________________
તા. ૧૧-૭૧૯૭૦.
પ્રબુદ્ધ જીવન
૬૩
કોઈ હોતું નથી. આવી દુર્દશા મેં કચ્છમાં ઘણા સાધુઓની જોઈ છે.
. મૂર્તિપૂજક સમાજમાં સાધ્વીઓને મેટો ભાગ શું કાર્ય કરવું તેની મુંઝવણ અનુભવતો હોય છે. વ્યાખ્યાન વાંચવાની તે હમણાં હમણાં શરૂરત થઈ છે. ઘણી સાધ્વીઓ તે એમને સમય ગૂંથણી કરવામાં કે કપડાં ધોવામાં જ કાઢતી હોય છે. અભ્યાસની એમને કોઈ તક હોતી નથી–સુલભના હોતી નથી. આવા સંજોગોમાં એમને સેવાના પંથે વાળવાની જરૂર છે.
હું એમ પણ માનું છું કે દીક્ષા અને વડી દીક્ષા વચ્ચે બે ચાર વર્ષોના ગાળે હવે જોઈએ. ગાળે ઘણા ઓછા રાખવામાં આવે છે એની પાછળ કારણ એક જ છે કે પકડાયેલું પક્ષી ઊડી ન જાય. મારું માનવું છે કે આવા પરિસંવાદેથી ફેરફારની એક હવા જરૂર ઊભી થશે. જેમ દિગમ્બર સમાજમાં પંડિતે છે એમ આપણે એક ત્રીજો વર્ગ કર જોઈએ. લેકે ઉપાશ્રયમાં જાય છે અને વિશેષે યુવાને વધારે પ્રમાણમાં જતા થયા છે એથી ધર્મને પ્રભાવ વધી ગયેલ છે અને લોકોની શ્રદ્ધા ધર્મ પ્રત્યે વધતી ચાલી છે એમ માનવાને હું તૈયાર નથી. મારે તો એમ માનવું છે કે યુવાનની ધર્મ પ્રત્યેની આસ્થા તે દિન પ્રતિ દિન ઘટતી જાય છે.
ઑફેસર રમણલાલ ચી. શાહ સાધુસંસ્થા સંપૂર્ણ છે એમ આપણે કહી ન શકીએ. અને સમય પ્રમાણે ફેરફારની ય જરૂર છે. સાધુસંસ્થામાં કેટલીક ક્ષતિરો છે તે ઉચ્ચત્તમ કેટલીક બાબતે પણ છે, એટલે માત્ર આધુનિક ગણાવા માટે જ જે ફેરફાર કરવા જઈશું તે જરાસરખી છૂટ આંગળી આપતાં પાંચે કરડવા જેવું થશે. * આપણી જે પરંપરા છે– ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે– એમાં બહુ ફેરફાર કરવા જેવું મને લાગતું નથી. અને સ્થળ બાબતેના ફેરફારો વખતના વહેવા સાથે સ્વાભાવિક રીતે થતા જ રહ્યા છે. દાખલા તરીકે પુણ્યવિજયજીમહારાજ રાજે વર્ષોથી રાતના લાઈટને ઉપયોગ કરે છે, રાતના બબ્બે વાગ્યા સુધી તેઓ સંશોધન કરે છે. મને યાદ નથી કે કોઈ સંઘે મહારાજ સાહેબને આ બાબત અંગે વિરોધ કર્યો હોય. આનું કારણ મહારાજસાહેબનું ધર્મનું ઊંડું જ્ઞાન અને ચારિત્ર્ય છે. એટલે જે સાધુએ જ્ઞાની અને ચારિત્ર્યવાન હશે તે એમનાં હાથે થતા નાના મોટા સુધારાઓનો કઈ વાંધે લેશે નહિ.
બાકી પરમાનંદભાઈએ છત્રીનું સૂચન કર્યું–તો તે પછી સાધુઓ લૅન્ગકૉન્ગની જ છત્રી માગશે. પરિગ્રહમાં છૂટછાટથી પરિગ્રહ વધશે–એને કોઈ અંત નહિ આવે.
જૈન સમાજમાં સાધુસંસ્થાની ૨૫૦૦ વર્ષની એક અતૂટ પરંપરા છે અને સાધુઓની જવાબદારી સંધાએ સ્વેચ્છારને ઉપાડી છે. જે સાધુઓ પિતાના નિર્વાહની ચિન્તા પોતે જ રાખશે તો તે પછી કોઈ વ્યવસ્થા રહેશે જ નહિ. જે આપણે આદર છે એ ય રહેશે નહિ.
- શ્રી રતિભાઈએ કહ્યો એ કોઈ ત્રીજો વર્ગ ઊભો કરવાની તરફેણમાં હું નથી. આવો એક વર્ગ–-પતિવર્ગ-ભૂતકાળમાં ઊભે થયેલે - પણ કાળક્રમે આ વર્ગ મંતરજંતરમાં ગૂંચવાઈ ગયો અને અંતે તૂટી ગયો. વળી આ વર્ગ ઊભું કરતાં એ વર્ગ રહે કયાં – ખાય કયાંએ ગોચરી વહારશે કે નહિ-આવા બધા અનેક પ્રશ્નો ઊભા થવાના, આજે સાધુસંસ્થા પ્રત્યે આપણને આદર છે કારણ કે એમની અને આપણી વચ્ચે ઘણું મોટું અંતર છે. વચલે વર્ગ કોઈ ભે થતા ૨ અંતર ઓછું થશે.-એટલે આદિર ઘટશે. અને સમાજને આ પ્રશ્ન સતાવશે. ઈતિહાસે પણ આવા વચલા વર્ગની નિરર્થકતા પૂરવાર કરી છે. એટલે મારું માનવું છે કે જે ફેરફાર થશે એ એની મેળે જ થશે. આજે ઘણા સાધુઓ માઈકને અને “ડર-બેલ’નો ઉપયોગ કરતા થયા છે. ક્રમે ક્રમે લીફટનો ઉપયોગ પણ કરવું જ પડશે, નહિંતર પચ્ચીસ ત્રીસ માળવાળ મકાનમાં પોતાના ભકતને ત્યાં ગેચરી. જવાનું તેમણે માંડીવાળવું પડશે.”
સો. પ્રતિભાબહેન સાહુરાવ મેડક
સત્યનો અભાવ નિયમોનું નિર્માણ કરે છે.” આ એક સત્યને તથ્યપૂર્ણ એક જ વાકયમાં આજના વિષયને સંપૂર્ણ સાર આવી ગયો છે એમ હું માનું છું. જ્યારે દુનિયામાં જ માટી ભરેલી હોય ત્યાં ઉપર સિમેન્ટ–ચૂનાને શું અર્થ છે?
જૈન દર્શનના વિશ્વદર્શનને ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. અહિંસા, અનેકાંત, અપરિગ્રહ જેવા મહાન સિદ્ધાંત આ દર્શન નને પ્રાણ છે. આટલું હોવા છતાં પ્રભાવનું પ્રમાણ પરિમિત છે એનું મુખ્ય કારણ છે “સત્યને અભાવ”.
આજે આપણે બધા ઉપગ્રહયુગમાં જીવી રહ્યા છીએ. જો વિજ્ઞાન અને ધર્મને સુમેળ ના થાય તે પાછળ રહેતા ધર્મને નવી પેઢી કેવી રીતે સ્વીકારી શકશે ? આ પ્રશ્નો ઉકેલ કરવા માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આજનો યુવકવર્ગ અન્વેષક બની સત્યની શોધ કરી રહ્યો છે. એ કંઈક માંગે છે, વૈજ્ઞાનિક રીતે સંશોધિત સત્ય માગે છે.
હમણો મારો ધર્મભાઈ શ્રી પરમાનંદભાઈએ કહ્યું કે એક મધ્યમવર્ગનું નિર્માણ હોવું જોઈએ, કે જે બ્રહ્મચારી રહીને ગામેગામ જઈ સદ્ધર્મ પ્રચાર કરી શકે. લેચ કરવાની પ્રથા આજના વિકાસશીલ યુગમાં બહુ જ વિચિત્ર લાગે છે. એમાં મોટા ભાગે અસત્યનું સેવન થાય છે. પગમાં ચાંપલ ન પહેરતાં કપડાંના જૂતાં પહેરવાં, ગરમીથી બચવા વિહારમાં પ્લાસ્ટિકનાં ટેપ વાપરવા એ બધી ચીજો સત્યના અભાવે નિર્માણ થાય છે.
આજની સાધુસંસ્થામાં સુધારણા થવી જોઈએ. આ સંસ્થામાં જે જડતા આવી છે એનું મુખ્ય કારણ સક્રિય કાર્યપ્રણાલીને અભાવ છે. થોડાક વિદ્વાન સાધુ -- સાધ્વી સિવાય બધા સામાન્ય વર્ગના છે અને સમય પસાર કેવી રીતે કરવો એ તેમની સામે મેટો પ્રશ્ન હોય છે. એ લેકેએ કંઈક શ્રમદાન કરવું જોઈએ. કવિવાણી કહે છે : “આલિસ સે મેં અમૃતભી પીયે, વહ ખૂનકા પીના હોતા હૈ મહેનત કા પસીના જબ ગિરતા, કંકર ભી નગીના હોતા હૈ”
અગર આજને માનવ મને ક્રમ જારી રાખે તે શ્રમનાં વાદળ દૂર થઈ બ્રહ્મને સૂર્ય ઉદિત થઈ શકે છે. હાં, સુધાર કરનારને જડ રૂઢિનું અવશ્ય નિર્ભયતાથી ઉછેદન કરવું જોઈશે. મારી કવિવાણી પોકારે છે કે:
“હમકો મિટાકે ૨ખ દે, ઢિયો મેં દમ નહીં ! ' હમસે નિમિત હૈ ઢિ, ઢિયા સે હમ નહીં” '
હાં, સુધાર કરવા સમયે સાચા ને તથ્યપૂર્ણ નિયમો સાચવવો પણ આવશ્યક છે. આજ સાધુતાના નામે મેટા ભાગે દંભ પોષાય છે. અપરિગ્રહના નામે પરિગ્રહનું તાંડવનૃત્ય થઈ રહ્યું છે. સત્યના અભાવે આટલા તેજસ્વી સિદ્ધાંતે હીનત્વને પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે પણ સાચો સાધુ નથી એ વાત નથી, અહમદનગરમાં વિરાજીત આત્માર્થી ગુરુદેવ અને પૂ.શી.વિનયત્રષિજી મહારાજ જેવા સંતેમાં સાધુત્વ ઝળકી ઊઠે છે.
આજને પરિસંવાદ પ્રત્યક્ષમાં ઊતરી કંઈક ચૈતન્યમય ક્રાંતિ કરે તે સમાજને પણ જ્યોતિ મળશે, પ્રેરણા મળશે, ચેતનતા મળશે.
શ્રી ગંભીરભાઈ ઉમેદચંદ સાધુસંસ્થા આજે જૈન સમાજ ઉપર ઘણ માટે કાબૂ ધરાવે છે. આપણે વિચાર કરવા ભેગાં થયા છીએ તે આપણે ઘણી રીતે વિચાર કરવો જરૂરી છે. પહેલા તો એ કે સાધુસંસ્થાનું વિસર્જન શક્ય નથી. એટલે આ સંસ્થાને લાભ સમાજને કેમ વધારે મળે એ વિશે વિચારવું જરૂરી છે.
જૈન સમાજનાં ચાર પાયા છે. સાધુજી–સાધ્વીજી, શ્રાવક તથા શ્રાવિકા–ચારે અરસપરસનાં આધારે પોતાના જીવનમાં ઉત્તરોત્તર ઊતરતી કક્ષામાં જઈ રહ્યા છે; કારણ, દેશકાળની અસર તેમના ઉપર થઈ રહી છે.
ના જીવનમાં કોઇ
થઈ રહી માં જઈ રહ્યા છે; કારણ