________________
તા. ૧-૬-૧૯૭૦
પ્રબુદ્ધ જીવન
૩૧
લાભ થશે, એટલું જ નહિ પણ જૈન ધર્મ અને જૈન સમાજે દેશના ઘડતરમાં જે ફાળો આપ્યો છે તે લોકોના ધ્યાનમાં આવશે.
જાહેર જીવનમાં કામ કરનાર માટે કયારેક અંગત સંબંધ અને સમાજના હિત વરચે સંઘર્ષના પ્રસંગે આવે છે અને ત્યારે તેની કસોટી થાય છે. પેઢીના સંચાલન દરમિયાન જાહેર જીવનની જવાબદારીને ન્યાય આપવા માટે મારે એક પ્રસંગે કાયદેસર પગલાં ભરવા પડેલાં.
વ્યકિતગત અને સંસ્થાકીય આદર્શોના સંઘર્ષને એક પ્રસંગ ૧૯૫૫ની સાલમાં બન્યો હતો. કેટલાક હરિજનભાઈએએ શંત્રુ
જ્યના દેરાસરમાં જવાને આગ્રહ જાહેર કર્યો. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે સ્ત્રીઓ અને શુદ્રોને ધાર્મિક ક્રિયાઓમાં ભાગ લેવાને અધિકાર છે તેવું જૈન ધર્મ સ્વીકારે છે એટલે નાહી-ધોઈ શુદ્ધ કપડાં પહેરી તેઓ દેરાસરમાં જઈ શકે છે તેવું મારું મંતવ્ય હતું. પરંતુ જુનવાણી વિચારધારાએ એવી પકડ પકડેલી કે હરિજનોને દેરાસરમાં જવા દેવાય નહિ. પેઢીના ટ્રસ્ટીઓ પાસે આ પ્રશ્ન આવ્યા. તેમણે સૌએ મંદિર પ્રવેશની ના પાડી. મારે કહેવું પડયું કે હું અંગત રીતે તેમની સાથે નથી, આ સંજોગોમાં તેમણે મને પેઢીમાંથી છૂટો થવા દેવું જોઈએ. હું મારા વ્યકિતગત સિદ્ધાંતના ભાગે પેઢીમાં કામ કરવા તૈયાર નથી. સદ્ભાગ્યે ટ્રસ્ટી મંડળ માની ગયું અને હરિજન પ્રવેશ માટે ઠરાવ કર્યો. આંદોલન આપોઆપ શમી ગયું.
રાજ્ય સાથેના સંઘર્ષમાં સંઘબળના વિજ્યનો એક પ્રસંગ કહું તે તે અસ્થાને નહિ લેખાય. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દર વર્ષે પાલીતાણા દરબારને રૂા. ૧૫,૦૦૦ આપતી હતી. ૧૯૨૬ માં આ કરારનો અંત આવ્યો. નવો કરાર કરવા માટે દરબારે રૂા. ૧૫,૦૮૦ ને બદલે રૂા. ૧,૫૦,૦૦૦ ની માંગણી કરી. આ માંગણી ઘણી વધારે પડતી હોઈ પેઢીએ ઠરાવ કર્યો કે કોઈએ શેનું જ્યની જાત્રાએ જવું નહિ. જૈન સમાજે આ ઠરાવનું પાલન એટલી તે કડક રીતે કર્યું કે તેની ઘણા મોટા પ્રમાણમાં અસર થઈ. પેઢીએ
આ ઠરાવ કરે અને સારાયે જૈન સંઘે તેને શિરોધાર્ય કરે, તેને જ્યારે હું વિચાર કરું છું ત્યારે તે શ્રીસંઘ પાસે મારું મસ્તક નમે છે. શેત્રુંજ્યની યાત્રા કરવાને કેટલી ય વ્યકિતઓને તો એવો નિયમ હતું કે જો તે જાત્રાએ ન જાય તો અમુક ચીજ ખાવાની છોડી દેવી પડે. મારાં દાદીમા દર વર્ષે બે વખત શેત્રુંજ્યની જાત્રાએ જતાં હતાં. જ્યારે પેઢીને ઠરાવ થયો ત્યારે તે પણ જાત્રાએ ન ગયાં. તે બન્ને વખત પાંચ રૂપિયા પેઢીને ભરતાં. તે યાત્રાએ ગયાં તે નહિ પરંતુ બેઉ વખત એમણે રૂપિયા પેઢીમાં ભરાવ્યા. સંધબળમાં એમને આવી શ્રદ્ધા હતી. વાઈસરોય લૉર્ડ રીડીંગની સફળ દરમ્યાનગીરીથી આ પ્રશ્નને સુખદ અંત આવ્યું. પાલીતાણા દરબારને નમતું જોખવું પડયું અને દોઢ લાખને બદલે વાર્ષિક રૂા. ૬૦,૦૦૦ આપવાને કરાર થયું. આ રીતે રાજસત્તા ઉપર સંઘબળને વિજ્ય થયો.
આ પ્રસંગ કહેવા પાછળને મારો આશય એ છે કે જેના સંધ જે એક થઈ અડીખમ ઊભું રહેશે તે તેને ઉની આંચ આવવાની નથી. ભારતના ઈતિહાસમાં ઘણા પલટા આવી ગયા છે, તે સામે આપણાં દેરાસર જો સુરક્ષિત રહ્યાં હોય તો તે પણ આપણા સંધ બળને આભારી છે. આપણાં બધાની એ ફરજ થઈ પડે છે કે આપણે સંઘબળને વધારે મજબૂત બનાવીએ. જે રીતે રાજ્યવ્યવસ્થા બદલાઈ રહી છે તે જોતાં ભવિષ્યમાં આવા સંગઠનની વધારે જરૂર પડશે. આપણાં તીર્થે દેશભરમાં પથરાયેલાં પડયાં છે અને એવા અવસર આવશે કે આપણે એક અવાજે ખભેખભા મિલાવી કામ કરવું પડશે. : ' આજના વ્યકિતવાદના જમાનામાં સંસ્કારને મહિમા ઘટતો જાય
છે અને નીતિ અને સદાચારનાં મુલ્ય વિસરાવા કે પલટાવા લાગ્યાં છે. તેથી શીલ - સદાચાર તથા નીતિ - પ્રમાણિકતાની ભાવનાને ટકાવી રાખવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે એમ છે. આ માટે ધર્મનું શિક્ષણ અને ધર્મને ઉપદેશ ઉપયોગી થઈ શકે એમ છે, પણ ખરો પ્રભાવ ધર્મમય જીવનને જ પડે છે. એટલે આપણા સંધની આચારસંહિતાના પાલનમાં જે કાંઈ ખામી આવી ગઈ હોય તે દૂર કરવાની, જરૂર છે.
હવે જો મારા કામની વાત કરું તો મને એકરાર કરતા ખુશી થાય છે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વડા તરીકે મેં જે કાંઈ કામ કર્યું છે તે મારા સહકાર્યકર ટ્રસ્ટીઓને, અને તેમાં ખાસ કરીને શ્રી કેશુભાઈ શેઠને આભારી છે. હું તે માત્ર સુકાની હતે. જે કામે થયાં છે તેને માટે મારા કરતા તેઓ યશના વધારે અધિકારી છે.
વળી, પેઢી મારફત તીર્થભકિત અને સંઘભકિત કરવાનો મને જે અવસર મળ્યો છે તેને હું મારા જીવનને મેટો લહાવો ગાડ્યું છું. એની પાછળની મારી દષ્ટિ કંઈક આત્મસંતોષ અને નિર્મળ આનંદ મેળવવાની રહી છે. આપણા વડવાઓએ જે ધર્મકાર્યો અને તીર્થસ્થાને કર્યા છે, અને અત્યારે પણ જે કામ કરવાનાં બાકી છે એને વિચાર આપણને અતિનમ્ર બનાવે છે. મંત્રીશ્વર વસ્તુપાળ જેવા ધર્મગુરુપે ભગવાનની સ્મૃતિ કરતાં રચેલ શ્લોકનું સ્મરણ કરવા જેવું છે. તેઓએ કહ્યું કે
“ ન કૃતં સુકૃતં કિંચિત, સતાં સંસ્મણાચિતમ !
મને રથસારાણા, એવમેવ ગનં વય : ” , અનેક મહાન ધર્મકાર્યો કરનાર મહામંત્રી વસ્તુપાળ ભગવાન સમક્ષ નમ્રતા દર્શાવી કહે છે કે, “આટલી જિંદગી વહી ગઈ તો પણ સજજનોને યાદ રાખવા લાયક કોઈપણ સારું કાર્ય માટે હાથે થયું નથી. મારે મારા કરવામાં જ જિંદગી વહી ગઈ.” મંત્રીશ્વર વસ્તુપાળની સરખામણીએ તે આપણે જેટલી નમ્રતા દર્શાવીએ એટલી ઓછી છે. તીર્થભકિતમાં મારી લાગણી આવી જ રહી છે.
અંતમાં, આપે બધાએ મારું બહુમાન કર્યું તે માટે હું ફરી આપને આભાર માનું છું અને પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું કે સમાજને વધુ ઉપયોગી નિવડવા મને શકિત અને પ્રેરણા આપે.
કરતુરભાઈ લાલભાઈ આચાર્ય તુલસી અને વિનોબાજીનું મીલન
*
:
જેની વિગતો ગયા અંકમાં આપવામાં આવી છે. "