________________
પ્રબુદ્ધ જીવન
૪૮
સહન કરવા, કાના સહવાસ ટાળવા ? એ જાતની નમાલી રૂઢ વિચારણા છેડી દેવી જૉઇએ.
હું તે। આખી દુનિયા ફરી આવ્યો છું. રૂઢિવાદી લોકો મને પૂછે, “તમે બ્રાહ્મણ છે, અમારા હાથનું રાંધેલું તમને ખપે ?” હું એમને કહું છું “હું શાકાહારી છું, માંસ, માંછલી કે ઈંડાં, મને ન ખપે, શરાબ પણ ન પીઉં, પણ કોઇ પણ જીવતા માણસના હાથનું રાંધેલું મને જરૂર ખપે. હું સિલાન, બ્રહ્મદેશ, ચીન કે જાપાન ગમે ત્યાં ગયા. મહેમાન તો ત્યાંના લોકોના જ થયો. એમાં મારે પણ અગવડ વેઠવી પડે અને મારા યજમાનોને પણ વિશેષ મહેનત કરવી પડે. પણ એ વગર સંબંધ બંધાય કેમ ? હું માંસાહારીને ત્યાં જ, મારી પડખે બેસીને લેાકેાને માંસ કે માછલાં ખાતાં જોઉં, એ રીતે મેં મારી જાતને કેળવી છે. દુનિયામાં રહેવું ય, સેવા કરવી હાય તો સુગાળવાપણુ કામનું નથી. ડૉકટરોને સુગાળવા થવું પાસાય?
રોટીબેટી વ્યવહારની મર્યાદા આપણે એટલી બધી વધારી દીધી છે કે દુનિયાથી આપણે અળગા પડીએ છીએ, એટલું જ નહિ પણ, દેશની અંદર પણ જેટલી ન્યાતા તેટલા અલગ રાષ્ટ્ર' એના જેવી સ્થિતિ આપણે કરી મૂકી છે. ન્યાતજાતનું બંધન જૈન માટે ન હોવું જોઇએ, પણ એ બંધન આજે સહુથી વધારે જૈન શ્રાવકોમાં જ છે. હું સનાતનીઓને જ્યાં ત્યાં કહેતા ફરું છું કે ન્યાતજાતના ભેદો હવે કાલગ્રસ્ત થયા છે. એ ભેદો તોડય જ છૂટકા. પરપર અનુકૂળતા હોય તે માણસ પોતાની ન્યાત બહાર પરણે એ જ ખાસ ઇષ્ટ છે. વિવાહ સંબંધથી આપણે આપણુ સામાજિક જીવન વ્યાપક કરીએ છીએ. ગાંધીજીએ આ જ દષ્ટિથી નિયમ કર્યો કે જે લોકો અમારા આશ્રમના વાયુમંડલના લાભ લઇ પોતાનાં દીકરા દીકરીઓને આશ્રમમાં જ પરણાવવા માંગતા હાય, તેમણે જાણવું જોઇએ કે પરણનાર યુવક અને યુવતી ભિન્ન ન્યાતિના હાય (દાખલા તરીકે બ્રાહ્મણ અને હરિજન) તો જ આશ્રમના આશીર્વાદ એમને મળવાના.
બીજાની માઠી અસરથી આપણે ડરીએ, એના કરતાં આપણી પોતાની સારી અસર ચારેકાર ફેલાશે એ જાતની ઉમેદ, એ જાતનો આત્મવિશ્વાસ આપણે કેમ ન કેળવીએ?
એક વાત સ્પષ્ટ છે કે “હવે પછી ન્યાત ટકે તો હિંદુધર્મ કે જૈન ધર્મ ટકવાના નથી.” (હું જાણું છું કે આપણે ત્યાં કેટલાક એવા તો રૂઢિધર્મી છે જે કહેશે - “ધર્મ ટકે કે ન ટકે. ન્યાતિભેદ ટકાવા જ છે. ન્યાત, એ જ અમારું સારસÖસ્વ છે.”
કાળે કરીને આવા આગ્રહી તૂટી જવાના છે એ વિષે શંકા નથી. પણ સુધારો વખતસર ન કરીએ તે આપણી હસ્તી જ મટી જવાની છે. સુધારાના સાર તે એ વખતસર કરવામાં જ છે.
હું આશા રાખું છું કે અહીં ભેગા થયેલાં ભાઇઓ અને બહેન અમુક સુધારા માટે હવે તૈયાર થઇ જ જશે. બીજી ભાષામાં કહું ત ગાંધીયુગ-—પરિવર્તન નિષ્ફળ નહિ જ નીવડે.
તા. ૧૬–૯–૧૭૦
ગાંધીજી અને ટામેાર
(૧)
ગાંધીજી પવિત્ર ભગવદ્ગીતા હતા તે ટાગાર ઉપનિષદની આવૃત્તિ સમાન હતા.
એક જીવનભર કર્મયોગી રહ્યા; બીજા આજીવન સૌંદર્યના પૂજક રહ્યા; છતાં પોતપેાતાને માર્ગે રહી બંનેએ એક જ પરમતત્ત્વની આરાધના કરી.
ચરખા ચલાવતાં ગાંધીએ કામનો મહિમા ગાયો તે સંગીતમય ટાગોરે નાદબ્રહ્મનો મહિમા ગાયો.
એકે ઘવાયેલી માનવતાની માવજત કરીને તે બીજાએ મુરઝાયેલી માનવતાને નવપલ્લવિત કરીને વિશ્વપ્રેમના અપૂર્વ આનંદનો રસ સરખી રીતે જ માણ્યો.
નાતિકતાના આધાર પર ગાંધીજીએ જીવનનું મહાપ્રસ્થાન કર્યું તા ટાગોરે પ્રભુના ‘સુન્દરમ્’ સ્વરૂપ પાસે ભાવવિભાર બની નર્તન કર્યું.
ગાંધીજીની દષ્ટિએ સમસ્ત વિશ્વ પ્રભુનું પરમધામ હતું તો સૌંદર્યપ્રેમી ટાગારને મન આ જગત સર્જનહારના અદ્ભુત ગુલઝાર હતું. એકે કર્મમાં જીવનની ધન્યતા અનુભવી તેા બીજાએ વિશ્વના રમણીય તત્ત્વામાં પરમ રહસ્યની ખોજ કરી. બંનેની સાધનાપતિ ભિન્ન હતી પરંતુ જીવનદર્શન સરખું જ મહાન હતું.
એકે જીવનની વિષમતા વચ્ચે રહી તેને સમજવા તથા તેની અટપટી ગૂંચાના ઉકેલ 'માટે ભેખ લીધા તે! બીજાએ એ કઠોર રૂક્ષતા વચ્ચે બેસી કુદરતના મંગલ મનોરમ સ્વરૂપનું ગાન છેડયું અને આ બંને અવધૂતાને કુદરતના અસીમ સામર્થ્યની ઉગ્રતા, કરુણાની આર્દ્રતા અને માંગલ્યના મહિમાની અનુભૂતિ સમાન રીતે જ પ્રાપ્ત થઈ.
જીવનના દરેક ક્ષેત્રમાં આચાર અને વિચારની શુદ્ધિ માટે સત્યપ્રેમી ગાંધીજીએ ખાસ ભાર મૂકયો. તેજસ્વી અને વિરાટ વ્યકિતત્વ ધરાવનાર ગાંધીજીનું જીવન એક પ્રયોગશાળા જેવું હતું. એક કુશળ વૈજ્ઞાનિકની આદાથી તેમણે કરેલા વિવિધ જીવનપ્રયોગા એક મહાકાવ્ય સમા બની ગયા.
તો સૌંદર્ય, રમણીયતા અને લાલિત્યનાં પરમ ચાહક ટાગોરને મન જીવનનું પ્રત્યેક સ્પંદન એક લયબદ્ધ ગાન હતું.
ગાંધીજીએ જોયું કે જે પ્રજાને પેટ પૂરતું ખાવા મળતું નથી તે સાચા અર્થમાં પ્રગતિ નહીં કરી શકે. દારિદ્રયને સૌપ્રથમ નિવારવા તેમણે ચરખા ચલાવ્યા, ખેતી કરી; અને ડ્રામનું મહત્ત્વ વધાર્યું.
આરસમાંથી અદ્ભુત લાકૃતિ ઊભી કરતા કોઈ શિલ્પી જેવા ગાંધીજી જીવનશિલ્પી હતા, જડ જીવનને તેમણે કોરી—કડારી આકાર આપ્યો; રંગ આપ્યો; રૂપ આપ્યું; અને જીવન હસી ઊઠયું. તા લારસિક ટાગા૨ે જીવનબાગમાંથી સુંદર સુવાસિત પુષ્પો એકઠાં કરી પ્રિયતમાની સેરમાં હોંશભેર ગૂંથ્યાં.
બંન્નેએ જીવન સાથે ગાઠડી કરી તેને ગાઢ આલિંગન આપ્યું. એકે પુરુષસહજ વીરતાથી. બીજાએ મુગ્ધાના લાલગુલાબી ભાવાથી.
(૨) ટાગારના મધુર સંગીતે ઊગતી પેઢીને જીવનનો મર્મ અને આત્મશકિતનું ગૌરવ સમજાવ્યું.
માનવજાતિની પીડા નિહાળી ગાંધીજી ખુદ કરુણા બની ગયા અને વેદનાના પરિતાપમાં ઓગળી જઈ એ કરુણામૂર્તિ અસ્ખલિત પ્રેમધારા બની જગતમાં વહી રહ્યા.
હિંસા, સંઘર્ષ, શાષણ, આક્રમણ અને અત્યાચારથી દુનિયા કળાઇ છે. યુદ્ધની વધારેમાં વધારે તૈયારી કરનાર રાષ્ટ્રો પણ સમજી ગયા છે કે, હિંસા દ્વારા હવે પછી સર્વનાશ જ થવાનો છે. આ રીતે હારેલી દુનિયા, અહિંસાના આશાદાયક સંદેશા અજમાવવા તૈયાર થઇ છે. હિંસા પરના એને વિશ્વાસ ઉડી ગયા છે. અહિંસા વિષે, ગાંધીના જમાનામાં દુનિયાને આશા બંધાઇ, પણ છેલ્લા વીસ વર્ષમાં આપણે અહિંસાના વિકાસની દિશામાં કશું પગલું ભર્યું નથી, ગુરુયાર્થ કર્યો નથી. તેથી અહિંસા પર દુનિયાનો વિશ્વાસ ટકતા નથી. શું ‘અહિંસા પરમે. ધર્મ’ કહેનાર જૈન લોકો, આ તકનો લાભ લઇ અહિંસાના પ્રચાર કરવા આગળ નહિ આવે?
સમાપ્ત
✩
કાકાસાહેબ કાલેલકર.
અનુવાદક: સૌ. શારદાબહેન શાહ માલિક શ્રી સુખ જૈન યુવક સધ ઃ મુદ્રક અને પ્રકાશકઃ શ્રી પરમાનંદ મુંબઇ૪. ટે. નં. ૩૫૦૨૯૬
ટાગોરે પોતાના માનવ – બાંધવા પ્રત્યેના સદ્ભાવથી પ્રેરાઈ પિતાના ઘરની સુખસગવડોનો ત્યાગ કર્યો; અને જીવનમાર્ગમાં અટવાઈ ગયેલા વટેમાર્ગુઓને સાચે રાહ ચીંધવા તપોવનમાં પોતાનું આસન બિછાવ્યું.
શાન્ત
ભારતવાસીઓની આંખનાં અશ્રુઓ જૉઈ ગાંધીજીએ અંગત સુખાપભાગનો ત્યાગ કર્યો તા પેાતાના હતાશ માનવભેરુઓને જોઈ ટાગોરનું હ્રદય હમેશાં ભાવભીનું રહ્યું.
આભના ઝબૂકતાં તારલાઓ ગુપચુપ આવી ગાંધીજીના કાનમાં કહ્યું, “ચાલ ઉપર! અમારી સાથે કામે લાગી જા ! ''
ટાગાર, આંખો પટપટાવતાં એ તારલાને સ્પષ્ટ કહી દીધું, “તમે જ અમારી સાથે ધરતી પર ખેલવા આવોને!”
મૂળ અંગ્રેજી સ્વ. ગુરુદયાલ મલ્લિક
કુંવરજી કાપડિયા, પ્રકાશનસ્થળ ઃ ૩૮૫, સરદાર વી.પી. રાડ, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુખ-૧
12