________________
પ્રબુદ્ધ જીવન
ચિ. અનુરાધાના ‘આરંગેત્રલ” પ્રસંગે કરવામાં (અમદાવાદનિવાસી મિત્ર શ્રી ચંદ્રવદન લશ્કરી તરફથી અમુક પ્રસંગ ઉપર કાકાસાહેબે આપેલાં પ્રવચનોની નક્લ મળી. આ પ્રસંગ વિષે તેમને પૂછાવતાં તેમણે જણાવ્યું કે “ચિ. અનુરાધા નામની માટે એક ૧૬ વર્ષની પુત્રી છે અનેં સાયન્સના પહેલા વર્ષમાં ભણે છે. આ અનુરાધાએ સાત વર્ષ સુધી શ્રીમતી મૃણાલિની બહેનની ‘દર્પણ’ નામની - નૃત્યનું શિક્ષણ આપતી - સંસ્થામાં ભારતનાટ્યમ નોં અભ્યાસ કર્યો, તે અભ્યાસની પૂર્ણાહૂતિના અનુસંધાનમાં યોજવામાં આવેલ ‘આર’ગેત્રલ' એટલે કે પોતે શિખેલ નૃત્યકળાનું જાહેરમાં સૌપ્રથમ પ્રદર્શન કરવાને લગતો સમારંભ ગયા જાન્યુઆરી માસની ત્રીજી તારીખે યોજવામાં આવેલ. આ પ્રસંગે પૂજય કાકાસાહેબ, પૂજ્ય રવિશંકર મહારાજ ઉપસ્થિત થયા હતા અને ચિ. બહેન અનુરાધાને તેમણે આશીર્વાદ આપ્યા હતા. અને કાકાસાહેબે આ પ્રસંગે કરેલા ત્રણ પ્રવચનાની નક્લ તમારી જાણ માટે મેકલી છે.” તેમાંની મહત્વનો વિભાગ નીચે આપવામાં આવે છે. પરમાનંદ)
૨૨
જીવનમાં કળાની પડતી અને ચઢતી મારે માટે આજનો દિવસ અનૅ છે. ઉંમરે ઘણા લોકોનો મુરબ્બી છું. એટલે આશીર્વાદ આપવાનું કામ હ્રદયથી કરતા આવ્યો છું.. એ મારે માટે નવું નથી. પણ કોઈ પણ મને પૂછી શકે કે નૃત્ય અનેં નાટયક્લા સાથે તમારે શું લાગેવળગે? એ કળાનો હું વિશેષજ્ઞ નથી જ. જાણકાર હોવાનો પણ દાવા ન કરી શકું. પણ જે માણસે દેશાભિમાનથી કહેા, કે આધ્યાત્મિક દૃષ્ટિથી કહે, ભારતીય સંસ્કૃતિની ભકિત કરી છે એને માટે સાહિત્ય, સંગીત, ચિત્રકળા, નૃત્યકળા, આપણા તહેવારો અને રીતરિવાજે સાથે ઊંડા સંબંધ હોવાના જ. મેં સ્વરાજય માટે જીવન અર્પણ કર્યુ. એ સેવામાં આડે આવે એવા ઘણા રસો મેં જતા કર્યા, પણ મારી સ્વરાજ્યની કલ્પના કેવળ રાજદ્રારી ન હતી. અંગ્રેજોનું રાજ્ય અહીંથી હટાવવું એ મુખ્ય ઉદ્દેશ ખરો. હું હંમેશાં કહેતા કે અમારા દેશમાંથી વિદેશીએનું રાય દૂર કરીએ પછી ઘરના માલિક તરીકે અહીં અમે સ્વર્ગ ઉત્પન્ન કરીએ કે નરક, એ અમારી મુન્સફીની વાત, કે સ્વભાવની બલિહારી. પણ ઘરના માલિક બનીએ તે જ ધર્મની, સંસ્કૃતિની અને રાષ્ટ્રીયતાની સેવા કરી શકીશું. તે વખતે પણ કહેતા, સ્વરાજ્ય નથી તેથી જ રાષ્ટ્રીયતાની વાત કરીએ છીએ. આ બહુધી દેશમાં રાષ્ટ્રીયતા એ જ અમારી એકતાનું માટું સાધન છે તેથી જ, રાષ્ટ્રીયતાના આટલા અમારો આગ્રહ છે. નહિ તે ભારતની સંસ્કૃતિ, રાષ્ટ્રીયતાના સંકુચિત આદર્શને કોઈ કાળે વળગીને રહી નથી. ભારતીય સંસ્કૃતિ સમસ્ત માનવતાને એકરૂપ માનતી આવી છે, એટલું જ નહિ પણ પ્રાણીસૃષ્ટિ સાથે પણ એકતા અનુભવવાના એના કોડ છે.
હવે સંસ્કૃતિનાં જે જે તત્વા માનવતાને પોષક અને વર્ધક હોય તે બધાને અપનાવવાં એ અમારો પરાપૂર્વથી ચાલતા આવેલા આદર્શ છે.
ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રામની સ્થાપના કરી અને એમાં બ્રહ્મચર્યના આગ્રહ, સ્વાદ–સંયમના આગ્રહ, શ્રમજીવનનો આગ્રહ, આ બધુ જોઈને લોકોએ માની લીધું હતું કે સ્વરાજ્યને વરેલા વૈરાગીઓના આ એક અડ્ડો છે.
અમે જ્યારે દરબાર ગોપાળદાસને સૌરાષ્ટ્રમાંથી બાલાવી એમના દાંડિયારાસનો ઉત્સવ આશ્રમમાં મનાવ્યો ત્યારે ગુજરાતની પ્રજાને ભારે આશ્ચર્ય થયું હતું. અમે તે! આશ્રમમાં આપણી સંસ્કૃતિના બધા તહેવારો ઉજવીએ, પછી તે હિંદુઓના હોય કે મુસલમાનાના, પારસીઓના હોય કે ઈસાઈઓના.
આકામ દ્વારા અને વિદ્યાપીઠ દ્વારા પણ અમે ભારતીય સંગીત,
10
તા. ૧૬-૫-૧૯૬૦
આવેલ કાકાસાહેબ કાલેલકરનું પ્રવચન ચિત્રકળા, નાટયકળા, લાકનૃત્ય અને સ્વદેશી રાચરચીલાના પુરસ્કાર શરૂ કર્યો. એની અસર આખા ગુજરાત પર થઈ. અમારા આપાસાહેબ પટવર્ધન વિદ્યાર્થીઓને લઈને દાંડિયા રાસ રમે. છેકરીઓ ગરબા ગાય અનેં નાચે, ત્યારે પ્રથમ પ્રથમ લોકોને આશ્ચર્ય થવું. પાછળથી એ જ લોકો કહેવા લાગ્યા કે આશ્રામ એ સંગીત અને સંસ્કૃતિના પુનરુજજીવનનું એક સમર્થ કેન્દ્ર છે. આકામની સાદગી, આડ્રામને સાંયમ, પવિત્રતાના આગ્રહ અને આધ્યાત્મિકતાની ઉપાસના એવા વાતાવરણમાં સ્વતંત્રપણે બધી શુભ કળાએ ખીલવા લાગી, અને એની અસર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર જ્યાં
ત્યાં દેખાવા લાગી.
એ જ ગાંધીજીની આશ્રમની પ્રવૃત્તિનો હું પ્રતિનિધિ છું. એટલે ભાઈ ચંદ્રવદન લશ્કરીનું આમંત્રણ સ્વીકારતા મને જરાયે સંકોચ ન થયા. પણ મેં માન્યું ન હતું કે ચિ. અનુરાધાને આશીર્વાદ આપવા ઉપરાંત મને અહીં વિશેષ બેલવાનું હશે, અને તે પણ જયાં નૃત્યકળાની સ્વામિની અને દક્ષિણ અને ઉત્તરના સમન્વય સાધતી સંસ્કૃતિ - સ્વામિની મૃણાલિનીબેન પ્રેરણામૂર્તિ છે ત્યાં મારા જેવાયે બાલવાનું શું હોય?
પણ હું જાણું' છું કે કળાધરો અને તદ્વિદ્દો જ્યારે પેાતાની વિદ્યાની અને કળાની વિગતવાર ચર્ચા કરી કરીને થાકી જાય છે ત્યારે મારા જેવા સામાન્ય માણસના વિચારો, ભલે છીછરા હોય, સાંભળવાની ઈચ્છા સેવે જ છે, અનેં હું પણ માનું છું કે સર્વબાજુથી વિચાર કરનારા સામાન્યજના પાસેથી કોકવાર નવી દષ્ટિ પણ રજૂ થઈ શકે છે.
નૃત્યકળાનો મારો પરિચય છેક નાનપણથી છે. અમે બેલગામ શાહપુર તરફના રહીશો. ગામાંતક ભૂમિ, ગોવાના પડોશી એ ભૂમિમાં સંગીત, નૃત્ય અને નાટયની ઉપાસના પરાપૂર્વથી ચાલતી આવેલી. હું જ્યારે પરણ્યો ત્યારે વેદમંત્ર બોલનાર પુરોહિતની જેટલી આવશ્યકતા હતી તેટલી જ નૃત્યકળાઓના અભિનય બતાવનાર ક્લાવંતીઓની હાજરી પણ આવશ્યક મનાઈ હતી, અને અમારા એ ચિરસુવાસિની ક્લાવંતીઓના આશીર્વાદ પણ અમને લેવા પડયા હતા. ગાવાની નૃત્યકળામાં શાસ્રોકત નૃત્ય ઉપરાંત ‘ કારવા નાચ' કરીને નૃત્યકળાના એક વિભાગ હતા. એમાં અભિનયના હાવભાવની એટલી બધી કદર હતી કે સવેચ્ચિ શાસ્રીય નૃત્ય સાથે નાટયનો પણ પૂરેપૂરો એમાં પુરસ્કાર દેખાતા હતા. આગળ જતા અમે નવા ભણેલાઓએ જોયું કે ક્લાવંતી એ શબ્દ વેશ્યાઓ માટે પણ વપરાય છે. નૃત્યકળાનું પ્રદર્શન કરનાર એ બહેનોની કળાની કદર ગમે તેટલી થતી હોય, શિષ્ટ સમાજમાં એમને જરાયે સ્થાન નથી એટલે અમે સુધારાવાળાઓએ નાચની આખી પ્રથાનો જબરદસ્ત વિરોધ શરૂ કર્યાં, એમાં પણ મારા ભાગ ઓછા ન હતા. બટુકને જનોઈ આપતી વખતે નાચ, લગ્ન વખતે નાચ, દરેક શુભ ધાર્મિક પ્રસંગે નાચ, એ પ્રથા તોડી પાડતાં, જૂની પેઢીના લોકો સાથે ખૂબ ઝગડો કરવા પડયો હતો.
તે તે ઠીક પણ અમારા દરેક મંદિર સાથે સંગીત દ્વારા મંદિરની સેવા કરનારી સેવક-બહેનો પણ હતી, એમને દેવદાસી કહેતાં. બપોરે પૂજા વખતે એ બહેના મંદિરનાં પગથિયાંની પગચંપી કરે ! અને રાત્રે કીર્તન સાથે એમનું સંગીત અને નૃત્ય પણ ચાલે. મંદિર તરફથી એમને વર્ષાસન મળે. એટલે એમના ધંધા પેઢી દર પેઢીએ (વંશપર પરાથી). બીજી બાજુ, દેવદાસીઓને આશ્રાય આપનારા લોકોની સામાજિક પ્રતિષ્ઠા કાંઈક ઓછી થતી. છતાં મંદિરોમાંથી દેવદાસીઓને હઠાવવામાં અમે હજીયે પૂરતા સફળ થયા નથી.
પ્રથમ પ્રથમ અમારા ‘સુધારાના જોશે’ સંગીત અને નૃત્યકળાનો જ વિરોધ કર્યો હતો. આગળ જતાં સંગીતનું અને નૃત્યકળાનું અધ્યાત્મ ધ્યાનમાં આવતા “એ બંને કળાઓને બચાવવાની” નવા