SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ', પ્રભુ જીવન ૭૪ દારી ઈન્દિરા ગાંધીએ લીધી છે. બંગાળની સ્થિતિ વણસતી છે. કલકત્તામાંથી ઘણી પેઢીએ અને કંપનીઓએ 'સ્થળાન્તર કર્યું છે. દેહાતામાં ભયનું વાતાવરણ છે. રાષ્ટ્રપતિનું શાસન ચાલુ રહેશે પણ ગવર્નર ધવન વિશ્વાસ પ્રાપ્ત કરી શક્યા નથી. બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં અસ્થિરતા ચાલુ છે. ચરíસંહ પરિસ્થિતિના પૂરો લાભ ઉઠાવવા ઈચ્છે છે. પંજાબમાં ગુરનામસિંગના પતન પછી, બાદલ મંત્રીમંડળમાંથી જનસંઘના જવાથી તેના પતનના ભય ઊભા થયો છે. અકાલી પક્ષમાં પક્ષાન્તર-આયારામ ગયારામ–ચાલુ છે. શાસક કોંગ્રેસે બાદલને ટકાવવાનું નક્કી કરવાથી તે હાલ ટકી ગયેલ છે. કેરલમાં સપ્ટેમ્બરમાં વચગાળાની ચૂંટણી જાહેર થઈ છે. માકર્સવાદી સામ્યવાદીએ તેના વિરોધ કરે છે. મહારાષ્ટ્રમાં શાસક કોંગ્રેસની દેખીતી એકતામાં ફાટ જણાય છે. ઈન્દિરા ગાંધી, દરેક રાજ્યમાં ખટપટ · ચાલુ રાખી, કોઈ જુથ કે વ્યકિતને, જામવા દેતાં નથી. આવી હોંશિયારી કે ચાલાકીથી સત્તા ઉપર કર્યાં સુધી ટકી શકાય? અલબત્ત, અત્યારે ઈન્દિરા ગાંધીના કોઈ હરીફ નથી. પેાતાની સત્તા ટકાવવા તેઓ કાંઈ પણ કરે તેમ છે. પણ ઈંગ્લાંડમાં બન્યું તે બોધપાઠ છે. વિલ્સન ઘણા ચાલાક અને હોંશિયાર, પણ પ્રજાને પ્રમાણિકતા જોઈતી હતી, માત્ર હોંશિયારી નહિ. અત્યારે તા રાજકીય અસ્થિરતા ચાલુ રહેશે એમ જ જણાય છે. મોંઘવારી, ફુ ગાવા, તંત્રની ગેરવ્યવસ્થા, ભ્રષ્ટાચાર—આ બધું પ્રજાને પરેશાન કરે છે. લોકમાનસ અસંતુષ્ટ અને ઉશ્કેરાયેલું રહે છે. સદ્ભાગ્યે અત્યાર સુધી દેશભરમાં વરસાદ સારો થયા છે અને અન્ન અને બીજું ઉત્પાદન સારૂ હશે રહે તે પ્રજા રાહત અનુભવશે. આ બધા અંધકારમાં, એક વીરપુરૂષ ગાંધીચીંધ્યા માર્ગે તથા જાનના જોખમે હિંસાના સામના કરવા પ્રયત્ન કરી રહેલ છે. નકસલવાદીઓની હિંસાના અહિંસક રીતે સામનો કરવા શ્રી જ્યપ્રકાશ નારાયણે ભગીરથ પુરૂષાર્થ આરંભ્યા છે. પણ પ્રજાને આ મહાન કાર્યની માહિતી નથી, કદર નથી. વર્તમાનપત્રાને તેની પડી નથી. શ્રી જયપ્રકાશ સાથેની વાતચીતમાં જાણ્યું કે તે અને તેમના સાથીઓ આ કાર્યને અગ્રસ્થાન આપી રહ્યા છે. ૨૬–૭–૭૦ ચીમનલાલ ચકુભાઈ શાહ પૂરક નોંધ આ નોંધ લખ્યા પછી સંસ્થાકીય કૉંગ્રેસના પાર્લામેન્ટરી બોર્ડની મિટીંગ થઇ ગઇ અને સંસદસ્તરે પણ કોઇ જોડાણ કરવાના સખ્ત વિરોધને કારણે, તેની મહાસમિતિએ કરેલ ઠરાવ લગભગ ઊડી ગયા. આ ઠરાવે સંસ્થાકીય કૉંગ્રેસમાં વંટોળ જગાવ્યા હતા. એમ લાગતું હતું કે શાસક કેંગ્રેસ માટે કદાચ સંયુકત મારચા તરફથી ભય ઊભા થાય, પણ જે રીતે આ પ્રસ્તાવના રકાસ થયો તે બતાવે છે કે સંસ્થાકીય કૉંગ્રેસના આગેવાને વચ્ચે તીવ્ર મતભેદો છે અને એ આગેવાનો અને તેમના અનુયાયીઓ વચ્ચે ઘણું મેટ્ અંતર છે. ધારવા પ્રમાણે વીરેન્દ્ર પાટીલે અને હિતેન્દ્ર દેસાઇએ આવા જોડાણનો સખ્ત વિરોધ કર્યો. સંસ્થાકીય કૉંગ્રેસના નેતાએ સામે આ એક બળવા જ થયા. વીરેન્દ્ર પાટિલ, નિર્જલિંગપ્પાનો વિરોધ કરે અને હિતેન્દ્ર દેસાઇ મેરારજીભાઇના વિરોધ કરે એ ગંભીર વસ્તુ છે અને સંસ્થાકીય કૉંગ્રેસની નબળાઇ ઉઘાડી પાડે છે. ડા. રામસુભગસીંગે પણ આ જોડાણનો સખ્ત વિરોધ કર્યો. સંસ્થાકીય કેંગ્રેસના પાર્લામેન્ટરીપક્ષના નેતા મારારજીભાઇ અને લોકસભામાં તેના નેતા ડા. રામસુભગસીંગએ બેની વચ્ચે આટલા ઊંડા મતભેદ હોય તે ભારે આશ્ચર્યની વાત છે. એથી પણ આશ્ચર્યકારક એ છે કે કામરાજ સામ્યવાદીઓ સાથે જોડાણ અથવા સમજૂતી કરવા તૈયાર થયા અને મારારજીભાઇએ તેના સખ્ત વિરોધ કર્યો. નિર્જલિંગપ્પાએ દશસૂત્રી આર્થિક કાર્યક્રમને ઢીલા કરવાની સૂચના કરી હતી. તેના ડા. રામસુભગીંગ અને બીજાઓએ વ્યાજબી રીતે વિરોધ કર્યો. આ બધું એટલું જ બતાવે છે કે સંસ્થાકીય કેંગ્રેસના નેતાઓ વચ્ચે અને તે નેતાએ અને તેમની નીચેના સાથીએ વચ્ચે કોઇ વિચારની આપ - લે કે મન - મેળ રહ્યા નથી. બધા વચ્ચેના સંપર્કો તૂટી ગયા છે. સંસ્થાકીય કૉંગ્રેસનું નાવ આવી રીતે કર્યાં જઈ અટકશે ? ૨૮/૭/૭૦ ચીમનલાલ ચકુભાઈ શાહ સઘ સમાચાર સંધની નવી કાર્યવાહક સમિતિમાં સભ્યાની પૂરવણી તા. ૧૬–૭–૭૦ ના રોજ મળેલી સંઘની નવી ચૂંટાયેલી કાર્યવાહક સમિતિએ, કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલા પાંચ સભ્યોની પૂરવણી કરી હતી. તા. ૧-૮-૧૯૭૦ (૧) શ્રી રમણિકલાલ મણિલાલ શાહ · (૨) શ્રી ભગવાનદાસ પોપટલાલ શાહ (૩) શ્રી ખેતશી માલશી સાવલા (૪) શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ (૫) શ્રી કંચનબહેન એલીવર દેસાઇ શ્રી મ, મે, શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય આ સમિતિમાં પ્રસ્તુત. વાચનાલય અને પુસ્તકાલયના નીચે જણાવેલા પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ સભ્યો ગણાય છે. (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ (૨) શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા (૩) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી (૪) શ્રી રમણિકલાલ મણિલાલ શાહ (૫) શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ આ ઉપરાંત સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી. (૧) શ્રી પ્રવીણભાઇ મંગળદાસ શાહ-મંત્રી (૨) શ્રીમતી દામિનીબહેન જરીવાળા (૩) શ્રી ટોકરસી કે. શાહ (૪) શ્રી કુસુમચંદ્ર ડાહ્યાભાઈ આ રીતે વાચનાલય અને પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે અને શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલુ થયેલા ગસ્ટ માસની તારીખ ૨૯ મી નિવારથી તા. ૫ મી સપ્ટેમ્બર શનિવાર સુધી – એમ. આઠ દિવસની યોજવાનું વિચારવામાં આવ્યું છે. આ વ્યાખ્યાનમાળા સંભવ છે કે તા. ૬ સપ્ટેમ્બર, રવિવાર એમ એક દિવસ માટે લંબાવવામાં આવે. આ આઠ અથવા તો નવ દિવસની વ્યાખ્યાનસભા પ્રાધ્યાપક ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાના પ્રમુખપણા નીચે સવારના ૮–૩૦ વાગ્યે ભારતીય વિદ્યાભવનના મુખ્ય સભાગૃહમાં ભરવામાં આવશે. વ્યાખ્યાતાઓની નામાવલિ હજુ પૂરેપૂરી નક્કી થઇ નથી, એમ છતાં આજ સુધીમાં નક્કી થયેલા વ્યાતાઓમાં મુખ્ય મુખ્યના નામ નીચે મુજબ છે: શ્રી ઉમાશંકર જોશી, શ્રી કિસનસિંહ ચાવડા, કાંી રોહિત મહેતા, શ્રી શ્રીદેવી મહેતા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, બહેન મૃણાલીની દેસાઈ, ડૉ. જગદીશચન્દ્ર જૈન, સંગીત સંધ્યા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સ્વ. શ્રી કુંદનલાલ સાયગલના કલા શિષ્ય શ્રી હરીશ ભટ્ટ શનિવાર તા. ૮–૭–૭૦ સાંજના ૬-૦૦ વાગ્યે સાંધના “શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ”માં સંગીતના કાર્યક્રમ આપશે. સંઘના સભ્યોને આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત થવા હાર્દિક નિમંત્રણ છે. સ્થળ : ટોપીવાળા મેન્શન, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, સેન્ડહર્સ્ટ રોડ, મુંબઈ-૪. ફોન: ૩૫૦૨૯૬ ચીમનલાલ જે. શાહ સુખેધભાઇ એમ. શાહ મંત્રીઓ 2
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy