________________
૭
તા. ૧-૮-૧૯૭૦
પ્રબુદ્ધ જીવન
વૈકલ્પિક બ્રહ્મચર્યના મુદા અંગે
તા. ૧૬––૭૦ ના વિશ્વવાત્સલ્યના અગ્રલેખમાં શ્રી મુંબઇ જૈન યુવક સંઘ દ્વારા તા. ૧૪-૬-૭૦ ના રોજ યોજાયેલી પરિસંવાદસભાને સાર આપતાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે:
સાધુવર્ગ સમાજ પાસેથી લે છે તે તેનું વળતર આપવું જોઇએ, અને સમાજસેવાનાં કાર્યો પણ કરવા જોઇએ, બ્રહ્મચર્યના પાલન વિષે પણ આગ્રહ ન રાખવાનું મન્તવ્ય ધરાવતા હોવાની છાપ પર ખ્રિસ્તીધર્મને એક ફાંટો અને બીજા ધર્મગુરુઓ સંસારી હોય છે, એવો ઉલ્લેખ પણ કર્યો હતે.”
આ લખાણમાં બ્રહ્મચર્યના પાલનને લગતે ઉલ્લેખ પરિ. સંવાદમાં થયેલી. સમગ્ર ચર્ચા વિષે ગેરસમજતી પેદા કરે તેવો છે. તા. ૧-૬-૭૦ ના પ્રબુદ્ધ જીવનમાં શ્રી દલસુખભાઇના સાધુસંસ્થા અંગેના પ્રસ્તુત મુદ્દાઓની ટૂંકી નોંધના આકારમાં કેટલાએક વિચારો પ્રગટ કરવામાં આવ્યા હતા અને તેમાં બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા વૈકલ્પિક રાખવી, એમ જણાવેલું પણ ત્યાર બાદ તા. ૧૪-૬-૭૦ના રોજ યોજાયેલ પરિસંવાદસભામાં આ મુદ્દાને ખુલાસે કરતાં તેમણે એવી મતલબનું જણાવેલું કે “ આ સંબંધમાં મારે એમ કહેવાનું છે કે “જેમનાથી બ્રહ્મચર્યવ્રત પૂર્ણપણે પળાનું નથી અથવા તે પળાવાનું શકય નથી એમ લાગે તેણે સાધુજીવન છોડીને ગૃહસ્થાશ્રમ સ્વીકારી લે એ વધારે યોગ્ય છે, પણ સાધુવેશને વળગી રહીને ઉપર ઉપરનું બ્રહ્મચર્ય પાળ્યાને દેખાવ કરવો એ ઇરછવાયોગ્ય નથી.” શ્રી દલસુખભાઇના આ ખુલાસાથી આપણને સંતોષ થાય કે નહિ, પણ બ્રહ્મચર્ય અંગે પોતાના લેખમાં દર્શાવેલા શ્રી દલસુખભાઈના વિચારનું તે સભામાં કે તા. ૨૮-૬-૭૦ ના રોજ યોજાયેલી બીજી પરિસંવાદસભામાં અન્ય કોઇ વકતાએ કે વિવેચકે ખાસ સમર્થન કર્યાનું મારા સ્મરણમાં નથી. પ્રસ્તુત પરિસંવાદસભાઓમાં થયેલી ચર્ચા સંબંધમાં કોઈ ગેરસમજુતી થવા ન પામે તેટલા માટે આટલે ખુલાસો કરવાની જરૂર ભાસી છે. તિરુપતિના ભ, વ્યંકટેશ્વરને શ્રી નિજલિંગપ્પાએ કરેલી પ્રાર્થના
તા. ૨૨-૭-૭૦ ના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં નીચે મુજબના સમાચાર પ્રકટ કરવામાં આવ્યા છે:
“તિરુપતિ: જુલાઇ ૨૧, સંસ્થાકીય કેંગ્રેસના પ્રમુખ શ્રી નિજલિંગપ્પાએ તિરુપતિ ખાતે આજે “અમે ઇચ્છીએ છીએ એવા વડા પ્રધાન અમને મળે” એ મતલબની ભગવાન વ્યંકટેશ્વર પાસે પ્રાર્થના કરી હતી અને વરદાન માગ્યું હતું.
અહિંયા મળેલી દક્ષિણ ભારતની પ્રાદેશિક મહાસભા સમિતિને અંતિમ સંબોધન કરતાં શ્રી નિજલિંગપ્પાએ જણાવ્યું કે તેમની પહેલી સંયુકત સભાનું કામકાજ સારી આશા આપી રહી છે અને આગળ વધતાં તેમણે જણાવ્યું કે, “અહીં જ આપણે તેમના પવિત્ર પ્રભાવ નીચે સ્વ. લાલબહાદુર શાસ્ત્રીની પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો અને તેમણે બહુ સારી કામગીરી બજાવી હતી. પણ આપણે જ્યારે શ્રીમતી ઈન્દિરા ગાંધીની પસંદગી કરી ત્યારે આપણે અહીં ફરીથી આવ્યા નહોતા. હવે પછી નવા મહાઅમાત્યની પસંદગી કરવાને ટાણે ભગવાન વ્યંકટેશ્વરના આશીર્વાદ મેળવવા માટે આપણે બહુ થોડાં સમયમાં પાછા અહીં એકઠા થઇશું એવી આપણે જરૂર આશા રાખીએ.”
આ સમાચાર અમુક અંશે રમૂજ ઉપજાવે તેવા છે અને તે એ રીતે કે રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ શ્રી નિજલિંગપ્પા આજના મહાઅમાત્ય શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમના સ્થાન ઉપરથી ઉથલાવી પાડવા માટે તિરુપતિના ભગવાન બંટેશ્વરની આમ આડકતરી રીતે મદદ માગી રહ્યા છે–એવી માન્યતા ઉપર કે જો
ઇન્દિરા ગાંધી પદભ્રષ્ટ થાય તે પછી પોતાના પક્ષના આગેવાન માટે જ એ સ્થાને નિશ્ચિત છે. પણ ન જાણે જાનકી નાથ, પ્રભાતે કિં ભવિષ્યતિ. ઉપરના સમાચાર ખેદ ઉપજાવે તેવા એટલા માટે છે કે રાષ્ટ્રીય મહાસભાના ભાગલા પડયા પછી બન્ને બાજુએ એકમેકનું સ્થાન અને પ્રતિષ્ઠા તોડવા માટે જાતજાતની રમત-ખટ-, પટો ચાલી રહી છે. આ મેલી રમતમાં ભગવાન યંકટેશ્વરને શા માટે ભાગીદાર બનાવવામાં આવે છે અને તિરુપતિના ભગવાન વ્યંકટેશ્વર વિષેની સામાન્ય લોકોની શ્રદ્ધાને ઉપર જણાવેલા પ્રચારઉદ્ગારો દ્વારા શા માટે લાભ ઉઠાવવામાં આવે છે? જાહેર જીવનની કક્ષા કેટલી નીચે ઉતરી ગઇ છેતેની આ પણ પારાશીશી છે. ભાઈ મધુકાનત અમતલાલ શાહને અભિનંદન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથ્રી લેવાયેલી એમ. કેમ. (માસ્ટર ઑફ કૅમની પરીક્ષામાં પહેલાં નંબરે સફળ પ્રાપ્ત કરનાર રાજકેટ ના વિદ્યાર્થી ભાઈ મધુકાન્ત તે સાયલાવાળા શ્રી અમૃતલાલ કચરામાઈ શાહને પુત્ર–તેને આપણા સર્વના હાર્દિક અભિનન્દન છે અને તેની હવે પછીની કારકીર્દિ એટલી ઉજજવલ બની રહે એવી શુભેચ્છા છે!
પરમાનંદ આને કઈ જવાબ ખરો? તા. ૧૨-૭-૦ના ગુજરાત સમાચારમાં નીચે મુજબ સમાચાર પ્રગટ થયા છે :
ગઈ કાલે શહેરની વચ્ચે જ આવેલ એક જાણીતી કૅલેજના વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રચારના ‘શાઉટીંગ ' દરમિયાન કુટુંબ નિયોજન માટે સરકારી મદદથી રાહતના દરે વેચાતા ‘નિરોધ' (ગર્ભનિરોધક રબ્બરની ટેટી)ને ફગા તરીકે ઉપયોગ કર્યો હતો. આવા સંખ્યાબંધ ફગ્ગાઓને ઉછાળી પ્રચાર માટે ખાસ આકર્ષણ ખડું કરવામાં આવ્યું હતું.”
આ સમાચાર ચેકાવે એવા છે, જો કે આજના વિદ્યાર્થી જગત માટે શું આશ્ચર્યજનક નથી એ સમજવું મુશ્કેલ છે.
દેશના વસતિવધારાની સમસ્યાને ઉકેલવા સરકારેસુલભ કરેલાં સાધનને આવો દુરુપયોગ થાય? અને તે પણ વિદ્યાર્થીઓ દ્વારા ને વળી આ રીતે ઠઠ્ઠામશ્કરી ખાતર? જે વસ્તુ ખાનગી, ગંભીર ને સમજપૂર્વકના ઉપયોગની અપેક્ષા રાખે તેની આપણા અપરિણીત કોલેજિયને આવી રીતે હાંસી ઉડાવે તેમાં કઈ “બુદ્ધિચાતુરી”નું દર્શન થાય? કૅલેજના સત્તાધીશે તથા સરકાર આ માટે કંઈ જ ના કરી શકે? આજના યુવામાનસનું આ “ ડહાપણ” સમાજને કયાં લઈ જશે? આનો કોઈ જવાબ ખરો?
ગીતા પરીખ ઝંખના ( મિશ્નપજાતિ ) આ સાધનાના મુજ કોડિયાનું ખૂટી જતું તેલ ઘડી ઘડીમાં; હૈયાતણી સૌ સુખ-એષણાએ નિચેવી દૈને તપ-તેલ પૂરી રાખી શકું જો જવતું સદા તે ....!
આ સાધનાને ઘટ છે અધૂરો તેયે કશે પૂર્ણની પ્રાપ્તિ કેરા આભાસમાં એ છલકાઈ જાયે! રખે થતો તદૃન ખાલી આમ એને મને હો ભય નિત્ય કોરતે!.
ગીતા પરીખ અને