SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૧૯૭૦ વાવેતર કર્યું એથી જ ગુજરાત હજુ આજે પણ જગતનો એક એક પવિત્ર ખૂણા મનાય છે તે એ પ્રદેશમાં પ્રથમ ઊતરનારા મુનિઆને સંયમ નહી નડયો હોય? શું આજેજ એ સંયમ નડવા લાગ્યા છે કે જેથી અશાંતિમાં વ્યગ્ર બનેલી યુરોપ - અમેરિકાની પ્રજાને ધર્મથી વંચિત રાખવામાં આવે છે? જો અલ્લડ ગુજરાત આજે પવિત્ર ખૂણા બની શક્યું છે તો એ પ્રદેશ પણ ધર્મપ્રચારનો લાભ મેળવે તો પવિત્ર કેમ ન બની શકે? બાકી સંયમને નામે, અશાંતિમાં ખદબદતી દુનિયાની ઉપેક્ષા કરવી એ મૂળમાં જ સંયમને નામે આવેલી ગેરસમજ અને વિકૃતિનું જ પરિણામ છે એમ તટસ્થ વિચારકને જણાયા વિના નહીં રહે. પ્રભુ જીવન આશા રાખું છું કે ઉપરોકત પ્રશ્ન ફરી વિચારવામાં આવશે. આટલું કહીં હું મારા વિચારો રજુ કરૂં છું. (૧) ધર્મપ્રચાર માટે વિમાન - મેટરના ઉપયોગ થઇ શકે. ભગવાન પાતે જ વહાણ યા નાવ દ્વારા નદીઓ પાર ઊતરતા તા આજના યુગમાં દુનિયા સાંકડી બની ગઇ હોઇ સ્ટીમરોના પણ ઉપયોગ થઇ શકે. ફકત એવી મુસાફરી કરનાર મુનિએ પ્રાયશ્ચિત લેવું જોઇએ અને જતા પહેલાં વડિલ - ગુરૂ કે સંઘની આજ્ઞા માંગી લેવી જોઇએ. (૨) આજની વધતી સંખ્યાને કારણે કોલાહલ થવાથી ગુરુરૂ જીની વાણી જો સાંભળી શકાતી ન હોય તે લાઉડસ્પીકરનો ઉપયોગ થવા જ જોઇએ. જેમ કોઇ બહેરો એ વાણી સાંભળવા કાનમાં નવું મંત્ર પહેરે છે તેમ આપણે પણ એ વાણીનો લાભ લેવા લાઉડસ્પીકર મૂકવું જ જોઇએ. હાં, ગુરુજી એવી ઇચ્છા ન કરે, ન કોઇને કહે કે ન વિરોધ કરે. જેમ બહેરાને એ સમભાવથી જુએ છે તેમ લાઉડસ્પીકર મૂકનારા પ્રત્યે પણ એ સમભાવ જ રાખે ને પોતે એથી અલિપ્ત રહે. (૩) સ્થાનકવાસી - તેરાપંથી મુનિએ ચોવીસે કલાક મુહપત્તિ બાંધી રાખે છે એ હવે યોગ્ય નથી. બાલે ત્યારે ભલે એ બાંધી રાખે, પણ જ્યારે મૌન હાય, બાલવાનું ન હોય, નિદ્રામાં હાય ત્યારે પણ એનો આગ્રહ રાખવા એ ઠીક નથી. આજના સભ્યતાના યુગમાં એ અયોગ્ય લાગે છે. પવિત્ર મુનિનું મુખારવિંદ પણ જોવા મળતું નથી અને તેથી હૈયાના જે ભાવ ઊઠવા જોઇએ એમાં એ વિઘ્નરૂપ છે. માટે એના આગ્રહ માળા થાય એ ઇષ્ટ છે. (૪) ઘણા મુનિઓને ચાહ–છીંકણીનું ભારે વ્યવસન હોય છે અને ચાહ વિના તો ઘણાને ગમતું પણ નથી, એ વ્યસનામાં સંયમને સ્થાન મળવું જોઇએ. (૫) દિગંબર મુનિએ વળી નગ્નતાના આગ્રહી રહ્યા છે. એ આજે એટલા આગ્રહી બની ગયા છે કે આત્માની અપેક્ષાએ દેહને જ પ્રાધાન્ય આપવા લાગ્યા છે. દેહ તો એક સાધન છે, જે આત્મા જાગૃત થઇ ગયા છે અને સાધનની રક્ષાના આગ્રહ શા માટે? એનો અર્થ તો એ થયો કે એ દેહને જ પ્રાધાન્ય આપે છે. જો કોઇ મુનિ પોતાની આત્મમસ્તીમાં મસ્ત હોય ત્યારે એના દેહ ફરતું વસ્ત્ર વીંટાળી દેવામાં આવે તો એ આત્મમસ્તી ભૂલી તરત જ દેહભાવ પર આવી જશે. મુનિએ સમજવું જોઇએ કે જો આજના કાળે મેક્ષ નથી તે ભલા આ કાળે—આ યુગમાં વિશેષ નહિ તે લંગોટી શા માટે ન રાખવી? અને એ નગ્નતાને કારણે નથી એ અન્ય સમાજોમાં ફરી શકતા, નથી ધર્મ પ્રચાર કરી શકતા અને ઉપરથી એમના વિહાર વખતે શ્રાવકોને ગામેગામ એમની સાથે દોડાદોડ કરી ખૂબ પરેરાશન થવું પડે છે. એટલે આ પ્રશ્ન પણ એક વિચારણા માંગે છે. (૬) આ ઉપરાંત લાચ, મુખશુદ્ધિ, દેહશુદ્ધિ તથા મુતરડીજાજરૂ વગેરેના પ્રશ્નો પણ આજે વિચારણા માંગે છે, પણ એ પ્રશ્ન મુનિવર્ગ જ વિચારશે તે યોગ્ય ગણાશે. (૭) ઉપરાંત અહિંસાધર્મને કારણે એક સંઘાડાના મુનિ બીજા સંઘાડાના મુનિને અસ્પૃશ્ય માની ગોચરીમાં હદ બાંધવા ડાંડાં મૂકે-આહાર-પાણીમાં ન નિમંત્રે તેમ જ ઉપાાયમાં પણ સ્થાન આપવામાં આનાકાની કરે એ બધું ખાસ વિચારવા જેવું છે. આશા છે કે આમાં જે જે કઇ વિચારવાયોગ્ય હોય એ પર યોગ્ય વિચારણા થશે. અયોગ્ય વાત હોય તે તરફ ઉપેક્ષા સેવવામાં આવશે. શાહ રિતલાલ મફાભાઈ-માંડળ પ્રકી નોંધ ge મૌનના પ્રભાવ: એક સત્ય ઘટના એક દિવસ સવારે એક મિત્રને મળવા તેમના ઘેર ગયો. મિત્ર બહારગામ ગયેલા તે હજુ આવ્યા નથી એમ માલુમ પડયું. મિત્રપત્ની મળ્યાં. તેમની તથા તેમનાં બાળકોની મે” ખબરઅન્તર પૂછી. બહેને જણાવ્યું કે “આમ તો અમે બધાં સારાં છીએ, પણ બાબાને અઠવાડિયા સુધી તાવ આવી ગયો. હવે ઠીક છે.” તેની માંદગી વિષે વધારે પૂછતાં તેમણે જણાવ્યું કે “આઠ દશ દિવસ પહેલાં બાબા કંપાઉન્ડમાં રમતા હતા. તેની સાથે એક બીજો છારો હતા તે બહુ તોફાની. કોઈ એક મેટર ડ્રાઈવર તે જ જગ્યાએ તેની મેટર સાફ કરતા હતા, સરખી કરતા હતા. એ દરમિયાન પેલા તફાની છેકરાએ પેલા ડ્રાઈવરને કાંઈક અટકચાળા કર્યો અને પોતાને મારશે એ બીકે તે ભાગી ગયો. પેલા ડ્રાઈવર મજબૂત પડછંદ કાયાન પેલા અટકચાળાથી ચીડાયલા અને બાજુમાં ઊભેલા મારા બાબાને દોષિત માનીને તેના ગાલ ઉપર એક સખ્ત તમાર્ચેા તે ડ્રાઈવરે મારી દીધો. આ તમાચાથી તેના દાંતમાં લોહી આવ્યું, ગાલ' સૂઝી આવ્યો અને ત્યારથી કાનનો દુ:ખાવો શરૂ થયો અને તાવ આવવા લાગ્યો, હવે ઈશ્વરકૃપાથી સારું છે.” મે પૂછ્યું “તમે એ ડ્રાઈવરને કશું કહ્યું નહિ ?” તેમણે જવાબ આપ્યો કે “ભાઈ, બાબાને તેણે તમાચો માર્યો અને ઈજા થવાની હતી તે થઈ ગઈ. પછી તે ડ્રાઈવરને હું શું ઠપકો આપું? ” એમ વિચારીને મેં મૌન સેવવાનું પસંદ કર્યું. આમ જણાવીને તેમણે ઉમેર્યું કે, “આ મારા મૌનની તે ડ્રાઈવર ઉપર કોઈ જુદી જ અસર પડી. તેને પોતાની ભૂલ સમજાઈ; તે એકદમ છેભીલા પડી ગયા; મારી પાસે આવીને તેણે ખૂબ મફી માંગી અને મારા બાબાની સવાર સાંજ આવીને તે ખબર કાઢવા લાગ્યો. આ તેનું વર્તન જોતાં મને વિચાર આવ્યો કે જો તે વખતે હું દોડી ગઈ હોત અને તેને મે ધમકાવ્યો ત તા તેના પ્રત્યાઘાત કોઈ જુદા જ હોત. તે પણ મારી સામે રમ્યો હોત અને પોતાની ભુલની તેને કદિ પ્રતીતિ થઈ ન હોત. આમ જે બન્યું તે સારાને માટે એમ મને લાગે છે. આવા પ્રસંગે ઘણી વખત મૌન જે કામ કરે છે. તે કામ આવેશમુક્ત વાણીવ્યાપારથી થતું નથી.” નિરર્થક કષ્ટપૂજા છેડો ! પ્રબુદ્ધ જીવનના તા. ૧-૭-૭૦ ના અંકમાં પ્રગટ થયેલ મુનિ વિદ્યાનંદજીની બદ્રીનાથ યાત્રાનો વૃત્તાન્ત બે કારણને લીધે સવિશેષ આકર્ષક બને છે. એક કારણ એ છે કે કોઈ પણ એક જૈન મુનિએ હિમાલયના અન્તર્ભાગમાં આવેલા બદ્રીનાથ તીર્થ સુધી પગપાળા પહોંચવાના પુરુષાર્થ કર્યો છે. અને બીજું કારણ એ છે કે આ પ્રદેશની અસાધારણ ઠંડીમાં પણ તેઓ નગ્ન રહી વિચરી યા રહી શક્યા છે. જે તીર્થમાં કોઈ પણ જૈન મુનિએ આજ સુધી પોતાનો પગ મૂક્યાનું આપણી જાણમાં નથી તે તીર્થં સુધી એક જૈન મુનિ પેાતાના ચાલુ વ્રતનિયમના પાલનપૂર્વક પહોંચ તે ઘટનાને, જૈન મુનિ સાથે આપણા મનની સવિશેષ આત્મીયતા હાઈને, આપણું દિલ આવકારે, અભિનન્દે તે સ્વાભાવિક છે. આમાં પણ કોઈ પણ ગૃહસ્થ યા મુનિ ધાર્મિક અનુસંધાનમાં અસાધારણ કષ્ટને નેતરેઅપનાવે—તેને વધારે આદરથી લેવાને અપણું મન અને સંસ્કાર ટેવાયેલાં હોઈને, આવા કોઈ મુનિ નગ્નતાનો પરિષહ સહન કરીને બદ્રીનાથ પહોંચે તે હકીક્ત વિષે આપણે સવિશેષ અહોભાવ અનુભવીએ છીએ, પણ અહિં પ્રશ્ન એ ઊભા થાય છે કે આવું કષ્ટ આ મુનિએ શા માટે સહન કરવું જોઈએ?આમ કરવું એ મુનિવ્રત પાછળ રહેલી આત્મસાધનાની ભાવનાને કોઈ પણ અંશમાં પેપક
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy