SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૧૯૭૦ પ્રબુદ્ધ જીવન ૪૫ શેપમાં બે ફાંટા પડેલા જણાય છે. એક તે આ જગતમાં માણસે કેમ જીવવું, કેમ હરવું ફરવું અને કેમ પિતાને વ્યવહાર ચલાવ, આ અંગેનું સંશોધન હોય છે. જ્યારે બીજી બાજુ આ સૃષ્ટિની ઉત્પત્તિ, એનું સંચાલન અને એને પ્રલય અને જો કોઈ હોય તે આ બધાને કર્તા અને આખી વ્યવસ્થાને વ્યવસ્થાપક, એની રહેણીકરણી તેમ જ એની શકિત, રહેવાસ તથા આકાર, પ્રકાર વગેરેનું સંશોધન, રએ આ ગુઢ રહસ્યની બીજી બાજુ છે. આ બન્ને સંશોધનને આ ગેના રંધર વૈજ્ઞાનિકોને ધર્મ તરીકે ઓળખ્યા. જુદે જુદે સમયે, જદા જુદા સ્થળોએ અને જુદા જુદા માનવસમૂહ માટે આ ધર્મ- સંશોધન કરનારા મહાનુભાવ આ જગત માં અનેક વાર પેદા થયા છે અને થતા રહેશે. આ અનેક સંશોધકેમાંથી માનવ ઈતિહાસના પાને તે ગણ્યાગાંઠયા જ ચડયા છે. આજે દુનિયા જાણે છે તેવા ઈતિહાસમાં આપણી સમક્ષ કન્ફયુસિયસ, મૂચા, શ્રીરામ, શ્રીકૃષ્ણ, જરથોસ્ત. બદ્ધ, મહાવીર, મોહમ્મદ અને મહાત્મા ગાંધી નજરે પડે છે. ધર્મતત્ત્વ અંગે આ બધા મહા-માનવોએ ઠીક ઠીક પ્રમાણમાં આત્મ-મંથન કરી ઉપર જણાવેલ ધર્મના બને પાસાં વિશે કેટલાંક તારણ કાઢયાં છે. પિતપતાને ગ્ય અને તર્કદષ્ટિએ ઠીક લાગ્યાં તેવા તારણે–નિષ્કર્ષે તેમણે સૌએ દુનિયા સમક્ષ મૂકયાં પણ છે. હવે આમાંથી ધર્મનું જે પહેલું પાસું છે–એટલે કે મનુષ્યના સહન વ્યવહાર અંગેનું પાર છે એ અંગે તે રીતે બધા જ મહાનુભાવ લગભગ એકમત છે. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ એમ પાંચ મુખ્ય તો કે જેના પર મનુષ્ય-જીવન આધારિત હોવું જોઈએ તે અંગે તો દરેકે દરેક ધર્મ લગભગ સરખાં જ નીતિનિયમો બતાવે છે. અને ધર્મના વૈજ્ઞાનિકોમાં આ અંગે કેઈ નોંધવા જેવો ફરક જણાતું નથી. પરંતુ આપણે આગળ જોઈ ગયા તેમ ધર્મનું એક બીજું પાસું છે જેમાં દેખીતી રીતે જ ધર્મના વૈજ્ઞાનિકોને કલ્પનાને આશરો લેવો પડે છે, એટલે કે સૃષ્ટિ કેવી રીતે શરૂ થઈ? તેને વ્યવહાર ચલાવનાર કોણ? તે રૂપે રંગે કેવો? અને આ સૃષ્ટિને અંત કયારે અાવશે? તે પછી શું? આ અને આવા અનેક ગુઢ પ્રશ્નો અંગે ધર્મના વૈજ્ઞાનિકો જે નિષ્કર્ષ પર આવ્યા છે તેમાં ઠીક ઠીક મતભેદ છે એટલું જ નહિ પણ પરસ્પરવિરોધી તારણે પણ છે. આવા દરેક વૈજ્ઞાનિકની પાછળ માનવોનાં નાનાં મોટાં જ થ ચાલતાં જ હોય છે અને તે તે વૈજ્ઞાનિક પ્રરૂપેલી વસવું સત્ય છે અને એ સિવાયની અથવા એનાથી વિપરીત વસ્તુ સત્ય હોઈ જ ન શકે એવા વૈજ્ઞાનિક ઘમંડ સાથે આવાં જ છે તેમનાં નેતાને અનુસરતા હોય છે. પણ વધુ સુશ્કેલી તે એ છે કે જે બાબતમાં ધર્મનાં વૈજ્ઞાનિકો લગભગ એકમત છે અને જેના પર આ સંસારમાં સુલભ સંચાલનને અધાર છે, તે નીતિ નિયમે પર તે તે ધર્મના અનુયાયીઓ ઘણું જ ઓછું લક્ષ આપતા હોય છે એટલું જ નહીં પણ એના વારંવાર ભંગને પિને પિતા પર જ દયા લાવીને ક્ષમ્ય ગણી લેતા હોય છે. જ્યારે પેલા બીજ કાલ્પનિક પાસાને તે અચળ સિદ્ધાંત સમજીને ઝોડની જેમ વળગી રહેતા હોય છે. જો જરા પણ સમજપૂર્વક, બુદ્ધિપૂર્વક, તર્કશાસ્ત્રની દષ્ટિએ સમજીએ તે આટલું તે સ્પષ્ટ જ છે કે સૃષ્ટિનાં જન્મ, મરણ કે સંચાલન અંગેના જે સંશોધનો થયાં છે તેમાં સામાન્ય રીતે કલ્પનાના રંગ પુરવા સિવાય છૂટકો જ નથી. આનું કારણ છે. ધર્મ સંસ્થાપક ગમે તેટલો મહાન હોય પણ આખરે તે તે મનુષ્ય જ છે, એની સહિષ્ણુતા, સમજશકિત, કે રજૂઆતશકિતને મર્યાદા રહેવાની જ. હવે આવી મર્યાદાતિ શકિતવાળા જ્યારે અમર્યાદ શકિત પર પિતાને અભિપ્રાય આપવા મથે ત્યારે એને કલ્પનાના ઘેડે ચડયા સિવાય છૂટકો જ નથી અને કલ્પનાના સહારે લાવેલાં નિષ્કર્ષે કે તારણો તાર્કિક દષ્ટિએ કે હકીકતની દષ્ટિએ સર્વથા, સર્વત્ર, એકાંત સત્ય ન પણ હોય. અલગ અલગ નર્મના વૈજ્ઞાનિકો અલગ અલગ તારણે પર આવ્યા છે એ પરથી પણ સમજી શકાય છે કે એમાં કંઈક મર્યાદા નડે છે. એ સાચું કે કદાચ ધર્મના વૈજ્ઞાનિક આ અંગે જે કાંઈ તારણે પર આવ્યા છે તે પોતે તે પ્રમાણિકપણે સાચાં, અને ખાટાં ન ઠરાવી શકાય તેવાં સમજીને જ આવ્યા હશે, પરંતુ સત્યના પૂજારીએ આટલેથી અટકયે ચાલે એમ નથી. આજે આપણી સમક્ષ ઘણા ધર્મો, ઘણા સંપ્રદાય અને ઘણી વિચારસરણીઓ આપણી ચકાસણી માટે છે. છતાં પણ આ બધી કલપનાઓના તરંગમાં ન ઊતરીએ તે પણ ચાલે એવું જ છે. આજે આપણી પહેલી જરૂર તો છે પેલી પાંચ વાતે, સત્ય અહિંસા, અસ્તેય, બ્રહાચર્ય અને અસંગ્રહ–પર જોર દેવાની. એટલું કરીશું તો, જો હશે તે ખુદ ભગવાન જ આવીને આપણને એને આકાર, રૂપ તથા ગુણનું દર્શન કરાવશે. જે બાબતમાં આપણા ધર્મ–વૈજ્ઞાનિક એકમત છે ત્યાં આપણે સાવ ઉદાસીન છીએ, જયારે પેલા કલ્પનાના ઘેડાને આપાને છેડી શકતા નથી! આત્મા, ભગવાન, પુનર્જન્મ, કયામત હોય કે ન હોય; પૃથ્વી અનાદિ અનંત હોય કે કોકે બેસીને ઘડી હોય; આ બધા અંગે સાવ અજ્ઞાન રહીને પણ આપણે આપણા જીવનવ્યવહાર શુદ્ધ બનાવીએ તે અલ્લાહ મિયાં સ્વર્ગ અને આપણા ઘર વચ્ચે રેજ અપ-ડાઉન કરવા કાયમી પાસ કઢાવી દેશે. પણ આપણી અવળસંડાઈ ઓર છે. સાચું બોલવાની ઠોસ વાતને લગભગ બધા જ ધર્મના અનુયાયીઓ એકમત થઈ તરછોડી શકે છે પરંતુ શંકાશીલ વિધાન પર ઝનૂની થઈને ખુદ ખુદાની મખલૂકનો નાશ કરતાં પણ અચકાતા નથી ! આ ઝનુન જ્યારે સોળેકળાએ ખીલી ઊઠે છે ત્યારે આખા સંસારના સુલભ સંચાલનની જેના પર આધાર છે અને જેમાં ધર્મના બધા જ વૈજ્ઞાનિક એકમત છે તે નીતિનિયમોને છડેચોક ભંગ કરતાં અટકતા નથી, શરમાતા નથી. જ્યાં ઈશ્વર છે કે નહીં એ જ માટે ચર્ચાનો વિષય છે ત્યાં ઈશ્વર એકરૂપ કે અનેકરૂપ છે, સૃષ્ટિનો કર્તા છે કે નહીં એવી બાબતે અંગેની લડાઈઓ અને તે પણ ધર્મના સંશોધકો, જે બાબતેમાં એકમત છે એવા નીતિનિયમનો બેશરમ ભંગ કરીને લડવામાં આવતી લડાઈઓ નથી સમજાતી. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ખેતી માટે ગાય અને એની ઓલાદ ઘણું ઉપયોગી પ્રાણી છે, એટલે ગાયને મારવી નહીં, એ એક સંયમ ભારતવર્ષે કેળવ્યો. હજારો વર્ષની આ રૂઢ થયેલી સંસ્કૃતિમાં કેટલાક નવા વિચારે, નવી પ્રણાલીઓ લઈને ભારતમાં ઈસ્લિામ આવ્યું. ભારતની ચાલુ સંસ્કૃતિ એમને કેટલીક જગ્યાએ અખરી. ખેતી માટે ગાય અત્યંત ઉપયોગી વસ્તુ લેઈને ભારતની સંસ્કૃતિ એના અહોભાવમાં ગાયને પૂજવાની હદે પહોંચી. જ્યારે ઈસ્લામની ઈશ્વર-અલ્લાહની જે કલ્પના છે એમાં ઈશ્વર સિવાય બીજું કોઈ પૂજ્ય નથી, એમાં કોઈનીય ભાગીદારી નથી. આ તારણ એમને ગાયની પૂજા તરફની નફરત તરફ ઘસડી ગયું. બીજી બાજુ મુસ્લિમોને ગોવધ કે ગેામાંસ ખાવાને કોઈ વાંધો જ ન હતું. ભારતેની સંસ્કૃતિને એવી માન્ય નહોતી, એટલું જ નહીં પરંતુ ગોમાંસભક્ષક તરફ એક પ્રકારની ધૃણા પેદા થઈ જાય તેવા તેમના ગોભકિતની સરકાર હતા. ' હવે દેખીતી રીતે જ એકબીજા વિરૂદ્ધ એવા આ બે તત્ત્વનો મેળ કેમ જામે? મેળ જામે; જો ધાર્મિક વૈજ્ઞાનિકોનાં કાલ્પનિક નિરાકરણ કરતાં, માનવ માનવ વચ્ચેના વ્યવહાર અંગેનાં તેમનાં સર્વસંમત નિરાકરણ પર વધુ ધ્યાન આપીએ તે ભારતમાં મુસલમાનોને પિતાના પાડોશી આટલો બધા દુભાતા હોય તે ગાય મારવાની કોઈ જરૂરત ઊભી નથી થતી; જ્યારે બીજી બાજુ ધારે કે કોઈ મુસલમાને ગાય મારી તો તેટલી જ ખાતર ખુદ એ મુસલમાન કે એના જેવા કઈ બીજાને મારી નાખવાને ધર્મ પેદા થતો નથી. એક વેળા
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy