________________
૮૨
પ્રભુ જીવન
સ્રોજાતના પડછાયાથી પણ દૂર
તા. ૧૦ મી જુલાઇ શુક્રવારના ઇન્ડિયન એકસપ્રેસમાં Air India's Reluctant Guest એ મથાળા નીચે મુજબના
સમાચાર પ્રગટ થયા હતા:
“ સ્વામીનારાયણ સંપ્રદાયના વડા ધર્મગુરુ શ્રી, યોગીજી મહારાજ, જેઓ લંડનથી ઉપડેલા વિમાન દ્વારા ગયા બુધવારે (તા. ૮ મી જુલાઇના રોજ ) મુંબઇ ખાતે પધાર્યા છે તેમણે ૧૨ કલાકના વિમાની ઉડ્ડયન દ્રારા બિલકુલ અન્ન લીધું નહોતું અને તેમના વિભાગનાં દ્વાર આ પ્રવાસ દરમિયાન તદ્ન બંધ રાખવામાં
આવ્યા હતાં.
ks
“આનું કારણ શું? ૮૦ વર્ષના આ બુઢ્ઢા ધર્મગુરુએ કોઇ પણ સ્ત્રીને નજીકથી નહિ જોવાની પ્રતિજ્ઞા લીધી છે. આ યાગીજીમહારાજે અખિલ હિંદ વિમાની વ્યવહારના અધિકારીઓને ખાસ સૂચના આપી હતી કે તેઓ બાઈંગ વિમાનમાં પ્રવાસ કરતા હોય એ દરમિયાન કોઇ પણ સ્ત્રીએ— ઍર હોસ્ટેસે પણ તેમની બાજુએથી પસાર થવું નહિ, તેના પડછાયા પણ પડવા નજ જોઇએ. તેમણે તેઓ પોતે અને તેમના ૧૦ અનુયાયીઓ માટે આ વર્ગની કુલ ૧૭ બેઠકો રીઝર્વ કરાવી હતી, જેના પાઉંડ ૪,૦૦૦ એટલે કે રૂ. ૭૨,000 ચૂકવવામાં આવ્યા હતા.
“ લંડનના હીથા ઍરપોર્ટના ટમિનલ બિલ્ડિંગથી ઍરોપ્લેઇન સુધી તેમને લઇ જતી વખતે આખા સમય તેમણે આંખો બંધ રાખી હતી અને સાન્તાકુઝ ઍરપોર્ટ તેઓ પહોંચ્યા ત્યારે તેમણે ઍરોપ્લેઇનની સીડીના નાકે સામાન્ય રીતે આભાર—નિવેદન કરવા માટે અને આવા યોગીજી મહારાજ જેવા મહાપુરુષનું અભિવાદન કરવા માટે મેટા ભાગે એર હોસ્ટેસ ઉભી હોય છે તે ત્યાંથી ખસી ગઇ છે કે નહિ તેની તેમણે પાકી ખાત્રી કરી લીધા પછી જ તેએ ઍરોપ્લેઇનની સીડી ઊતર્યા હતા.
“આ ઍરોપ્લેઇન લંડનથી મુંબઇ પહોંચતાં પહેલાં પેરિસ, ઝુરીચ, અને બીટ થોડો થોડો સમય ખાટી થાય છે. આ ખોટીપા દરમિયાન યાગીજી મહારાજ અને તેમની મંડળીમાંના કોઇ પણ ગૃહસ્થ પેાતાના કમ્પાર્ટમેન્ટમાંથી બહાર નીકળ્યા નહોતા.
“ લંડન કે જ્યાં તેમના હજારો અનુયાયીઓ વસે છે ત્યાં આ યોગીજી મહારાજે સ્વામીનારાયણ સંપ્રદાય માટે તૈયાર કરવામાં આવેલ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ યોગીજી મહારાજ અહીંથી પૂર્વ આફ્રિકા ગયેલા અને ત્યાંથી લંડન પહોંચેલા તે દરમિયાન પણ રીઝર્વેશન પાછળ આવી રીતે દ્રવ્ય ખરચ્યું હશે, અને કોઇપણ સ્ત્રીથી માત્ર નહિ પણ તેના પડછાયાથી પણ દૂર રહેવા અંગે આટલી જ સંભાળ લેવામાં આવી હશે.
યોગીજી મહારાજ આજે મુંબઇમાં બિરાજે છે. તેમના વિષે પૂછતાછ કરતાં વિશેષ જાણવા મળે છે કે અહીં તેમના નિવાસસ્થાને તેમનાં દર્શન કરવા માગતી બહેને તેમની સામે ઊભા રહીને પ્રત્યક્ષ દર્શન કરી શકતી નથી. આ બિચારી ભકતબહેન યોગીજી મહારાજ જ્યાં બેઠા હાય તેના બંધ બારણાની તીરાડમાંથી જ માત્ર તેમનાં દર્શન કરી શકે છે. તેઓ પ્રવચન કરતા હોય ત્યારે તેમને સાંભળવા માટે એકઠી થયેલી બહેનોની આડો પડદા નાંખવામાં આવે છે જેથી બહેને તેમને સાંભળી તથા જોઇ શકે છે પણ યોગીજી મહારાજ બહેનોને જોઇ શકતા નથી.
પ્રસ્તુત યોગીજી મહારાજનું સ્થાન સ્વામીનારાયણ સંપ્રદાયમાં સર્વોચ્ચ છે એ હું જાણું છું. એમ છતાં તેમની સાથે સંબંધ ધરાવતી આ બધી બાબતો એ માટે રજૂ કરું છું કે બ્રહ્મચર્યપાલનના આગ્રહના અતિરેક કઇ હદ સુધીના થઇ શકે છે અને જેમાં સંપ્રદાયના અનુયાયીઓ ગૈરવ લેતા હોય તેવા આચારમાત્ર પશ્ચિમના લોકો માટે નહિ પણ આપણી જેવા સામાન્ય રીતે વિચાર
તા. ૧-૮-૧૯૭૦
રહેવા માગતા ચેાગીજી
મહારાજ
કરતા લોકો માટે પણ કેવે! હાસ્યાસ્પદ બની શકે છે તેનું આ ઘટનામાંથી આપણને આરપાર દર્શન થાય છે. પ્રસ્તુત કિસ્સા પાછળ કોઇ પણ અન્ય સ્ત્રીનું પ્રત્યક્ષ દર્શન માત્ર નહિ પણ તેના પડછાયા પણ બ્રહ્મચર્યના પાલનમાં બાધારૂપ બને છે એવા ભાવ અને અભિપ્રાય રહેલા છે. જ્યાં કોઇ પણ પ્રથા અતિરેકનું રૂપ ધારણ કરે છે ત્યાં આવા જ આચાર-વ્યવહાર પેદા થાય છે. આપણી વચ્ચેથી ધીમે ધીમે વિદાય લઇ રહેલી અસ્પૃશ્યતાએ પણ દક્ષિણ ભારતમાં મલબાર બાજુએ આવું જ વિકૃત રૂપ ધારણ કર્યું હતું. શેરીના આ નાકે કોઇ નામબુદ્રી બ્રાહ્મણ દાખલ થતો હોય તે બીજે નાકે દાખલ થતાં પંચમ વર્ગના માનવીએ પાછા ફરીને બીજી ગલીમાં છુપાઇને ઊભા રહેવું પડતું હતું, અને એવી આમન્યા ન જાળવનાર પંચમ વર્ગના અસ્પૃશ્ય લેખાતે માનવી આસપાસના પ્રજાજનાના પ્રચંડ રોષનો ભાગ બનતા, તેને ટીપી નાંખવામાં આવતો.
આપણે એટલે દૂર શા માટે જઈએ ? અપરિગ્રહ વ્રતના સંપૂર્ણ પાલનના આગ્રહમાંથી સામાન્ય લોકોમાં જુગુપ્સાપ્રેરક એવી–દિગંબર મુનિની નગ્નતા પરિણમી છે. બાલતી વખતે મેઢાના થૂંકનો છાંટો સામે બેઠેલી વ્યકિત ઉપર ન પડે એવા ખ્યાલમાંથી કોઇ ને કાંઇ કહેવું હાય ત્યારે મોઢા આડે કાંઇક વઆવરણ રાખવું સારૂં એવા કેટલાકને વિચાર આવ્યો અને એ વિચારમાંથી મુહપત્તિ હાથમાં રાખવાની પ્રથા જન્મી અને તેમાંથી મોઢા આડે મુહપત્તી સતત બાંધી રાખવાની પ્રથા સ્થાનકવાસી તથા તેરાપંથી સાધુ-સાધ્વી વર્ગને એવી વળગી-ચોંટી અને મુહુપત્ની માઢાના સ્થાયી આભૂષણ રૂપ બની ગઈ, અને તેની આસપાસ ધાર્મિક પરંપરાની એવી ચાકી જામી ગઇ કે તે પ્રથામાંથી તે આખા વર્ગને મુકત થવાનું આજે તો તદ્દન અશકય જ બની બેઠું છે.
સૈકાઓથી આવી ચાલતી આ પ્રથાઓ છે પણ આજે આપણે બૌદ્ધિક યુગમાં વસી રહ્યા છીએ; દરેક પ્રથાના ઔચિત્ય-અન્નૌચિત્યનો વિચાર કરીને આપણા વ્યકિતગત કે સામાજિક જીવનમાં આપણે આજે ઠીક પ્રમાણમાં ફેરફાર કરી રહ્યા છીએ. આવા કાળમાં વસતા અને વિચરતા યોગીજી મહારાજને આપણા પ્રશ્ન છે કે આજથી ૫૦૦ ૬૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ સ્ત્રી-સમાગમ અંગે ભલેને અત્યન્ત કડક મર્યાદાઓ બાંધી હોય પણ કોઇ પણ સ્ત્રીના પડછાયાથી દૂર રહેવાનું સૂચવતી મર્યાદાને આજના જમાનામાં કોઇ સ્થાન છે ખરૂ ? તેઓ એ પણ વિચારે કે સ્ત્રીસમાગમના આવા કડક ખ્યાલા અબ્રહ્મચર્મના વિકારોથી બચવામાં ખરેખર ઉપયોગી થાય છે કે તેનું પરિણામ તેથી કાંઇક વિપરીત આવે છે? આ પણ મનોવિજ્ઞાનની દષ્ટિએ વિચારવું જરૂરી છે. આજના જીવનમાં – મોટા શહેરાના જીવનમાં—સ્ત્રી-પુરુષો જ્યાં ત્યાં અથડાય છે તે એ ઉપરથી શું એમ માની લેવું કે આ બધા લોકો કેવળ વિકૃતિના માર્ગે જ ધસી રહ્યા છે?
સ્ત્રી-પુરુષ સંબંધ વિષે એક વખત એવા ખ્યાલ હતો કે, બન્ને એકમેકથી જેટલા દૂર રહે એટલું સારું અને ઇચ્છવાયોગ્ય છે. આજના જમાના, આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણને-સ્ત્રી પુરુષોનેએકમેકની ખૂબ જ નજીક લાવી રહેલ છે. બસમાંની એક બેઠક ઉપર તમે બેઠા હા અને બાજુએ કોઇ બહેન આવીને બેઠી તેા શું તમારે તમારી બેઠક ઉપરથી રખેને સ્ત્રીસ્પર્શની બીકે ઊભા થઇ જવું અને બસમાં વધારે જગ્યા ન હોય તો ઊતરી જવું? આપણા જાહેરજીવનમાં આ પરસ્પર સમાગમ વધતો જ જાય છે. આ પરિસ્થિતિમાં આપણને સ્રી સમાગમથી ભાગવાની જરૂર નથી, પણ સ્ત્રીઓ સાથે કામ કરતા હોઇએ પણ શીલવિચારથી વિચલિત ન થવાય-એવા Sex-proof-જાતીય વિકારથી મુકત-બનવાની દઢતા કેળવવાની જરૂર છે.
યોગીજી મહારાજ અને તેમના અનુયાયીઓ આ આજની વાસ્તવિકતા સમજે અને એ અનુસાર પરંપરાગત ખ્યાલામાં અને આચારોમાં ફેરફાર કરે એવી આ નોંધ દ્વારા તેમને નમ્ર પ્રાર્થના છે.
પરમાનંદ
10