________________
તા. ૧-૭-૧૯૭૭
પ્રબુદ્ધ જીવન
એવું શું કારણ
સ્થિરતા જવાના હોય. પાંચ મહા
વસ્થ ધર્મ પાછાએ નહિ. સાથએ નહિ. પરિવારના
વિશ્વાસ ધરાવવાવાળો - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવનાના સિદ્ધાનોને
સ્વીકાર કરવાવાળો-જૈન સમાજ આજે કેમ પાછળ પડી ગયો છે? વ્યાપારી તથા ઉદ્યોગપતિ હોવાને કારણે જૈન જનતામાં બુદ્ધિ તથા અધ્યવસાયની કોઈ ઊણપ નથી. એમ છતાં એવું શું કારણ છે કે, આપણે આપણે અલગ અલગ ચેકો બનાવીને આપણી આપણી ઢોલકી અથવા તો પપૂડી વગાડી રહ્યા છીએ? - આ પ્રશ્નના સંદર્ભમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત આ પરિસંવાદનું હું સ્વાગત કરું છું. જૈન ધર્મ કોઈ જાતિ અથવા તો વર્ગ વિશેપને ધર્મ રહ્યો નથી. આ ધર્મ સદા આચારપ્રધાન રહ્યો છે. એટલે કે પોતાના આચાર - વિચારને સુધારે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહને ઉપદેશ આ માટે આપવામાં આવ્યો છે. સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદને અર્થ પણ એજ છે કે આપણે પરસ્પરવિરોધી એવી બે માન્યતાઓને અથવા વિચારને સમન્વય કરીને જીવનશુદ્ધિ તરફ પ્રવૃત્ત થઈએ. નગ્નત્વથી માંડીને જ્યારે વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું ત્યારે જૈન શ્રમણોને ઘેપણા કરવી પડી કે મેક્ષ પ્રાપ્તિ માટે નગ્નત્વને એકાન્ત આગ્રહ કરવો ઠીક નહિ ગણાય. આમ હોવાથી કોઈ શ્રમણ નગ્ન પરિષહ સહન કરવામાં કદાચિત અસમર્થ હોય તો તેને વસ્ત્રધારણ કરવાની અનુમતિ દેવી ઘટે. મુખ્ય વરવું તે માયા–મેહનો ત્યાગ છે. આ બાબત જૈન શ્રમણની સમન્વય બુદ્ધિની પરિચાયક છે.
કાશાહે પણ મૂર્તિપૂજાને વિરોધ કરીને એવી જ ક્રાતિકારી મનોવૃત્તિનો આપણને પરિચય કરાવ્યું છે.
બૌદ્ધ શમણની માફક અમુક કારણોને લીધે જૈન શ્રમણ વિદેશેની યાત્રા કરી ન શક્યા. સંભવ છે કે જો તેઓ વિદેશયાત્રા કરી શક્યા હોત તો તેમ કરવાથી જનકલ્યાણમાં વિશેષ વૃદ્ધિ થઈ શકી હોત. આજે જો કોઈ જૈન શ્રમણ કોઈ યોજનાપૂર્વક વિદેશગમન કરવા ઈચ્છે તો તેમાં તેને કોઈ ખાસ આપત્તિ કે પ્રતિકૂળતા હોવી ન ઘટે.
જે આપણી સાધુસંસ્થાના આચારવ્યવહારમાં પરિવર્તન કરવાનું આપણને ઈષ્ટ લાગે તો તેમને આપણી સાથે લઈને ચાલવાનું યોગ્ય લેખાશે. તેમનામાં ઉદાર જનકલ્યાણની ભાવના જાગૃત કરવાની રહેશે. આપણા દેશ સામે એવી કેટલીયે સમસ્યાઓ છે કે જેને ઉકેલ લાવવાની દિશામાં જૈન મણસંસ્થા ઘણું કાંઈક કરી શકે તેમ છે. આ માટે હાલ તુરત વેશત્યાગ કરવાની કોઈ આવશ્યકતા નથી તેમ નથી તેમના વ્રતનિયમમાં કોઈ ખાસ પરિવર્તનની આવશ્યકતા. જરૂર છે માત્ર એ વાતની કે જનકલ્યાણલક્ષી પિતાના સમુદાયને તેઓ જરા વધારે વ્યાપક બનાવી લે.
શ્રી અંબુભાઈ શાહ હમણાં હું કરછમાં હતા. ત્યાં જૈનોએ મને વાત કરી કે કોઈ સાધુએ એમને ખેતી માટે બાધા આપી છે. જમીનમાં ખાતર આપવા માટેય બાધા આપી છે. હવે જો આ જેને ખેતી કરતા બંધ થાય તે જે ખેતી થશે એમાં વધુ હિંસા હશે. જૈને ખેતી કરતા હશે તે ઓછામાં ઓછી હિંસા થાય એ માટે જાગૃત રહેશે. એક બાજુ આપણે અહિંસાને ધર્મ જૈન ધર્મ શ્રેષ્ઠ; બીજી બાજુ સાધુ આવી પ્રત્યક્ષ પ્રેરણા આપે. મને લાગે છે કે ખરેખર જૈનધર્મ પાછળ પડી ગયો છે.
મારી તે માન્યતા છે કે સમાજ જ્યાં ઊભે છે ત્યાંથી અહિંસામાં એક ડગલું પણ આગળ વધે છે તે સાધુઓએ કરવું જોઈએ. હું તે એમ પણ કહ્યું કે સાધુઓએ ખાદીમાં, અર્થરચનામાં અને રાજકારણમાં પણ ભાગ લેવા જોઈએ. આમાં મહાવ્રતનું સંપૂર્ણ પાલન થઈ શકે છે, સાથે સાથે સમાજને ઉપર યોગી પણ થઈ શકાય છે. બીજાને તારવાના તેઓ નિમિત્ત પણ બને છે.
શ્રી જેઠાલાલ ઝવેરી આપણે પરિવર્તનની વાત કરીએ ત્યારે આપણે જૈન દર્શન પાયે અનેકાન્તવાદ છે એ ભૂલવું જોઈએ નહિ. પરિવર્તન સાથે સ્થિરતા ભૂલવી જોઈએ નહિ. સાધુએ સાધુધર્મ અને ગૃહસ્થ ગૃહસ્થ ધર્મ પાળવાન હોય. પાંચ મહાવ્રતે સાથે એની સમિતિ પણ છે - પ્રવૃત્તિના નિયમ પણ છે. આ નિયમ પરિવર્તનીય છે. વિહાર, ગોચરી, મળ-મૂત્ર વિસર્જન–મામાં પરિવર્તનની જરૂર છે. આમાં ચેતનાની જરૂર છે. અત્યારે જે છે તે માત્ર જડતા છે. સમાજના આરોગ્યની દષ્ટિથી શું શું પરિવર્તન જરૂરી છે એ વિચારવું જોઈએ. શુદ્ધ સંયમને માર્ગે જવા પરિવર્તન જરૂર કરવું જોઈએ. યુવકો આજે દૂર થયા હોય તો તેમને સાધુસંસ્થાએ દૂર કર્યા છે. આપણે જૈન ધર્મના પ્રચાર કરવા માટે એક તૃતીય કોણી ઊભી કરવી જોઈએ, જે જ્ઞાન અને ચારિત્ર્યને પ્રચાર કરે એટલું જ નહિ બધા ધર્મોને સમન્વય કરે. જો આ તૃતીય શ્રેણી ઊભી થશે તો આના તરફ યુવકો જરૂર આકર્ષશે.'
મને શ્રદ્ધા છે કે જે સમ્યક દષ્ટિથી અને આદરપૂર્વક સાધુઓને પરિવર્તનની વાત કરીશું તો તેઓ આપણું જરૂર સાંભળશે.
શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી સાધુએ પૂજ્ય છે. પરંતુ જ્યાં સાધુ અનુકૂળ નથી ત્યાં ત્યાં આંગળી ચીંધવામાં આવે છે અને આ આંગળી શ્રાવક ચીંધે છે. એ સાધુને મોઢે કહી શકતું નથી. એટલે આવા સંજન ઉપાગી છે, જે દ્વારા એ સાધુઓને પિતાના મનની વાત કહી શકે. મારું તો સૂચન છે કે પાંચ સાધુઓ અને સમાજનાં પાંચ આગેવાનની એક કમિટી થાય અને પરિવર્તન અંગે વિચારે અને નિર્ણય કરે. પછી મુંબઈ બાજુ આવતા સાધુ - સાધ્વીને કહે કે, તમારે મુંબઈની સરહદમાં પ્રવેશવું હોય તે આટલા નિયમ (માઈક વાપરવું, દીવાને ઉપગ કર અને ઝાડા - પેશાબ માટે પાયખાનું ખાનાને ઉપયોગ -) પાળવા જ પડશે.
આપણે વર્ણ શ્રદ્ધાળુ વર્ગ છે, સાધુઓ માટે સદ્ભાવ છે. આપણે આ સદ્ભાવને પકડી નાના નાના ફેરફાર કરીએ. એક મીલન - મંડળ” જેવું ઊભું કરીએ. એક મુખપત્ર ચલાવીએ, એમાં વિચારો વ્યકત કરીએ. જો ધીરેથી પગલા ભરીશું તો આપણને સફળતા મળશે. જ, અને આને જશ પણ જૈન યુવક સંઘને જશે.
પ્રા. શ્રી દલસુખભાઈ માલવણિયા
અમદાવાદથી હું આવતું હતું ત્યારે એક ભાઇએ મને પ્રશ્ન પૂછો કે જે સભામાં સાધુ ન હોય એ સભાને સાધુઓ વિશે વિચારવાને શો અધિકાર? મેં કહ્યું “વિચાર કરવાને અધિકાર સૌને છે. આ અધિકાર કોઈ છીનવી શકે નહિ.”,
શ્રી ખીમચંદભાઇએ મૂળભૂત મહાવ્રતોમાં ફેરફાર ન થાય એમ વાત કરી. એમની વાત ઠીક છે, પણ આપણે આ મહાવ્રતાની વ્યાખ્યા તે નક્કી કરવી પડશે ને? અહિંસા એટલે શું? નવકોટિએ અહિંસાના પચખાણ એ આત્મવંચના નથી તો બીજું શું છે? સનાતન સત્ય જ બધા પાલન જ કરતા હતા તે તો આ સભા હત જ નહીં.
શાસ્ત્રમાં આચાર વિચાર છે. એમાંય પરિવર્તન થતા જ આવ્યા છે. ખરી વાત એ છે કે આંતરના આચાર સાથે બાહ્ય આચારને સુમેળ હોવો જોઇએ. એટલે પરિવર્તનની આવશ્યકતા તો છે જ. મેં જે બ્રહ્મચર્યની વાત મારા લેખમાં લખી છે એ તો વૈકલ્પિક છે. મારું માનવું છે કે જ્યારે પ્રતિજ્ઞા લેવાય છે ત્યારે મોટે ભાગે એની સમજ હોતી નથી. એટલે હું તો એમ કહ્યું કે પ્રતિજ્ઞામાં જ સુધારો થવા જોઈયે. નવકોટિ પ્રતિજ્ઞા લઇ તેઓ પાતા વિશે મોટામાં મોટા ભમે સેવે છે અને દુનિયામાં ફેલાવે છે. પ્રતિજ્ઞા મહાવીરે આપી છે એમાં હું માનતા નથી. પ્રતિજ્ઞએ કાળક્રમે આવેલી છે. પ્રતિજ્ઞા પાળી