________________
પ્રભુ
સદાચારી શુદ્ધ જીવન જીવવાની કળા સાદાઈ, અહિંસા, સંતેષ તથા સત્ય ઉપર ટકી શકે, જે આજનાં હવામાનમાં અદશ્ય થઈ રહ્યા છે.
સાધુજીએ પાતાની ભકિત કરે તેવા ટોળાં જ પોતાના માની તેમની આળપંપાળ કરે છે. અંધશ્રદ્ધાળુ સમાજ, અસંતોષી, દુ:ખી તથા ખટપટીએ સમાજ તેઓ પાસેથી પેાતાનું ભ સાધવામાં તેમની પાછળ રખડપટ્ટી કરે છે અને ગુરુ ચેલા બન્ને લાલચુ લાભી-દંભી હોઈ કોઈ કોઈનું ભલું કરી શકતા નથી એ શાચનીય છે.
થેાડાએક શક્તિશાળી પ્રભાવશાળી સંતા-સાધ્વીજીઓ છે. થૅડાંએક સર્વાંગી ' શુદ્ધ સદાચારી શ્રાવક-શ્રાવિકાઓ પણ છે, પણ એ વર્ગ ઘણા જ નાના છે, જૂજ એવા મહાનુભાવા છે. ચારે ફીરકાનાં સંઘાએ સુંદર સંગઠ્ઠન કરી – સમાજમાં નેતાઓએ – ચતુર્વિધ સંઘ ઉપર પોતાની આમન્યા બેસાડવી જરૂરી છે. ધર્મક્ષેત્રના સુકાની સંઘાએ બનવું જરૂરી છે.
બૃહદ મુંબઈ, તથા મોટા શહેરોમાં – સાધુજીએ માટે યોગ્ય નિયમાવલી બનાવવી જરૂરી છે. એ નિયમાવલીને ન માને તે સંતાએ ગામડામાં રહેવું જરૂરી બની રહેશે.
ઉપાાયોમાં તથા દેરાસરમાં તથા સંઘાના વહીવટમાં શું પ્રવૃ ત્તિઓ કરવી, કેટલી હદે કરવી, તથા શું ન કરવી તેના સ્વચ્છ નિર્ણય થવા જરૂરી છે. સમાજને સ્પષ્ટ માર્ગદર્શન સંધાએ આપવું જરૂરી છે.
આધુનિક કાળની વિવેકભરી છૂટછાટો દેશ-કાળ-સમયસમાજની હેતુલક્ષી પ્રવૃત્તિઓમાં લેવી, જિદ કરી લેવી યા જિંદ કરી ન લેવી એ વ્યાજબી નથી. સ્વતંત્રતા, છૂટછાટ, હેતુલક્ષી હાઈ શકે, સ્વછંદને પોષવા નહીં,
· પંચ મહાવ્રતનું – ખંડન થાય નહીં, તેના ભંગ કરાય નહીં. તે બાલ્યઅવસ્થાનું રમકડું નથી કે જેને ગમે તેમ ફેંકી દેવાય.
ધાર્મિક છાપાઓ બધા ફીરકાઓનાં સંગઠ્ઠીત થવા જોઈએ. ધાર્મિક પ્રકાશન, લાઈબ્રેરી, સાહિત્યસંશાધન બધા ફીરકાએનું સંગઠ્ઠન થવું જોઈએ.
યુવાનવર્ગને ધર્મ શબ્દથી ગભરાવવા નહીં. તેને સદાચાર તથા શુદ્ધ નૈતિક સાર જીવન એ શબ્દોમાં ધર્મના સરળ ઉપદેશ રુચિકર ભાષામાં આપવો જોઈએ,
કો સ્વછંદ પાપે તેવી પ્રવૃત્તિ, ખારાક-વેશભૂષા પેહેરવેશ-ચતુર્વિધ સંઘના એકકે સભ્ય ન પહેરે વાપરે.
મદદ, લેાન, સ્કોલરશીપ, જૈનશાળા, દવાખાનાની સંસ્થાઓનું એકીકરણમાંગઠ્ઠન થવું ઘટે.
જૈન હાઈસ્કૂલ, કૅલેજ, દવાખાનું, કન્સલ્ટીંગ વિભાગ, હોસ્પિટલ, લાયબ્રેરી સફ્ળ જૈનો માટે, પછી બૃહદ મુંબઈમાં સુંદર વ્યવસ્થા સાથે ઊભી કરવી ઘટે. વિલેપારલા, જહુ-ચેમ્બુરમાં જમીન વ્યાજબી ભાવે હજુ મળે છે. બાકી સાયન-વાંદરા સુધીમાં શક્ય નથી.
સાધુજીએએ સમાજ ઉપર બોજારૂપ ન થવું જોઈએ તથા સમાજ પેાતાની ફરજો અદા કરે, તેમાં ભૂલ થવી ન ઘટે.
આગમન અગર વિદાયનાં બે ડો વગડાવવા, તારણા બંધાવવા, પગલા કરાવવા, જમણવારો કરાવવા, રાજામહારાજાઓનાં અલંકારોવિશેષણો લગાડવા એ સાધુસંસ્થાને નબળી પાડવાની પ્રવૃત્તિએ બંધ થવી જોઈએ.
માત્ર ૧૦ ટકા વર્ગ દેરાસર ઉપાશ્રયમાં આવે છે તથા ધર્મની વાર્તા કરે છે તથા સાંભળે છે. એમાંથી ૯ ટકા અંધશ્રાદ્ધાળુ—લાલચુ વર્ગ છે. બાકી એક ટકો સમજ–સદાચારી ધર્મપ્રેમી વર્ગ છે. માટે સમાજે ચેતવું જરૂરી છે; સંગઠ્ઠન જરૂરી છે—હિંતાવહ છે.
ઘરનું આંગણું, મેલું-ગોબરું છે ત્યાં વિશ્વપ્રેમ, 'વિશ્વધર્મ તથા વિશ્વમૈત્રીની વાતો કરનારા આપણું તથાં તેમનું શું ભલું કરશે એ સમજી લેવું જરૂરી છે.
2.
જીવન
તા. ૧૬-૯-૧૯૭૭
પ્રબુદ્ધ જીવન જે ખરેખર એક લાક્ષણિક પત્ર છે તે દ્વારા અંધશ્રાદ્ધા ઉપર સતત પ્રહાર થતા રહે, તથા દાખલા દલીલપૂર્વકનાં લખાણો પ્રગટ થતા રહે એ જરૂરી છે.
શ્રી ત્રિભુવનદાસ વીરજી હેમાણી
આજના વિષય જેટલેા નાજુક છે એટલા જ ઉપયોગી છે. સાધુસમાજ એ સમાજને જ ... એક ભાગ છે. સાધુ આપણામાંથી જ બને છે. પણ આપણે એવી કોટિએ પહોંચ્યા નથી, અને દેવના કોઈ દીકરા પણ નથી કે આપણે સાધુઓની ભૂલા જોઈએ. મુહપિત્તની જો ટીકા કરીએ તે સફેદ ટેપી કંઈ ઓછી ટીકાને પાત્ર નથી. પવિત્રતા મુપત્તિમાં કે ટોપીમાં નથી – પવિત્રતા છે વ્યકિતમાં. આ તે ચિત્રભાનુ મહારાજ પરદેશ ગયા એટલે પરિવર્તનને પ્રશ્ન ઊભા થયા, એક વર્ગ કહે સાબુથી પરદેશ જવાય નહિ; બીજો એક વર્ગ કહે આ તે ધર્મપ્રચારનું કામ છે. મારી દષ્ટિએ આપણા સાધુઓને ધર્મપ્રચાર માટે આપણા જ દેશમાં ઘણું કરવાનું છે. શ્રીમદ્ રાજચંદ્રે પણ એક વાર કહેલું : “મારો જન્મ આ ભૂમિમાં થયો છે પરદેશ જવાની કોઈ જ અર્થ નથી .”
-
હું માનું છું કે સાધુઓને દરેક ધર્મના અભ્યાસ કરાવવા જોઈએ. સાધુષ્મા સમાજને પણ ઉપયોગી થઈ શકે છે. જૈનધર્મના પ્રચાર માટે પણ વિચારી શકાય, પરંતુ આ ફેરફાર – વિચારણારાતોરાત થઈ શકે નહિ. સૌથી પહેલા તે આપણે જ આપણી સાંકુચિતતા છેાડવી પડશે. નેતાઓએ જ એમનાં વર્તનમાં ફેરફાર કર! પડશે. જે નેતાઓને ધર્મનું કંઈ જ્ઞાન પણ ન હોય એ માઈકનો કે લાઈટના ઉપયોગ થતો અટકાવવા જાય તે કેટલું હાસ્યાસ્પદ લાગે? એટલે સાધુસંસ્થામાં સુધારો એમની રીતે જ આવશે આપણી રીતે નહિ આવે.
શ્રી તારાચંદ કાહારી
જે સમાજમાં સાધુઓએ રહેવું હોય એ સમાજને અગવડરૂપ તા સાધુઓએ ન જ થવું જોઇએ એમ હું માનું છું. હું પણ ઘણા સાધુઓનાં સંપર્કમાં આવ્યો છું. મેટા ભાગના સાધુઓમાં મે સચ્ચાઈના અભાવ જોયો છે. માત્ર ધર્મની આશાતના ન થાય એ માટે ઉપાકાયોના સંચાલકોને કેટલું કેટલું સમાધાન કરવું પડે છે અને પછી જ્યાં સમાધાનમાં ય વિવેક રખાતા નથી ત્યાં આવા અડ્ડાઓ વધતા જાય છે. મારી દષ્ટિએ આપણે સુધારાને બે વિભાગમાં વહે’ચી શકીએ; એક તો આપણે સૂચવવાના સુધારાઓ અને બીજા સુધારા સાધુઓને જોઈએ છે તે. દાખલા તરીકે ચિત્રભાનુ મહારાજનું પરદેશગમન. પરદેશમાં એમનું માત્ર કુતૂહલ હતું અને મારી દષ્ટિએ કુતુહલતાથી જૈન ધર્મના પ્રચાર થતો નથી.
શ્રી ટેાકરસી કે. શાહ
આપણી સાધુસંસ્થામાં જે ફેરફારૢ સૂચિત છે એ મારી દષ્ટિએ સામાન્ય અને ક્ષુલ્લક પ્રકારના છે. પાયાના સિદ્ધાંતોની બનમાં પણ હું માનું છું. કે જે દેશકાળને અનુરૂપ નથી એમાં જડના જ આવે છે. સાધુનું લક્ષ્ય આત્માના ઉત્કર્ષ, એ વાત સાચી પરંતુ તેમની પ્રવૃત્તિ માત્ર ઉપદેશની જ થઈ ગઈ છે. સમાજ પ્રત્યે પણ તેઓએ તેમની ફરજ અદા કરવી જ પડશે. હકીકતમાં સાધુએનું વર્તન મૂળ સિદ્ધાંત સાથે બંધબેસતું નથી, મહાવ્રતાની પ્રતિજ્ઞા પણ ફકત આદર્શન રહેતા વાસ્તવિકતાના સંદર્ભમાં હાવી જોઈએ. હું માનું છું કે સાધુઓ શ્રાવકને જ આધારે જીવે છે અને આપણા શ્રાવકો એટલું જ જુએ છે કે સાધુષ્ના રૂઢિ પ્રમાણે આચાર કરે છે કે નહિ; જો રૂઢિ પ્રમાણે અચાર ન કરતા હોય તે તેમના ઉપર. દબાણ કરવામાં આવે છે. મને પ્રશ્ન કરવાનું મન થાય છે કે. શું. આપણે શ્રાવકોએ સાધુઓને ધાર્મિક સિદ્ધાંતા સમજાવવાના છે?, આપણે ગુલબાંગો ફૂંકીએ છીએ કે આપણા સાધુઓ દુનિયામાં
r