________________
તા. ૧-૬-૧૯૭૦
પ્રખુ છું જીવન
૨૯
સમય વીતાવતા સાધુ-સાધ્વીઓ માટે પણ શૈક્ષણિક પ્રબંધની અસાધારણ આવશ્યકતા છે. આજના સમયની આ માંગની પરિપૂર્તિ નિયંત્રણલક્ષી આવી કામણ - શ્રમણી વિદ્યાપીઠ દ્વારા જ શકય છે. | શ્રમણી વિદ્યાપીઠના પ્રસ્તુત ઉદ્ધાટનથી કે તે માટે મળેલા મકાનથી અથવા તે તે અંગે એકઠા થનાર નિધિથી સંતોષ માનીને બેસી રહેવાય જ નહિ, આ તો બહારની સંપન્નતા છે. આવી વિદ્યાપીઠની સફળતાને આધાર તેના સંચાલન માટે પ્રાણ પૂરીને કાર્ય કરે એવા ઉચ્ચ કક્ષાના કાર્યકરો અને તેની શિક્ષણપ્રવૃત્તિ માટે યોગ્ય પંડિત અથવા વિદ્યાગુરુ ઓ પ્રાપ્ત થવા ઉપર છે. આવી સંસ્થાની સુરક્ષા સતત જાગૃત એવા સંચાલકો ઉપર આધારિત છે.
શુભભાવપ્રેરિત આ વિદ્યાપીઠ માટે અપેક્ષિત કાર્યકરે અને વિદ્યાગુરુઓ મળી રહેશે અને આજનું સ્વપ્ન આવતી કાલના નક્કર કારમાં પરિણામશે એવી આપણી શ્રદ્ધા છે !
આ શમણી વિદ્યાપીઠ જૈન સમાજના આજ સુધીના ઈતિહાસમાં તદૃન એક નવો પ્રયોગ છે. ખ્રિસ્તી સમાજમાં સાધુસાધ્વીઓ તૈયાર કરવા માટે અનેક સંસ્થાઓ છે અને તેમાં આઠ– દશ વર્ષની તાલીમ અને પ્રમાણપત્ર મળ્યા બાદ ઉમેદવાર વ્યકિત ખ્રિસ્તી સાધુ યા સાધ્વી થઈ શકે છે. રામકૃષ્ણ મિશનમાં પણ સંન્યાસી થવા માટે લાંબા કાળના શિક્ષણ અને તાલીમને પ્રબંધ છે. જે
વ્યકિતએ સાધુ યા સાધ્વી બનવું હોય અને એ રીતે સમાજની વન્દનીયતા પ્રાપ્ત કરવી હોય તેના માટે કડક તાલીમ અને ઉચ્ચ કોટિના શિક્ષણને આગ્રહ હોવો જ જોઈએ. કમનસીબે આજ સુધી આપણા જૈન સમાજે આ બાબતને આ રીતે વિચાર કર્યો જ નથી. આપણે આશા રાખીએ કે આ નવા પ્રોગનું નિર્માણ જૈન સમાજના આગેવાનોને આ બાબત અંગે ગંભીરપણે વિચારવાની પ્રેરણા આપશે. મુનિ ચિત્રભાનુનું આ વલણ બરાબર નથી " મુનિ ચિત્રભાનુ મે માસના પ્રારંભમાં પરદેશથી પાછા ફર્યા બાદના દિવસેના દૈનિક પત્રમાં તેમનું એ મતલબનું મંતવ્ય પ્રગટ થયેલું જોવામાં આવ્યું છે કે “પોતે હવાઈ વિમાનમાં યુરોપ ગયા તેમાં કશું ખૂટું કર્યું નથી. કોઈની કાંધ ઉપર ચઢીને ફરવું તેના કરતાં વિમાનમાં જવું શું ખોટું છે?”
આ સંબંધમાં જણાવવાનું કે જે તે સાધુ કોઈની કાંધ ઉપર ચઢીને ફરતા હોય તો તેના બદલે કોઈ પણ વાહનને—ખાસ કરીને પશુસંચાલિત ન હોય તેવા વાહનને–ઉપગ કરવો તે વધારે સારું. આવી દલીલ કોઈ કરે છે તે સમજાય તેવી છે, પણ હકીકત એમ છે કે કોઈની કાંધ ઉપર ચઢીને એટલે કે ડોળીમાં બેસીને તે જ સાધુ આવો વિહાર કરે છે કે જે સાધુ શરીર એકદમ અશકત હોય અથવા તો અતિશય વયોવૃદ્ધ હોય. આમ હળીમાં બેસીને વિહાર કરવો તે કેવળ અસહાયતાને જ કારણે છે. તે વિહારને વિમાનવિહાર સાથે સરખાવ તે યોગ્ય નથી.
આવી જ રીતે તેઓ એમ પણ દલીલ કરતા હોય છે કે, જેને સાધુઓને નદી ઓળંગવા માટે જરૂર પડે તે હોડી અથવા વહાણને ઉપયોગ કરવાની સૈકાઓથી છૂટ છે જ. આ જેમ એક વાહન છે તેમ વિમાન પણ એક વાહન જ છે અને આ રીતે વિચારતાં વહાણ કે વિમાન વચ્ચે આપણા લોકોએ તફાવત વિચાર ન જોઈએ. - આ તેમની દલીલ પણ બરોબર લાગતી નથી. વિહાર કરતા સાધુને નદી ઓળંગવા માટે હોડી કે વહાણને ઉપગ અનિવાર્ય છે. કારણ કે તેમ ન કરે તે તે વિહાર કરતા સાધુને નદીના મૂળ | સુધી જવું પડે, જ્યારે વિમાનના ઉપયોગને આ રીતે અનિવાર્ય લેખી ન શકાય. સમય જતાં અથવા તો સવિશેપ વિચાર-વિમર્શ બાદ જૈન,
- બદિ જેને સાધુઓનાં અમુક સંયોગોમાં કોઈપણ વાહનના ઉપયોગને અધિકૃત
સાધુ સમુદાય અથવા તે સંધ સમુદાય સંમત કરે છેતે પછી તે આ ધોરી માર્ગ બનાવાને અને તેથી આ બાબત વિચારવા જેવી રહેતી જ નથી. પણ આજના સંયોગેામાં આવે વિમાનવિહાર જૈન, સાધુના પ્રચલિત આચારવ્યવહાર સાથે સુસંગત નથી અને તેવા પ્રવાસને લગતા અસાધારણ પ્રશસ્ય હેતુને ધ્યાનમાં લઈને જ આવા વિમાનવિહારનું એક અપવાદ તરીકે અનુદન થઈ શકે. આવા વિવાદાસ્પદ પ્રશ્નમાં વિચારની સ્પષ્ટતા જરૂરી છે એમ સમજીને આ નોંધ લખવા હું પ્રેરાયો છું.
પરમાનંદ અભ્યાસને ૧૦૦મે દળદાર અંક
થોડા દિવસ પહેલાં અભ્યાસ માસિકનો ૧૦૦ એ અંક પ્રાપ્ત થ. આ માસિકના તંત્રી શ્રી. પુરુષોત્તમ ગણેશ માવળંકર છે. સ્વ. દાદાસાહેબ માવળંકરને કોણ નથી જાણતું? તેઓ ગુજરાતના સમર્થ લોકસેવક હતા અને આપણી લોકસભાના પ્રથમ સ્પીકર હતા. તેમના પુત્ર ભાઈ પુનામ પણ આજે અમદાવાદના એક અગ્રગણ્ય નાગરિક છે. અમદાવાદની જાણીતી સંસ્થાન લાસ્કી ઈન્સ્ટીટયૂટના તેઓ સર્જક અને સંચાલક છે. તેમની દ્વારા ચાલતી પ્રકાશન સંસ્થા સન્નિષ્ઠ પ્રકાશને આજ સુધીમાં નાનાં મોટાં થઇ ૧૯ પુસ્તકો પ્રગટ કર્યા છે. તેમણે ૧૯૬૦ના જાન્યુઆરી માસથી ‘અભ્યાસ” માસિક પ્રગટ કરવું શરૂ કર્યું. વચ્ચે પ્રેસની અથવા બીજી કોઈ અગવડના કારણે અંકે નિયમિતપણે પ્રગટ થઈ ન શકયા. તેના લીધે પ્રસ્તુત ૧૦૦ મો અંક વસ્તુત: ૧૯૬૯ ના એપ્રિલના અંક છે. આ અંક ૨૧૮ પાનાનો છે અને તેમાં અનેક વિદ્વાન લેખકના લેખોનો સુશ્લિષ્ટ સંગ્રહ કરવામાં આવ્યો છે. આજના અનેક પ્રશ્ન ઉપર નાના મોટા લેખ દ્વારા વેધક પ્રકાશ પાડવામાં આવ્યા છે. જેવું સામગ્રીવૈવિધ્ય છે તે જ રા-દર આખી અંકને ઉઠાવે છે. અનુપમ શિક્ષણની ગરજ સારતો આવો અંક તૈયાર કરવા માટે ભાઈ પુરુષોત્તમ માવળંકરને અનેક ધન્યવાદ ઘટે છે. સાહિત્યરસિક સજજન સન્નારીઓને આ અંક વસાવવા ખાસ ભલામણ છે. અભ્યાસનું વાર્ષિક લવાજમ રૂા. ૧૦છે અને તે મેળવવાનું ઠેકાણુ" અભ્યાસ કાર્યાલય, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ, - ૧ છે, આજના વિચારગંભીર માસિકોમાં અભ્યાસનું અગ્રસ્થાન છે. આ દળદાર અંકની કીંમત રૂ. ૭-૫૦ છે. આચાર્ય રજનીશજીએ કરેલી વિકૃત રજૂઆત
સમાજવાદ સે સાવધાન” ના નામે તાજેતરમાં થયેલા પ્રવચનોમાં. આચાર્ય રજનીશજીએ ભૂદાનને લગતા આપેલા આંકડાઓ સંબંધમાં શ્રી નરોત્તમ શાહ (સર્વોદય કાર્યકર) જનશકિતમાં જણાવે છે કે
રજનીશજીએ સર્વોદય દર્શન અને વિનેબાજી અંગે બોલતા કહ્યું કે, “વિનોબાજીને ભૂદાનમાં જે જમીન મળી છે તેમાં ૯૦ ટકા સરકારી જમીન છે, પાંચ ટકા પડતર જમીન છે, ત્રણ ટકા ઝઘડાવાળી જમીન છે, અને એક ટકો એવા લોકો તરફથી મળી છે કે જેમની પાસે બીલકુલ જમીન નથી. આ પ્રમાણે ભૂદાનની ૯૯ ટકા જમીનની હાલત છે. અને વિનોબા બુરી રીતે હારી ગયા છે.'
ભૂદાનમાં કુલ ૪૨ લાખ એકર જમીન પિણા છ લાખ દાતાઓ તરફથી મળી છે. આમાંથી બાર લાખ એકર જમીન ચાર લાખ સાઠ * હજાર ભૂમિહીન પરિવારોમાં વહેંચાઈ પણ ચૂકી છે. લાખે એકરમાં નબળી બળી જમીન પણ હોય જે થોડી વધુ મહેનતથી ખેતી લાયક બનાવીને વહેંચી શકાય તેમ છે. અથવા ખેતી સિવાયના બીજા ઉપાગમાં લઈ શકાય તેમ છે.
બીજા તબક્કામાં, દેશના ચોથા ભાગથી વધારે દોઢ લાખ ગામના લોકોએ ગ્રામદાન આંદોલન દ્વારા પોતાની વીસમા ભાગની જમીન ભૂમિહીનામાં વહેંચી આપવાના સંકલ્પ સાથે, ગ્રામ સ્વરાજ્ય તરફ જવાનો નિર્ધાર કર્યો છે અને આ ગ્રામદાન આંદોલન દેશના દરેક રાજ્યોમાં આગળ વધી રહ્યાં છે.
જે કાર્ય માટે, ઢોલ નગારાં પીટવામાં આવતાં હોય તે સફળ અને શાંત રીતે ચાલતું હોય તે અસફળ છે એમ માનવાનું કારણ નથી. વિનોબા સફળ કે નિષ્ફળ તેને નિર્ણય તે વાચક પિતે જ કરે.”.
પરમાનંદ * *
'