________________
TO
તા. ૧૬-૮-૧૯૭૦
પ્રબુદ્ધ વન
A કરી શકીએ એ
જ બક્ષે છે. કિઈ કમર પુરુષાર્થ
માણિકપણે
પર
હોદાને છે એમ હું
સપ્રમાણ બનાવે છે. બહારથી આપણા પર લાદવામાં આવતી સારામાં સારી વસ્તુઓ કરતાં આપણે પોતે પ્રયાસ કરીને આંતરિક રીતે સાચી વિનમ્રતા અને બુદ્ધિની પ્રમાણિકતા જીવનમાં દઢ કરી શકીએ એ જ આપણને સાચા અર્થમાં માનવ બનાવી ઘણી ઉચ્ચ પ્રકારની વિશાળતા બક્ષે છે. કોઈ કર્મકાંડ કે નીતિના પાઠો કે ધાર્મિક ઉપદેશેને પરિણામે નહિ પરંતુ આપણે જાતે પુરુષાર્થ કરી આપણા અનુભવોમાંથી પસાર થઈને તેમ જ શાન્ત ચિત્તે મનન વડે જીવન વિશેની આવી ઉદાત્ત સમજણને વિકસાવી દઢ કરી શકીએ છીએ. આવા વિવેકશીલ પ્રમાણતાના ભાનનું બીજું પાસું જેને આપણે માર્મિક વૃત્તિ કહીએ તે છે. આવી વૃત્તિને લીધે આપણી જાતને વધુપડનું મહત્ત્વ આપવાને બદલે જીવનમાં વિચિત્ર અને કઢંગા પ્રસંગો બને છે એને પણ આપણે સ્મિત સાથે સ્વીકાર કરી શકીએ છીએ.
ફળીભૂત પુરુષાર્થ: મને કોઇ જાતને વસવસો રહ્યો છે ખરો? મારી જાતને આ સવાલ પૂછું છું ત્યારે એટલું લાગે છે કે જિંદગી જ નવેસરથી ફરી જીવવા મળે તે કેટલીક બાબતો તરફનું મારું વલણ તદૃન નિરાળું જ રહે; તે કેટલીક બાબતને મારા જીવનમાંથી તિલાંજલિ જ આપી દહે. ઉદાહરણ તરીકે હું તરતા શીખું; છાપા વાંચવા ઓછા કરી દઈ (યુવાવસ્થાના વાયરસ જેવા ચીકણા પત્રકારત્વના રોગમાંથી છૂટી) પુસ્તકોનું વાંચન વધારું, લેખ લખવા ઓછા કરી અધ્યયનપૂર્ણ વિષયોને વધુ મહત્ત્વ આપું! મારી જિંદગીનું કોઈ મહત્ત્વ છે ખરું? તે પ્રશ્ન એ છે કે કોને માટે ? મારે માટે કે બીજા વાસ્તે? સમાજનું ક્ષેત્ર એટલું વિશાળ અને જટિલ છે કે તેમાં કોઈ એક વ્યકિતને વિચાર કે તેના મહત્વને ખ્યાલ સતત રહી શકતે નથી. ભારતે જે મોટી મોટી સમસ્યાઓનો સામનો કર્યો છે તેમાં આપણે વ્યકિતગત હિસ્સો એ તે અસીમ સાગરના એક બુંદ સમાન છે. સ્વાતંત્રય મળ્યા અગાઉ જેની સાથે મારો ઘનિષ્ઠ સંબંધ રહ્યો હતો તે વહાણવટાની પેઢીના વિકાસ માટે થઈ શકે તેટલું મેં કર્યું; પાર્ટટ્રસ્ટના ભારતીયકરણ માટે તેમ જ વહાણવટાને લગતી સગવડો વધારવા માટે મેં અનેક પ્રયાસ કર્યા; વ્યાપારી પેઢીઓના આયોજનમાં મદદ કરી તેમ જ અર્થકારણના કેટલાક અગત્યના મુદ્દાઓ પર વિચારવિનિમય કર્યો. ત્યાર બાદ જેમાં મને ઘણો રસ હતોતે ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગોના રક્ષણ અને વિકાસ અંગે ટેરીફ બોર્ડમાં પ્રયાસ કર્યો; અને પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિક ક્ષેત્રમાં આયોજન કરવામાં મારી મર્યાદાને ખ્યાલ રાખી બનતી સેવા મેં આપી.
યુનાઈટેડ સ્ટેટ્સના મારી કાર્યવાહીથી મને પિતાને, અમેરિકન પ્રજાને અને આપણી સરકારને સંતોષ થયો કહું તો એમાં અવિનય નથી. ભારતની પરિસ્થિતિ, તેની જરૂરિયાતે, તેના આદર્શો તથા દેશના નવઘડતર માટે આર્થિક ક્ષેત્રમાં જે સહાય અપેક્ષિત છે તેને "ખ્યાલ મેં અમેરિકાના હજારો લોકોને આપ્યો. કેટલીક મથામણો તથા અગત્યના મદા પર મતભેદ હોવા છતાં બંને દેશ વચ્ચે મૈત્રી- ભાવ તથા પરસ્પરને સમજવાની શકિત વિકાસવવા મેં પ્રયાસ કર્યો. હિંદ પાછા ફર્યા પછી દેશમાં ઉદ્યોગોના વિકાસને ઉત્તેજન આપવા એક ઘણી મહત્ત્વની મોટી સંસ્થા ઊભી કરવામાં હું જે મદદ કરી શકો છું તેને પણ મને સંતોષ છે. આ ઉપરાંત વિદેશી નાણાના રોકાણ માટે એક નવી એજન્સી સ્થાપવામાં પણ મારો ફાળો છે એને પણ મને આનંદ છે. પરંતુ દેશને આ બધાથી કેટલો લાભ થયો છે એનો નિર્ણય બીજાએ કરવાને છે. | ગુજરાતી તથા અંગ્રેજીમાં લખવાને તેમ જ બેલ- વાને મને શેખ છે. હળવા વિષયો પર જેટલી સરળતાથી હું
બોલી તેમ લખી શકું છું તેટલી પકડ ગંભીર લેખે અને ભાષણો પર નથી મેળવી શક્યો. એ માટે તૈયારી કરતાં મને સમય લાગે છે. એક નિયમ મેં હમેશાં રાખે છે કે સમારંભ ગમે તેટલો નાને હોય પરંતુ પૂરતી તૈયારી કરીને અથવા તે ટૂંકી પણ નેધ રાખીને જ બોલવું. હાસ્યરસિક ગુજરાતી લેખને મારો સંગ્રહ ૪૦ વર્ષ ઉપર 'પ્રગટ થયે; ૩૬ વર્ષ અગાઉ અંગ્રેજી કટાક્ષ લેખાને રાંગ્રહ પ્રગટ થશે અને ત્યાર પછી ૬ વર્ષે ગાંધીજી પર લખેલા મારા લેખાને સંગ્રહ પ્રગટ થયા. મારાં અમેરિકાનાં વ્યાખ્યાનને સંગ્રહ પણ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયો છે. છેલલા દસકામાં મેં ગુજરાતી ભાષામાં વધારે વિપુલ પ્રમાણમાં લખ્યું છે.
કોઈ ઉચ્ચ સ્થાનના મેહથી હું દૂર રહ્યો છું તેમ જ સત્તા માટે મેં કદી વલખાં માર્યા નથી. સ્વાભાવિક રીતે મારી પાસે જે કાર્ય આવ્યું તે કામ એકનિષ્ઠાથી, પ્રમાણિકપણે હું કરવા માં છું. જે કામ હું કરી શકે એમ છું એમ જયારે લાગ્યું છે ત્યારે મને મળેલા હોદ્દાનો સ્વીકાર કર્યો છે, અને એ કર્તવ્યને પૂરેપૂરું બનાવવા મારી શકિતને કામે લગાડી છે. જ્યારે જયારે કોઇ કામ માટે મેં મારી જાતને યોગ્ય નથી ગણી અથવા એ કામ મને ઊંડો સંતોષ નહિ આપી શકે એમ લાગ્યું છે ત્યારે એને મેં અસ્વીકાર કર્યો છે. હું દઢ રીતે માનું છું કે વ્યકિત કરતાં સંસ્થાનું ઘણું મહત્ત્વ છે. માટે બને એટલા મદદરૂપ બનવાનો પ્રયાસ કરી તાલીમ પામેલા માણસનું જૂથ ઊભું કરવા પ્રત્યે મેં વિશેષ ધ્યાન આપ્યું છે, જેથી મારી ગેરહાજરીમાં પણ કામ વ્યવસ્થિત રીતે ચાલી શકે.
એક ડગલું બસ થાય : હું એવો દાવો નથી કરતા કે જીવનમાં કોઈ વાર મને નિરાશા સાંપડી જ નથી. પરંતુ એ સાથે એટલું કહીશ કે હકની રૂએ મેં કદિ કોઇની કૃપા કે આભારની આશા રાખી નથી તેમ કોઇ ઉંચા હોદૃા. માટે તલસાટ સેવ્યો નથી. આખરી વિશ્લેષણ કરીએ તે આ બધી પ્રાપ્તિ આપણને કયાં લઇ જાય છે તે કહેવું અઘરું છે. મારે માટે એટલું કહી શકું છું કે જીવનમાં ભલે મેં કોઇ અસાધારણ સિદ્ધિ મેળવી ન હોય, પરંતુ અનુભવોએ મને જીવન જીવતાં તે શીખવ્યું છે. કવિઓની જેમ મમ વિહરવાને બદલે આ ધરતી પર ઊભો રહી, ‘મારે એક ડગલું બસ થાય ' એટલું જ મેં ઈચ્છયું છે.
માણસને જન્મ થાય છે એ જ ક્ષણથી એના લલાટમાં મૃત્યુ ' લખાયું છે. ઉપનિષદ્ કહે છે કે રોજને રોજ મનુષ્ય યમમંદિરે
જાય છે છતાં યે આશ્ચર્યની વાત તો એ છે કે જે જીવે છે એ જાણે સદાકાળ આ દુનિયામાં અમર રહેવાના હોય એમ વર્તે છે! કદાચ આપણી નશ્વરતાની કરુણતા માટે પ્રકૃતિએ આટલું આશ્વાસન જીવનમાં મૂકયું હશે ! મૃત્યુનું સ્વરૂપ એવું વિરોધી છે કે તે સૌને , માટે નિશ્ચિત હોવા છતાં તેના આગમનની ઘડી વિશે આપણે કશું જ કહી શકતા નથી. એ તો સારું છે કે આપણે આપણું ભવિષ્ય નથી જાણતા, નહિતર ભયના માર્યા અધમૂવા થઇ મેત આવે એ પહેલાં તે આપણે અનેક વાર મરી ચૂકીએ!
આપણે પોતાને સંપૂર્ણ વિનાશ થશે એની કલ્પના કઠણ પણ છે અને અસહ્યા પણ છે. આપણે સદાકાળ માટે ગાઢ અંધકારમાં અને શૂન્યતામાં વિલીન થઇ જઇશું એ ખ્યાલ કરવા આપણે તૈયાર નથી હોતા. જિદગીની પ્રત્યેક પળે મૃત્યુ આપણા માથાપર ભમતું હોય છે, છતાં પણ એ અનિવાર્ય કરુણતા વિષે આપણે બહુ ચિતા સેવવી ન જોઈએ. સજજને મિત્ર બહ કામ કરવાની જ્યારે મને ના કહે છે ત્યારે હું તેમને કાર્લાઇલના શબ્દોThere is a whole eternity to rest” (“આરામ કરવા માટે અનન્ત કાળ છે જ !')–ની યાદ દેવડાવું છું. કામ નાનું હોય કે મોટું હોય, પરંતુ જ્યાં સુધી આપણી પાસે બુદ્ધિ-શકિત છે ત્યાં સુધી આપણે આપણા કર્તવ્યમાંથી મુકત થઇ શકતા નથી. જીવન જીવવું એટલે સદા ગતિમાન રહેવું. આપણે નિષ્ક્રિય બની સ્ટાઇ જઇએ કે કામ કરીને ખપી જઇએ, બેમાંથી શું પસંદ કરીશું? હું તો કામ કરીને ખપી જવામાં જીવનની સાર્થકતા સમજું છું.
અગમ્ય વિરાટ બ્રહ્માંડમાં આપણી પૃથ્વી એ તો નાનક ગ્રહ છે. આપણે ધારીએ તે આ પૃથ્વી પર સ્વર્ગને લાવી શકીએ છીએ, પરંતુ ખેદની વાત છે કે આજે આપણને સુખ કરતા સત્તા