SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬: પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૭૦ વાદના પાયા ઉપર રચાવા જોઈએ. સમાજનું શિખર અધ્યાત્મવાદી હોઈ શકે છે, પણ તેની બુનિયાદી ભૌતિક્નાદી જ હોવી જોઈએ. આમાં પરસ્પર વિરુદ્ધ એવું કાંઈક લાગે છે, પણ આ વિધાનમાં મને કોઈ વિરોધ દેખાતા નથી. . હું માનું છું કે આગામી ૫૦-૧૦૦ વર્ષો દરમિયાન અમેરિકા અથવા રશિયા અધ્યાત્મવાદી બની શકશે, પણ ભારત નહિ બની શકે. અમેરિકા–રશિયાની ભૌતિક પ્રગતિ એ કક્ષાએ પહોંચી રહી છે કે જ્યાં તે ભૌતિક વસ્તુઓથી મુકત બની જશે અને આગળની બાબતને વિચાર કરવા લાગશે. પ્રશ્ન: તો પછી ભારત ઉપર મહાત્મા ગાંધીના પ્રભાવને શું આપ માન્યતા આપતા નથી? ' ઉત્તર: ના, ગાંધીએ પોતાની રીતે આઝાદીને લક્ષ્ય બનાવીને યોગદાન આપ્યું, પણ એ તો પાછળનો ઈતિહાસ છે. આપણે આગળની વાત હવે વિચારવી ઘટે છે. સ્વાધીનતા બાદ ગાંધી તેમ જ તેમની જેવા લોકોએ એવી પરિસ્થિતિ પેદા કરી છે કે જેના પરિસામે કાયરતા પેદા થઈ છે. ગાંધી એક કુશળ સંગઠનકર્તા હતા, તેમણે ભારતના પુરાણા મન સાથે સમાધાન કરી લીધું હતું – તેને સંપૂર્ણપણે સ્વીકારી લીધું હતું, જે બીજા શબ્દોમાં કહીએ તો અવૈજ્ઞાનિક, બિલકુલ પ્રત્યાઘાતી અને જીવનને ઈનકાર કરવાવાળું મન હતું. પ્રશ્ન : શું આપ જનસાધારણ માન્યતા સાથે અસહમત છો કે તેમણે આઝાદી પ્રાપ્ત કરવામાં બહુ મોટું ગદાન આપ્યું છે? ઉત્તર : ભારત તે ગાંધી વિના પણ આઝાદ થવાનું જ હતું. જે તેઓ ન હોત તે એ કરતાં પણ વધારે વહેલાં ભારત આઝાદ બની ચૂક્યું હોત. જો ગાંધી ન હોત તો ભારતનો દષ્ટિકોણ કેટલે કે વધારે યથાર્થવાદી, તેમ જ વૈજ્ઞાનિક, તથા સમસ્યાઓ પ્રત્યે જાગરૂકતા ધરાવતો બન્યા હતા. ગાંધીએ પિતાની આસપાસ આદર્શવાદી લોકોને એકઠા કરી લીધા, જે ખેટા રિતે સરી પડયા અને જેમણે રાષ્ટ્રીય પ્રયાસને અસંભવ લ વડે રૂંધી નાખ્યા. આ પ્રશ્ન: શું આપના કથનને એ સાર છે કે પરમ સત્ય તથા પરમ અહિંસાની બાબતમાં ગાંધીજીને આદર્શ બહુ ઊંચે હતો? ઉત્તર: આ પૃથ્વી ઉપર પરમ એવું કશું છે જ નહિ. ગાંધી પિતે પણ પરમને પ્રાપ્ત કરી શક્યા નહોતા. આમ છતાં પણ મારી માન્યતા છે કે આપનું મન બદલવા માટે જો. હું અનશન કરું તો તે એક પ્રકારનું દબાણ જ છે, એક પ્રકારની હિંસા જ છે, નરી હિંસા છે. આપની છાતી ઉપર કઈ છરે ધરે એ એટલી હિંસા નથી, પણ જે આપણી છાતી ઉપર છરો રાખીને કોઈ એમ કહે કે આપ જો મારી વાત નહિ માને તો હું મરી જઈશ, તો તે વધારે હિસાત્મક છે. પહેલા પ્રસંગમાં આપ બચી પણ શકો છો, તેમ જ મરવા માટે રાજી પણ હોઈ શકો છે – બીજા પ્રસંગમાં બીજા આદમીને મરતો જોઈને આપને ખૂબ પાર વિનાની તકલીફ અને પરેશાની થવાની છે. બાપુની મર્યાદાઓ પ્રશ્ન : તો શું ગાંધીજીના ઉત્તરાધિકારના રૂપમાં આપણને જે આદર્શ અને ધ્યેય પ્રાપ્ત થયા છે તે બધું નિરર્થક છે? ઉત્તર : મારે પાકો વિશ્વાસ છે કે તે જ વ્યકિત સ્વતંત્ર, મુકત તથા સ્વાધીન છે કે જે પોતાનો રસ્તો પોતે શોધી શકે છે અને કોઈ પણ દિશામાં આગળ વધી શકે છે. મને ગાંધી અનેક કડક બંધનથી બંધાયેલા ભાસે છે. આ છે તેમના પોતાના સિદ્ધાંનતોનાં બંધન, જે તેમણે પોતે જ પોતાની ઉપર લાઘા છે. તે ચોવીશે કલાકનું બંધન છે. આ બંધને પિતાથી લદાયેલા હેઈને બંધનરૂપ લાગતા નથી. આ ઉપરાંત જે આપણે આ બંધનેને આદર કરવા માંડીએ છીએ તે આ બંધન છે, - બિલકુલ બંધન છે – એ સત્ય ઢંકાઈ જાય છે. આમ હોવાથી મારી તો માન્યતા છે કે જો આપ મહાત્માઓનું સન્માન કરવાનું બંધ કરી દો તો ૯૯ ટકા મહાત્મા ગેર-મહાત્મા’ બની જશે. આપ તેમનો આદર કરે છે તેથી તેમના અહંને વૃપ્તિ મળે છે. આ તૃપ્તિ એવી છે કે, જો આપ પાગલપણાને આદર કરવા માંડો તો આદમી પાગલ બનવામાં પણ ખુશી અનુભવવાને, ને નાગા થઈને આમ તેમ નાચવાને તૈયાર થઈ જવાને. આ દેશે હવે મહાત્માઓનું સન્માન કરવાનું બંધ કરી દેવું જોઈએ. આ પરંપરા તોડવી જ જોઈશે. બે મહાત્મા પ્રશ્ન: આ સિદ્ધાંત અનુસાર પણ આપણે શું એમ માનવું કે કોઈ પણ આદમી મહાત્માના સ્તર ઉપર ઊંચો ઊઠી શકતો જ નથી? ઉત્તર: આ બાબતમાં આપને એક કીસ્સો સંભળાવું. ગાંધીના કોઈ એક અનુયાયી બર્નાર્ડ શોને મળવા ગયા હતા તેણે શોને પૂછ્યું કે “આપ ગાંધીજીને મહાત્મા તરીકે સ્વીકારે છે કે નહિ?” શાં એ તેને જવાબ આપ્યો કે “જરૂર, હું તેમને મહાત્મા માનું છું પણ નં. ૧ મહાત્મા હું છું, અને નં. ૨ મહાત્મા તમારા ગાંધી, અને આ દુનિયામાં માત્ર બે જ મહાત્મા છે.” ભ્રષ્ટાચાર કેમ છે? પ્રશ્ન: ગાંધીજીએ પોતાના જીવનકાળમાં કેટલાંક આધ્યાત્મિક મૂલ્યોને વિકાસ કર્યો હતે, જે વારસાના રૂપમાં આપણા માટે તેઓ મૂકી ગયા છે. તો શું આપણે આ મૂલ્યોને ફગાવી દેવા? ઉત્તર : આપણી આધ્યાત્મિકતા અવૈજ્ઞાનિક છે અને તેથી આપણને બમણું નુકસાન કરે છે. તે આદમીને આધ્યાત્મિક તે થવા દેતી નથી, પણ ભૌતિક પણ થવા દેવી નથી. આમ બનવાથી ભ્રષ્ટાચાર પેદા થાય છે, કારણકે ભૌતિકવાદી થયા સિવાય આદમી જીવી શકતો નથી. તેને જીવવાને રસ્તો. શોધવો પડે છે. તમે તેને ભ્રષ્ટ થવાની ફરજ પાડી રહ્યા છે. મારા અભિપ્રાય મુજબ ભારતમાં ભ્રષ્ટાચાર અંગે આ સ્થિતિ ચારપાંચ હજાર વર્ષથી ચાલતી આવી છે. આ પ્રશ્ન : આ કેવું જીવનદર્શન છે કે જે નથી મને સુખી કરતું કે નથી અન્યને સુખી થવા દેતું? ઉત્તર: આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે. આખા દેશનું મન કુર બની ગયું છે. અહીં જે મહાત્માઓનું મન છે તે જ આ રાષ્ટ્રનું મન બની ગયું છે. એ સિવાય દેશનું પોતાનું કોઈ સ્વતંત્ર મન છે જ નહિ. તે પ્રશ્ન: શું ગાંધીજીની અહિંસા દેશની આઝાદીની લડાઈમાં એક વરદાન રૂપ સાબિત થઈ નથી ? ઉત્તર: ભારતને વિચારવાનો જે ઢંગ છે તે તેને બૈરાંઓ જેવો બનાવી રહ્યો છે. મારી માન્યતા છે કે જે આદમી હિંસાત્મક બની શકતો નથી તેની અહિંસાને કોઈ અર્થ નથી. જે કોઈ આદમી હિંસાત્મક થઈ શકે છે અને એમ છતાં તે અહિંસાત્મક બને તો તે સમજવામાં આવે તેવી વાત છે. તેમ બને તો તેની અહિંસા પણ એક શકિત છે. પણ આપણી અહિંસામાં શકિત પણ નથી. ઉપરથી આપણે તેને દર્શનના ઢાંકણ નીચે ઢાંકીએ છીએ અને વળી આપણે દરેક બૂરી ચીજને મોટા મોટા શબ્દો વડે ઢાંકવામાં હથિયાર બની ગયા છીએ. આપણે આપણી બધી બીમારીઓને દર્શનનું રૂપ આપીએ છીએ. દરિદ્રનારાયણ પ્રશ્ન: તે પછી શું આપ એ બાબતને સ્વીકાર કરતા નથી કે ગાંધીજીએ જનતા માટે, ખાસ કરીને ગરીબ તથા દલિત પીડિત” લોકોને ઉપર ઉઠાવવા માટે ખૂબ કાંઈક' કર્યું છે? ઉત્તર: ગરીબોના બનીને ગાંધીએ ગરીબોને પ્રભાવિત કર્યા, પણ તેમની ગરીબીને તેમણે મટાડી નહિ. ગરીબ સમાજ હંમેશા કાયર સમાજ હોવાને. આપણે ગરીબી તથા સાદાઈની પૂજા કરીએ છીએ. ગરીબીને મહાન બનાવીને, તેને ‘દરિદ્રનારાયણ’ જેવા શબ્દો વડે સજાવીને આપણે એ વાતને ખતમ કરીએ છીએ જે ગરીબીને મટાડી શકે તેમ છે. આપણને અમીરી, ખુશાલી તેમ જ સુખની ણા કરવાની ટેવ પડી ચૂકી છે. આ વૃત્તિ નિરાશાવાદ તરફ આપણને લઈ જાય
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy