________________
૫૦
પ્રભુ
જૈન સમાજનો આદર જૈન સમાજના ગુરુ પ્રત્યે ઘણો મોટો છે. જૈન સમાજ ઉપર ગુરુનું વર્ચસ્વ~તેમનાં વચનાનો પ્રભાવ–તમારા મારા કરતાં ઘણા વધારે છે. આનું કારણ છે. શ્રમણ વર્ગને ત્યાગ અને તપશ્ચર્યા. સાધુઓના આચાર વિચારના પરિવર્તન અંગે આપણે શું કહીએ ? તેઓ જ વધારે સારી રીતે આ અંગે કહી શકે, જીવન તે એમને જીવવું છે. પરંતુ જૈન સાધુ-સાધ્વી સામુદાયિક રીતે ચર્ચા કર્યું એવું આજે દેખાતું નથી. મુકતપણે વિચારવાનું આપણે આપણા સમાજમાં લાવવું . પડશે. મને લાગે છે કે આની નાની શરૂઆત આજે મુંબઈ જૈન યુવક સંઘ ક૨ે છે. આજે તે! આ એક પ્રાથ
મિક ચર્ચા છે.
આજે આપણે ચર્ચા - વિચારણા કરીએ ત્યારે આપણે લક્ષ્યમાં રાખવું પડશે કે શ્રામણના આદર્શ શું છે, તેને શું કલ્પે છે, શા માટે એણે આ કઠોર સાધના આચરી છે? ફકત સામાજિક દષ્ટિએ નહિં પરંતુ આધ્યાત્મિક અને નૈતિક દષ્ટિએ પણ આ પરિવર્તન આપણે વિચારવાનું છે.
ત્યારબાદ પરિસંવાદની શરૂઆત શ્રીમતી કુસુમબહેનના વકતવ્યથી થઈ હતી.
શ્રીમતી કુસુમબહેન મેતીચંદ શાહ
આ વિજ્ઞાનયુગમાં જૈન ધર્મ શા કારણે પાછળ પડયા છે એ આપણ સર્વ માટે વિચાર માગે છે. પાછળ પડવાનું કારણ યોગ્ય પ્રચારનો અભાવ અને આપણી સંકુચિતતા છે એમ હું માનું છું. આજે મૂલ્યો બદલાયાં છે. આપણે મૂલ્યો બદલવા જોઈએ એમ હું કહેતી નથી, પણ આપણા મનમાં શું છે એ આપણે સમજી લેવું જોઈએ. કામણ વર્ગને આજે ત્યાગ અને સંયમને લીધે પ્રભાવ પડે છે. એમને આપણે વાહનનો ઉપયોગ કરવા કે પૈસા રાખવા કહીશું તે એમની વિશિષ્ટતા ઓછી થશે. એટલે, મારી તે એવી સૂચના છે કે આજના સાધુઓથી જરા ઊતરતી કક્ષાના બ્રહ્મચારી વર્ગ ઊભા કરવા જોઈએ, જેને થોડી વધારે છૂટ આપવામાં આવે અને તે રીતે તેમનું જીવન વધારે સેવાપરાયણ બની શકે.
શ્રી ખીમચંદ મગનલાલ વારા
આજે આપણે જે ચર્ચા કરવા ભેગા થયા છીએ એ માટે આપણા અધિકાર અમુક અંશે ઓછા છે. કામણ વર્ગને માર્ગદર્શન આપણે જરૂર આપી શકીએ તેમાં પરિવર્તન જરૂરી છે. સમાજ અને આજના યુગ પરિવર્તન માગે છે. પરંતુ સિદ્ધાંતામાં પરિવર્તન ન હોઈ શકે, • પાંચ સિદ્ધાંત : સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યઆ પાયાના સિદ્ધાંતામાં આનું પરિવર્તન કદી થયું નથી - થઈ પણ ન શકે, જૈન ધર્મના પ્રચાર માટે મહાવ્રતો ખંડિત થતા હોય તો ચલાવી શકાય પણ નહિ,
જૈન યુવક સંઘે આ પરિસંવાદનું આયોજન કર્યું એ માટે એને હું અભિનંદન આપું છું. સાથે સાથે એમ પણ કહ્યું કે ‘પ્રબુદ્ધ જીવન'માં શ્રી દલસુખ માલવણિયાને જે લેખ પ્રકટ થયો છે એથી વાતાવરણ સ્વચ્છ નથી રહ્યું.
...મારે પ્રશ્ન છે કે પ્રતિજ્ઞાા ભંગ કરી સાધુ શું સાધુ રહી શકે? તમારે જૈન ધર્મના પ્રચાર જ કરવા હોય તો યતિ સંસ્થા સ્થાપે. બાકી સાધુસાંસ્થા બળવાન છે. એને વધારે બળવાન કરવાની જરૂર છે. સાધુઓ માટે આચારસંહિતા બનાવો. એની સામે મા વિરોધ નથી. આજે તે આ પ્રાથમિક સભા છે. પરંતુ ભવિષ્યમાં સાધુઓની એક સભા જોઈએ તે અખિલ ભારતીય ધેારણે—કરીને , દેશકાળ પ્રમાણે પરિવર્તન કરીએ. પણ ત્યારે ય ધર્મના અને સાધુજીવનનાં મૂળભૂત સિદ્ધાંતાને લક્ષ્યમાં રાખીને પરિવર્તન કરીએ.
શ્રી શાંતિલાલ હરજીવનદાસ શાહ
સાધુ સંસ્થાઓ જોડેના મારા સંબંધ - પરિચય - નામ માત્રનો છે. શાસ્ત્રો વિશેનું મારું જ્ઞાન પણ થાતુ છે. આમ છતાં આ પ્રકારની ચર્ચાને હું આવકારું છું.. ધર્મનું પહેલું પગથિયું છે આચાર. આચાર;
જીવન
તા. ૧-૭-૧૯૭૭
પ્રમમે ધર્મ પણ ધર્મો જેમ જેમ જૂના થતા જાય છે એમ એમાં જડતા આવતી જાય છે. જેમ ઈસ્લામ ધર્મમાં બંદગી એ મુખ્ય વસ્તુ છે પણ હાથ કેમ રાખવા એ મહત્વનું થઈ ગયું. હું માનું છું બંદગી એ મહત્વની વસ્તુ છે, હાથ ગમે તેમ રાખે, આવું જ કંઈક હું સાધુઓ વિશે વિચારું છું. સાધુઓએ પાતા ખાતર નહિ તે સમાજ ખાતર પણ અમુક મર્યાદાખા પાળવી જોઈએ. દિગમ્બર સાધુએ નગ્ન રહેવું જોઈએ એમ હું માનતા નથી. વળી શરીરને દુ:ખ થાય, કેશ લેચ કરી લેાહી નીકળે ત્યાં સુધી. દેહદમન કરવું- આ વાત મારે ગળે ઊતરતી નથી. હું માનું છું કે Ăહ વિના આત્માની અભિવ્યકિત થતી નથી. હા, દેહનું લાલનપાલન ન કરવું જોઈએ એ હું માનું છું. દેહદમનથી માણસાના વિષયો દૂર થાય છે એમ કહેવાય છે; પરન્તુ સામાન્ય માણસે આવું દેહદમન કરવાની મને જરૂર લાગતી નથી.
સાધુ સમાજ પાસેથી કંઈક લે છે. જેણે લીધું હોય એણે સમાજને કંઈક આપવું જોઈએ. . મારો પ્રશ્ન આ છે. શા માટે સાધુઓ કૉલેજ ન ચલાવે? શા માટે સાધ્વીએ ઈસ્પિતાલામાં સેવા ન આપે? શું આ કરવામાં પાપ છે? તે પછી એમનાં ખ્યાખ્યાના ગોઠવાય છે ત્યારે છાપાઓમાં મૅટી મેટ્રી જાહેરખબરો આવે છે - ભલે એમના અનુયાયીઓ આ છપાવતાં હોય; પણ એમને ય કંઈક મઝા તો આવતી હશે નેએમાં શું પુણ્ય છે ? હું શિક્ષણ, આરોગ્ય અને સદ્વિચારના ફેલાવા સાધુઓ દ્વારા થાય એમાં કશું જ ખાટું જોતો નથી. જૈન ધર્મના શાસ્ત્રમાં બધું સાચું જ છે એમ હું અંધશ્રાદ્ધાથી માનતા નથી.
બ્રહ્મચર્ય મૂળપ્રત હોય એમ પણ હું માનતા નથી. બ્રહ્મચર્યના વિલાસ થયા હશે ત્યારે મહાવીર સ્વામીએ આ વ્રત દાખલ કર્યું હશે એમ હું માનું છું. અસ્તેય વ્રતના પાલન માટે દરેકે કંઈક ને
કંઈક શારીરિક શ્રામ કરવા જોઈએ.
આપણે ત્યાં સાધુઓ શાસ્ત્રોના વાડા બહાર જઈ કશા જ અભ્યાસ કરતા નથી. એક અંગ્રેજે શ્રીમદ ્ રાજચંદ્રનું પુસ્તક અંગ્રેજીમાં પ્રકટ કર્યું છે. બાઈબલ આજે ગુજરાતી ભાષામાં ઊતરેલ છે. આ જાતની પ્રવૃત્તિ આપણા સાધુઓએ કરવી જોઈએ. ામણી વિદ્યાપીઠના વિચાર મને ગમ્યો છે. અંતમાં (ન સ્વદ્ ગમયે રાખ્યું, ન સ્વાઁ, ન પુનમલમ્ । ામયે દુ:લતપ્તાનાં, પ્રાળીનામતિનાશનમ્।
આ શ્લાક પાછળ રહેલી ભાવના મને વધારે માન્ય છે. શ્રી ગીરધરલાલ દફતરી
આ ચર્ચા કરવાના આપણને અધિકાર છે. પહેલાં આપણે બધા માઈકનો વિરોધ કરતા હતા. આજે પ્રાયશ્ચિત લઈને પણ માઇક વાપરવું એવું નક્કી કર્યું છે. સાધુઓએ પચ્ચખ્ખાણ લીધા હાય એટલે પાળવા જોઈએ અને સાધુઓ જો એમનાં પચ્ચખ્ખાણ પાળતા હોય તે તેમાં પરિવર્તન શા માટે કરીએ ? સાધુઓને પરિવર્તનનું કંઈ કહેવું એ મને યોગ્ય લાગતું નથી. હા, આપણે સૂચનાઓ કરીએ, સંડાસ વાપરવાની ભલામણ કરીએ, પણ સાધુવેશ છેડાવવા જેટલે પરિવર્તનના વિચાર ન કરીએ ... આપણે જૈનધર્મના પ્રચાર માટે બ્રહ્મચર્યાશ્રામ જેવા એક બીજો આશ્રમ ખેલવા જેઈએ. બાકી આ પરિવર્તન અંગે કોઈ ઠરાવ કરવાની જરૂરત હું જોતો નથી.
ડૉ. જગદીશચંદ્ર જન
વર્તમાનયુગ વિજ્ઞાનના યુગ છે. માનવી પોતાના અથાક પ્રયત્નોને લીધે ચંદ્રમાની સપાટીને સ્પર્શીને પાછા આવી પહોંચ્યા છે. સેાવિયેત રશિયા તથા અમેરિકા વિશ્વની સમસ્યાઓને ઉકેલવા માટે એકબીજાની સમીપ આવી રહ્યા છે. દુનિયામાં સર્વત્ર ક્રાન્તિકારી પરિવર્તન થઈ રહ્યું છે. આમ છતાં સમયાનુસાર પરિવર્તન કરવામાં
2