SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૧૯૭૦. છે. કેમી સંઘર્ષો પેદા કરતાં કારણેની મીમાંસા * * * ... (અમદાવાદમાં કોમી સંઘર્ષને દાવાનળ શમી રહ્યો હતો એ દરમિયાન “નિકેતન' ના તંત્રી શ્રી ચીનુભાઈ ગી. શાહે ગયા ઑકટોબર માસના અંકમાં આપણી કમી સમસ્યાની વિશદ આચના. કરતે એક લેખ “વેરની વસૂલાત’ એ મથાળા નીચે પ્રગઢ કર્યો હતે. એ લેખની છણાવટથી આકર્ષાઈને એક મુસ્લિમ મિત્રે આ લેખની ૨,600. નકલ મુસ્તિકાના આકારમાં તૈયાર કરી આપવા માટે માંગણી કરી હતી. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ પણ પોતાના કાર્યકરો અને કારીગરોમાં વહેંચવા માટે એટલી જ નકલોની માંગણી કરી. આવી માગણીઓ ચેતરફથી આવતાં શ્રી ચીનુભાઈ ગી. શાહે આ લેખની ૧૦,000 નો છાપીને વહેંચી આપી. ત્યાર બાદ ગુજરાત રાજ્યની સરકરે.આમ પ્રજામાં ફેલા કરવા માટે આજ લેખની બીજી ૧૦,૦૦૦ નકલે તૈયાર કરી આપવાની શ્રી ચીનુભાઈને વિનંતી કરી હતી અને તે મુજેબ ચીનુભાઈએ તેટલી નકલ પૂરી પાડી હતી. આજે જ્યારે તાજેતરમાં ભીંવડી, થોણી, જળગામ વગેરે સ્થળાએ કોમી અથડામણની દુર્ઘટનાઓ બની ચૂકી છે ત્યારે જેમને આ પ્રશ્ન ઉપર કાંઈક વિચારવું, સમજવું તથા વર્તવું છે તેમને ઉપગી થઈ પડશે એમ સમજીને ઉપર જણાવેલ લેખને ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધિ આપવાનું ઉચિત ધાર્યું છે. પરમાનંદ ' વેરની વસૂલાત - “ઈસ્લામને “અલ્લા’ ખ્રિસ્તીઓનો “ૉડ અને હિન્દુઓને ઈવ” એક જ છે. જેમાં હિન્દુ ધર્મમાં ઈશ્વરનાં સહસ્ત્રવિધિ નામ છે તેમ ઈસ્લામમાં પણ અલ્લાનાં અનેક નામ છે. એ નામે જુદી જુદી વ્યકિતઓનાં નહીં પણ જુદા જુદા ગુણનાં સૂચક છે, અને અલ્પ માનવીએ નમ્રભાવે ઇકવરમાં ગુણનું આરોપણ કરીને તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે પણ ઈશ્વર તે ગુણદોષથી પર છે, અવર્ણનીય છે, અચિંત્ય છે, અપ્રમેય છે. આ ઈશ્વરને વિષે જીવતી જાગતી શ્રદ્ધા હોવી એને અર્થ એ કે મનુષ્યમાત્રને ભાઈભાડું માનવા એને અર્થ એ પણ છે કે સર્વ ધર્મ વિષે સરખે આદર રાખો.” ગાંધીજી . એક સુખની નીંદમાં સૂઈ ગયા હતા, એ નીંદ જ ખુદ સ્વપ્ન હતું તો પછી સુખ તે ક૯૫ના માત્ર જ. એ કલ્પનામાં પણ ભંગાણ પડયું. અચાનક એક આંચકો લાગ્યું. ૧૯૪૭ ના માનવ માનવની કતલના ઘાત-પ્રઘાત પછી એમ ધારેલું કે હવે ખાતું ભરપાઈ થઈ ચૂક્યું છે, કાંઈ પણ લેણ દેણ બાકી નથી. પણ માનવીનું મન અકળ છે અને કદાચ અકળ રહેવાં જ સર્જાયેલું લાગે છે! અચાનક અમદાવાદના રહેવાસીઓનાં મન પર શયતાને કબજો મેળવ્યો અને એક વેળા તે ૪૭ ના દિવસેની બેફામ અને ભયાનક કતલને ભૂલાવી નાખે તેવા હત્યાકાંડમાંથી અમદાવાદગાંધીજીનું અમદાવાદ-જૈને અને વૈષ્ણનું અમદાવાદ-મહાજનનું અમદાવાદ-પસાર થયું અને એની ભીષણ જ્વાળાઓમાં અમદાવાદ લપેટાઈ ગયું. | કારણ હતું-છ મહિનાના નિર્દોષ બાળકને રહેંસી નાખવાનું કારણ હતું. આખાને આખાં કુટુંબોને જીવતી. શેકી નાખવાનું કારણ હતું. આગના ભડકામાંથી માંડ જીવ બચાવીને ભાગતાં બાળકો, બહેને અને ભાઈઓને ફરી ફરી પાછા આગમાં ધકેલી દેવાનું કારણ | હતું. નિર્દોષ બાળકને મારી તેના ટુકડા કરી, એ ટુકડાને લટકાવી, નીચે તે બાળકોની માતાને ઊભી રાખી કકળાવવાનું પણ કારણ હતું. - હરેક પિશાચી કૃત્ય કરવાનું કારણ હતું. હરેક પિશાચી કૃત્યે ધર્મના ઝંડા ઊંચે ને ઊંચે ચઢયે જતા હતા! ધરતીમાંથી એનાં મૂળ ઉખેડીને એ ઊંચે ને ઊંચે ચઢયે જ . હતો! અમદાવાદ, અમદાવાદ જ નાનું રહ્યું. ' . ' ', ' , - જે કાંઈ ક્રૂરતા આચરી શકાઈ તે આચરી અને જે ન આચરી, શકાઈ તેને કલ્પનાના રંગમાં બોળી, હરપળ નવાં વાધાં ચઢાવી લેકમેઢે વહેતી મૂકવાને કેટલાક ખાસ ધંધે આદર્યો અને કલ્પ નાને સાકાર સ્વરૂપ મળતાં પણ વાર કયાં હતી ! આમ એક ૫ના સાકાર થતી એટલે વળી પાછું બીજી કઈ વધુ રૌદ્ર કલ્પના તરફ લોક માનસ દેખતું અને એને આકાર આપવવાળાએની લાઈનમાં ઊભું રહેતું ! આમ શયતાન અને સવાઈ શયતાનના ચક્કરમાં અમદાવાદ ફસાયેલું પડયું હતું, હતું શું કરવા?, માનસિક વ્યાપારેને કર્મબંધન સાથે જો કોઈ સંબંધ હોય તો આજ પણ અનેક નિર્દોષાનાં શરીરે ભોલાથી વીંધાઈ રહ્યાં છે, આજ પણ અનેક ઘરને તેના છટકવાનાં દૂરે બંધ કરી દિવાસળી ચંપાય છે અને આજે પણ ચામ માનવતાની હોળી ખેલાઈ રહી છે. : : : : ' , * મીઠામાં કાચ અને દૂધમાં ઝેર ભેળવ્યાના વહેતાં તરંગોના વમળમાં નગરીનાં આબાલવૃદ્ધ તણાયે જતાં હતાં. જ્યારે બીજી બાજુ ખુદ ધર્મમાં હળાહળ ઝેર ભેળવીને કર્[બા ધોળાતા હતા. સળગે, વૈશાખી દાવાનળ સળગે. હજી માનવતા બાકી છે. ખૂણેખાંચરેથી શોધી શોધી એને ભસ્મીભૂત કરી નાખે. આજ ધમેં ઝનૂનના નશામાં ધર્મને ઝંડો હાથ ધર્યો છે. આજ સાપને દોરડું સમજી ધર્મ અભ્યત્થાન કરવા મથી રહ્યો છે. . .. ' તે આપણા ઘર લૂંટાય, આપણી કલેઆમ થાય, અને આપણાં ધર્મસ્થાને નાપાક બનાવવામાં આવે તો હાથ જોડીને બેસી રહેવું? ના, હાથ જોડીને બેસી ન રહેવું. મર્દને બચ્ચે તો આવું કાંઈ પરિણામ આવે તે પહેલાં જ પિતાને જાન કુરબાન કરી ચૂક હોય અને નામર્દ હોય તે ત્યાંથી ભાગે અને માઈલના અંતરે કોઈ સુરક્ષિત સ્થળે -જ્યાં કોઈના ડરને પડછાયો પણ ન હોય ત્યાંથાકને માર્યો શ્વાસ ખાવા ઊભા રહે અને પછી જાણે કે પોતાના પર ગુજરેલા સિતમને બદલે લેતા હોય તેવી ભ્રમણાં નીચે કોક બીજા પાસે કોક નિષિાનાં ઘર લૂટાવે; કો'ક નિર્દોષ મા-બહેનનાં શીયળ લૂંટાવે, કો'ક નિર્દોષોની કલેઆમ કરાવે, કોક બીજાંના ધર્મસ્થાનેને નાપાક કરાવે, અને બદલો લીધાને સંતોષ માને ! અને એ બીજા સ્થળના નામર્દો વળી ભાગતા ભાગતા કોક સુરક્ષિત સ્થળે થાક ખાય અને કો'ક ત્રીજા જ પાસે કુકર્મો કરાવીને બદલે લીધાને સંતોષ માને. અને આમ શયતાન અને સવાઈ શયતાનના ચક્કરમાં માનવતા રહેંસાતી રહે !! ' તે પછી ઉપાય છે? મન જો શાંત થયું હોય તે જરૂર વિચાર કરીએ. . પહેલાં તે ગાંધીની અહિંસા: કે ઈશુને “તારા જમણા ગાલે કોઈ લાફે મારે તે તું તેને તારો ડાબા ગાલ ધરજે' વાળો પ્રેમસંદેશ; કે ભગવાન શ્રીકૃષ્ણની ‘દુ:ખે દ્વેગ ના ચિત્તે, સુખની ઝંખના ગઈ, ગયો રાગ ભય ક્રોધ 'વાળી સમતુલા, કે રાંડકૌશિકના ડંખીલા સ્વભાવને જાણતાં છતાં તેને ઉગારી લેવાની દષ્ટિએ સામે પગલે તેની પાસે જતા ભગવાન મહાવીરના આક્રમક પ્રેમ, કે “પરદુ:ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે’ વાળી વૈષ્ણવી ભાવનાને આપણે એક વાર ઉચે અભરાઈ પર મૂકીને માત્ર શુદ્ધ વ્યવહાર ભાવનાથી જ આ આખો પ્રશ્ન વિચારવા બેસીએ. . આ જગત એક ગુઢ રહસ્ય રહ્યું છે અને રહેશે, છતાં પણ ધર્મક્ષેત્રે એવા કેટલાય ધુરંધર વૈજ્ઞાનિકે થઈ ગયા જેમણે આ જગક તના ગુઢ રહસ્યને ઉકેલવાને પ્રમાણિક પ્રયત્ન કર્યો. આ ઉકેલની
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy