________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૧૯૭૦.
જૈનેતર તરફથી ભાવભર્યું આમંત્રણ આવ્યું. રોજ બબ્બે કલાકના પ્રવચને ગોઠવાતાં ગયાં અને મહાવીર જયંતિ આવતાં તે વ્હેલ નાને પડવાથી એકને બદલે બબ્બે પ્રવચને ગોઠવાયાં. વીરની વાણી લંડન સુધી પહોંચી અને ત્યાંની અંગ્રેજ પ્રજા વધુ જાણવા આતુર બની. હિન્દુધર્મ અને જૈનધર્મ ઉપર પણ વિવેચન થયું. કૅપ્રીજ યુનિવર્સિટીમાં હારવીનના પૌત્ર સાથે જ્ઞાનગોષ્ઠી થતાં અહિંસા અને કરુણાના સિદ્ધાંતોની ઝીણવટથી વિચારણા થતાં પ્રયોગ ખાતર બે વર્ષ માંસાહારનો એમણે ત્યાગ કર્યો.
લંડનની પ્રજામાં મહાવીરની વાણીનું અમૃતપાન થતાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું. પ્રવચનમાં પાલિતાણાના જિર્ણોદ્ધાર પ્રસંગે પિતાનું સર્વસ્વ આપી દેનાર ભીમાશાહની વાત કરી એ કેટલાયને સ્પર્શી ગઈ. બીજે જ દિવસે ત્રણ ભાઈઓ આવ્યા, કાંઈક કરવાની ઈચ્છા વ્યકત કરી અને પિણે લાખ રૂપિચા પૂજ્યશ્રીના ચરણોમાં ધર્યા, જે તેમને પાછાં આપતાં લંડનમાં અહિંસક સંઘ સ્થપાયો. જૈન ફેલોશીપ સેન્ટરની સ્થાપના થઈ અને જિજ્ઞાસુ આત્માઓ માટે જ્ઞાન- ગંગાને પ્રવાહ સતત વહ્યા કરે તેની ગોઠવણી ચાલુ થઈ.
ઍન્ટ૫ બિલ્જિયમ)માં રહેતા ભાઈઓની પ્રવચનની માંગ વધતાં પૂજ્યશ્રી એન્ટપર્વ પધાર્યા. હીરાને ઘસીને એની અંદરનું તે જ બહાર લાવી શકે છે તે જ માનવી પોતાના આત્મામાં રહેલું તે જ પણ બહાર લાવી શકે છે. એ વિષય પર એક અંગ્રેજીમાં અને બીજે દિવસે ગુજરાતીઓ માટે ગુજરાતીમાં એમ બે પ્રવચન આપ્યાં. પૂજ્યશ્રીએ જીવનને નવો જ રાહ બતાવ્યો. ત્યાંથી જર્મનીમાં મ્યુનિચ ગયા. ત્યાં કુમારી હાઈડીએ પરિસંવાદ ગોઠવ્યો હતો તે પૂરો કરી બીજે દિવસે પૂજ્યશ્રીએ પેપને મળવાનું આમંત્રણ સ્વીકાર્યું હતું, એટલે ઈટલી રામ) આવ્યા. પિપ સાથે પણ મૈત્રીભર્યા વાતાવરણમાં વિશ્વશાંતિ તરફ પરસ્પરની સમજણથી આગળ વધવા શુભેચ્છા વ્યકત કરી. . . - વિદેશ પ્રવાસ પૂર્ણ કરી પૂજ્યશ્રી ચિત્રભાનુ મુંબઈ પધાર્યા ત્યારે એમના મુખ પર એક ધ્યેય પૂર્ણ કર્યાનો સંતોષ હતો અને મનમાં કહેવાતી અનાર્યભૂમિમાં સાચા આર્યોનાં દર્શન કર્યાને આનંદ હતો. '
શાન્તિલાલ ઝાટકિયા. ચંદ્રઅવતરણ અને હવાઈ પ્રવાસ અંગે
મુનિશ્રી નગરાજજીનાં મંતવ્ય અણુવ્રતા આંદોલનને લીધે આચાર્ય શ્રી તુલસી અને જૈન શ્વેતાંબર તેરાપંથી મુનિઓ સંપ્રદાય બહાર ધ્યાન ખેંચી શકયા છે. તેમાં મુનિશ્રી નગરાજજી અણુવ્રત-પરામર્શક તરીકે પ્રસિદ્ધિ પામેલા છે. એમની દિલહી તરફની પદયાત્રામાં ગયે અઠવાડિયે અમદાવાદમાં તેમને મુકામ થયો હતે. અણુવ્રત વિશેના એમના વિચારે જાહેર છે. પરંતુ હાલ જૈન સાધુસમાજમાં બે પ્રશ્ન ઉપર વિવાદ જાગેલો જોવા મળે છે. ચંદ્ર ઉપર માનવી પહોંચ્યો તે અને વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા પ્લેનમાં ઊડીને મુનિશ્રી ચિત્રભાનુજી જીનિવા યા . આથી એ અંગે મુનિશ્રી નગરાજજીના વિચારો જાણવાની ઈચ્છા રહે તે સ્વાભાવિક છે. - તા. ૧૮મી એપ્રિલના રોજ એમની મુલાકાતની તક મળતાં મેં તેમને પ્રથમ રાંદ્ર ઉપર માનવના અવતરણના મુદ્દાની પૃચ્છા કરી. જૈન સ્થાનકવાસી સમાજમાં અને ખાસ કરીને તેના સાધુસંપ્રદાયમાં મુનિશ્રી અમરચંદજીએ રાંદ્ર ઉપરની માનવીની સિદ્ધિને સ્વીકારવી જોઈએ તેમ જણાવવાથી ખળભળાટ પેદા થયો છે. ધર્મવિરોધી વિચાર દર્શાવવાથી તેમને શ્રમણસંઘમાંથી બહાર કેમ ન મૂકવા તેવા આંદેલને આકાર લીધું છે. મુનિશ્રીએ પિતે સાધુસંઘમાંથી છૂટા થવાની માગણી કરતું રાજીનામું મેકલી આપ્યું છે. .
મુનિશ્રી. નગરાજજી આ હકીકત જાણતા હતા. તેમણે જણાવ્યું
કે જે પ્રત્યક્ષ હકીકત છે તેનો ઈનકાર કરી શકાય નહીં. મહાવીરની આગમવાણીથી તે વિરોધી બનાવ હોય તે સાચે માર્ગ તે એ છે કે આગમવાણી વિશે પુનવિચારણા કરવી જોઈએ. પરંતુ એ વાણી ખેાટી ન હોઈ શકે તેમ સ્વીકારી લઈને ચાંદ્ર ઉપર માનવનું અવતરણ જે એક વૈજ્ઞાનિક સિદ્ધિ છે તેને ઈનકાર કરવાથી આગમવાણીની સત્યતા પુરવાર થતી નથી. એને બદલે આગમવાણીના વિધાન બાબત નવેસરથી મૂલ્યાંકન કરવાની તત્પરતા બતાવવી જોઈએ.
મુનિશીએ જણાવ્યું કે મહાવીરની વાણી એમના વખતમાં ગ્રંથસ્થ કરવામાં આવી છે. આમાં બે અનુમાન થઈ શકે. આગમવાણી તરીકે ઓળખાતી બધી હકીકત તેમને નામે ચઢી હોય તે પણ તે તેમની પોતાની ન હોય. એ રચનાઓ પાછળથી બીજાં આચાર્યોએ ઉમેરી હોય અને તેનું કર્તવ્ય મહાવીરને નામે ચડાવ્યું હોય અગર તે વાણી મહાવીરની પેતાની હોય. જો એમની હોય તો એ ભૂગોળખગોળ અંગેની માન્યતા સાચી નથી તેમ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. જૈન ધર્મ મહાવીરને સર્વજ્ઞ કહે છે, તે દાવે એમને રાખવી જોઈએ. જન ધર પેાતાને નથી પણ બીજા આચાર્યોએ તેમના અંગે કરેલે દાવે છે, છે, જે દાવો કરનાર આચાર્યોની સર્વજ્ઞતાના અભિપ્રાયની કટી કરે છે અગર તેમના જ્ઞાનની પરિસીમાને ખ્યાલ આપે છે. એ જે હોય છે, પરંતુ જે પ્રત્યક્ષ સાબિત થયું છે તેને ઈનકાર કરવાથી જૈન ધર્મ, મહાવીર કે સાધુસમાજના ગૌરવમાં વધારે થતો નથી. અમુક ધર્મની માન્યતા વિજ્ઞાનની ચેલેન્જને લીધે ખોટી ઠરતી હોય હોય તો તેને સ્વીકાર કરવો જોઈએ. સાંપ્રદાયિકતાને વશ થઈ વળગી રહેવું ન જોઈએ.
જૈન સાધુએ વાહનને ઉપયોગ કરતા નથી અને પગપાળા પ્રવાસ કરે છે. માંદગીમાં પણ તે વાહનને નિષેધ માને છે. આપધર્મ તરીકે માણસે ડોળીમાં તેમને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય તેટલી છૂટ સ્વીકારે છે. આથી પ્લેનમાં બેસી મુનિશ્રી ચિત્રભાનુજી જીનિવા ગયા છે. તે પ્રસંગ જૈન સાધુસમાજ માટે નવો અને ખળભળાટ મચાવનાર કહી શકાય. એમણે પોતે જમાના પ્રમાણે અમુક આચારમાં ફેરફાર થવો જોઈએ તેમ પોતાના પગલાના ટેકામાં જણાવ્યું છે. જૈન ધર્મે જે બીજા ધર્મો સમક્ષ પોતાની રજૂઆત કરવી હોય તે પરદેશમાં ભરાતી સભાઓમાં ભાગ લેવા જવું જોઈએ. એ જ રીતે પરદેશમાં જૈન ધર્મના પ્રચાર કરવા માટે પગપાળા પ્રવાસનું બંધન છેડવું જોઈએ.
મુનિશ્રી નગરાજજીએ તે અંગે જણાવ્યું કે વાહનને બિલકુલ ઉપયોગ ન થઈ શકે તેવા એકાંગી આચાર ધર્મને અભિપ્રેત નથી. આજે નદીઓ ઉપર પુલ બંધાઈ ગયા છે એટલે પગપાળા દેશમાં પ્રવાસ કરનારને હોડીને ઉપયોગ કરવાની જરૂર ન રહે. અમુક સ્થળે થડે પ્રવાસ લાંબે થાય એટલું જ. પરંતુ મહાવીરના જમાનામાં પુલ ન હતા અને મેટી નદીઓ ઓળંગી એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું હોય તે વહાણને ઉપયોગ કર્યા વિના ન ચાલે. જે તેને નિષેધ કર્યો હોત તે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જેવું મુશ્કેલ બન્યું હોત અને સ્થાનિક સાધુઓના જ્ઞાનને મર્યાદિત જ લાભ જૈનને મળ્યો હોત. એસ્થિતિ ધર્મના લોકોના હિતમાં ન જગણાત. મહાવીરે નદી પાર કરવા માટે હેડીને ઉપયોગ કરવાને સાધુઓને માટે નિષેધ માન્ય નહોતે. આમ દેશના પ્રવાસ માટે મહાવીરે નદી પાર કરવાના વાહનને સ્વીકાર કર્યો હોય તે આજના જગતમાં પરદેશ પ્રવાસ માટે પ્લેનના વાહનને ઉપયોગ કરવો પડે છે તે શ્રમણઆચારને રારાંગતા નથી તેમ ન ગણવું જોઈએ. આમાં જે મુદ્દો રહેલી છે તે એ કે આવા પ્રવાસ અંગે એ હેતુને વધુમાં વધુ કોણ પાર પાડે તે દષ્ટિએ નિર્ણય થવો જોઈએ. (તા. ૨૬-૪-૭૦ ના ‘નિરીક્ષકમાંથી) ઈશ્વર પેટલીકર