SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ 30 પ્રભુ જીવન શેઠ કસ્તુરભાઇ લાલભાઇનું પ્રવચન ર [અમદાવાદ ખાતે શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈને અનુલક્ષીનેં અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. ઘ તરફથી મોટા પાયા ઉપર સન્માન સમારભ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી બ્રિજમેહન બિરલા પ્રમુખસ્થાને બિરાજ્યા હતા અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમન્નારાયણ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા અને અમદાવાદના શ્રી સંઘ તરફથી શ્રી રાણકપુર તીર્થનું રૂપામાં તૈયાર કરવામાં આવેલું નાનું મūલ-અનુકૃતિ શેઠ કર્નુરભાઈને અર્પણ કરવામાં આવી હતી. પ્રસ્તુત પ્રસંગે શેઠ કસ્તુરભાઈએ પોતાના લાંબા અનુભવના નીચેડરૂપ જે પ્રવચન કર્યું હતું તે નીચે આપવામાં આવે છે. પરમાનંદ] ભાઈઓ તથા બહેન આપ સૌએ મારા પ્રત્યે જે સદ્ભાવ બતાવ્યો છે તે સારુ હું આપનો આભારી છું. આપનામાંના ઘણા ભાઈઓ દૂરદેશાવરથી આ પ્રસંગને માટે ખાસ આવ્યા છે. તેમણે લીધેલી તસ્દી માટે હું તેમના રૂણી છું. જૈન સમાજની મેં' જે કાંઈ સેવા કરી છે તે મારી ફરજ સમજીને કરી છે તેની આપે ઉદારભાવે કદર કરી, તેથી હું કૃતજ્ઞતા અનુવું છું. મોગલ જમાનામાં શેઠ શાંતિદાસથી માંડી પેઢીધર મારા વડવાઓએ પોતાના જીવન માટે જૈન શાસનને ઈષ્ટ માન્યું છે, અને સમયાનુસાર યથાશકિત જૈન ધર્મ અને જૈન સમાજને સહાયક બનતા આવ્યા છે. તેમના જેટલું હું કરી શક્યા નથી. મારી સમજ અને શકિત મુજબ મેં તેમને પગલે ચાલવા પ્રયત્ન કર્યો છે. હું જે કાંઈ કાર્ય કરી શકયો છુ તે તેમણે સીંચેલ સંસ્કારોનું ફળ છે, પણ એવું નથી કે મારા વડવાઓએ એકલાએ જ સેવા કરી છે. જૈન પરંપરાનો ગૌરંવભર્યા ઈતિહાસ જોઈશું તે જણાશે કે ભારતમાં આવાં કેટલાંયે કુટુ'બા વસે છે કે જે પ્રણાલિકાગત આવી સેવા કરતા આવ્યા છે. બીજાઓ પણ જૈન શાસનની હસ્તી અને પુષ્ટી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરતા આવ્યા છે. બીજા જૈનોની માફક મને પણ તેના વારસા મળ્યા છે. ધર્મના મુખ્ય બે અંગો છે: એક તેની પાયાની ફિલસૂફી અથવા તત્ત્વજ્ઞાન અને બીજું તેના ઉપર રચાયેલી આચારસંહિતા. જૈન ધર્મ ઘણા જૂના છે. તેણે ઈશ્વર, જીવ, જગત, ઈત્યાદિ વિષયો ઉપર ગહન વિચારો કરી ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ઘણા મોટો ફાળો આપ્યો છે. આ તત્ત્વજ્ઞાનમાં હું ઊંડો ઊતરી શકયા નથી. મારૂ ધર્મ બાબતનું જ્ઞાન અને શ્રાદ્ધા વાંચન અને સાધુમહારાજોના સમાગમને લીધે છે. જૈન સંઘના આ મહાન અંગને હું વંદન કરૂં છુ. હું સમજું છું તે પ્રમાણે ઈશ્વર અને મનુષ્ય બે અલગ છે. એ અર્થમાં જૈન ધર્મ ઈશ્વરના અસ્તિત્વમાં માનતો નથી. જિનપ્રતિમાની પૂજા કરી જૈને મનુષ્યમાંથી ઈશ્વરતત્ત્વને પામનાર મહાન વિભૂતિઓનો આદર કરે છે. જૈનદર્શન પ્રમાણે દરેક મનુષ્ય સદાચરણ અને ધર્મમય જીવનદ્રારા ઈશ્વરત્વ પામી શકે છે. એટલે કે આત્મામાંથી પરમાત્મા બની શકે છે. બ્રાહ્મણ કુળમાં જન્મવાથી કોઈ માનવ ઊંચા થઈ જતા નથી કે શુદ્ર કુળમાં જન્મવાથી તેને નીચેા ગણવા જોઈએ નહીં. દરેક મનુષ્યના ઊંચનીચપણાનું પ્રમાણ તેના આચાર-વિચાર ઉપર જ આધાર રાખે છે. સ્ત્રીઓ અને શુદ્રો પણ મેક્ષના અધિકારી છે, અને ધાર્મિક ક્રિયાઓ કરવા હક્કદાર છે. એ ઉદાર ધર્મવિચારવાનો સ્વીકાર સૌથી પ્રથમ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મે કર્યા. જૈન ધર્મની આચારસંહિતાની ખૂબી એ છે કેધર્મનાં વિશિષ્ટ યાને રોજિંદા જીવનમાં વણી લે છે. કેવળ તેનું યથાશકિત અનુ તા. ૧-૬-૧૯૭૦ કરણ કરવામાં આવે તો પણ જીવન ધર્મમય બને છે. મારે કબૂલ કરવું જોઈએ કે હુ' આવા અનુકરણથી વિશેષ કાંઈ કરી શકયો નથી. સદ્ભાગ્યે મને તેમાંથી સુખદુ:ખ પ્રત્યે સમભાવ, મનની શાંતિ અને તટસ્થતા મળ્યાં છે. ધર્મ આપણને સિંહગુતા શિખવે છે. ધર્મના આચરણથી અહિંસા અને સમદષ્ટિ તેના વ્યાપક અર્થમાં આપણને સાંપડે છે, જાણી જોઈને કોઈનું દિલ દુભાવવાથી તે આપણને દૂર રાખે છે. જૈન ધર્મના સ્યાદવાદના સિદ્ધાંત એની ખાસ વિશિષ્ટતા છે. એના હેતુ એ છે કે કોઈ પણ વસ્તુ વિષે અભિપ્રાય બાંધતા પહેલાં તેના જુદા જુદા પાસાં તપાસવાં જોઈએ, જેથી સત્યની નજીક પહોંચી શકાય, અને સત્યના કોઈ પણ અંશની અવગણનાથી બચી શકાય. આપણા તીર્થોને માટે મેં જે કાંઈ કર્યું છે તે માટે તમે ઘણું કહ્યું છે. આ કાર્ય આપણી ધર્મપરંપરા સાથે સંકળાયેલ છે. મોટાભાગના જૈનેતર મંદિરોના વહીવટ તેમના મહતાના હાથમાં હાય છે, પરિણામે ધાર્મિક મિલકત અને ખાનગી મિલ્કત વચ્ચે ભેદ રહેતો નથી અને ધાર્મિક મિલ્કતનો બગાડ થવાના પ્રસંગેા બને છે. આપણી પરંપરા જુદી છે. તીર્થોના વહીવટ સંઘના હાથમાં રહ્યો છે. વળી આપણામાં એવી ભાવના રહેલી છે કે દેવદ્રવ્યનો બીજો ઉપયોગ નિષિદ્ધ છે. આ કારણથી સેંકડો વર્ષોથી આપણાં તીર્થો જળવાતાં આવ્યાં છે. મને આશા છે કે આ પ્રણાલિકા ભવિષ્યમાં પણ બરાબર જળવાઈ રહેશે. સંઘની એ ફરજ છે કે ધાર્મિક મિલકતનો વહીવટ પ્રમાણિકતાને આંચ ન આવે તેવી રીતે શુદ્ધબુદ્ધિથી કરે. આપણાં દેરાસરોને આપણને મોટો વારસો મળ્યો છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં ઘણાં ઓછાં દેરાસરો એવાં છે કે જે અણિશુદ્ધ, તેના તે જ સ્વરૂપમાં પૂરપૂરાં સુરક્ષિત રહ્યાં હોય. આપણાં દેરાસરામાંના કેટલાંક તે ઉચ્ચ કોટિના સ્થાપત્યના નમુના છે. દેલવાડા અને રાણકપુર તે માટે જગપ્રસિદ્ધ છે. જૂના ઐતિહાસિક દેરાસરોમાં એવાં ઘણાં દેરાસરો છે કે જેમનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે, અને કેટલાંકના જીદ્ધિાર થયા પણ છે. પણ આમાં એક મુશ્કેલી એ છે કે ભાવિક છતાં જીર્ણોદ્ધારની ઓછી સમજણ ધરાવતા માણસોના હાથે દેરાસરોનું અસલ સ્થાપત્ય વિકૃત બને છે ને કયારેક તો નષ્ટ પણ થાય છે. જીદ્ધિાર કરતી વખતે જે વસ્તુન ખ્યાલ રાખવાનો છે તે એ છે કે જે દેરાસરનું સ્થાપત્ય તેની અસલ સ્થિતિમાં જળવાઈ રહે અને જો કોઈપણ કારણસર તેની અસલ સ્થિતિ છુપાઈ ગઈ હોય તે તે બહાર આવે અને એમાં જે ભાગ ખંડિત થયા હોય તે પૂરો કરવામાં આવે. જો આમ થાય તો જૂના સ્થાપત્યનું કલેવર તેના મૂળ સ્વરૂપમાં આવેહૂબ જળવાઈ રહે. દેલાવાડા, રાણકપુર અને શંત્રુજ્યનાં દેરાસરાનાં ગૃધાર આ બાબત નજરમાં રાખીને કરવામાં આવ્યા છે. જો કે શરૂઆતમાં કેટલાક લોકોને આ ન ગમ્યું, પરંતુ મને કહેતાં આનંદ થાય છે કે, હવે બધા આ દષ્ટિબિંદુ સમજવા લાગ્યા છે અને સસંમત થયા છે કે જે કાંઈ થઈ રહ્યું છે તે બરાબર છે. હું આશા રાખું છું કે જીર્ણોદ્ધાર કરાવતી વખતે સંઘના અત્યારના કાર્યકરો અને આપણી ભાવિ પેઢીએ આ વાત ધ્યાનમાં રાખશે. આપણી બીજી એક માટી સંપત્તિ તે આપણાં જ્ઞાનભંડારો. ઐતિહાસિક ફેરફારોને કારણે ભારતના બીજા ભાગામાં પ્રાચીન - સાહિત્ય બહુ ઓછું સચવાયું છે, પર’તુ ગુજરાત અને રાજસ્થાનમાં તે સુરક્ષિત રહ્યું છે, જોકે આજે તેને જોઈએ તેવા ઉપયોગ થતો નથી. જો આપણે જ્ઞાનભંડારોને સુવ્યવસ્થિત કરીએ કે જેથી વિદ્રાનો તેને ઉપયોગ કરી શકે તે પ્રાદેશિક ઈતિહાસને અને ભાંષાઓને .
SR No.525955
Book TitlePrabuddha Jivan 1970 Year 31 Ank 17 to 24 and Year 32 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1970
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy