________________
૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૧૯૭૦.
પ્રકીર્ણ નોંધ હિ
ધર્મતેજ હતું ત્યાં સુધી એ ધર્મ લા. પણ સાધુ તપસ્યા વધારતાં વધારતાં “સ્વાર્થી મોક્ષાર્થી' થયા અને શ્રાવકો તો બિચારા અનુયાયીઓ. અમુક આચારધર્મ પાળે; શાકાહારને આગ્રહ રાખે, બની શકે તેટલું દાનધર્મ કરી છૂટે; અને ધર્મકાર્યના ભાગ તરીકે સાધુઓને પૂજે, પાળે અને એમને પિતાની તપશ્ચર્યા વધારવામાં પ્રેત્સાહન આપે. જેની તપસ્યા વધારે, એ વધારે મોટો સાધુ. એનાં જ વચન સાંભળવા લોકો દોડે, અને સાધુએ પણ જાણે કે શ્રાવકો તો આખરે શ્રાવકો જ રહેવાના, અમુક સદાચાર પાળે એટલે બસ, પછી જરૂર ખૂબ કમાય અને સુખી રહે. ન જૈન ધર્મનું સ્વરૂપ અને રહસ્ય સમજવનારા સાધુઓના કેટલોક ગ્રંથે મેં જોયા છે. તેઓ કહે છે કે જૈન ધર્મોમાં ન્યાતજાતને સ્થાન નથી. વાત સાચી છે. પણ તેઓ ઉદાહરણ આપે છે બધા સાધુઓના. પછાત કોમની કોઈ વ્યકિત પણ જો જૈન સાધુ બની જાય છે તેને લોકો સમાનભાવે પૂજે. એ સાધુ જો જ્ઞાન અને તપસ્યામાં વધે તો એને ગુરુ થતાં મુશ્કેલી ન આવે,
પણ શ્રાવકોએ જૈન ધર્મની આ ઉદારતા પિતાના સાધુલોકોને જ મુબારક કરી. હવે આ સાધુઓ પરણે નહિ, કમાય નહિ, તપસ્યા વધારતા જાય, ઉપદેશ કરતા જાય. એમને ન્યાતજાત સાથે સંબંધ આવે જ કયાંથી? સાધુઓમાં ન્યાતને ઉચ્ચનીચ ભેદ છે જ નહિ એ ખરું, પણ સાધુની ન્યાત શ્રાવકો કરતાં ઊંચી અને તેથી સાધુઓના અમુક અધિકાર લોકોએ માન્ય કરવા જ જોઈએ; એ જાતને આગ્રહ અને એનું અભિમાન સાધુઓમાં ઓછા નથી હોત! અપૂર્ણ
કાકા કાલેલકર - ઘાટકોપર ખાતે શ્રમણી વિદ્યાપીઠનું ઉદ્ઘાટન
શ્રી બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘના ઉપક્રમે તા. ૧૭-૫-૭૦ રવિવારના રોજ સવારના ભાગમાં ઘાટકોપર ખાતે આવેલા થાનકવાસી ઉપાશ્રયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે જવામાં આવેલ સમારંભમાં મહાસતી પ્રમાદસુધાજીએ ‘કામણી વિદ્યાપીઠ' નું ઉદ્ઘાટન કર્યું હતું.
આ શ્રમણી વિદ્યાપીઠ શું? એવો પ્રશ્ન પ્રબુદ્ધ જીવન” ના વાચકોને સ્વાભાવિક રીતે થવાને. આ માટે જેની સાધુસંસ્થાનું– ખાસ કરીને વે. મૂ. તેમ જ સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાયને લગતી સાધુ સંસ્થાનું – અદ્યતન સ્વરૂપ સમજવાની જરૂર છે. આ સાધુસંસ્થાના પાયામાં ‘યદા વિજેત તદા પ્રવૃજેત’ = જે વૈરાગ્ય આવ્યો કે તત્કાળ તેણે પ્રવ્રજ્યા એટલે કે દીક્ષા ગ્રહણ કરવી અર્થાત તેને કોઈ પણ જૈન ગુરુએ વિના વિલંબે દીક્ષા આપવી.” આ વિચાર રહેલો છે. આનું પરિણામ એ આવ્યું છે કે દીક્ષાના ઉમેદવારની લેગ્યતા માટે કોઈ ચોક્કસ ધોરણની પરંપરા અસ્તિત્વમાં નથી. સાધારણ રીતે આવા ઉમેદવાર જે ગુરુ પાસે 'દીક્ષા લેવા ઈચ્છતા હોય તે ગુરના સહવારોમાં ઘેડો સમય રહે છે અને પછી કોઈ પણ જૈન સંઘ મારફત તેને દીક્ષા આપવામાં આવે છે. પરિણામે કશી પણ શૈક્ષણિક તાલીમ વિનાની અને ગઈ કાલ સુધી સાધારણ લેખાતી વ્યકિત દીક્ષા લેવાની સાથે માત્ર વૈશાન્તરના કારણે આખા જૈન સંપ્રદાયને વન્દનીય બની જાય છે.
અઘતન સાધુસંસ્થાના અનુસંધાનમાં ધ્યાન ખેંચે એવી બીજી બાબત એ છે કે આવા સાધુ - સાધ્વીઓને પોતાના ગુરુ ગુરણી સાથે સતત વિહારમાં રહેવાનું હોઈને તેમના અભ્યાસ માટે કોઈ સ્થાયી વ્યવસ્થા હેતી નથી. તેઓ જ્યાં ચાતુર્માસ કરે ત્યાં કેટલીકવાર તેમના અભ્યાસ માટે યા શિક્ષણ માટે પંડિત રેકવામાં
આવે છે પણ ચાતુર્માસ પૂરા થતાં તેઓ મોટા ભાગે સ્થાનાન્તર કરતા હોય છે અને પંડિતો દ્વારા શરૂ કરેલ અભ્યાસ અધૂરો રહે છે.
સાધુસંસ્થાની આ બે ત્રુટિઓ ધ્યાનમાં લઈને મુંબઈના મહીસંઘે તત્કાળ દીક્ષાની ઉમેદવાર બહેને અને સાધ્વીઓ પૂરતી મણી વિદ્યાપીઠ ઊભી કરવાનું વિચાર્યું છે. આ માટે ઘાટકોપરના
શ્રી સંઘે પ્રસ્તુત વિદ્યાપીઠના સંયોજકોને લગભગ ત્રણ લાખ રૂપિયાની કિંમતનું સંઘની માલકીનું મકાન જેને આજે ઉપાશ્રય તરીકે ઉપયોગ થાય છે તે ભેટ આપ્યું છે. આ વિદ્યાપીઠમાં સાધ્વીઓ માટે પાંચ વર્ષને અને દીક્ષાની ઉમેદવાર બહેને માટે બે વર્ષને અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આ યોજના પાછળ એ હેતુ છે કે દીક્ષાની ઉમેદવાર બહેનને અહીંની બે વર્ષની તાલીમમાંથી પસાર થયાનું પ્રમાણપત્ર મળે ત્યાર બાદ જ તે બહેનને દીક્ષા આપી શકાય. આ ઉપરાંત એવી આશા રાખવામાં આવી છે કે, એક સરખી પાંચ વર્ષની તાલીમ મળે એ માટે ગુરણી પિતાની શિષ્યા સાધ્વીને આ વિદ્યાપીઠમાં પાંચ વર્ષ સુધી રહેવાની રાજીખુશીથી સંમતિ આપશે.
આ યોજના ઉપર જણાવ્યું તે મુજબ દીક્ષાની ઉમેદવાર બહેને અને દીક્ષિત સાધ્વીઓને ઉદ્દેશીને વિચારવામાં આવી છે. આ
જના ગ્ય આકાર ધારણ કરે ત્યાર બાદ દીક્ષાના ઉમેદવાર યુવાને અને દીક્ષિત સાધુઓ માટે પણ આવી વિદ્યાપીઠ ઊભી કરવાની મુંબઈના મહાસંઘની ભાવના છે.
આ પેજનાનો અમલ કરવા માટે યોગ્ય વિદ્વાનોને રોકવામાં આવશે અને જરૂરી સાધન સામગ્રી તથા સમૃદ્ધ પુસ્તકાલય પણ વસાવવામાં આવશે. આ રીતે આજે ઔપચારિક રીતે ઉદ્ઘાટિત થયેલી આ શ્રમણી વિદ્યાપીઠને સંપૂર્ણ આકાર આપવા માટે દશ લાખ રૂપિયાનાં દાને એકઠાં કરવાના રહેશે. આ બાબત અંગે સ્થાનકવાસી સમાજને ખૂબ ઉત્સાહ છે અને આ જનાને મુંબઈના સમગ્ર સ્થાનકવાસી સંઘનું પીઠબળ છે, તેથી ઉપરની રકમ એકઠી કરવામાં સંચાલકોને મુશ્કેલી નહિ પડે એવી આશા રાખવામાં આવે છે.
ઉપર જણાવેલ સમારંભમાં સ્થાનકવાસી સમાજના આગેવાનની સારા પ્રમાણમાં હાજરી હતી. આ ઉપરાંત શ્રી વિજ્યમુનિ શાસ્ત્રી, શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી, શ્રી પુષ્કરમુનિ, તપસ્વી રતિલાલજી તથા હસુમુનિ તેમ જ મહાસતી પ્રમેહસુધા, મહાસતી દમયંતી મુનિ વગેરે અનેક સાધુસાધ્વીઓની આવકારપાત્ર ઉપસ્થિતિ હતી.
આ વિદ્યાપીઠનું નિર્માણ કયા સંયોગમાં થયું તે અંગે જણાવવાનું કે ગયા ઓકટોબરમાં શ્રી વિજ્યમુનિ શાસ્ત્રી અને શ્રી દુર્લભજી ખેતાણી તથા શ્રી મણિલાલ સુન્દરજી વગેરેની પ્રેરણાથી સ્થાનકવાસી જૈન વિચારકોનું એક સંમેલન ભરવામાં આવ્યું હતું અને તેમાં કેટલીક ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. તે સંમેલનનું આટલા થડા સમયમાં આવું નક્કર પરિણામ આવશે એ કલ્પનાપ્રદેશની બહાર હતું. શ્રમણી વિદ્યાપીઠના આવા મંગળમય નવનિર્માણ માટે સૌથી વધારે ધન્યવાદ શ્રી વિજ્યમુનિ શાસ્ત્રીને અને મારા મિત્ર શ્રી દુર્લભજી ખેતાણીને ઘટે છે. આ પાછળ ભાઈ દુર્લભજીએ અથાગ પરિશ્રામ લીધો છે તેની અહીં ખાસ નોંધ લેવી ઘટે છે.
આ કામણી વિદ્યાપીઠના પ્રસ્થાનને હું અન્ત:કરણથી આવકારુ છું. આશા રાખું છું કે આ નવપ્રસ્થાનનું સ્પે. મૂ. સંપ્રદાયના તથા તેરાપંથી સંપ્રદાયના અગ્રણીઓ અનુકરણ કરશે અને પિતપોતાના સંપ્રદાયના ઉમેદવાર તેમ જ દીક્ષિત સાધુ-સાધ્વીએ માટે આવી વિદ્યાપીઠ ઊભી કરવા પ્રેરાશે અથવા તે સૌ સાથે મળીને આખા જૈન સમાજને આવરી લે એવી શ્રમણ-શ્રમણી વિદ્યાપીઠની પેજનાના વિચાર તરફ ઢળશે. દીક્ષા પ્રદાન અંગે અનેક નિયંત્રણોની જરૂર છે અને દીક્ષા લઈને લગભગ નિરર્થક