________________
તા. ૧૬-૬-૧૯૭૦
પ્રભુ જીવન
જૈન સમાજ ધર્મ તેજ કેળવશે?
(ગતાંકથી ચાલુ)
જ્યાં બધા જ સમાજો શિથિલ છે અને માનવાની દુર્બળતા અને વિકૃતિ જ્યાં બધે સરખી રીતે ફેલાઈ છે, ત્યાં કોણ કોને દોષ જુએ? જ્યાં જ્યાં જ્ઞાન, સત્યનિષ્ઠા, પવિત્રતા, કારુણ્ય, સેવાભાવ અને ઉદારતા હાય, ત્યાં ત્યાં એની કદર કરીએ. મારા ઉદ્દેશ કોઈ પણ સમાજ કે વર્ગના ગુણદોષોની ચર્ચા કરવાના છે જ નહિ, મારે એટલું જ કહેવું છે કે જૈન ધર્મ, જે મૂળ વિશ્વકલ્યાણ માટે સાર્વભૌમ ધર્મ તરીકે પ્રવૃત્ત થયો, તે હિંદુધર્મની માઠી અસરથી વંનિષ્ઠ થઈ ગયા છે. રડયાખડયા સાધુ કોઈ પછાત વર્ગના દસવીસ લોકોને જૈન ધર્મની દીક્ષા આપે તે તેટલા પરથી જૈન ધર્મ પેાતાનું મિશન છેડી નથી દીધું એમ સિદ્ધ નથી થતું.
સાધુલાકો શ્રાવકોને આધારે જીવે. શ્રાવકો રૂઢિની કસોટી પ્રમાણે સાધુઓના આચાર કસી જુએ. પરિણામે શ્રાવકો તેમ જ સાધુએ રૂઢિમાં સુધારો કરવાની કલ્પના પણ ન કરી શકે. માણસના આદર્શો સુધરે, જ્ઞાનમાં વિકાસ થાય, પરિસ્થિતિ બદલાય, તે યે રૂઢિના આગ્રહ તત્ત્વત: કાયમ રાખે, એ સમાજ ગમે તેટલા સમૃદ્ધ હોય, તે પણ તેનેજડતાના ઉપાસક જ કહેવા જોઈએ. રૂઢિ વગર સંગઠન નથી અને સંગઠન વગર સમાજમાં આદર્શ ટકતા નથી એ વાત ખરી, પણ જેમ ઉંમર વધે તેમ શરીર વધે છે; જ્ઞાન અને અનુભવ વધે તેમ મન પરિપકવ થતું જાય છે; તેમ જ જમાનો બદલાય, તે પ્રમાણે આદર્શ સુધરે તેમ રૂઢિઓની જડતા છેડી દઈ, આવશ્યક પરિવર્તન વખતસર કરવા તૈયાર થઈ જાય. એમ ન થાય તો સામાજિક જીવનમાં દ’ભૂ પેસી જાય. ધર્મનિષ્ઠા નિષ્પ્રાણ થાય અને અંતે નવા અને તેજસ્વી તત્ત્વો જૂના ધર્મને તિરસ્કૃત કરી ખાઈ જાય.
પશ્ચિમની સંસ્કૃતિ સારી હાય કે નરસી પણ તે જીવતી છે, પ્રાણવાન છે અને પોતાની અસર બધે ફેલાવતી જાય છે. રૂઢિવાદી સમાજોના રિવાજ પણ હવે નક્કી થયા છે. પશ્ચિમની બાજુથી કાંઈ પણ નવું આવે ત્યારે એ ‘અધાર્મિક છે, વિકૃતિ છે’ એમ કહીને એની નિંદા કરવી, છતાં એને રોકવાનો પ્રયત્ન કરવા જેટલા પ્રાણ કેળવવાની જવાબદારીને અભાવે, તટસ્થપણે આક્રમણ જોયા કરવું. એ આક્રમણ ઘરમાં બધે ફેલાય એટલે મનનો વિરોધ પણ મેળા કરવા અને નવી વસ્તુઓ મને-કમને મંજૂર રાખવી. કાળે કરીને એ જ વસ્તુઓ પૂછી. સમાજમાન્ય રૂઢિ બને છે અને એને માટે નવા બચાવ પણ ગેાઠવવામાં આવે છે!! આપણે ત્યાં જમાનો એની મેળે બદલાય છે. આપણે એને વિચારપૂર્વક કે સંકલ્પપૂર્વક બદલતા નથી. બહારથી વસ્તુઓ આવતી જાય છે, આપણે આપણી સંસ્કૃતિના આદેશ પ્રમાણે અને આપણાં જીવનની જરૂરિયાત પ્રમાણે કશું ઉપજાવવાના પુરુષાર્થ કરતા નથી. પોશાક હોય કે ઘરનું રાચરચીલું હોય – જે આપણે ત્યાં આવે છે તેના, બબડતા અથવા ઉત્સાહપૂર્વક, સ્વીકાર કરીએ છીએ અને માનીએ છીએ કે આપણે આપણા ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન છીએ. ફકત કમાવું અને જીવન માણવું એટલી જ આપણી પ્રવૃત્તિ. (ઘણીવાર જીવન માણતા પણ બરાબર આવડતું નથી એ વાત નાખી. )
આવડી મોટી સંસ્કૃતિ, આવડો મોટો દેશ અને આવડી જબરદસ્ત લાકસંખ્યા. પણ આપણું નેતૃત્વ કર્યાંય નથી!
જો આપણે અહિંસાધર્મમાં માનતા હોઈએ, અને ગાંધીજીએ અહિંસાને જે વ્યાપક રૂપ આપ્યું, તેને માટે અભિમાન ધરાવતા હોઈએ તો આપણૅ રૂઢિઓનું સામ્રાજ્ય તાડવું જોઈએ. જૈન રૂઢિ પ્રમાણે ખાવાપીવાની સગવડ મળે, તેટલા જ પ્રદેશમાં સાધુઓ રહે, દેશ બહાર જાય જ નહિ, તો અહિંસાધર્મના પ્રચાર કેમ
૪૭
થાય? જો ડૉકટર કહે કે ‘હું તે! મારી જાતને નિરોગી રાખવામાં માનું છું. રાગીઓના સંપર્ક મને ન ખપે!” તે એવાને તમે ડૉકટર કહેશે ખરા ? સાધુઓએ આનો વિચાર કરવો જોઈએ.
એક અમેરિકન નેતા અંગ્રેજો સામે લડયો અને એણે અમેરિકાને સ્વતંત્ર કર્યું. ત્યાર પછી ફ્રેન્ચ લોકોની હાડમારી દૂર કરવા અને એ પ્રજાને સ્વતંત્ર કરવા એ ફ્રાન્સ પહોંચ્યો. કોઈકે એને પડકારીને પૂછ્યું “સ્વદેશ છેડીને તું અહીં કયાંથી આવ્યા? તારા સ્વદેશ તા . અમેરિકા છે ને?” એણે આપેલા જવાબ વિશ્વ સાહિત્યમાં અમર થયા છે. એણે કહ્યું, “અમેરિકા મારો સ્વદેશ હતો ખરા, પણ ત્યાં હવે પારતંત્ર્ય નથી; અને મારે તે પાતંત્ર્ય સામે લડવાનું, એટલે જ્યાં પારતંત્ર્ય હોય એ દેશને જ મારો સ્વદેશ બનાવું. My home is where liberty is not.” જૈન ધર્મમાં માનનારે - પછી એ સાધુ હાય કે શ્રાવક. એમજ કહેવું જોઈએ કે જ્યાં હિંસા ફેલાઈ છે, નબળા લેકો રીબાય છે, નબળા પ્રાણીઓની હાય કોઈ સાંભળતું નથી, ત્યાં જ મારે દોડીને જવાનું રહ્યું. પોતાની સુખાકારીનો વિચાર કર્યા વગર, ગમે તે જોખમે, હિસાતત્ત્વનો વિરોધ કરતો જાઉં. અહિંસા એ જ માનવધર્મ છે એ માણસજાતને સમજાવતો જાઉં, એ જ મારા જીવનધર્મ, એ જ મારું સાધુ તરીકેનું મિશન.
મહાત્મા ગાંધીએ માણસજાતને બતાવી દીધું કે અહિંસાધર્મનું સંપૂર્ણ પાલન કરીને પણ માણસ હિંસા સામે ‘લડી’ શકે છે. અહિંસામાં રહેલું ક્ષાત્રતેજ દુનિયા આગળ પ્રગટ કરવું એ હતું ગાધીજીનું યુગકાર્ય. માનવી સંસ્કૃતિમાં ગાંધીજીએ આ જે મહત્ત્વનો ઉમેરો ર્યો એ કાર્ય આગળ ચલાવવા માટે જેઓ આખી દુનિયામાં ફરી વળે, તેએ જ સાચા અહિંસાધર્મી.
એકવાર હું આચાર્ય તુલસીજીને મળ્યો. સમાજ જે સ્થિતિએ છે, ત્યાંથી એને ઉપર ચઢાવવા માટે સૌમ્ય પ્રારંભ કરવાની દષ્ટિએ એમણે જે અણુવ્રત આંદોલન શરૂ કર્યું છે તે પ્રવૃત્તિ વિષે મારા મનમાં આદર છે. મે... એમને કહ્યું કે આદર્શ જૈન સાધુઓને સલાહ આપવાનું મારું કામ નથી. તેઓ ભલે ભારત બહાર પગ ન મૂકે. પણ જ્યાં જ્યાં સત્ય, અહિંસા, સંયમ અને નિષ્કામ સેવાની આવશ્યકતા છે, ત્યાં ત્યાં બધી અગવડો વેઠીને અને જરૂર પડયે પોતાનાં જીવનક્રમમાં જરૂરી બધા ફેરફાર કરી માનવજાતની સેવા કરનારા એક નવા પ્રચારક વર્ગ તૈયાર કેમ ન કરો? જૂના આદર્શની પ્રતિષ્ઠામાં ભલે એ ઉતરતા ગણાય. ભારતબહારની ભાગભૂમિમાં પગ ન મૂકનાર ઉચ્ચ કોટિના સાધુ જેટલી એની પ્રતિષ્ઠા ભલે ન ય. પણ અહિંસાધર્મના ફેલાવા માટે એક નિષ્ઠાવાન નવા વર્ગ ઊભા કેમ ન કરીએ? જે દુનિયામાં બધે જાય અને લોકોને સમજાવે કે “હિંસાદ્રારા સર્વનાશ થવા બેઠો છે. એવે વખતે અહિંસાપ્રધાન સાતિનો જ સ્વીકાર કરવા જોઇએ.”
આચાર્ય તુલસીજીએ કહ્યું, “તમારી વાત સાચી છે, હું પણ એ દિશાએ જ વિચાર ચલાવું છું.”
આશા રાખું છું કે જૈન સમાજ આ જાતનું તેજસ્વી પગલું ભરશે અને જડ રૂઢિની અંદર ધર્મતત્વને ગુંગળાતું અટકાવશે. પગપાળા ચાલવાનો તમારો નિયમ તમે ભલે ન છેડો, પણ ભારત બહાર ધર્મપ્રચારને અર્થે જૈનધમી લોકો કેમ ન જાય? આ જાતનું એક જબરદસ્ત મિશન ઊભું કરવાના સમય પાયો છે. આવે વખતે કોના હાથનું ખાવું, કોના હાથનું ન ખાવું? કોના સહવાસ