________________
૨૬
પ્રભુ
સૂરિ, પદ્મપ્રભ મલધારી સૂરિ - એમની ટીકાઓ એમની ટીકાના અંતર્ગત કલશા અદ્ભુત સ્વાધ્યાય - શકિતવાળાં છે; અત્યારે તેઓ એમના આચારથી સમાજને સેવા આપી શકતા નથી. એમનામાં અજિકા - આર્યાની સંસ્થા નહિવત ્ છે. પરિણામે સ્થાનકવાસી - તેરાપંથી આર્યા, અને શ્વેતાંબર - મૂર્તિપૂજક ગરણીજીએ સ્રીસમાજમાં યથેચ્છ હરી-ફરી શકે છે તે આ સમાજમાં હાઇ શકે નહિ. એમના આચાર - કડક હોય છે. પણ એમની નગ્નતા ઐચિત્યવિરુદ્ધ હોય છે. મને તે મુહપત્તી માઢે બાંધવી એ પણ અનુચિત લાગે છે. એ આચાર–પરંપરા ફેરફાર માંગે છે. મૂર્તિપૂજક સાધ્વીજી વ્યાખ્યાન કરી શકે નહિ એ વિચાર મને બિલકુલ રુચતા નથી. તેથી તે તેઓ બહુધા સ્વાધ્યાયથી વંચિત રહે છે, જો કે હમણાં હમણાં તો, એમનામાં વિદ્રત્તાનો વિશિષ્ટ ગુણ આવતા જોઉં છું. સ્થાનકવાસી આર્યાજીઓમાં પણ બહુશ્રુતપણું હવે પ્રવેશ કરતું જાય છે. આ ગુણવિશિષ્ટતાથી તેઓ સમાજને ઉપયોગી થઇ શકે છે.
હમણાં હમણાં એક જુદી જાતના વાદનો પરિચય મને થાય છે. શુભભાવથી પુણ્યનું ઉપાર્જન થતું હશે, પણ તેથી મુકત દશા આત્માને માડી આવે છે–એવા ઉપદેશ કર્યાંક કર્યાંક આપવામાં આવે છે. પરિણામ એ આવ્યું છે કે શુભભાવથી પરિણમતી સેવાભાવના આ વધતાજતા સમાજમાં અલ્પ થતી જાય છે. તેમનામાં આત્માના મેાક્ષને નામે સ્વાર્થના અવગુણ પ્રવેશ કરતો હું જોઉં છું, અલબત્ત, આ વિષય ફિલસૂફીના છે, પણ મને લાગે છે કે તેમાં વિચારભિન્નતા માટે અવકાશ રહે છે.
હવે તો જૈન સાધુઓ અને સાધ્વીઓ પણ પરદેશગમન કરી શકે છે. જૈન આચારના વિચાર આ દિશામાં મને સંકુચિત લાગ્યા કરે છે. જૈનોએ એવા આચારો ઘડયા કે તેમને તે માટે નિશીથ સૂત્ર જેવું-વ્યવહારૂ સૂત્ર, જેવું - નકારાત્મક સાહિત્ય સર્જવું પડયું. ભિક્ષુઓ આ ન કરવું,તે ન કરવું વગેરે આ કારણથી જૈન સાધુ - સાધ્વી સમાજ ફિલસૂફી - સાયન્સની અવગાહનાથી વંચિત રહ્યો છે. એમના કેવળ જ્ઞાનનો ખ્યાલ વર્તમાન શિષ્ટતાથી ઘણા દૂર રહ્યો છે.
પુરાતન જૈન આચાર - વિચાર મથુરાની પેલી પાર જઈ શક્યા નથી. એક કેશીકુમારના પરિચય અપવાદમાં આવે ખરો. જૈન સાધુ - સાધ્વીઓનાં પર્યટના બહુ મર્યાદિત રહ્યાં છે, કારણ કે તેમનો આચાર તેથી વિરુદ્ધ પડયો છે. જૈન સાધુ - સાધ્વીઓનું જીવન - લક્ષ્ય માત્ર આત્મ-મેાક્ષાર્થી હતું નહિ–હાવું જોઈએ નહિ. નવકાર - મંત્રમાં જેને એ ઉપાધ્યાયની સંસ્થાના સ્વીકાર કર્યો છે. મહાવીરનાં પર્યટના તે ગૌતમ બુદ્ધનાં પર્યટનાને ટપી જાય તેવાં હતાં. એ પર્યટના પ્રજાના સંસ્કારોના પરિવર્તનલક્ષી હતાં. એમણે એ દેશમાં વસતા લોકોને અનાર્ય જીવનથી વિરકત કરી, જૈન દર્શનથી, આર્ય-સંસ્કારમાં ભેળવ્યાં. જૈન સાધુ - સાધ્વીઓએ હવે એ લક્ષ્યના વિસ્તાર કરવા જોઈએ. અત્યારે જગતના પ્રજા-સમૂહો અનાર્ય જીવન જીવી રહ્યા છે; હિંસાવાદમાં અનુરકત રહેવા માંડયા છે; વર્ગવિગ્રહમાંથી જ સકલ સમાજ ઉન્નત દિશામાં આવશે, બીજી રીતે નહિ, એવા અનાર્યતાવાદી માકર્સવાદના છડેચાક ઉપદેશ અપાતા રહ્યો છે; તેના રંગ યુવક - યુવતીવર્ગને લાગત જાય છે; શ્વેતવર્ણી, કૃષ્ણવર્ણી, ઘઉંવર્ણી પ્રજાઓના સંસ્કારોને, તેમની સમસ્યાઓને પૃથભાવે વિચારવામાં આવે છે ત્યારે જૈન સાધુ - સાધ્વીઓએ ભારત બહાર, આ અનાર્ય માન્યતાઓના ય કિંચિત્, સામના કરવા કટિબદ્ધ થવું જોઈએ. તે માટે એમણે જૈન આચારની કડકાઈના પર્યટન પૂરતે ત્યાગ કરવા પડે તો તે માટે તેમને સંઘથી છૂટ મળવી જોઈએ. એમને નિશીથ સૂત્રનાં વ્યવહારસૂત્રનાં વિધાનો લાગુ પાડવાં જોઈએ નહિ. ભારતબહાર તે ભિક્ષા માટે પર્યટન કરી શકે નહિ, તેમને અપિત્ત પાણી મળી શકે નહિ. માત્ર એમણે એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. એમને આહાર નિરામિષ હોવા જોઈએ, જો કે તેમાં પણ કંદમૂળના આહાર પર્યટન - પૂરતા વર્જ્ય ગણવા જોઈએ નહિ
જીવન
તા. ૧-૧-૧૯૭૦
તેમના પોશાકમાં પણ પર્યટનાના દેશની આબેહવા પ્રમાણે છૂટ-છાટ હોવી જોઈએ. તેઓ એકલ-વિહારી પણ હોઈ શકે. યુરોપ અમેરિકા - એશિયામાં જેચ્યુઈટ ( Jesuits )ની સંસ્થા છે, તે સંસ્થાએ શિક્ષણ વગેરેમાં સમાજની સારી સેવા કરી છે. તેવા સેવાભાવ જૈન સાધુ-સમાજ કેળવી શકે.
મારે એક બાબત લખવી જોઈએ. આવા વિદેશી પર્યટનામાં જૈનવિદ્યાનાં કેન્દ્રો સ્થાપવાં જોઈએ. જેમ આર્યસમાજી, બ્રહ્મસમાજી, બૌદ્ધો વગેરેએ સ્થાપ્યાં છે તેવાં કેન્દ્રો હાવાં જોઈએ. અસેસની વાત તો એ છે કે ખુદ મહાવીર સ્વામીના જીવનચરિતના વિષયમાં, તેની હકીકતોને કલ્પનાયુકત જાળ - ઝાંખરાંથી એટલી બધી કુંઠિત કરી દેવામાં આવી છે કે તેને શુદ્ધ કરવાના વીંખવાના—વ્યવસાય હજુ સુધીમાં હાથ પર લેવામાં આવ્યો નથી. જૈન મુનિરાજો આટલું સમજતા થાય તે જનતા ઉપર મહાન ઉપકાર થશે. મહાવીરના જન્મના વૃત્તાંત, એમના વિહારોની વાર્તાઓ, એમની તપસ્યાના પ્રકારો, ખાસ તે એમનાં પર્યટનાનાં ગામ - નગરો વગે૨ે પર્યુષણ સમયૅ, એમના જીવનનાં ચિત્રો બતાવવામાં આવે છે તે સાથે તેમને વિસ્તારથી સમજાવવામાં આવે તો? અશ્વાર્ષે બુદ્ધચરિત્ર લખ્યું એવું સાહિત્ય મહાવીરના જીવન વિષે આપી ન શકાય ? આ તમામ સિદ્ધિએ ત્યારે જ થાય, જ્યારે જૈન સાધુ-સમાજના આચારોમાં અને વિચારોમાં સંગીન ફેરફારો થાય.
જૈનદર્શનમાં વિચારોનું વૈવિધ્ય જોવામાં આવે છે. એ વૈવિધ્ય અત્યારે નવા વેશ ધારવા માંડયું છે. ઉપાદાન-નિમિત્ત-શુભ અશુભ આસ્રવ, સ્વ-આત્મ-પર-પરમાણુ સંબંધ વગેરે. આ વૈવિધ્ય સરળભાવે જોવામાં આવતું નથી. એમાં Intolerance-સસિંહ,તાજોવામાં આવે છે. આ વાત ઈચ્છવા જોગ નથી. મતમતાંતરને હંમેશાં ભારતમાં યોગ્ય સ્થાન મળતું રહ્યું છે.
2
જૈન-સાધુ સમાજના આચાર - વિચારમાં ફેરફારની આવશ્યકતા ઘણી છે. અહીં તે। દિશાસૂચન કર્યું છે. આ કામ મુખ્યત્વે જે તે સંસ્થાઓનું છે, વ્યકિતઓનું નહિ.
મારો આશય કોઈ દર્શન-વાદી સાથે અથડાવાના નથી. કેશવલાલ હિંમતરાય કામદાર, એમ. એ,
આપણી સાધુસંસ્થા અંગે ચેાાયેલા પરિસંવાદ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ૧૪મી જૂન રવિવારે સવારે ૯ વાગ્યે સંઘના કાર્યાલયમાં આપણી સાધુસંસ્થાના અદ્યતન સ્વરૂપમાં તેમ જ તેના આચારવ્યવહારમાં કોઈ ફેરફારોની આવશ્યકતા છે કે નહિ અને જો હોય તો કેવા ફેરફારો ઈચ્છનીય છે એ વિષય અંગે વિચારપરામર્શ કરવા માટે જૈન સમાજના વિચારકોનો એક પરિસંવાદ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે યોજવામાં આવ્યો છે. આજે આ પ્રશ્ન તરફ ખૂબ ચર્ચાઈ રહ્યો છે તે પરિસ્થિતિના સંદર્ભમાં આવો વિચારવિનિમય . આપણ સર્વને માર્ગદર્શક બનશે એવી આશા અને અપેક્ષા આ પરિસંવાદ પાછળ રહેલ છે. તો આ પરિસંવાદમાં ભાગ લેવા એમાં રસ ધરાવતા ભાઈબહેનોને અમારું હાર્દિક નિમંત્રણ છે.
આ પરિસંવાદ માટે અઢી કલાકની સમયમર્યાદા વિચારવામાં આવી છે. આમ છતાં આ પરિસંવાદમાં જૈન સમાજના પ્રમુખ વિચારકો મુકતભાવે ચર્ચા કરે એવી અમારી અપેક્ષા હોઈને ધારેલી સમયમર્યાદામાં પ્રસ્તુત ચર્ચાવિચારણા પૂરી ન થાય અને આવશ્યક લાગે તો આ ચર્ચાસભા એ જ દિવસે સાંજે ચાર વાગ્યા ઉપર મુલત્વી રાખવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ