________________
તા. ૧-૭-૧૯૭૦
*
પ્રભુ જીવન
આપણી સાધુસંસ્થા અંગે
[$]
સાધુસંસ્થા અંગે નીચે
શ્રી ન્યાલચંદ મૂળચંદ શેઠ આપણી મુજબની સૂચનાએ લખી મોકલે છે:
(૧) પાદવિહાર, ગૌચરી; લેાચ-ત્રણે વસ્તુઓ પૈકી લાચ જ કઠણ અને વધુ કષ્ટદાયક ગણાય છે. તેમાં ફેરફાર
એ ઘણી
કરવા.
(૨) લાઉડસ્પિકરના ઉપયાગ કરવા.
(૩) લેાકકલ્યાણના સાચા કાર્ય માટે દેશાટન કરવાનું પ્રમાણપત્ર મળે તે પ્રવાસની છૂટ લાયકાત મુજબ આપવી.
(૪) જાહેર રસ્તાઓ ઉપર ગંદકી કરવા કરતાં શહેરોમાં ડ્રેનેજવાળા સંડાસોના અને મૂત્રીનો ઉપયોગ કરવા.
(૫) પોતે લીધેલી વિદ્યા બીજાને ભણાવવામાં ઉપયોગ કરવાનું
બંધન.
(૬) રોબિનશી લખીને પોતાના ગુરુઓને આપવી. તેનો સાર આચાર્યશ્રી સુધી પહોંચે.
૩. આહાર-પાણી માટેનાં ખાટાં બંધનો તોડવાં, સા સાથે બેસીને જ આહાર કરે.
(૮) બધા જૈનોનું સાર્વજનિક પ્રતીક પુસ્તક રૂપે પ્રગટ થાય તેવા નિર્ણય સાધુ સમાજ કરે.
(૯) જૈન શાળાઓમાં ભણતર બાળક-બાલિકા માટે વધુ સરલ, સાદું અને આકર્ષક હોવું જોઇએ. તેમાં સત્ય અને અહિંસા મુખ્ય (૧૦) સાધુ અને સાધ્વીઓ વચ્ચેના ચડઊતરનો ભેદ જ્ઞાન અને શુદ્ધતા ઉપર જ રાખવો.
(૧૧) જનસેવાનું શિક્ષણ યુગને અનુસરતું લઇને આપો.
[9]
તા. ૧૪ મી જૂનના રોજ આપણી સાધુરાંસ્થા અંગે યોજાયેલા પરિસંવાદના અનુસંધાનમાં પાલઘર નજીક આવેલ ચીંચણી મુકામે જેમણે સ્થાપેલ મહાવીરનગર - આન્તરરાષ્ટ્રીય કેન્દ્રનું ૭ મી જૂનના રોજ શ્રી રવિશંકર મહારાજના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે મુનિ સન્તબાલજી તરફથી નીચે મુજબનો સંદેશા મળ્યો હતા:
હું ન ભૂલતો હોઉં તો થોડાંક વર્ષો પહેલાં રાજસ્થાનમાં શ્રી કાકાસાહેબની હાજરીમાં “સાધુસંસ્થા ન જોઇએ.” તે જાતનો એક પરિસંવાદ અથવા મેળાવડા યોજાયેલા. તાજેતરમાં શેડા માસ પહેલાં દિલ્હીમાંથી પૂ. કવિ શ્રી અમરમુનિ તથા સતીજી ચંદનાબાઇ વિ. ના ચાહક, એક વર્ગ મેરઠમાં એક સંભાવિત મુનિ પાસે સાધુસંસ્થાના અદ્યતન સ્વરૂપમાં તેમ જ તેના આચાર-વ્યવહારમાં ફેરફાર અંગે ચર્ચા કરવા ગયેલા, જેનો ટૂંકો અહેવાલ મને તે તરફ ભાલનલકાંઠા પ્રયોગ અન્વયે કાર્ય કરીરહેલા પ્રિય નેમિમુનિએ મોકલેલા. પણ તેમાં સંસ્થાગત ફેરફારોનું માધ્યમ વ્યક્તિ અને વ્યકિતની અનુકૂળતા હતું, તેવી છાપ ઉઠેલી. ખેર, આ બધા પ્રવાહો પરથી એકી સાથે આ મુદ્દા અંગે ત્રણ બાબતો ઉપસ્થિત થાય છે. પ્રચારાત્મક દષ્ટિએ (૨) સ્થિતિચુસ્તતાની દૃષ્ટિએ અને
(૩) યુગના ધર્મક્રાતિની (અ
(૧) આ વિજ્ઞાનયુગ હાઇ પ્રચારાત્મક દષ્ટિએ જોતાં ઝડપી વાહનમાં બેસવું, (૨) નરનારીસ્પર્શના બાધ ન ગણવા, (૩) પાકા પાણીનો આગ્રહ ન રાખવા, જરૂર પડયે (૪) પાસે નાણાં રાખવાં. (૫) પગમાં જૉડા પહેરવા વગેરે વાતો આવે છે અને આમાં મોટેભાગે વ્યક્તિને માધ્યમ ગણીને ચાલવું પડે છે. કારણ કે બધા સમૂહ કે આખી સાધુસંસ્થા પ્રચારાત્મક દષ્ટિએ આમાં આવી ન શકે.
પ
茶
(૨) “આત્માનું જ કરો. જગત તા જે છે તે જ રહેવાનું. કોલસાને ગમે તેટલા સાબુ નાખી સ્વચ્છ કરો, પણ તે કાળા જ રહેવાના" એટલે આત્મવિકાસને નામે આવી સાધનાની બાબતમાં તા સ્થિતિચુસ્તતા તથા એકાંગિતા આવવાની હોઇ, સરવાળે આ સાધના પણ વ્યક્તિગત રહેવાની.
(૩) આત્મા માત્ર શરીરવ્યાપી નથી. સાથેાસાથે તે (આત્મા) વિશ્વવ્યાપી પણ છે જ. ‘વિભુત્વ’ ને પણ જો આત્મગુણ સમયસાર (કુંદકુંદ કૃત) માં માન્યો છે, તો તેવા આત્માને ઓળખવા માટે જેમ આપણી વ્યક્તિગત સાધના છે, તેમ આપણે માનવસમાજ, પ્રાણીસમાજ અને સંરથાના પણ મહત્ત્વના અંગરૂપે સાધના કરનારા બનવું જોઇએ. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિથી યુગે યુગે ફેરફારો ભલે થાય, પરંતુ તે ફેરફારોમાં ઊંડાણ અને વ્યાપકતા બન્ને જોઇએ. સાતત્યરક્ષા અને પરિવર્તનશીલતા એ બન્ને બાજુઓના સમાવેશ હોવા જોઇએ. આમ થાય તો એવા ફેરફારોમાં (૧) હૃદયપરિવર્તન (૨) વિચારપવિર્તન અને (૩) પરિસ્થિતિ-પરિવર્તન એ ત્રણેયનો સમાવેશ આપોઆપ થઇ જાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો એ ફેરફાર વ્યકિતનાં હૃદય, બુદ્ધિ સાથે સમષ્ટિની પરિસ્થિતિના સંદર્ભમાં પણ સહેજે થાય જ. મારા નમ્ર મતે જૈનધર્મની તીર્થંકરરૂપ વિભૂતિમાં જે સંઘરચનાની વાત આવે છે, તેમાં આ વાતનું મૌલિકપણ છે. જૈનધર્મને આવા જ ફેરફાર મંજૂર છે અને કદાચ તેથી જ દેવ ગુરુ અને ધર્મની જે ત્રિવેણી જૈન સાધનામાં કહેલી છે તેમાં ધર્મની વ્યાખ્યામાં ‘કેવલિ પન્નતા ધર્મોો” એમ બતાવ્યું છે. વળી એ કેવલ પણ સામાન્ય કેવિ નહીં; બલકે તીર્થંક્સ કેવલ. આવા ધર્મના અનુસંધાનમાં જે ફેરફાર કરે, તે મુખ્યપણે ધર્મકાન્તિની યોગ્યતાવાળા હોવા જોઇએ. આમાં મોટે ભાગે જૈન સાધુ અને ખાસ કરીને જૈનાચાર્ય, (આજે જે સાધુ જૈનાચાર્ય પદવી ભાગવે છે તે નહીં પણ હૃદયપરિવર્તન, વિચારપરિવર્તન અને પરિસ્થિતિપરિવર્તન માટે પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠા પણ જરૂર પડયે હામી દેનાર આંતરિક અને બાહ્ય બને પ્રકારની સાધુતાવાળા) હાવા જોઇએ.
મને પેાતાને આ ત્રીજી બાબતમાં વર્ષોથી રસ હોઈ હું ગાંધીજીના સામુદાયિક અહિંસાના પ્રયોગના અનુસંધાનમાં આ વાતને લઉં છું. અને તેમાં પગપાળા પ્રવાસ અને આમજનતામાં ભિક્ષા-આ બે નિયમોને મૌલિક ગણું છું. પ્રિય ભાઈશ્રી પરમાનંદભાઇના ‘સાધકના અનુભવો ' પુસ્તક અંગેના પ્રશ્નમાં મે' જે ભાઇશ્રી નાનચંદભાઇનું નામ ઉલ્લેખ્યું, તે પૂરા સન્યાસી હજુ પેાતાને માનતા નથી, એમ છતાં (૧) સ્ક્રીસ્પર્શના વિરોધ અને ગૌરવપૂર્ણ સન્નારી સહવાસ ઉપરાંત નાણાંના ત્યાગ અને ભિક્ષાચરી તથા પગપાળા પ્રવાસ વગેરે છેલ્લાં વર્ષોથી બરાબર પાળે છે.
આની સાથેાસાથે આજના યુગે સર્વધર્મઉપાસનાનું માધ્યમ પણ હું અનિવાર્ય માનું છું. તે જ ધર્માન્તર કરાવવાનું કદી કોઇને માટે પણ મન નહીં થાય. આમાં ઉપદેશ કરતાં પણ મુખ્ય વાત તે સંસ્થાનિર્માણની આવે છે. આજના દેશના અને દુનિયાના રાજકારણી પ્રવાહ જોતાં રાજ્ય ઉપર સાચે અંકુશ તે! બીજી બે સંસ્થાઓ (૧) પ્રાયોગિક સંઘ જેવી એટલે કે સર્વાંગી રચાનાત્મક કાર્ય કરોની સંસ્થા અને (૨) જનસત્સંગઠ્ઠન જેવી એટલે કે ગાંધીકલ્પ્યા લોકસેવક સંઘ જેવી સંસ્થા નિર્માય (ઘડતરપૂર્વકની) અને વળી તે બન્ને સંસ્થાઓ સાથે શ્રદ્ધાભર્યું સાધુસંકલન ઉમેરાય, તા જ આવી શકે. અને આ સિવાય દેશનું અને દુનિયાનું પરિસ્થિતિપરિવર્તન થઇ જ ન શકે. તે ન થાય ત્યાંલગી વિચારપરિવર્તન અને હૃદયપરિવર્તન પણ સુશક્ય બની જ ન શકે તથા વ્યક્તિગત સર્વાંગી સાધના પણ વિકસી નહીં જ શકે.
સતબાલ