________________
પ્રર .
પ્રબુદ્ધ જીવન
તા
૧-૭-૧
૭૯
==
===
=
=
| સાભાર સ્વીકારી
સાધનાના અનુભવો:લેખક શ્રી જ્ઞાનચંદ્રજી; પ્રકાશક : આધ્યાત્મિક આન્તરિક મંડળ, હરિ ! કુટિર, પિ બાળમંદિર, સાણંદ, જિલ્લે અમદાવાદ, કીંમત રૂ. ૨-૫૦.
જીવનદર્શન: લેખક: ફાધર વાલેસ, પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ, કીંમત : રૂ. ૨-૭.
સસ્તી પિષક વાનગીઓ: ત્રીજી આવૃત્તિ: લેખક: શ્રી ચંદુલાલ કાશીરામ દવે; પ્રકાશક: જ્યોતિ સંઘ કાર્યાલય, ટિળક માર્ગ, અમદાવાદ-૧. કીંમત રૂ. ૪-00.
ધર્મ ઔર દર્શન: લેખક: શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, પ્રકાશક : સન્મતિ જ્ઞાનપીઠ આગ્રા ૨- કિંમત રૂ. ૪-૦૦. - ભગવાન પાર્શ્વ: લેખક: શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, પ્રકાશક: શ્રી વર્ધમાન સ્પે. સ્થાનકવાસી સંઘ, જૈન સાધના સનદ, ૨૧, નાનાપેઠ, પૂના – ૨. કીંમત રૂ. ૫-OO.
અનુભૂતિ કે આલેક મેં: લેખક શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી; પ્રકાશક : શ્રી તારક ગુરૂ જૈન ગ્રન્થાલય, પદરાડા ( ઉદયપુર), કીંમત રૂા. - ૧ - - ચિન્તન કી ચાંદની: લેખક: શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, પ્રકાશક: ઉપર મુજબ; કીમત રૂ. ૩.
યિાકેશ: વાચનાપ્રમુખ: આચાર્ય તુલસી, પ્રકાશક: જૈન દર્શન સમિતિ; ૧૯ સી, ડોવર લેન, કલકત્તા-૨૬, કીમત રૂા. ૧૫
સેલૂંટ એક્ષન ઉદ્યોગ: એક રૂપરેખા: લેખક અને પ્રકાશક: શી કાતિલાલ બોડિયા, આનન્દ પ્લે ગ્રાઉન્ડ રોડ, વિલેપાર્લે પૂર્વ, કિમત, વિનામૂલ્ય. '
શ્રી મુંબઈ જૈન યુવક સંધની વાર્ષિક સભા
શકાય એવી જ લેવી જોઇએ. આ વ્રતજીવનવ્રત સ્વીકાર્યું માટે પાળવું એ મને યોગ્ય લાગતું નથી. બે વર્ષ યા પાંચ વર્ષને પ્રતિજ્ઞાકાળ હોવો જોઇએ અને પછી આગળ વધવું જોઇએ.
સાધુઓ જો એમ કહે કે અમે ઉપદેશ માત્ર આપીએ અને કંઇ પણ કરવાનો અમારો ધર્મ નથી – કોઈ પડી ગયે હૈયા તો એને અમારાથી ઊભો પણ ન રાય–તે મને લાગે છે કે ક્યાંક મૂળમાં જ ભૂલ છે. અંતમાં મારે એટલું જ કહેવું છે કે સાધુઓમાં આપણે શકિતબહારની આશા ન રાખીએ. ''
પ્રમુખશ્રીનું ઉપસંહાર પ્રવચન - પરિસંવાદનું સમાપન કરતાં પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકભાઈએ કહ્યું : “આજે મુકતપણે લગભગ આ વકતાઓએ એમના વિચાર વ્યકત કર્યા છે. એમના વિચારે આપણને ગમે યા ન ગમે, આપણે વિચારતા થયા છીએ. આજે આપણી પાસે બે પ્રશ્ન છે. | સાધુને કહેવાવાળો શ્રાવક વર્ગ કોણ? સાધુએ કેમ જીવવું એ એને વ્યકિતગત પ્રશ્ન છે. પરંતુ સમાજ ઉપર સાધુની અસર થાય છે એટલે શ્રાવકસંઘને કહેવાને અધિકાર છે. સામાજજીવનને લાગે વળગે છે ત્યાં સુધી સાધુના આચાર - વિચારના પરિવર્તન અંગે શ્રાવકસંઘે વિચારવાનું રહે છે. પરંતુ આપણે એ લક્ષ્યમાં રાખવું જોઈએ કે સાધુસંસ્થાના પરિવર્તનથી આપણે શું પરિણામ લાવવું છે? સાધુસંસ્થાનું સ્વરૂપ સર્વથા નિવૃત્તિપ્રધાન છે. આત્મામાં નિમગ્ન રહેવું, દેહાધ્યાસ છોડ, સર્વ સંબંધનું બંધન છોડીને આત્મલક્યું વિચારવાનું–જૈન સાધુને આ આદર્શ છે. આ આદર્શ તમને અને મને માન્ય છે કે નહિ એ જુદી વાત છે, પરંતુ ૨૫૦૦ વર્ષની આ આદર્શની પરંપરા છે. એ સૌએ સમજી લેવું જોઈએ. - વ્રતને જ ઢીલું કરવું એ વાત પણ યોગ્ય લાગતી નથી. તમારી દષ્ટિ શું હોવી જોઈએ? આદર્શ તરફ જવું છે કે પાછાં જવું છે? હા, લાયકાત ન હોય છતાં દીક્ષા આપવી એ ઘણાં અનિષ્ટોનું મૂળ છે. ખાસ કરીને, અન્તર વૈરાગ્ય ન હોય અને પૂરતું જ્ઞાન સંપાદન ક્ય ન હોય ત્યાં દીક્ષા આપવાથી દીક્ષાર્થીને અને સમાજને હાનિ છે. પાંચ મહાવ્રત સાધુજીવનની સાધન છે. જીવનની સાધના સંયમ છે. સાધનામાં – સંયમમાં–પરિવર્તન ન હોય. સમાચારીમાં દેશકાળ પ્રમાણે પરિવર્તન યોગ્ય છે, જરૂરના છે. દા. ત. ધ્વનિવર્ધક યંત્રને ઉપગ, જરૂર પડયે દીવાબત્તીને ઉપયોગ, મોટાં શહેરોમાં રહેવાનું હોય ત્યાં મળ-મૂત્ર વિર્જન માટે જાજરૂને ઉપયોગ-વગેરે. - સાધુ સમાજ પાસેથી કાંઈક લે છે માટે એણે સમાજને કાંઈ દેવું જોઈએ –આ વાત બરાબર નથી. સામાજિક સેવાના માગે હું અને તમે જઈએ છીએ, પણ આ માર્ગે સાધુએ જઈ જોઈએ અને એ ન જાય તે એ સાધુ નથી એમ કહેવું યોગ્ય નથી. દા. ત. સાધુએ કૅલેજમાં શિક્ષક તરીકે કામ કરવું અથવા તો સાધ્વીજીરને નર્સ તરીકે કામ કરવું એમ કહેવામાં સાધુજીવનની અધુરી સમજણ છે. ધર્મગુરુ પોતાના આત્મકલ્યાણમાં નિમગ્ન રહે તે સાથે સમાજમાં આધ્યાત્મિક તથા નૈતિક મૂલ્યોનું જતન કરે અને જીવનમાં સાચું માર્ગદર્શન આપે.
વળી વ્રતનું પાલન પૂર્ણપણે થતું નથી માટે જ તેને લગતી પ્રક્રિયા બદલવી – આ બધા ફેરફાર અનિવાર્ય છે. અહિંસાની અધૂરી સમજણના કારણે જૈન સમાજમાં–શ્રાવક અને સાધુના જીવનમાં-વિકૃતિ આવી છે. જીવનમાં દંભ, અંધશ્રદ્ધા, વેશપૂજા, અને ક્રિયાજડતાઆ પ્રકારની વિકૃતિઓએ સ્થાન લીધું છે. આ પરિસ્થિતિ માટે મોટા ભાગે શ્રાવકો જવાબદાર છે.”
અહિં ઘડિયાળમાં લગભગ સાડા બાર થવા આવ્યા હતા અને અનેક નિમંત્રિત વકતાઓ બાકી હતાં. આ કારણે આ પરિસંવાદ સભા મુલતવી રાખવામાં આવી હતી અને એ મુલતવી રહેલી સભા આવતી ૨૧ મી અથવા તો ૨૮મી તારીખે ભરવામાં આવશે. એમ જાહેર કરીને સભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સંક્લન કરનાર ; શ્રી ચીમનલાલ જે. શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભ્ય જુલાઈ માસની ૧૧ તારીખ શનિવાર સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે જે વખતે નીચે મુજબનું કામકાજ હાથ ધરવામાં આવશે: (૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંઘ તેમ જે શ્રી મણિલાલ
મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના ડિટ થયેલા હિસાબેને મંજૂરી આપવી. (૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું. (૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના
૧૫ સભ્યોની ચૂંટણી કરવી. (૪) સંઘ તથા વાચનાલય અને પુસ્તકાલયના
ઍડિટરોની નિમણુંક કરવી. ઉપર જણાવેલ વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં સવિશેષ સૂચના કરવામાં આવે છે કે ઉપર જણાવેલ સંઘને વત્તાંત તથા સંઘના તેમ જ વાચનાલય અને પુસ્તાકલયના | ઍડિટ થયેલા હિસાબો તેમ જ ચેપડાઓ સંઘના કાર્યાલયમાં. ખુલ્લા રાખવામાં આવ્યા છે. સેમવારથી શનિવાર સુધીના દિવસમાં બરના ૨ થી ૫ સુધીમાં કોઈ પણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. .
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલા સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે. ' સભા સ્થળ: સંઘનું કાર્યાલય ચીમનલાલ જે. શાહ ૩૮૫, સરદાર વી. પી. રોડ, સુબોધભાઈ એમ. શાહ વનિતા વિશ્રામ સામે મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
મુંબઈ૪
||