________________
८९
યા પૂરક છે ખરું? આ પ્રશ્નના વધારે ઊંડાણથી વિચાર કરતાં માલુમ પડશે કે સાધુ જીવનની સાધનામાં કોઈ પણ પ્રયોજન અથવા તે। અનિવાર્યતાના અનુબંધ વિના વધારે પડતું શારીરિક કષ્ટ ભેગવવાના અથવા સ્વીકારી લેવાનો કોઈ અર્થ નથી, તેમ કરવાથી આત્મદર્શન સમીપ આવે છે કે જીવન વધારે વિશુદ્ધ થાય છે એમ માનવાને કોઈ કારણ નથી, શરીરને સુંવાળું ન બનાવો, સગવડલક્ષી ન બનાવો અને આત્મસાધના કરતાં કરતાં જે કોઈ અગવડ કે, કષ્ટ આવે તેને સમભાવપૂર્વક અપનાવે, પણ શરીરષ્ટને કટની ખાતર ન બીરદાવો. આમ કરવાથી દેહાધ્યાસ ઘટે છે એ પણ એક ભ્રમણા છે, જ્યાં કષ્ટ છે ત્યાં મન તે તરફ જ મેટા ભાગે ચાંટેલું હાઈને માનવી વધારે શરીરલક્ષી બને છે—આવા આપણા અનુભવ છે. આ ચર્ચાના સાર એ કે કોઈ ધાર્મિક સંદર્ભમાં સ્વેચ્છાએ સ્વીકારાતા શરીરદમન યા શારીરિક કષ્ટની પૂજા કરવાની આપણામાં જડ ઘાલી બૅઠેલી વૃત્તિથી આપણે મુકત બનવું જોઈએ અને દરેક બાબતનો ઔચિત્ય અને ઉપયોગીતાની દૃષ્ટિએ સમતાલપણે વિચાર કરતા થવું જોઈએ. ‘વિધવાવિવાહ ’ની વિચારધારાની પરિપૂર્તિ
પ્રબુદ્ધ અન
૧૬ મી જૂનના ‘પ્રબુદ્ધ જીવન' માં શ્રી શારદાબહેન શાહનના ‘વિધવા વિવાહ ઉપરના લેખો પ્રગટ થયો હતો. તે લેખથી પ્રભાવિત બનીને તેની પરિપૂતિ રૂપે અને આપણા આજના અમુક સામાજિક રીતરિવાજોમાં ફેરફાર સૂચવતો એક પત્ર શ્રી. સાવિત્રીબહેન વ્યાસ તરફથી મળ્યો છે. તેમની સૂચનાઓને કોઈ સંમત થાય યા ન થાય, પણ તે સૂચનાઓ વિચારવાયોગ્ય છે એમ તો કહેવું જ પડશે. તે પત્ર નીચે મુજબ છે:
અમદાવાદ, તા. ૨૭-૬-૭૦
આદરણીય શ્રી પરમાનંદભાઈ,
હું નિયમિત પ્રબુદ્ધ જીવન' વાંચું છું. મને પ્રબુદ્ધ જીવન ગમે છે. એમ. એ. એમ. એડ. હું છું. સર્વોદય . કાર્યકર્તા શ્રી. હરીશભાઈ વ્યાસ મારા પતિ છે. (તેએ આજકાલ દેવગઢબારિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સર્વિસ કરે છે.) મારી માતૃભાષા ગુજરાતી નથી, તેથી કદાચ મારા નીચેના લેખમાં ભાષાની ભૂલા હેય. સુધારીને પ્રગટ કરશે તો હું આભારી થઈશ. ૧૬ જૂનના ‘પ્રબુદ્ધ જીવન’માં શ્રી શારદાબેન શાહનો લેખ વાંચ્યો. મને ગમ્યો. ખરેખર સ્રીઓની પોતાની રૂઢિચુસ્તતા એમના વિકાસમાં બાધક બને છે. સમાજમાં પ્રવર્તતા મૂલ્યો રૂઢિચુસ્તતાને ટેકો આપે છે. આ મૂલ્યોમાં પરિવર્તનની આવશ્યકતા છે.
જેમ કે હજીયે સુધરેલા સમાજમાં પરિણીત સ્ત્રીના નામ આગળ અ. સૌ. (અખંડ સૌભાગ્યવંતા) યા સૌ. (સૌભાગ્યવંતા) લખવામાં આવે છે તે શું બરાબર છે? પરિણીત સ્ત્રી તે જ સૌભાગ્યવતી અને વિધવા અથવા કુમારિકાઓ સૌભાગ્યહીન ? આજે તો અનેક સ્ત્રીઓ અપરિણીત રહીને સામાજિક તથા રાજનૈતિક ક્ષેત્રામાં મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે તે શું બધી સૌભાગ્યથી વંચિત રહી ગઈ છે એમ માનવું જોઈએ ? પરિણીત સ્ત્રીઓને જ સૌભાગ્યવંતા લખવાની પરમ્પરા સ્ત્રીઓની પરાધીનતાની જ ઘોતક છે. પુરુષ જો સ્ત્રી સાથે પરણવાની કૃપા કરે તો એનું સૌભાગ્ય પુરુષના સાથ વિના તે દુર્ભાગ્ધ છે. પરિણિત પુરુષોના નામ જો સૌભાગ્યવાન ન લખાતું હોય તો સ્ત્રીઓના નામ આગળ પણ સૌભાગ્યવંતા લખવાની પરમ્પરાનો ત્યાગ કરવા જોઈએ.
આગળ
હું માનું છું કે ‘પ્રબુદ્ધ જીવન' એમાં આગળ રહેશે.
બીજું, પરિણીત સ્ત્રીઓએ બંગડી, ચાંલ્લા વગેરે સૌભાગ્યચિહ્નો ધારણ કરવા જોઈએ તેવા આગ્રહ ભણેલા સમાજમાં પણ રખાય છે તે પણ મારા મતે અયોગ્ય જ છે. એક તો, આવાં સૌભાગ્યચિહ્ન ધારણ
તા. ૧-૮-૧૯૭૦
કરીને હું પરણેલી છું એવી જાહેરાત કરવાની કશી જરૂર નથી. બીજું, માત્ર પરિણીત સ્ત્રી જ અલંકૃત થઈ શકે કે અમુક આભૂષણ ધારણ કરી શકે—તેમાં આખી સ્રીજાતિની નામાશી છે. તે આ સૌભાગ્યચહ્નો ધારણ કરવાના મર્યાદિત અધિકારને અબાધિત બનાવવા જોઈએ; વિધવા યા અપરિણીત દરેકને તે ધારણ કરવાની છૂટ હોવી જોઈએ; યા પરિણીત સ્ત્રીઓએ પેાતાની વિધવા અને અપરિણીત બહેનોના પક્ષમાં એમનું સ્વમાન જાળવવા માટે, સ્વેચ્છાથી આ સૌભાગ્યચિહ્નોનો ત્યાગ કરવા જોઈએ.
હું માનું છું કે સ્ત્રીસમાનતાની દિશામાં આ પણ એક મહત્ત્વ પૂર્ણ પગલું છે. બસ.
સાવિત્રી વ્યાસના જ્યે જગત
હિમાલયમાં વર્ષોજૂનું જૈન મંદિર અને તે અંગે વિચારણા
તા. ૨-૭-’૭૦ ની - ‘વીર’પત્રિકામાં જણાવવામાં આવ્યું છે કે, ‘હિમાલયની અંદર ગઢવાલ જિલ્લામાં શ્રીનગર નામનું એક શહેર છે, ત્યાં ભગવાન ઋષભદેવનું એક પ્રાચીન મંદિર છે.” વાચક ધ્યાનમાં રાખે કે કાશ્મીરનું શ્રીનગર અને ગઢવાલનું શ્રીનગર એ બન્ને જુદાં છે. આપણે અહિં ગઢવાલમાં આવેલા શ્રીનગરની વાત કરીએ છીએ. હું કેટલાંક વર્ષ પહેલાં બદ્રીનાથ-કેદારનાથની યાત્રાએ ગયેલા ત્યારે અમારા યાત્રામાર્ગ ઉપર શ્રીનગર શહેર આવેલું અને જતાં આવતાં ત્યાં એક એક રાત ગાળેલી, આમ છતાં આ શ્રીનગરમાં આપણું જૈન મંદિર છે એવી કોઈ કલ્પના નહોતી. મારા મનની વર્ષોની ભાવના રહી છે કે હિમાલયમાં એક ભવ્ય જૈન મંદિર હોવું જોઈએ, જેના નિમિત્તે જૈના હિમાલય તરફ જતાં આવતાં થાય. આમ ાંવાથી ખરેખર શ્રીનગર જેવા જાણીતા સ્થળમાં આપણું એક જૂનુંપુરાણ જૈન મંદિર છે એ સમચારથી હું ખૂબ આનંદ અનુભવું છું.
આ શ્રીનગર અલકનંદાના કીનારે આવેલું છે અને ઋષિકેશથી ૭૫ માઈલ દૂર છે. પ્રાચીનકાળમાં અલકનંદામાં મેટું પૂર આવવાના કારણે એ જૂના જૈન મંદિરને ઘણ નુક્સાન થયું. હતું એ બાજુ વસતા જૈનોએ ૧૯૦૯માં એ મંદિરનો જીર્ણોદ્ધાર કાવેલા. એ જીણીદ્ધારકાર્ષ ૧૯૨૫ સુધી ચાલ્યું હતું. ત્યાર બાદ આજ સુધીમાં તે મંદિરની ઉપેક્ષા થતે થ તે ઘણી જીર્ણતાને પામેલું છે અને આજે નવા જીર્ણદ્વારની અપેક્ષા રાખે છે. ‘પ્રબુદ્ધ જીવન ના ગયા અંકમાં બદ્રીનાથ પહેોંચેલા દિગમ્બર જૈન મુનિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ આ શ્રીનગરમાં ચાતુર્માસ કરવાના છે એમ જણાવવામાં આવ્યું છે. હિમાલયના આ ઉત્તરાખંડ પ્રદેશમાં છૂટીછવાઈ પથરાયેલી ૫૦૦- ૬૦૦ જૈનોની વસતી છે, પણ તે વેરવિખેર હોવાથી તેમના માટે આર્થિક રીતે આ કાર્ય સહેલું નથી. ‘વીર’ પત્રમાં જણાવ્યા મુજબ આ જીર્ણોદ્ધાર કાર્ય માટે આશરે રૂપિયા પચાસે હજારના જરૂર છે. અને આજે જે સ્થિતિમાં છે તેને વિશાળ આકાર આપવામાં આવે તે અધિક દ્રવ્યની પણ અપેક્ષા રહે. આ કાર્ય માત્ર દિગંબર જૈનોનું જ છે એમ સમજવાનું નથી, પણ સમસ્ત જૈન સમાજનું છે. ઉપર જણાવ્યા મુજબ આર્થિક સહયોગ મળે અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈ જેવાની દષ્ટિનો યોગ પ્રાપ્ત થાય તા આ મંદિર આપણ સર્વ જૈન માટે એક મહાન તીર્થભૂમિ ગણાઇ જાય.
આજે જ્યારે ચાર વર્ષ પછી ભગવાન મહાવીરની ૨૫૦૦ મી નિર્વાણ જ્યંતિ સંયુકત રીતે ઊજવવાન આપણે વિચાર કરી રહ્યા છીએ અને તેને લગતી અનેક યોજનાઓ વિચારવામાં આવે છે ત્યારે, હિમાલયના અંતરભાગમાં આવેલા શ્રીનગર શહેરના આ મંદિરના પુનરુધ્ધાન કરવાના વિચારને એ યોજનામાં સંમિલિત કરવામાં આવે એવું મારૂં નમ્ર સૂચન છે.
∞0