________________
તા. ૧૬-૯-૧૯૭૦
પ્રબુદ્ધ જીવન
આ પ ણી
[૩]
પ્રાચીનકાળથી ચાલી આવતી કામણસંસ્થા જૈનો માટે વિશિષ્ટતારૂપ છે. આમ તે બૌદ્ધ ધર્મમાં પણ કામણપરંપરા ચાલી આવે છે અને તે જુદા જુદા સ્વરૂપે અલગ – અલગ દેશમાં પથરાયલી રહી છે. પણ પ્રાચીનકાળના જૈનેના આચારમાં કડકાઈ વધારે પડતી હાવાના કારણે અને એ પરંપરામાં નિવૃત્તિ અને આત્મવિકાસ પર વધારેપડતા ભાર મૂકવામાં આવેલ હાવાથી તેમાં બૌદ્ધ આચાર - વિચારોથી પ્રમાણમાં વધારે કડકાઈ રહી છે અને એ કારણે બૌદ્ધપરંપરાની માફક જનસેવાના કાર્યમાં જયાં પૈસાની સાથે વ્યવહાર હોય અથવા સૂક્ષ્મ અહિંસામાં કાંઈક ક્ષતિ પહોંચતી હાય, ત્યાં જૈન શ્રામણેા માટે ભાગ લેવાનું અશકય બને છે. બૌદ્ધ ધર્મમાં પણ અહિંસાના વિચાર મુખ્યત્વે રહેલા છે જ અને શ્રમણા માટે અપરિગ્રહ પણ આવશ્યક માનેલ છે, એમ છતાં તેના શ્રામણેાના આચારમાં ઘેાડી ઉદારવૃત્તિ રહેલી છે. બૌદ્ધ ામણે જેટલી સુવિધા જૈન શ્રામણેાને પ્રાપ્ય નહિ હોવાના કારણે બૌદ્ધધર્મની માફ્ક જૈન ધર્મ બીજા દેશમાં વ્યાપક બની શકયા નથી, એના પ્રચાર ભારત દેશની બહાર ખાસ થઈ શક્યા નથી.
આચારવિચારની કડકાઈના કારણે જૈનધર્મના વ્યાપક પ્રચાર તે ન થઈ શકયેા પરંતુ આ કારણે ભ્રામણસંસ્થા તેની પ્રાચીન પરંપરાને જાળવી શકી છે. એ તે સુવિદિત છે કે બીજા સાધુ, સંતા અને મહન્તામાં પરિગ્રહે જે જડ ઘાલી છે એમાંથી સારા એવા અંશમાં ભ્રામણસંસ્થા વિમુકત રહી શકી છે. આજના સમયમાં પણ વૈદિક સંપ્રદાયના સાધુઓમાં પરિગ્રહનું જે પ્રમાણ જોવા મળે છે તેટલું પરિગ્રહનું પ્રદર્શન બૌદ્ધ-શ્રામણ નથી જ કરતા. આ બાબતમાં વૈદિક તથા બ્રાહ્મણ બન્ને સંપ્રદાયા કરતા જૈન સાધુમાં ત્યાગ અને સંયમની ભાવના વધારે પ્રમાણમાં જોવા મળે છે.
આવી આચારની કડકાઈના કારણે અપરિગ્રહને અપનાવવામાં આવે છે કે અપનાવવાની ફરજ પડે છે એમ છતાં પરિગ્રહના તેમના પર પ્રભાવ ચાલુ રહે છૅ કે નહિ તે કહેવું મુશ્કેલ છે. ઘણા જૈન સાધુઓમાં આજે પણ પરિગ્રહ પ્રત્યેનું આકર્ષણ અને એનો પ્રભાવ જોવામાં આવે છે અને ઘણા સંપ્રદાયામાં પરિગ્રહનું પ્રદર્શન પણ થતું જોવા મળે છે. પણ એ જૈન વિચારને માન્ય નહિ હાવાના કારણે તેને બહારના દેખાવ તે। અપરિગ્રહ વ્રતની જ કરવા પડતા હોય છે. કારણકે સાધુઓ માટે પરિગ્રહ વ્રત અનિવાર્ય લેખવામાં આવેલ છે. આમ છતાં પણ જો કોઈ સાધુ પરિગ્રહ રાખે છે તે તે ધર્મ અંગે સાહિત્યપ્રચાર અથવા સમાજકલ્યાણના નામે રાખતા હોય છે, કેમકે સ્વયં સાધુ માટે તે તે વિજત લેખવામાં આવેલ છે.
આમ છતાં પણ જૈન શ્રામણસંસ્થાની એક વિશેષતા વિનાબાજીએ મારી સમક્ષ વર્ણવી તે એ કે ભગવાન મહાવીરે કામણને એકલા વિચારવાને પ્રતિબંધ મૂકેલ છે. એ કારણે કામણસંસ્થામાં વધારેપડતી વિકૃતિ દાખલ થઈ શકી નથી, કારણકે માણસને બીજાની હાજરીમાં ખરાબ કર્મ કરતા સંકોચ થતા હાય છે, ભય લાગતા હોય છે. બૂરાઈથી બચવા માટે આ નિયમ એક કવચસમાન છે.
જૈન શ્રામણની જીવનચર્યા સંયમપ્રધાન અને સાધનાના નિયમેથી બાંધેલી હાવાના કારણે તેની વિશેષતા આજે પણ બીજા ધર્મના શ્રામણેા, સંન્યાસીઓ, ફકીરો અથવા પાદરીઓ કરતાં વધારે જોવા મળે છે અને એ સાધનાની દષ્ટિએ સારી પણ કહેવાય. પણ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું આજના બૌદ્ધિક અને વૈજ્ઞાનિક યુગમાં તે યાગ્ય છે?
આજની વિચારપ્રવાહ વ્યકિતગત જીવનના વિકાસ કરતા સામૂહિક અથવા સામાજિક વિકાસ અથવા સેવાને વધારે પ્રમાણમાં હાવાનું માનવામાં આવે છે. સમાજ અથવા સામૂહિક હિતના ખ્યાલ
ما
૩૯
સા ધુ સંસ્થા
વિનાની મેટામાં મેટી વ્યકિતગત સાધનાને પણ આજના વિચારક અને ચિંતક વર્ગ અપૂર્ણ લેખે છે. એ તા એવી સાધનાને કોયસ્કર માને છે કે જેમાં સમૂહ અને સમાજના હિતનું પ્રથમ ધ્યાન રાખવામાં આવતું હોય અને એને એવું સ્વરૂપ આપવામ આવ્યું હોય કે જે સમાજસેવા અને સામાજિક હિતને અનુકૂળ હોય.
જેની મૂળ પ્રવૃત્તિ નિવૃત્તિપ્રધાન છે. અને આજે તે જે પેાતાને પણ નિવૃત્ત માને છે તેવા વિનેબાજીને મેં પ્રશ્ન પૂછ્યો કે; “આ વૈજ્ઞાનિક યુગમાં સાધનાનું સ્વરૂપ કેવું હેવું જોઈએ?” તેમણે કહ્યું, “ વિજ્ઞાનને લીધે આપણા જીવનનું સ્વરૂપ બદલાઈ ગયું છે. પુરાણા જમાનામાં અસ્ત્રો વિગેરે કાંઈ હતું નહિ. ઋષિઓના દાઢી અને માથાના વાળ એમ જ . વધેલા રહેતા હતા.
એ ઋષિઓ વટવૃશનું દુધ લગાવીને એની લટ બનાવી લેતા. એ ઋષિઓ જો આજ હયાત હાત તે તમારૂં સુન્દર મુખારવિન્દ જોઈને કહેત કે ‘આપ કેટલા બધા ભાગ્યશાળી છે! અમને તો આવા કોઈ માકો જ મળ્યા નહિ.’ પણ હવે જ્યારે આપણી પાસે આટલા સારા એજારો છે ત્યારે તેના ઉપયોગ થવા જ જોઈએ. વિજ્ઞાનને કારણે મનુષ્યજીવન બદલાઈ રહ્યું છે. સાધના કોઈ દિવસ વિશ્વાનવિરોધી હાઈ ન શકે, તે તે યાગાનુકુળ જ હોવી જોઈએ. વિજ્ઞાનના કારણે જેમ યુગનું સ્વરૂપ બદલાતું રહ્યું છે તેમ સાધનાનું સ્વરૂપ પણ વિજ્ઞાનને કારણે બદલાશે. હવે જે કાંઈ કરવાનું છે તે વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને જ કરવાનું છે.
જ્યારે વિજ્ઞાનના કારણે સાધનાનું સ્વરૂપ બદલાય છે ત્યારે આપણા આચારમાં પણ પરિવર્તનની આવશ્યકતા ઊભી થાય છે. અગાઉ ભારતમાં આટલા મોટા શહેરો હતાં નહિ, એ વખતે ખાસ કરીને ગામડાંઓને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવેલા નિયમે શહેરા માટે હાસ્યાસ્પદ અને સમાજને હાનિ પહેોંચાડનારા જ બને. જૈન મુનિઓ માટેની શૌચ-મૂત્રાદિ વિસર્જનની ક્રિયા - શહેરીજીવનને અનુકૂળ નથી એટલું જ નહિ પણ, સામાજિક સ્વાસ્થ માટે પણ હાનિકારક છે. તે શું આપણે આ પ્રાચીન પરંપરાને નિભાવવા માટે તે નિયમેને ચાલુ જ રાખીશું કે તેમાં કાંઈ પરિવર્તન કરવાનું વિચારીશું ? અને જો પરિવર્તન કરવાનું વિચારીએ તે તે કઈ મર્યાદામાં ?”
આજના સમાજહિતના પ્રથમ ખ્યાલ રાખવામાં આવે છે એવા સામાજિક યુગમાં નિવૃત્તિપ્રધાન જૈન સાધુઓનું જીવન એવું જ શખવું જોઈએ કે તેને સેવાપરાયણ બનાવવું જોઈએ?
શ્રામણસંસ્થામાં ત્યાગીજીવનને અધિક મહત્ત્વ આપવામાં આવે છે. જીવનની જરૂરિયાત બહુ જ ઓછી હોય છે. તેમાં કુટુંબપરિવારની જવાબદારી હાતી નથી અને તેમાં જનકલ્યાણની ભાવના હાઈ શકે છે, કારણકે સામાન્ય વ્યકિત કરતાં તેનામાં કરુણાભાવ અધિકતર રહેલા હોય છે. તેમની પાસે સમય પણ હોય છે. આવા ત્યાગી અને ધાર્મિક વૃત્તિવાળા જેટલી સારી સમાજસેવા કરી શકે એટલી સેવા બીજા કોઈ કરી શકે નહિ. પરંતુ આજે તેઓ નિયમેને કારણે એટલા બંધાયેલા છે કે કરવા ધારે તે પણ વધારે કાંઈ કરી શકે નહિ. તે સેવાકાર્યો કરવા માટે તેમના આચારામાં પરિવર્તન કરવું શું જરૂરી નથી લાગતું કે જેથી તેઓ જનસેવાને જ આત્મવિકાસનું સાધન બનાવી શકે?
આ પ્રશ્ન વિચાર માગી લે છે.
બીજા તે ઠીક પણ જેના ઉપર ધર્મપ્રચાર કરવાની જવાબદારી છે એવા કામણેા આધુનિક સાધનાના ઉપયોગ કરી શકે? અને જો ઉપયોગ કરે તે તેની મર્યાદા શું?
આજનું જગત વૈજ્ઞાનિક સાધનાનાં કારણે બહુ નાનું બની