SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ પ્રબુધ જીવન તા. ૧૬-૮-૧૯૭૦) ત્મિક અનુભવો ધ્યાનના સમયે જ નહીં પણ અન્ય સમયે, જ્યારે સાધક કાંઇ વ્યાવહારિક કામ કરતો હોય ત્યારે થાય છે. સાચું ધ્યાન ઉપર કહ્યું તેમ ધ્યાન સાધનમાત્ર હોવાથી આધ્યાત્મિક જીવનમાં દરેક પ્રકારનાં ધ્યાનનું મહત્વ છે. સાધકને કેવી જાતનું ધ્યાન સચશે તે તેના સ્વભાવ અને અધિકાર પર આધાર રાખે છે. દરેકને એક જ રીત અનુકૂળ ન આવે. દાખલા તરીકે કોઇ સામાન્ય સાધકને તેના આત્મા અને પરબ્રહ્મની એકતાનું ધ્યાન કરવાનું કહેવામાં આવે તો તેનું હાર્દ પકડી શકવા અસમર્થ હોવાથી તે કંટાળી જશે; અને થોડા સમયમાં જ પ્રયત્ન કરવો છોડી દેશે; પણ જે તેને ઈશ્વરની પૂજા અને પ્રાર્થના કરવાનું કહેવામાં આવે તો સંભવ છે કે તેનું ચિત્ત ઇશ્વરમાં સ્થિર થઇ જાય અને એનાથી તેને આંતરિક સંતોષ અને આનંદ પણ પ્રાપ્ત થાય. માટે સાધક જે ભૂમિકા પર હોય ત્યાંથી સાધના શરૂ કરવી જોઇએ. ત્યાર પછી ધીમે ધીમે ધ્યાનની વિભિન્ન ભૂમિકાને તે પાર કરી શકશે. જુદા જુદા સાધકો માટે ધ્યાનની રીત જુદી જુદી હોય છે, એટલું જ નહીં પણ, એક જ સાધકની તેના આધ્યાત્મિક વિકાસ અનુસાર જુદી જુદી સ્થિતિને અનુલક્ષીને તે રીતે બદલાય છે. ધ્યાનની એક જ રીત તેને હમેશાં અનુકૂળ નથી આવતી. એવું પણ બને કે થોડા સમય બાદ ધ્યાનની તે રીત પ્રત્યે તેની રુચિ ન રહે. આ સૂક્ષ્મ હકીકત સમજમાં ન આવવાથી કેટલાક સાધકો ફરિયાદ કરતા હોય છે કે ધ્યાનમાં તેમની પ્રગતિ અટકી ગઇ છે, એટલું જ નહિ પણ, તેઓ જે સાધના કરતા હતા તે થઇ શકતી નથી, જેમ કે ભજનસંકીર્તનમાં રૂચિ રહી નથી, ધર્મગ્રંથ વાંચવામાં રસ પડતો નથી, જપ કરી શકતા નથી, કંઇ જ કરવાનું મન થતું નથી, મૂર્તિપૂજા કે પ્રાર્થના કરી શકતા નથી, કાંઈ અનુભવ થતા નથી વગેરે. તેઓ માને છે કે આ બધાં આધ્યાત્મિક અવનતિનાં લક્ષણો છે. તેઓએ ધ્યાનનું સાચું સ્વરૂપ સમજવું જોઇએ કે ન થાનં દાનમurgi વિવાં મન: (ાવાર ૩૨. ) અર્થાત્ સામાન્ય લોકો જેને ધ્યાન સમજે છે તે ધ્યાન નથી. વાસ્તવિક રીતે, મન કોઇ પણ વસ્તુના વિચાર વગરનું બને તે સાચું ધ્યાન છે. કોઇ સાધક ઈષ્ટદેવનું ધ્યાન કરતો હોય તો તે પણ એક વિષય જ છે. ફરક કેવળ એટલો જ કે આ વિષય પરમેશ્વરનું પ્રતીક હોઇને બીજાં ફાલતુ વિષયો કરતાં સારે છે. સંત તુકારામ કહે છે: તcથ સેં પ્યાર અર્થાત જેમાં સમસ્ત વૃતિઓ શાન્ત થઇ જાય તેનું નામ જ ધ્યાન છે. ભજન-કીર્તન, શાસ્ત્રાધ્યયન, નામજપ, અથવા અદ્દે હાનિ જેવાં મહાવાકાનો ચિંતનમાં પણ મન ક્રિયાશીલ રહે છે. એમાં સારું એટલું જ છે કે એકાગ્રતાની પ્રાપ્તિના હેતુથી મન પરમેશ્વર સંબંધી વિષયમાં પરેવાયેલું રહે છે. પરંતુ છેવટે તે આ બધાં વિષથી પર જવાનું છે, જ્યાં જ્યોતિ, દશ્ય, નાદ, ગંધ, રસ વગેરે કશાયનો અનુભવ નથીનાવળિયાઝાતીતમ્ | સંત તુકારામ પિતાના અંતિમ અનુભવનું વર્ણન કરતાં કહે છે: જાળી થાતા નાના –અર્થાત સાકારનું ધ્યાન કરતાં કરતાં હું નિરાકારમાં પહોંચી ગયો. કોઇ એક વિષય ઉપર મન એકાગ્ર કરીને, એટલે કે સગુણ ધ્યાન કરતાં કરતાં સાધકે વિપશૂન્ય સ્થિતિમાં એટલે કે નિર્ગુણ ધ્યાનમાં પહોંચવાનું છે. આ પ્રક્રિયા એક કાંટાને બીજા કાંટાની મદદથી કાયા પછી બન્ને કાંટાઓને ફેંકી દેવા જેવી છે. પૂજા, પ્રાણાયામ, જપ, ત્રાટક, ધ્યાન, ઇત્યાદિ ઉપાયો મનને એક જગ્યાએ સ્થિર કરવાને માટે અને વિક્ષેપકારક વિચારોને દૂર કરવાને માટે સૂચવવામાં આવ્યા છે. જેમ જેમ સાધક માર્ગમાં પ્રગતિ કરતો જાય છે તેમ તેમ આ ઉપાયે એક પછી એક, આપોઆપ ખરતા જાય છે. જેવી રીતે માણસને નિર્ધારિત સ્થાન ઉપર પહોંચાડવા માટે એક રસ્તો બીજા રસ્તા ઉપર લઈ જાય ! છે તેમ ધ્યાન પોતે જ સાધકને માર્ગદર્શન કરી, આગળ શું કરવું તે સૂઝાડે છે, અને એ રીતે તેને આખરી લક્ષ્ય તરફ દોરે છે. અંતમાં લયની એવી સ્થિતિ આવે છે, જેમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટી એક બની જાય છે. આ જ સારી સમાધિ છે. ધ્યાનની આ પ્રકારની પરિપકવ અવસ્થામાં બ્રહ્મભાવને અનુભવ થાય છે. અપરક્ષાનુભૂતિ (શ્લોક - ૧૨૩)માં શંકરાચાર્ય ધ્યાનની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે. ___ ब्रह्मवास्मीति सद्वृत्त्या निरालम्बतया स्थितिः। ध्यानशब्देन विख्याता परमानन्ददायिनी ॥ (હું બ્રહ્મા જ છું.’ એ પ્રમાણેના સતત ભાનવાળી અને બીજાં કોઇ અવલંબન વગરની જે પરમ આનન્દ આપનારી સ્થિતિ છે, તે “ધ્યાન’ શબ્દ વડે જાણીતી છે.) ત્યાર પછી સાધકની પરબ્રહ્મમાં દઢ સ્થિતિ થઇ જાય છે અને તે વિશે સંશયરહિત જ્ઞાન પણ થાય છે. આ રીતે એને સહજ સમાધિ પ્રાત્પ થાય છે જે સાધનાની સર્વ પ્રક્રિયાઓનું અંતિમ લક્ષ્ય છે. પછી તેને સાધનાની જરૂર રહેતી નથી. તતઃ ધનિયત: સિદ્ધો મત વોરિ (અપરોક્ષાનુભૂતિ ૧૨૬). તેને કાંઈ કરવાનું કે પામવાનું રહેતું નથી, છતાં વ્યાવહારિક જગતનાં બધાં કામો તે સાક્ષીભાવે કરતો રહે છે. સહજ ધ્યાન ઉપરોકત સ્થિતિએ પહોંચતા પહેલાં મનને નિર્વિકલ્પ કરવા માટે સાધકે કઠોર પરિશ્રમ કરવું પડે છે. જૂની ટેવ અનુસાર ભટકતા ચંચળ મનને ખેંચીને અંતર્મુખ કરવા માટે દઢ સંકલ્પશકિત અને ખૂબ પૈર્યની જરૂર પડે છે. આ અભ્યાસ દરમ્યાન મન અને ઇચ્છાશકિત વચ્ચે સતત સંઘર્ષ થયા જ કરે છે. સાંસારિક પદાર્થો પ્રત્યેની પિતાની આસકિત છોડી દઇ અંતરાત્મા પ્રતિ અભિમુખ થવા માટે મનને ઘણો સમય લાગે છે. ખૂબ પ્રયત્ન કરવા છતાં જે ' માણસને સફળતા ન મળે તો તેને માટે ધ્યાન નિરસ અને કંટાળાજનક બને છે. આવા સંજોગોમાં પ્રશ્ન ઊભો થાય છે કે સાધકને ઓછો પરિશ્રમ લાગે એવો ધ્યાનમાં કોઇ માર્ગ છે ખરો? સહજ ધ્યાનનો એક સુલભ ઉપાય અવશ્યક છે, અને તે સરળ પણ છે. તે છે “ગુરુકૃપા” અર્થાત શકિતપાતરૂપ ગુરુને અનુગ્રહ, જેનાથી ધ્યાન આપોઆપ અને સહજ થાય છે. સાધક જે ભૂમિકા પર હોય ત્યાંથી તેની આધ્યાત્મિક માર્ગે પ્રગતિ થવા માંડે છે. જાણે કે એનામાં કોઇ શકિતને ક્રિયાશીલ કરવામાં આવી હોય એવું લાગે છે. ગુરુકૃપાથી જાગેલી આંતરશકિત સાધકના મનને જ્યાં સ્થિર થવાની જરૂર છે ત્યાં સ્થિર કરવામાં મદદ કરે છે અને તેને લીધે સાધક જાતે જ ધ્યાનની પિતાને અનુકૂળ પદ્ધતિ અપનાવે છે. આ જાતનું ગુરુકૃપા દ્વારા થતું ધ્યાન ક્રિયાશીલ હોય છે જેનાથી સાધકને પ્રત્યક્ષ અનુભવ થાય છે, અને તે તુરત ફળ આપનારું નીવડે છે. તેથી તેમાં કોઈ વિશેષ પૂર્વતૈયારીની આવશ્યકતા હતી નથી. કેટલાંકની બાબતમાં તો એ તૈયારી ભૂતકાળમાં કે પૂર્વજન્મમાં કરેલી હોવાથી તેઓને તેની જરૂર રહેતી નથી અને જેને એની જરૂર હેય છે તેમની શુદ્ધિ ગુરુકૃપાથી સહજપણે થવા માંડે છે. દા. ત. ઘણાં માંસાહારી સાધકોને માંસાહાર છોડવાનું કદી કહ્યું ન હોવા છતાં, શકિતપાત - દીક્ષા પ્રાપ્ત થતાં ચુસ્ત શાકાહારી બની ગયેલા જોવામાં આવે છે. એવી જ રીતે કેટલાંય સાધકો મદ્યપાન તેમ જ બીજાં પણ અનેક વ્યસનો, જે આધ્યાત્મિક પ્રગતિને અનુકૂળ ન હોય, આપોઆપ છોડી દે છે. વળી સાધકને ધ્યાન કરવા માટે ખાસ કોઈ બાહ્ય સામગ્રી કે પરિસ્થિતિની આવશ્યકતા રહેતી નથી. ગમે તે સ્થળે, કોઈ પણ સમયે
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy