SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૪-૭-૧૯૭૦ વૈકલ્પિક બ્રહ્મચર્ય સૂચવ્યું છે, જ્યારે હું એમ માનું છું કે સાધુ સાધ્વીઓ માટે બ્રહ્મચર્યપાલન આવશ્યક છે. આમ છતાં પણ તેમના વિચારે પાછળ એક મુદ્દો રહેલ હતું તે જરા પણ ઉપેક્ષાયોગ્ય નથી,'તેમણે આગળની પરિસંવાદ સભામાં સ્પષ્ટ કર્યું છે તે મુજબ આજે પાંચ મહાવ્રતના સંપૂર્ણ પાલનની જૈન સાધુ-સાધ્વીઓને આજીવન પ્રતિજ્ઞા આપવામાં આવે છે. એમ છતાં એક તે જેમને દીક્ષા આપ- વામાં આવે છે તેમાંના મેટા ભાગને પંચ મહવ્રતનું સંપૂર્ણ પાલન એટલે શું તેની કોઈ વાસ્તવિક કલ્પના હોતી નથી, અને પછી પણ આવું સંપૂર્ણ પાલન આજના સાધુજીવનમાં શક્ય જ દેખાતું નથી, અને પરિણામે એક પ્રકારની સ્વપરવંચના ચાલે છે. આ વંચના તેમના કહેવા મુજબ દૂર થવી જોઈએ અને મર્યાદિત આકા૨માં–આ પ્રતિજ્ઞાનું પાલન શકય હોય તે મર્યાદિત આકારમાં– આ પ્રતિજ્ઞાઓ અપાવી જોઈએ. પંચમહાવ્રતનું સંપૂર્ણ પાલન એ સાધુજીવનને આદર્શ છે, પણ જેવી રીતે ગૃહસ્થ માટે અg-. વ્રતની એક કલ્પના અને ભેજના છે તેવી રીતે વાસ્તવિકતાના અનુબંધપૂર્વકની – પંચ મહાવ્રતલક્ષી–પ્રતિજ્ઞાઓ આજના સાધુસાધ્વીઓ માટે નવી રચાવી જોઈએ અને અપાવી જોઈએ, જેથી તેઓ સ્વપરપંચનાથી બચે. શ્રી દલસુખભાઈનું આ મન્તવ્ય મને વિચારવાગ્ય તેમ જ સ્વીકારવાયોગ્ય લાગે છે. આમાં પ્રતિજ્ઞાનું ધરાણ ઉતારી પાડવાને સવાલ નથી, પણ વાસ્તવિકતાના સંદર્ભમાં પ્રતિજ્ઞાએાને વિચાર કરવાને સવાલ છે. પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ આ વિષયને લગતી મારી નોંધમાં આજના કઠણ આચારને વરેલા સાધુવર્ગ ઉપરાંત એ કઠણ આચારને જરા હળવા કરીને એક યતિવર્ગ ઉભો કરવાની મેં સૂચના કરી છે, જે આજે ચોતરફ માંગ અને અપેક્ષા છે એવી સમાજ સેવામાં જોડાઈ શકે અને પેતાની પ્રસુપ્ત શકિતઓને સમાજને લાભ આપી શકે. આપણે આત્મસાધનાની મોટી મોટી વાત કરીએ છીએ પણ આજના સાધુસાધ્વીસમુદાયને મોટો ભાગ પિતાને સમય પ્રમાદમાં અને ચીલાચાલુ પ્રક્રિયાઓમાં ગાળતા હોય છે. તેમાંના કેટલાક કામ માંગે છે, સેવાલક્ષી પ્રવૃત્તિઓમાં જોડાવા માગે છે, પણ તેમના કઠણ આચારે તેમને તે તરફ ગતિ કરવા દેતા નથી. ખ્રિસ્તી ધર્મના સાધુસાધ્વીઓને અને રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓને અનેક પ્રકારની સેવામાં જોડાયેલા જોઈને આપણને પ્રશ્ન થાય છે કે મોટી સંખ્યા ધરાવતો આપણે સાધુસમુદાય શું આવી કોઈ જનકલ્યાણની પ્રવૃત્તિ કરી ન જ શકે? એ તે જ બની શકે કે જે તેમને સેવાપ્રવૃત્તિ સ્વીકારવામાં રૂકાવટ કરતાં કેટલાંક બંધને હળવાં કરવામાં આવે અને એ પ્રકારને એક નવો વર્ગ ઊભું કરવામાં આવે. - આપણા સમાજમાં દીક્ષા દેવા-લેવાની એક પ્રકારની ઘેલછા પ્રવર્તે છે. તે પાછળ એક એવી ભાવના રહેલી છે કે યદા વિરજે તદા પરિવ્રત – જે દિલમાં વૈરાગ્ય આવ્યું કે તેને બને તેટલી જલદીથી દીક્ષા આપી દેવી. આ ભાવનાના અનુપાલનમાં આપણે પાત્રાપાત્રને વિવેક ભૂલી ગયા છીએ, દીક્ષા અપાતા પહેલાંની તાલીમને આપણે કોઈ મહત્ત્વ આપ્યું નથી, વૈરાગ્યને આવેગ અને સંસારથી છૂટવાની તમન્ના એ જ માત્ર પાત્રતાનું લક્ષણ બની બેઠું છે. આના પરિણામે ઉચ્ચ કક્ષાના સાધુસાધ્વીઓને નમુનેદાર વર્ગ નહિ પણ મેટા ભાગે અણઘડ સાધુસાધ્વીઓનું એક ટેવું આપણે ઊભું કર્યું છે. આ વિષયમાં શૈક્સ, પ્રબંધ થવું જોઈએ. દીક્ષાથીને તાલીમ આપવા માટે કામણ શમણી વિદ્યાપીઠ ઊભી થવી જોઈએ. બીજું, આવી રીતે ગ્યતા ધરાવતી વ્યકિતને યાવજીવન નહિ, પણ મુદતી દીક્ષા બે થી પાંચ વર્ષની અપાવી જોઈએ. એ મુદત પૂરી થયે તેને સંસાર તરફ માનભેર પાછા ફરવાનો વિકલ્પ હવે જોઈએ અને એમ છતાં જે દઢતાપૂર્વક ચાલુ રહેવા માગતા હોય તેવા સાધુસાધ્વીને માવજીવનની દીક્ષા અપાવી જોઈએ. આ વિચારના સમર્થનમાં અહીં જણાવવું જરૂરી છે કે આપણે ત્યાં દક્ષાર્થીને પહેલાં દીક્ષા આપવામાં આવે છે અને અમુક બે પાંચ મહિના વીત્યા બાદ વડી દીક્ષા આપવામાં આવે છે. અને એશિય એ છે કે દીક્ષા લીધા બાદ સાધુજીવનમાં મન ન કરે તે દીક્ષા લેનાર તેને વડી દીક્ષા અપાય તે પહેલાં સંસારમાં પાછો ફરી શકે છે, પણ દીક્ષા અને વડી દીક્ષા વચ્ચે સમયને બહુ નાને ગાળે રહેતા હોવાથી ઉપર જણાવેલા વિકલ્પને અમલી બનાવવા કોઈ અવકાશ રહેતો નથી અને દીક્ષાની પાછળ દોડતી આવતી વડી દીક્ષા નક્કી કરેલી પરંપરા મુજબ અપાઈ જાય છે અને અપાયેલ દીક્ષા જ આજીવન દીક્ષા બની જાય છે. આને બદલે દીક્ષા અપાયા બાદ આગળ સૂચવ્યું તે મુજબ બેથી પાંચ વર્ષ બાદ જો વડી દીક્ષા આપવામાં આવે છે તે પહેલાં ચાલુ સીધુજીવનથી છૂટા થવાની સગવડને દીક્ષિત જીવનથી કંટાળેલા સાધુ લાભ લઈ શકે. આજની સાધુસંસ્થામાં પ્રસરેલી પોકળતા દૂર કરવી હોય તે આવી મુદતી દીક્ષાના વિચારને અમલી બનાવવાની ખાસ જરૂર છે. આગળ ઉપર જણાવેલ યતિવર્ગ અથવા તે દિગંબર સમાજમાં છે તેવી બ્રહ્મચારીની કક્ષાની સંસ્થાના નિર્માણના અનુસંધાનમાં ઉમેરવાનું કે આજની સાધુને તે વર્ગમાં પ્રવેશ કરવાની અને યતિવર્ગમાંના કોઈને પરંપરાગત સાધુવર્ગમાં દાખલ થવાની પૂરી છૂટ હેવી જોઈએ. આવો યતિવર્ગ અથવા તે બ્રહ્મચારીવર્ગ આજે ઊભા થાય કે આવતી કાલે ઊભે થાય, પણ જેનું આપણા સમાજ ઉપર અસાધારણ વર્ચસ છે તે આજને જૂની પરંપરાને વરેલા સાધુસાધ્વી વર્ગ પોતાના જીવનનું સુખપૂર્વક નિર્વહન કરી શકે, પોતાના આચારનું યોગ્ય રીતે પાલન કરી શકે અને તેને અધીન રહીને સમાજને બને તેટલી સેવા આપી શકે–આવી આપણી અપેક્ષા છે. આ માટે તેમના માથે જે બિનજરૂરી કષ્ટો અને અગવડો લાદવામાં આવેલ છે, જેમકે વાળને લેચ કર, દાંત સાફ ન કરવા, સ્નાન ન કરવું, મળ-મૂત્રનું પુરાણી પ્રથા મુજબ વિસર્જન કરવું, ઉઘાડા પગે ચાલવાના આગ્રહને વળગી રહેવું, ધ્વનિવર્ધક યંત્રને વિરોધ કરવો, રાત્રિના દીવાબત્તીને ઉપયોગ ન કરવો, નગ્ન વિચરવું, મુહપત્તિ મેઢે બાંધી રાખવી, વરસાદથી બચવા માટે કોઈ સાધનો ઉપયોગ ન કરવ–આવાં કરો અને અગવડોથી તેમને સત્વર મુકત કરવા ઘટે છે. આ આખી ચર્ચાને આશય પણ સાધુસમાજ જે આજે નિસ્તેજ, અમુક અંશે દંભી, મોટા ભાગે પ્રમાદ, તેમ જ સર્વશૂન્ય દેખાય છેઅલબત્ત, આમાં કેટલાક આદરપાત્ર અપવાદો છે – તે કેમ વધારે તેજસ્વી, સત્ત્વસંપન્ન, સેવાનિષ્ટ, પરિકામપરાયણ, વ્રતસન્નિષ્ઠ, સત્યનિષ્ઠ, પુરુષાર્થી, સ્વપરલક્ષી, દંભમુકત, તેમ જ કેમ વધારે પ્રભાવશાળી બને તેને લગતું માર્ગદર્શન કરાવવાનો છે. આ જ આપણું સર્વેનું ચિન્તન અને પણ સર્વની ચિન્તી છે. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી સાધુસંસ્થાના પરિવર્તનનાં સંદર્ભમાં રખાયેલા આ પરિસંવાદમાં આપણા બધાને લગભગ એક સૂર એ છે કે બધા જ કંઈક તે ફેરફાર માગે છે. માટે સંપર્ક સાધુઓ સાથે ઠીક ઠીક સારે એવો છે, હું ઘણા સાધુએમાં અસીલમતીની ભાવના જોઉં છું. મારા પછી મારા ચેલાઓનું શું થશે એ એમની ચિન્તા હોય છે. પરિગ્રહ પણ વધતું જાય છે. કેટલાકનાં તો બેંકમાં ખાતાં પણ હોવાનું જાણવા મળ્યું છે. સાધુએ વૃદ્ધ થાય છે ત્યારે એમના ગણ્યા ગાંઠયા ભકતો અને એમના બે-ચાર સગાંવહાલાં સિવાય એ ઉમરે એમની પાસે
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy