________________
Regd No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭.
પ્રબુદ્ધ જીવન
શ્રી મુ ́બઇ જૈન યુવક સૌંથનુ પાક્ષિક મુખત્ર છૂટક નકલ ૪૦ પૈસા
પ્રબુદ્ધ જૈન'નું નવસ કર વર્ષ ૩૨ : અંક પ
મુંબઇ, જુલાઇ ૧, ૧૯૭૦ બુધવાર પરદેશ, માટે શીલિંગ ૧૫
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
* આપણી સાધુ સંસ્થા અંગે ચાજાયેલા
પરિસંવાદ— ૧
[ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ૪૦ વર્ષની કારકિર્દી દરમિયાન સંધના ઉપક્રમે અનેંક સભા અને સંમેલનો યોજાયાં છે, પણ તા. ૧૪ મી જૂનના રોજ મળેલી પરિસંવાદ સભા, આગળનાં સંમેલન અને સભાઓની અપેક્ષાએ અપૂર્વ કોટિની હતી. એક તા પરિસંવાદ જે વિષય અંગે યોજવામાં આવ્યો હતો તે જૈન સમાજની દષ્ટિએ અસાધારણ મહત્ત્વનો હતો. બીજું અમારા નિયંત્રણને માન આપીને જૈન સમાજના જુદા જુદા ફ્રિકાના અને એક છેડેથી બીજા છેડા સુધીના વિચારો ધરાવતા આગેવાના યા વિચારકો ઉપસ્થિત થયા હતા. તે જ દિવસે સવારે મુંબઈમાં પાયધુની ખાતે શ્રી વિજ્ય સમુદ્ર સૂરિજીની પધરામણી થનાર હોવાથી શ્વે. જૈ. વિભાગના અમુક આગેવાના આ પરિસંવાદમાં ભાગ લેવા માટે આવી શકયા નહોતા. પણ અન્ય આગેવાનોની ઉપસ્થિતિ ધ્યાનમાં લેતાં આ પરિસંવાદ સભા જૈન સમાજના પ્રતિનિધિત્વને રજૂ કરતી હોય એમ લાગતું હતું. આ રીતે વિચારતાં આ પરિસંવાદમાં જેમણે ભાગ લીધો હતો તેમના આ પરિચય આપવા જરૂરી લાગે છે. સભાનું પ્રમુખસ્થાન જેમણે શાભાવ્યું હતું તે શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ અમારા સંધના પ્રમુખ છે અને મુંબઈ સ્થાનકવાસી સંઘના ફેડરેશનના પણ પ્રમુખ છે. શ્રી કુસુમબહેન માતીચંદ શાહ દિગંબર જૈન છે અને ભારત જૈન મહામંડળના એક કાર્યકર છે. શ્રી ખીમચંદ મગનલાલ વારા મુંબઈના સ્થાનકવાસી સંઘના એક અગ્રગણ્ય આગેવાન છે. શ્રી શાન્તિલાલ હ. શાહ જન્મથી દિગંબર જૈન છે. હાલ પાર્લામેન્ટના સભ્ય છે. શ્રી ગીરધરલાલ દફતરી મુંબઈના સ્થાનકવાસી સંઘના સર્વમાન્ય આગેવાન છે. ડા. જગદીશચંદ્ર જૈન જન્મે દિગંબર જૈન અને હિંદી સાહિત્યના અગ્રગણ્ય ઉપાસક અને નિવૃત્ત પ્રાધ્યાપક છે. શ્રી અંબુભાઈ મુનિ સન્તબાલજીના અનુયાયી અને સહકાર્યકર્તા છે. શ્રી જેઠાલાલ ઝવેરી મુંબઈના તેરાપંથી સમાજની અગ્રગણ્ય વ્યક્તિ છે. શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી શ્રી સ્થાનકવાસી આગેવાન અને તાજેતરમાં સ્થપાયેલ શ્રમણી વિદ્યાપીઠના મુખ્ય નિર્માતા છે. પ્રા. દલસુખભાઈ માલવણિયા જૈન પંડિત અને લાલભાઇ દલપતભાઈ ભારતી સંસ્કૃતિ વિદ્યામંદિરના ડીરેકટર છે. પ્રબુદ્ધ જીવનના કેટલાક વાચકોની ખાસ ઈચ્છાને માન આપીને પ્રસ્તુત પરિસંવાદની સવિસ્તર વિગતો નીચે આપવામાં આવે છે. પરમાનંદ
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૧૪ મીએ જૂને રવિવારે સવારે ૯ વાગે સંઘના કાર્યાલયમાં આપણી સાધુ સંસ્થાના અદ્યતન સ્વરૂપમાં .તેમ જ તેના આચારવ્યવહારમાં કોઈ ફેરફારની આવશ્યકતા છે કે. નહિ અને જો હોય તો કેવા ફેરફારો . ઈચ્છનીય છે એ વિશે વિચારપરામર્શ કરવા માટે જૈન સમાજના વિચારકોના એક પરિસંવાદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે યોજવામાં આવ્યો છતો.
આ પ્રસંગે અમારા નિયંત્રણને ખાસ માન આપીને શ્રી. દલસુખભાઈ માલવણીયા, અને શ્રી અંબુભાઈ બહારગામથી આવ્યા હતા, જ્યારે અન્ય નિમંત્રિત વકતા સ્થાનિક હતા. આમાં શાસ્ત્રોના જાણકાર, સાધુસંસ્થા સાથે નિકટ પરિચય ધરાવનાર, તેમ જ જૈન સમાજ સાથે ગાઢ સંબંધ ધરાવનાર એમ જૂદી જૂદી વિશિષ્ટતા ધરાવનાર ભાઈ - બહેનો ઉપસ્થિત થયાં હતાં.
કાર્યાલયનું સભાગૃહ શ્રોતાઓથી ખીચાખીચ ભરાઈ ગયું હતું. શરૂઆતમાં પ્રમુખસ્થાનેથી બાલતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આજના પરિસંવાદની પૂર્વભૂમિકા નીચે મુજબ રજુ કરી. હતી :–
પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહનુ પ્રારંભિક પ્રવચન
આપણી ભ્રામણ સંસ્થા એમના આચાર વિચારમાં પરિવર્તન માગે છે કે નહિ, અને પરિવર્તન માગતી હાય તો કેવા પ્રકારનું અને આ પરિવર્તન કેવી રીતે કરવું એ આજના મુખ્ય વિષય છે. એક ધર્મને બીજા ધર્મથી જુદી પાડતી ચાર વસ્તુઓ છે૧. એના આરાધ્ય દેવ કોણ છે?
૨. એ કયાં શાસ્ત્રોને પોતાનાં શાસ્ત્રો ગણે છે?
૩. એના ધર્મનાં વિધિ-વિધાના (Rituals and Religious observences) કેવાં પ્રકારનાં છે?
૪. એ કોને પોતાના ધર્મગુરુ માને છે.?
મૂળ સિદ્ધાંતો જોઈએ તે તેમાં સર્વ ધર્મની એકતા જણાશે. દરેક ધર્મમાં ધર્મગુરુઓનું સ્થાન કદાચ સૌથી ઊંચું છે. જનસમુદાય માટે ધાર્મિક જીવન ઉપર ઊંડી અને વ્યાપક અસર એના ધર્મગુરુની રહે છે. ધર્મગુરુના આદર્શ એની સમીપે છે. આ આદર્શ શાસ્ત્રોમાં પણ આપ્યો છે. એ વાત સાચી છે કે આદર્શ સર્વથા મૂર્તિમંત થયો નથી. પરિવર્તન વખતોવખત થતું પણ જાય છે.
આજની આપણી કામણસંસ્થા વિષે બે અભિપ્રાયો પ્રવર્તે છે. કેટલાક ને નિરુપયોગી અને જડ માને છે. આનું કારણ આચારની શિથિલતાએ અને સાચા જ્ઞાનના અભાવે એના ઉપરની શ્રાદ્ધા ઉડાડી દીધી એ છે. આ વર્ગ માને છે કે સાધુઓએ વર્તમાન સમયને અનુકૂળ થવું જોઈએ. બીજો વર્ગ એમ માને છે કે શાસ્ત્રોનાં વિધિવિધાના દઢપણે અને કઠોરપણે જે પાલન કરે છે એને સાધુ કહેવાય.
આવું જ સાધુઓમાં–
એક વર્ગ માને છે, “અમે અમારી આચારનિષ્ઠામાં દઢ છીએ. તમે શું માનો છે એની સાથે અમારે નિસ્બત નથી. અમારા ધર્મ છે ફકત આત્મકલ્યાણના
બીજો વર્ગ વર્તમાન સમયને અનુકૂળ થવાના પ્રયત્ન કરે છે અને એમાં એ ભાતભાતના પ્રયોગ કરે છે. પણ આમાં એ મુનિક વેશ જાળવી રાખે છે - સમાજનો આદર ચાલુ રાખવા. આમાં શાવકના એક વર્ગ એક તરફ અને બીજો વર્ગ બીજી તરફ ખેં'ચાય છે. આમ આĂ વિચારધારા આપણે લક્ષ્યમાં રાખવાની છે. આપણે એ પણ લક્ષ્યમાં રાખવાનું છે કે અન્ય ધર્મોના ધર્મગુરુઓ કરતાં