________________
તા. ૧૬-૧-૭૦
રાધનપુર મહાજન દુષ્કાળ–નિવારણ સમિતિની મદદ માટે અપીલ
પ્રબુદ્ધ જીવન
ઉપરોકત સિમિત જેના શેઠ જીવતલાલ પ્રતાપસી પ્રમુખ છે અને શ્રી મુકિતલાલ વીરવાડીઆ, શ્રી સેવંતીલાલ જીવણલાલ પારેખ, શ્રી કાન્તિલાલ મોતીલાલ તથા શ્રી રતનચંદ ભાગીલાલ પારેખ મંત્રીઓ છે તે મુંબઈ ખાતેની સમિતિ (ઠે. ૮૪, સ્ટોક એકસચેન્જ ન્યુ બિલ્ડીંગ, ઍપેલા સ્ટ્રીટ, મુંબઈ–૧) એક છાપેલી અપીલ દ્વારા જણાવે છે કે:
છપ્પનિયા દુષ્કાળને ભુલાવે અને છેલ્લાં ૧૫૦ વર્ષમાં ન પડયે હોય તેવા દુષ્કાળ બનાસકાંઠા જિલ્લાનાં ૭૬૮ ગામેાનાં ૨૮૬૬ ચોરસ માઈલ વિસ્તારમાં પડયો છે. આ કારમા કુદરતી કોપમાં ૯૮૬૦૨ કુટુંબો અને ૫,૩૫,૮૨૩ની જનતા ભાગ બનેલ છે. પૂ. રવિશંકર મહારાજશ્રી ચામાસા સુધી બનાસકાંઠાના રાધનપૂર, સાંતલપૂર અને મહેસાણાના સમી, હારીજ તાલુકાઓનાં ૩૦૦ ગામાનાં રાહતકાર્ય ઉપર જાતી દેખરેખ રાખશે અને સતત દોરવણી ને માર્ગદર્શન આપશે. રૂપિયા ૨૦ લાખની પૂ. મહારાજશ્રીએ, આ કાર્ય માટે જરૂર પડશે એમ કહ્યું છે.
જિલ્લાનાં ૫૬ દોકડાંથી ૩ ઈંચ અને કોઈક સ્થળે પાણીનું ટીપું પણ ચેમાસામાં પડયું નથી, સાંતલપૂર, રાધનપૂર, વાવ, થરાદ તાલુકાનાં ૧,૭૭૫ ચેારસ માઈલમાં આવેલા ૩૯૮ ગામોનાં ૪૮,૭૨૦ કુટુંબનાં ૨,૬૫,૪૪૨ સભ્યોની અને એક લાખ દશ હજાર પશુધનની આ કરૂણ હાલત છે. આ પશુધનમાંથી ૪૦ હજારનાં સ્થળાંતરની વિચારણા થઈ છે. બનાસકાંઠામાં ઘેર ઘેર પશુધન પાળવામાં આવે છે. ખેડૂતોએ દુ:ખનાં કારણે છેડી દીધેલા ૩૦,૦૦૦ થી વધુ ગાયો, વાછરડાં, બળદો ગામે ગામ રખડતાં રહ્યાં છે. આ મૂંગા પશુઓનું કોઈ વાલી કે બેલી નથી, રખડે છે. તરસ અને ભૂખથી તરફડિયા મારી મરી જાય છે. જિલ્લામાં બાજરિયા ઘાસના પૂળા ૧૦૦ નો ભાવ રૂ.૩૫ થી ૪૦ ના એટલે એ ખરીદવાની શકિત પશુપાલક ખેડૂતની નથી. દુષ્કાળ પિડીત દરેક ગામમાં ૪૦ થી વધુ ઢોર ઈશ્વરનાં ભરોસે જીવે છે. સમી તાલુકાના ૧૦૫ ગામો અને હારીજ તાલુકાના ૬૨ ગામામાં આ જ સ્થિતિ છે.
બાંધેલા ભાવે સાત કિલા અનાજ આ કાળી મજૂરી દિવસભર કરનારને મળે છે, જે નવ દિવસ ચાલે છે. બાકીનાં ૨૧ દિવસનું અનાજ બજાર ભાવે ખરીદવું પડે છે. આ માનવતાનાં મહાન કાર્યમાં જાહેર સંસ્થાઓ સરકાર સામે મુખ રાખી બેસી ન રહેતાં સબસીડી આપી સસ્તાં અનાજની દુકાનો શરૂ કરે તે જ પ્રશ્ન હલ
થઈ શકે.
પાણીનો પ્રશ્ન જિલ્લા માટે અતિ મહત્ત્વનો છે. પાતાળકુવાની યોજના વિચારણામાં છે. પરંતુ એક પાતાળકૂવાએ પ્રજા ફાળો રૂા. ૧૦,૦૦૦ વિચારવામાં આવ્યો છે. પશુધનને બચાવવા રૂ. ૩૦ લાખ અને માનવરાહત કાર્યમાં સબસીડી આપવાનાં કાર્ય માટે શૃ. ૩૦ લાખની જરૂર જિલ્લાની રહેશે. કાર્યની વહેંચણી, ફાળવણી, સગવડતા, સરળતા અને સૂવ્યવસ્થા માટે રાધનપૂર મહાજન દુષ્કાળ નિવારણ સમિતિએ જિલ્લાના ચાર તાલુકાઓ સાંતલલપૂર, રાધનપૂર, સમી, હારીજ તાલુકા કાર્યક્ષેત્ર માટે રાખ્યાં છે. આ ચાર તાલુકામાં પશુધન માટે અને માનવ રાહત માટે રૂા. વીશ લાખની જરૂર રહેશે. આ માટે અમદાવાદ અને ગુજરાતનાં દરેક શહેરો અને ગામા જાગૃત બની રાહત પહોંચાડે. મુંબઈ, મદ્રાસ, કલકત્તા અને ભારતનાં સુખી, સમૃદ્ધ માનવતાવાદીઓ આ પિડીત પ્રદેશની વહારે આવે એવી અમારી વિજ્ઞપ્તિ છે.
૨૦૯
S
સાભાર સ્વીકાર
The meditative way: શ્રી વિમલા ઠકારના અંગ્રેજી વાર્તાલાપો: પ્રકાશક: વિમલ પ્રકાશન ટ્રસ્ટ, (૧૯, બ્રહ્મક્ષત્રીય સોસાયટી, અમદાવાદ ૬). દ્વારા ધી ન્યુ ડૅર બૂક કંપની, અમદાવાદ, - ૬, કિ ંમત જ્ઞ.
૨/ મન કે ઉસ પાર : શ્રી વિમલા ઠકારનાં હિંદી પ્રવચનો: પ્રકાશક ઉપર મુજબ; કિંમત રૂા.
મૌન કે અનુવાદ : શ્રી વિમલા ઠકારનાં હિન્દી કાવ્યોના સંગ્રહ; પ્રકાશક: ઉપર મુજબ કીંમત રૂા. ૨.
અનન્તને સથવારે : શ્રી વિમલા ઠકારના અંગ્રેજી on an Eternal Voyage'ના શ્રી કિશનસિંહ ચાવડાએ કરેલા અનુવાદ; પ્રકાશક ઉપર મુજબ કિંમત રૂ. ૪.
હરિકિરણ : લેખક: શ્રી હિસત બૂચ તથા સૌ. જ્યોત્સ્ના હ. બૂચ; પ્રાપ્તિસ્થાન: ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધી રોડ, અમદાવાદ; કિમત રૂા. ૧-૫૦,
તૃષ્ણા અને તૃપ્તિ: લેખક: શ્રી વસન્તલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ પ્રકાશક: શ્રી શ્રેણીક શાહ, શાકુન્તલ, માનવ મંદિર રોડ, વાલકેશ્વર, મુંબઈ ૬; કિંમત રૂા. ૩-૫૦.
પરમ પદ પ્રાપ્તિની ભાવના : વિવેચનકાર: સ્વ. શ્રી નગીનદાસ ગીરધરલાલ શેઠ (અપૂર્વ અવસર એવા કયારે આવશે? નું વિવેચન); પ્રાપ્તિસ્થાન: શ્રી ભાગીલાલ ગિરધરલાલ શેઠ, ૩૪ મેારબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, કોટ, મુંબઈ - ૧.
દાંડીકૂચ : બે કાવ્યો; રચિતા: કવિ મણિભાઈ દેસાઈ, તથા કવિ યકૃષ્ણ સૂરતી, પ્રકાશક: સનિષ્ટ પ્રકાશન, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ - ૧. કિંમત રૂા. ૩.
ઈન્દિરા કયા માર્ગે લેખક શ્રી ભાગીલાલ ગાંધી, પ્રકાશક : વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ, રામજી મંદિરની પાળ, વડોદરા કિંમત રૂા. ૨-૭૫.
યોગ અને ધ્યાન : પ્રવચનકાર મુનિ શ્રી વિજ્યમુનિ શાસ્રી; પ્રકાશક: સુધર્મા જ્ઞાનમંદિર, શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, કાંદાવાડી મુંબઈ - ૪, કિંમત રૂા. ૧-૫૦.
પાનખર અને વસન્ત : લેખક: મૂળ હિન્દી મુનિશ્રી વિષમુનિ શાસ્ત્રી; અનુવાદક શ્રી દુર્લભજી ખેતાણી; પ્રકાશક: શ્રી સન્મતિ સાહિત્ય પ્રકાશન, શ્રી. વ. સ્થા. જૈન શ્રાવક સંઘ, ઉપાશ્રય લેન, ઘાટકોપર, મુંબઈ - ૭૭, કિંમત રૂા. ૨/.
જીવન અને સંસ્કૃતિ : લેખક : મુનિશ્રી મલજી અનુવાદક: શ્રી. દુર્લભજી ખેતાણી, પ્રકાશક: ઉપર મુજબ કિંમત રૂા. ૨/.
પંચશીલ : લેખક : કવિ શ્રી. અમરચંદજી મહારાજ; અનુવાદક શ્રી. દુર્લભજી ખેતાણી; પ્રકાશક : ઉપર મુજબ કિમત રૂા. ૨.
સમયસાર પ્રવચન : પ્રવચનકાર મુનિશ્રી વિમુનિ શાસ્રી: અનુવાદક: શ્રી. દુર્લભજી ખેતાણી: પ્રકાશક ઉપર મુજબ કિમત રૂા.૨
જૈન દર્શનમાં કર્મવાદ : લેખક શ્રી ચંદ્રશેખર વિજ્ય: પ્રકાશક : કમલ પ્રકાશન, ૫૦૮૨/૨ બીજે માળ, ગાંધી રોડ, અમદાવાદ- ૧. કિંમત ૫. ૧-૫૦.
શ્રી ગિરધરલાલ દામોદર દફતરી : સંપાદક: શ્રી. નંદલાલ મ. દોશી; પ્રકાશક: શ્રી. વર્ધમાન સ્થાનક્વાસી જૈન શ્રાવક સંઘ, કાંદાવાડી, મુંબઈ - ૪.
ઋતંભરા ગ્રંથ : સંપાદક: શ્રી શરતચંદ્ર મહેશ્વરી; પ્રકાશક: શ્રી શકિતદલ કાર્યાલય, ડુંગરશી રોડ, મુંબઈ - ૬, કિંમત રૂા. ૧૦
દિવસે તારા રાતે વાદળ : લેખિકા : શ્રી વસુબહેન ભટ્ટ, પ્રકાશક : સેતુ પ્રકાશન, ૧૪, આદર્શ સેાસાયટી, નવર’ગપુરા, અમદાવાદ ૯, કિંમત રૂા. ૫.