાગી. કોઇને “પિયા મિલનકો જાના...” તે કોઇને જબ દિલ હી સ્ટ ગયા ....” કોઇને “અય કાતિબે તકદીર મૂઝે...” તે કોઈને “સૂનું સૂને હે કીશન કાલા” – સાંભળવું હતું. સાયગલનું એક પણ ગીત કે ગઝલ સાંભળવી રહી ન જાય એટલા માટે ફરમાઈશોનો ઢગલો થવા લાગ્યા. વચ્ચે કોઈનું સૂચન આવ્યું કે હરીશભાઇ ગુજરાતી ગીતે સંભળાવે, એટલે એમણે બેફામની એક ગઝલ ગાઈ સંભ- ળાવી. એક બે ગુજરાતી ભજન પણ ગાયાં અને ફરીવાર સાયગલના ગીતની રમઝટ ચાલી. શ્રોતાઓ માંગણી કરતાં જ ગયા અને હરીશભાઇ વરચે જરીકે વિશ્રામ વિના લગાતાર ગીતે ગાયે જ ગયા. લગભગ ૭.૫૫ મિનિટે કાર્યક્રમ જરા અટકાવીને શ્રી. સુબોધભાઇએ કલાકાર ભાઈઓને અત્યંત આભાર માન્યો. સંઘવતી શ્રીમતી મંજુલાબેને એમને ફ_લોને ગજરો પણ કર્યો અને છેક છેલ્લે ‘બાબુલ મોરા .... નૈહર છૂટી જાય.....” એ ભૈરવી ગીત સાથે સૌ પ્રસન્ન વાતાવરણમાં વિખરાયાં. મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ *આ ઉકિત તુલસીદાસની છે એમ શ્રી દિલીપકુમાર રેયે તેમ જ લુધિયાણાથી એક ભાઇએ લખ્યું છે. પ્રાધ્યાપક એ એ. આર. વાડિયાએ લખ્યું છે કે આ ઉકિત સાદીની છે, દાગ હેમરશીલ્ડ પણ આવો જ વિચાર વ્યકત કર્યો છે. એ વિશે મેં લેખ બુદ્ધિપ્રકાશ' માં લખેલે ત્યારે શ્રી સ્વામી આનંદે કબીરની આ પંકિત મને મોકલી હતી. ગગનવિહારી મહેતા ખ્રિસ્તી સાધુસંસ્થા અંગે ખ્રિસ્તી સાધુસંસ્થામાં અમુક સાધુએ “ફાધરીની સંજ્ઞાથી સંબોધાય છે જ્યારે અન્ય સાધુએ “બ્રધરની સંજ્ઞાથી સંબોધાય છે. આવી જ રીતે ખ્રિસ્તી સાધ્વી સંસ્થામાં અમુક સાધ્વીઓ ‘મધર'ની સંજ્ઞાથી સંબોધાય છે, જ્યારે અમુક સાધ્વીઓ સીસ્ટર’ ની સંજ્ઞાથી સંબોધાય છે. તો આ બે કક્ષાના સાધુ-સાધ્વીઓનાં કાર્યક્ષેત્રમાં શું ફરક છે એની સમજણ મેં ફાધર વાલેસ પાસેથી માંગી હતી, તેના જવાબમાં તેઓ નીચે મુજબ જણાવે છે: “આપ અમારા સંઘમાં ફાધર અને બ્રધર ને બે કક્ષા છે એના ભેદ વિષે પૂછો છો. બે રીતે ફેર પડે છે : તાલીમમાં અને કાર્યમાં. ફાધર માટેની તાલીમ લાંબી હોય છે અને એમાં રામના અધિકારીઓ તરફથી કોઇ પણ કેથલિક સંઘના ફાધર માટે નક્કી કરેલે ધર્મને વિગતવાર અભ્યાસ ફરજિયાત છે. બ્રધર માટેની તાલીમ ટૂંકી છે અને એમાં અભ્યાસ ઉપર આટલે ભાર મૂકવામાં આવતો નથી. પછી કાર્યમાં ફાધર ધર્મના વિધિઓ ચલાવે છે: પ્રાયશ્ચિત કરાવે, યજ્ઞ કરે, લગ્ન કરાવે, બીજા સંસ્કાર આપે, ધર્મબંધ દેવળમાં આપે. એ બધું બ્રધર ન કરી શકે. અસલ વ્યવસ્થા એ હતી કે
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy