________________
૮૮ :
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૮-૧૯૭૦
અંગભૂત તરીકે વર્ણવ્યા છે એમ છતાં તેઓ બૈદ્ધ યા શીખે તરીકે નોંધાવે છે તેવી જ રીતે જેને પોતાને જૈન તરીકે નોંધાવે એ અપેક્ષિત છે. જેને આથી પિતાને હિન્દુઓથી અલગ ગણાવવા માગે છે એમ માનવાની કે મનાવવાની કોઈ જરૂર નથી. મુંબઈ
પરમાનંદ કુંવરજી કાપડિયા
આવ્યા છે. શ્રી શાસ્ત્રીજી માટે મને ખૂબ માન છે, પણ આ બાબતમાં તેમની ગેરસમજણ છે તેથી આ ખુલાસો કરવો પડે છે.
વસતિગણતરીમાં, હિન્દુ, મુસ્લિમ, પારસી,''ઇસાઇ, જૈન, શીખ, એવી રીતે નોંધ, દરેક જનગણના વખતે થતી જ આવી છે. જૈને, જૈન તરીકે નોંધાય તે નવું નથી. આ પ્રશ્નને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. જેને રાષ્ટ્રીય જીવનનાં અવિભાજય અંગ સદાય રહ્યા છે. તેમણે કોઈ દિવસ જુદા હક્કો કે અધિકાર માગ્યા નથી. પોતાની સેવા, ગુણ કે શકિતના આધારે રાષ્ટ્રમાં કે સમાજમાં જે સ્થાન પ્રાપ્ત કરી શકાય તેટલી જ અપેક્ષા રાખી છે.
જૈન ધર્મ સ્વતંત્ર ધર્મ છે અને જૈનેની સંખ્યાની નોંધ જુદી જુદી થતી જ આવી છે. પણ બેદરકારી અથવા અધૂરી માહિતીને કારણે સંખ્યા નોંધ બરાબર થતી નથી. દા. ત. ૧૯૬૧ની વસતિગણતરીમાં જૈનોની સંખ્યા લગભગ ૨૦ લાખ નોંધાઇ છે. હકીકતમાં જૈનેની સંખ્યા ૫૦ થી ૬૦ લાખ અથવા તેથી પણ વધારે છે.
તેથી ૧૯૭૧ની જનગણના સમયે બરાબર પૂરી માહિતિ અપાય, જેથી જૈનની સાચી સંખ્યાની જાણ થાય એટલો જ આશય છે. આમાં કોઇ અલગતાવાદ કે રાજકારણ નથી. મુંબઈ
ચીમનલાલ ચકુભાઇ શાહ
(૩) તા. ૨૧-૭-૭૦ના જન્મભૂમિમાં પ્રગટ થયેલ “વસ્તિગણતરી અને જૈનધર્મી ભાઇ”એ મથાળા નીચેના શ્રી. કે. કા. શાસ્ત્રીના ચર્ચાપત્રના અનુસંધાનમાં જણાવવાનું કે આ પ્રશ્ન અંગે મેં આજ સુધી જે વાંચ્યું અને વિચાર્યું છે તેના પરિણામે મારો એ અભિપ્રાય બંધાયો છે કે આજે આપણે જેને હિન્દુધર્મના નામે ઓળખીએ છીએ તે હિન્દુધર્મ ભારતને સૌથી પ્રાચીન ધર્મ છે. સમય જતાં મુસલમાને આવ્યા, ખ્રિસ્તીઓ આવ્યા અને ઘણુંખરૂં તેમની સાથે યહુદીઓ આવ્યા અને તે તે. ધર્મનાં આપણા દેશમાં થાણાં નખાયાં. . . આ હિન્દુ ધર્મની ત્રણ. મુખ્ય શાખાઓ છે: (૧) વૈદિક, (૨) શ્રદ્ધ, (૩) જૈન. જેની વચ્ચે સતત આદાનપ્રદાન થયું છે અને આજ સુધી થતું રહ્યું છે. શ્રાદ્ધ શાખા ભગવાન બુદ્ધપ્રણિત, જૈન શાખા આજે જેને અનુસરવામાં આવે છે તે ભગવાન મહાવીર પ્રણીત. આ બંને શાખાઓ સમકાલીન હોઈને બન્ને વચ્ચે ઘણું સામ્ય છે. વૈદિક શાખા આ બન્નેથી ઇશ્વરકત્વની બાબતમાં જુદી પડે છે. આમ છતાં આ ત્રણે શાખાઓનું અલગ અલગ વ્યકિતત્વ તો છે જ. દરેક ધર્મના મુખ્ય ત્રણ તત્વ છે. દેવ, ગુરુ અને ધર્મ. આ ત્રણે તત્તની માન્યતાને લગતા ફરકના કારણે એક ધર્મ અન્ય ધર્મોથી જુદો પડે છે. આ બાબત હિન્દુ ધર્મની ત્રણ શાખાઓને પણ લાગુ પડે છે. ' . હિન્દુ ધર્મના બે મુખ્ય અંગ છે. શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે ધાર્મિક માન્યતાને લગતું ધર્મસાહિત્ય. સ્મૃતિ એટલે હિન્દુ સમાજનું બંધારણ સૂચવતું સમાજશાસ્ત્ર. જૈન ધર્મો વૈદિક શાખાની સ્મૃતિ દ્વારા સૂચવાતી સમાજરચના લગભગ સર્વાગે સ્વીકારી છે. આમ હોવાથી જૈને અને હિન્દુ - વૈદિકો બને બધી બાબતમાં એક છે - સમાન છે–આવો એક ખ્યાલ સામાન્ય જનસમાજમાં પ્રવર્તતા હોય છે. તે આવતા વર્ષે થનારી ભારતની પ્રજાની ગણતરીમાં, હિન્દુસમાજની ગણતરી સાથે તેના ઉપર જણાવેલ પેટા વિભાગની વસ્તીની અલગ નેધ થવાની હોત તો, જેને હિન્દુસમાજ સાથે ઘણી રીતે ઓતપ્રોત હાઇને હું મારી જાતને ‘હિન્દુજેન તરીકે નોંધાવવાનું પસંદ કરત, પણ હવે થનાર ગણતરીમાં આવી કોઈ વ્યવસ્થા છે જે નહિ અને જૈન સમાજની એક અલગ ઘટક તરીકે આજે કેટલી વસતિ છે તેની જાણકારી જૈન સમાજની દષ્ટિએ અપેક્ષિત છે તેથી જેઓ જૈન હોય તેમને આગામી વસતિગણતરીમાં પોતે જેનધર્મી છે એમ નોંધાવવાને ખાસ આગ્રહ કરવામાં આવે છે. શ્રી કે. કે. શાસ્ત્રીએ પોતાના ચર્ચાપત્રમાં બૈદ્ધ, શિખેને હિન્દુસમાજના
જન્મભૂમિ' ના લોકવાણીના વિભાગમાં “વસતિ ગણતરી અને જૈનધર્મી ભાઇઓ' એ શિર્ષક નીચે શ્રી ચીમનભાઇ ચકુભાઈ શાહ તથા શ્રી પરમાનંદભાઈ કાપડિયાએ જે વિચારો રજૂ કર્યો છે તેની સાથે સર્વ જૈન ધર્મપ્રેમી ભાઇઓ મારી જેમ સંમત થશે. પરંતુ ૧૯૭૧ ની વસતિ ગણતરીની ધમાં “જૈનકે “હિંદુ જેન” લખાવતા પહેલાં દેશના કરવેરાના કાયદા અને ખાસ કરીને “વેથ ટેકસ” ના કાયદાની આંટીઘૂંટી અને કોર્ટના ચૂકાદા ધ્યાનમાં લેવા જેવા છે.
મહિનૂર હાઇકોર્ટના પી. એફ. પી વિરુદ્ધ કમિશ્નર ઓફ વેલ્થ ટેકસ (૬૫, આઇ.ટી. સી. ૧૨૩ (મહિસૂર) ૧૯૬૭નો ચુકાદો તથા કલકત્તા હાઇકોર્ટના જાણીતા ચુકાદા કમિશ્નર ઓફ વેલ્થ ટેકસ વિરુદ્ધ ચાંપાકુમારી સિન્ધી (૬૭ આઇ. ટી. આર. પ૬૧ (લકત્તા, ૧૯૬૮)થી નક્કી થયેલ છે કે “જૈન” “હિન્દુ” ન ગણાય, તેથી “હિન્દુ અવિભકત કુટુંબના વેલ્થ ટેકસના ફાયદાઓ “જેન અવિભકત કુટુંબને 'ન લાગુ પડી શકે. ઉપરોકત બન્ને ચુકાદાથી ‘જેન’ ‘હિન્દુ નથી તેમ નક્કી થયેલ છે તેથી કેટલીક જેને કરવેરા ભરનાર વ્યકિતઓ કે જેઓએ હિન્દુ તરીકેનું સ્ટેટસ જાહેર કર્યું હોય તેઓ હવે વસતિગણતરીમાં જૈન લખાવે તો મુસીબત ઊભી થવા સંભવ ખરો? આવકવેરાના કાયદામાં પણ “હિન્દુ”ની વ્યાખ્યા ન હોઈ “જૈન અવિભકત કુટુંબ” કે જેઓ “હિન્દુ અવિભકત કુટુંબ” તરીકે એસેસ થતાં હશે તેમણે પણ વસતિગણતરીમાં “જૈન” તરીકે નામ લખાવતાં ગૂંચવાડો ઊભા થવાની શકયતા નથી? - આ સવાલ આખા સમાજને સ્પર્શતો હોઈ મુ. શ્રી ચીમનભાઇ તરફથી વિશેષ ખુલાસો થાય અગર તે અંગે નિષ્ણાતને અભિપ્રાય રજૂ થાય તે ઈચછનીય છે.
ઉપરોકત ચર્ચા સાથે એક વિશેષ સુસંગત હકીકત જૈનભાઇઓએ વિચારવા જેવી છે કે હિન્દુ વારસા ધારો તથા હિન્દુ લગ્નધારે વગેરે જે ૧૯૫૬ પછી કાયદા થયા તેમાં ‘હિન્દુની વ્યાખ્યામાં “જૈન”ને સમાવેશ કરવામાં આવેલ છે એટલે જ્યારે આવા ધારાઓમાં જૈનને હિન્દુ ગણવામાં આવે છે ત્યારે કરવેરાના કાયદામાં સ્પષ્ટ વ્યાખ્યાના અભાવે જૈન હિન્દુ નથી તેમ કોર્ટના ચુકાદાથી ઘટાવવામાં આવે છે. તો દરેક જૈન ભાઇઓએ એકત્ર થઇ કિંઇ ઘટતું કરવું ન જોઇએ? ઘાટકોપર
પ્રતાપ ડી. ગાંધી તંત્રી નેંધ જન્મભૂમિમાં જુદા જુદા સમયે પ્રગટ થયેલાં જેને અને વસતિગણતરી અંગેનાં ચર્ચાપત્ર, ઉપર એક સાથે આપવામાં આવેલ છે. આમાં શ્રી પ્રતાપ ડી. ગાંધીએ ઉપસ્થિત કરેલ મુદ્દો ખાસ વિચારણીય છે. આગળના હિંદુસમાજને લગતા કાયદામાં Hindus { icn[uding jain-જૈન સમેત હિન્દુ-એમ સ્પષ્ટ વિધાન કરવામાં આવેલ છે, જ્યારે આવકવેરાને લગતા કાયદાને પ્રસ્તુત ચર્ચાપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં જૈનો વિષે આવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને તેથી જેને અંગે પત્રલેખકે જણાવી તેવી મુશ્કેલી ઊભી થઈ છે. આવકવેરાના કાયદાને લગતી આ સુટી જેનેએ એકત્ર થઈને દૂર કરાવવી ઘટે છે અને આ કાર્ય બધા જૈનેનું પ્રતિનિધિત્વ કરતી ભારત જૈન મહામંડળ જેવી સંસ્થાએ શ્રી ચીમનલાલ ચકભાઇ શાહ જેવાની આગેવાની નીચે સત્વર હાથ ધરવું ઘટે છે.
પરમાનંદ