________________
તા. ૧૬-૫-૧૯૭૦
પ્રબુદ્ધ જીવન
-
૧૭ ,
-
પ્રબુદ્ધ જીવન”ની પત્રચર્યા
-
(તા. ૧-૪-૭૦ના “પ્રબુદ્ધ જીવનમાં “વિનોબાજી મને ઘણી વાર સમજાતા નથી” એ મથાળા નીચે પ્રગટ થયેલી મારી નોંધમાં વિનોબાજીના કેટલાંક મંતવ્ય અને વલણે વિષે આલોચના કરવામાં આવી હતી. તેના પ્રત્યાઘાત રૂપે બે પત્રો - એક ગાંધીજીના પૌત્ર શ્રી કાંતિલાલ ગાંધીને અને બીજો મુંબઈના જાણીતા સર્વોદય કર્યકર્તા ભાઈ કાન્તિલાલ વેરાને - પ્રાપ્ત થયા છે. આ બે પત્રો અનુક્રમે નીચે આપવામાં આવે છે. અહિં એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે, ઉપર જણાવેલ મારી નેધમાં જે વિચારો પ્રગટ કરવામાંઆવેલા હતા તે માત્ર મારા નહેાતા પણ તે વિચારો વિનોબાજીના વિચારક્ષેત્રે મારી જેવા અનેક સહયાત્રીઓના દિલમાં ઊઠતા તર્કવિતર્કોને પ્રતિધ્વનિત કરતા હતા. આ બાબતમાં હું સાચે છું અને વિનેબાજી ખેટા છે એવું કશું પુરવાર કરવાને નહિ પણ વિનેબાજીના વિચારવલણ વિશે વધારે સ્પષ્ટતા થાય એ આશયથી એ વિચારે ૨જૂ કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાં આ પત્રોના જવાબ રૂપે કંઈ ને કંઈ લખીને આ ચર્ચા હું લંબાવું તેના બદલે મારા લખાણના અનુસંધાનમાં આ પત્રોમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓને આપણે બધા વધારે ઊંડાણથી વિચાર કરીએ અને દરેક પિતાને માટે સમ્યક નિષ્કર્ષ તારવે એ મને વધારે શ્રેયસ્કર લાગે છે.
પરમાનંદ)
મુંબઈ, તા. ૮-૪-૭૦ શ્રી કાન્તિલાલ ગાંધીને પત્ર મુ. શ્રી. પરમાનંદભાઈ,
તા. ૧-૪-૭૦ના ‘પ્રબુદ્ધ જીવન’માં ‘વિને બીજી ઘણીવાર મને સમજાતા નથી.’ એ મથાળા હેઠળની તમારી પ્રકીર્ણ નોંધ વાંચી, અને વિચારકોને ઊંડાણથી ચર્ચા કરવાને તમારે આશય જાણી આ લખું છું. ઉપરના વાંચન સાથે સાથે જ “ન વહે કામયે રાજ્યમ' પણ વાંચ્યું.
મને લાગે છે કે પૂ. બાપુજી કે પૂ. વિનોબાજી પ્રત્યે અત્યંત શ્રદ્ધા - ભકિતથી જોનારાઓમાં પેતાને લાગે તે એમના વિચારોની વિરૂદ્ધ હોય તે પણ કહેવાની હિંમત દેખાતી નથી. આવી ભીરૂતાને એકર મૂકીને તમે નોંધ લખી તેથી જ હું પણ આ પત્ર લખવા પ્રેરાયો. ' - તમે કહો છો તેમ શાસનમુકત સમાજરચનાની શક્યતા માત્ર કલ્પવી જ રહી. સામ્યવાદનું ધ્યેય પણ એ જ છે ને? . બાપુએ સ્વર્ગસ્થ નામદાર આગાખાનને કહેલું મને યાદ છે કે શાસન પૃથ્વી ઉપરથી કદીયે નષ્ટ થવાનું હશે તે તે હિસાથી તે ભાગ્યે જ થશે. મારી યાદ પ્રમાણે ૧૯૪૭ ના છેલ્લા ભાગમાં દિલ્હીમાં જ આગાખાનને મુલાકાત આપતાં આવું કહેલું.
ન ત્વહિં કામયે રાજયમ” માં પૂ. વિનોબાજી કહે છે તેમ એમને પ્રયત્ન “સ્વરાજય’ એટલે દરેક વ્યકિતની સત્તા સ્થાપવાને છે. બીજા ઉપર સત્તા ચલાવવાની એટલે રાજ્ય કરવાની જરૂર એટલા માટે ઊભી થતી હોય છે કે વ્યકિત પોતાના સ્વાતંત્ર્યને ઉપયોગ બીજાના
સ્વાતંત્ર્યને ભેગે કરવા જતી હોય છે. સૌ બીજાનો વિચાર કરીને પિતા ઉપર પિતાની સત્તા ચલાવે, એટલે કે પૂર્ણ રૂપે આત્મસંયમી થાય ત્યારે જ રાજસત્તા નષ્ટ થાય. આ એક આદર્શ તરીકે જ રહી શકે છે આ પૃથ્વી ઉપર એવું સ્વર્ગ ઊતરવું એ શકય જ નથી દેખાતું. A
એટલે આદર્શોને વ્યવહારમાં ઉતારવા જતાં બાંધછોડ વિના જીવન નથી. પણ એ બાંધ - છોડનું દુ:ખ - અસંતોષ, મનમાં રહે તો માણસ એવી પરિસ્થિતિ ફરીવાર - સરજાય એની ચીવટ રાખતે થઈ જાય અને ક્રમે ક્રમે એને એવી બાંધછોડ કરવાના
પ્રસંગે ઓછા થતા જાય; એ આદર્શો તરફ આગળ વધતો જાય. એથી જ તે કહેવાય છે કે એ રાજય જ સારું જે ઓછામાં ઓછું રાજય કરે.
(That Government is best that governs the least) મારી સમજ પ્રમાણે સર્વોદયવાદ ને સામ્યવાદનું અંતિમ લક્ષ્ય એક જ છે. એને પહોંચવાના બે ધારી રસ્તા જુદા છે. પૂ. બાપુને આખું જીવન - પ્રાગ આ બન્નેને માનવ-સુખ માટે સમન્વય કરવાનું જ હતું. બીજી રીતે મૂકીએ તો કહી શકાય કે ચોમેર ચાલતી હિંસા વચ્ચે અહિસા કેટલી હદ સુધી કામયાબ થઈ શકે તે એમણે દેખાડયું.
' નેહાંકિત, કાતિલાલ ગાંધીના પ્રણામ શ્રી કાન્તિલાલ વોરાને પત્ર
મુંબઈ, તા. ૩૦-૪-૭૦ મુ. શ્રી પરમાનંદભાઈ, - થોડા દિવસ પહેલાં મારા એક મિત્રે તા. ૧-૪-૭૦ નું પ્રબુદ્ધ જીવન’ તેમાંની આપની પ્રકીર્ણ નોંધ “વિનોબાજી ઘણી વાર મને સમજાતા નથી” એ તરફ ધ્યાન ખેંચતા આપ્યું.
આમ તે આપણે નિકટના પરિચયમાં હોવાથી, રૂબરૂમાં પણ ચર્ચા કરી શક્યા હતા, પરંતુ આપે આ અંગેના ચિન્તનમાં વાંચક પણ સહભાગી બને, એ દષ્ટિથી એને ‘પ્રબદ્ધ જીવન માં સ્થાન આપ્યું છે. એની સ્પષ્ટતા થાય, વધારે ઊંડાણથી - ઝીણવટથી ચર્ચા થાય એવી અપેક્ષા રાખી છે તે એ જ દષ્ટિથી હું પણ મારા વિચારે અને જાણકારી નમ્રતાપૂર્વક પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધિ અર્થે મોકલું છું.
આપે લખ્યું છે કે, “વિનોબાજીના ખ્યાલો - દા. ત. ગાંધીજીએ રાજકીય ક્ષેત્રે જે કાંઈ કર્યું તે લોકનીતિ છે અને આજના ધારાસભ્ય જે કાંઇ કરે છે તે રાજનીતિ છે- આ ભેદ મને સમજાતો નથી.” આપ એ તે જાણતા હશો કે દુનિયાભરમાં લોકશાહી Democracy ની વ્યાખ્યા જ એ કરવામાં આવી છે કે, It should be of the people, by the people & for the people. આજે આપણે ત્યાં ચાલતી લેકશાહી, ફકત for the people સિવાય, of the people કે by the people છે એવું કોઈ કહી શકે તેમ છે કે? અને જે લોકોની અને લોકો દ્વારા ચાલતી લોકશાહી હોય તે ૨૨ વર્ષ પછી પણ દેશની આ દુર્દશા – વધારે ને વધારે દુર્દશા–પેદા થઇ હોત ખરી? - ગાંધીજીએ પણ આવી લોકશાહીની કલ્પના નહોતી કરી. એમણે
તે એક એક ગામના લોકો પોતાની બુદ્ધિ - શકિત દ્વારા વહીવટ પિતે ચલાવી વિકેન્દ્રિત લોકતંત્ર દ્વારા ગ્રામ-સ્વરાજ્ય અને તે દ્વારા હિંદ સ્વરાજ્ય ખડું કરવાની કલ્પના કરી હતી. આ તે લોકશાહી નહીં, ફકત કોરા કાગળ ઉપરની શાહી જ રહી ગઈ છે.
બીજુ આપે લખ્યું છે કે, “વિનોબાજી શાસન મુકત સમાજની ક૯૫ના ઓપણી સામે ધરતા હોય છે. મને આવી સમાજ રચનાની કદી શકયતા જ દેખાતી નથી. જગપ્રસિદ્ધ કાર્લ માકર્સે Socialism ની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે આખરે state will wither away. રાજ્ય વિલીન થઇ જશે અને એ કલ્પનાને દુનિયાભરના લોકોએ આવકારી છે. બીજો એ પણ વિચાર સ્વીકાર્યો છે કે, It is the best government who govens the least.
વિનોબાની ગામસ્વરાજ્યની વ્યાખ્યા છે. કપિ
વિનોબાની ગ્રામસ્વરાજ્યની વ્યાખ્યા છે કૃષિમૂલક, ગ્રામઘોગ પ્રધાન, શેષણમુકત અને શાસનનિરપેક્ષ (શાસન વિહીન નહીં) એવી અહિંસક સમાજરચના. શાસન રહેશે પણ તે તેની અત્યંત મર્યાદામાં.
અને શકયતા–અશકયતાની તે આપણે શું વાત કરીએ? માનવ