________________
પ્રભુ જીવન
મુનિ
ચિત્રભાનુની અપૂર્વ કાર્યસિદ્ધિ
(મુનિ ચિત્રભાનુ અહિંથી ૨૯મી માર્ચના રોજ યુરોપના પ્રવાસે સીધાવ્યા હતા, તેઓ મે માસની પહેલી તારીખે ભારત ખાતે પાછા ફર્યા છે અને હાલ ઘાટકોપરમાં આવેલા એક જૈન શ્વે. મૂ. સમુદાયના ઉપાશ્રયમાં સ્થિર થયા છે. તેમના પરદેશ પ્રવાસ દરમિયાન તેઓ કયા કયા સ્થળાએ ફર્યા અને તેમણે કેવું કાર્ય કર્યું. તેના ટૂંકા વૃતાન્ત તેમના સહપ્રવાસી શ્રી શાન્તિલાલ ઝાટકિયા તરફથી પ્રાપ્ત થયો છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. આ સાથે જણાવતાં આનંદ થાય છે કે તેમના પ્રયાણના દિવસે જે પ્રતિકૂળ વિરોધી દેખાવા જોવા સાંભળવામાં આવ્યા હતા તેવા કોઇ દેખાવા તેમના પ્રસંગે જોવા સાંભળવામાં આવ્યા નથી. ~ પરમાનંદ)
પ્રત્યાગમન
જીનિવાની બીજી સર્વધર્મ શિખર પરિષદમાં પૂ. ચિત્રભાનુ મહારાજશ્રીની બુલંદ ધાણા થઇ અને સહુને વિવેકાનન્દની સ્મૃતિ તાજી થઈ. એમની વાણીમાં રહેલા અહિંસા અને અનેકાન્તના વિચારોએ વિદ્વાનોને વિચાર કરતા કર્યાં. પાંચ દિવસ સુધી વિદ્નત વર્ગ ખૂબ જ્ઞાનચર્ચા કરી અને એકબીજાના ધર્મની સમજણથી વિશ્વમાં શાંતિ લાવવા ઠરાવા થયા.
તા.૧૬-૫-૧૯૭૦
અને અન્યોનાં ચિત્રા ઘરા તથા કચેરીઓમાં માખરાના સ્થળે લટકાવે તથા ગાંધી સાહિત્યના ઝડપી પ્રસાર કરવાનાં પગલાં લે અને તે રીતે વિચાર અને વર્તનના સ્વાતંત્ર્યને બચાવ કરે.”
(૨) હમણાં કલકત્તાના એક પરિચિત સામાજિક કાર્યકર્તા બહેન મુંબઈ આવ્યાં અને તેમને મળવાનું બંનતાં તેમણે કલકત્તાની આજની પરિસ્થિતિનું વર્ણન કર્યું તે સાંભળતાં દિલ કંપી ઊઠ્યું. તેમના કહેવા મુજબ ત્યાંના તાજેતરમાં વિજિત થયેલા શ્રી જ્યોતિ બસુના સામ્યવાદી શાસને ન કલ્પી શકાય એવી ગુંડાગીરી નિર્માણ કરી છે. ગમે ત્યારે ગમે તે છેકરી,કે છેાનું બાઈ કે ભાઈનું અપહરણ થાય છે અને પછી તેના કોઈ પત્તો ખાતા નથી. આવી રીતે સામ્યવાદીઓ દ્રારા કોઈનું પણ એકાએક ખૂન થાય છે અને પેાલીસ તેમાં નિષ્ક્રિય બનીને બેસી રહે છે. તમે ચાલ્યા જતા હો અને હાથે ઘડિયાળ બાંધ્યું હોય અને એકાએક કોઈ બે ચાર માણસો તમને ઘેરી લે અને ઘડિયાળ ઝૂંટવી લે અને તમે અવાચક બનીને એ પ્રક્રિયા જોયા કરો. છેકરાં - છારીઓને ભણવા માલવા પડે, પણ ઘેર પાછા સહીસલામત આવે ત્યારે જીવ હેઠો બેસે, આવી તે તેમણે કેટલીયે વાત કરી. આ ગુંડાગીરી કેમ ટકે? અહિં જયોતિબસુના શાસને બધી મર્યાદા મૂકી અને નબળા પડેલા કેન્દ્ર જોયા જ કર્યું. આ પરિસ્થિતિને કેમ કાબૂમાં લાવવી તેની નથી રાષ્ટ્રપતિશાસનના નિયામકને સૂઝ પડતી કે નથી સેન્ટરને સૂઝ પડતી.
(૩) હમણાં આપણી બાજુના એક સમાજિક કાર્યકર બહેનને મળવાનું બન્યું. તેઓ એક માટી સંસ્થાના સંચાલિકા છે. તેમણે પેાતાની સંસ્થા અંગેની કેટલીક મુંઝવણા રજુ કરી. ત્યાર બાદ આજની પરિસ્થિતિ અને વણસતા જતાં નૈતિક મૂલ્યોનો ખ્યાલ આવતાં તેમણે જણાવ્યું કે પહેલાં કોઈ વિધવા સગર્ભા થઈ જતી તે તેનાં સગા વહાલાં તેને છૂપી રીતે લાવતા લઈ જતા અને ઊભી થયેલી ગૂંચના નિકાલનો માર્ગ નક્કી કરી જતા. હવે આ બાબતની શરમ સંકોચ તૂટતા જાય છે. કોઈ પણ પોતાની સગર્ભા બહેન ભત્રીજીને કશી શરમ સંકોચ વિના લઈ આવે છે અને હવે આનું શું કરવું એમ પૂછે છે. માટા શહેરોમાં કુંવારી સગર્ભાના કિસ્સાઓ વધતા જાય છે. આર્થિક ભીંસના કારણે પણ પતિ બે પૈસા કમાવાના લાભે પોતાની પત્નીને અનીતિના માર્ગે દોરતા હેાય છે. સંતતિનિયમન ગમે તેટલું ઈષ્ટ હાય, પણ તેના ઉપાયે એ વ્યભિચારને મોકળા કરી આપ્યા છે. આમ વણસતી જતી નૈતિકતા આપણને કર્યાં લઈ જશે તેની ખબર પડતી નથી.
(૪) અમદાવાદના એક સામાજિક કાર્યકરને મળવાનું બનતા તેમની પાસેથી ત્યાં ધનના જોરે પક્ષપલટાના જે કીસ્સાઓ બનતા જાય છે તે સાંભળીને રાજકારણના ક્ષેત્રે પણ આપણા કેટલા મોટો હ્રાસ થઈ રહ્યો છે-તેનો ખ્યાલ આવ્યો. આદિવાસી હરિજન, પછાત વર્ગના સભ્યો કે જેમણે એક સાથે રૂા. ૫૦૦ પણ પેાતાની સામે કદી ભાળ્યા ન હાય તેમની સામે ૨૦-૨૫ હજાર કે તેથી વધારે માટી રમા ધરવામાં આવતી હાય - પછી આ પ્રલાભનને તેઓ કેમ અટકાવી શકે? આ દશા ગુજરાતમાં છે એવી જ અન્યત્ર છે. અને આ બધું શાસક કેંગ્રેસ કરે છે એમ નથી; સંસ્થાકીય કોંગ્રેસ પણ એવી જ નીતિ અપનાવી રહી છે અને બીજા પક્ષો પણ આ જ માર્ગે જઈ રહ્યા છે. છડે ચોક લાંચ રૂશ્વત અપાય લેવાય છે અને આની કોઈને લેશમાત્ર શરમ હોય એવું રહ્યું નથી. આજના સમાજહિતૈષીઓએ આ બધી બાબતાના ગંભીરપણે વિચાર કરવા ઘટે છે.
પરમાનંદ
સાધુસંસ્થા અંગે પરિસ'વાદ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં તા. ૭ જૂન રવિવાર સવારના ૯ વાગ્યે સાધુસંસ્થા અંગે એક જાહેર પરિસંવાદ યોજવામાં આવ્યો છે. જેની વિશેષ જાહેરાત હવે પછીના અંકમાં કરવામાં આવશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
૧૫
તેમનાં શ્વેત વસ્ત્રો, સાદું જીવન તથા નમ્રતાભર્યા આચારવિચાર જોતાં સહુ એમના તરફ આકર્ષાયા. વાઇસ ઑફ અમેરિકા, લંડન ટાઈમ્સ તથા સ્વિસ કોન્ફરન્સ અને બી. બી. સી. દ્વારા અહિંસાના સંદેશા સ્વિટ્ઝરલેન્ડના કુટુંબમાં ગુંજતો કર્યો.
ત્યાં તે। ફ્રાન્સથી આમંત્રણ આવ્યું. દસ વર્ષ પહેલાં મુંબઇમાં પૂ. ચિત્રભાનુશ્રીએ ફ્રાન્સથી આવેલા પ્રવાસીઓમાં અહિંસા અને નવકારમંત્રના વાવેલ બીજમાંથી વટવૃક્ષ બન્યું અને ફ્રાન્સના આચાર્ય હંસાનન્દ (ગીલબર્ટ) અને તેમના અનુયાયીઓ પૂ. ચિત્રભાનુશ્રીની સેવામાં હાજર થયા. ફ્રાન્સમાં પણએવા કેટલાક જ્ઞાનભૂખ્યા આત્માઓ છે જે મનની શાંતિ અને આત્મજ્ઞાનની શોધમાં છે, પ્રભુનું સાન્નિધ્ય માગે છે. આચાર્ય હંસાનન્દના આશ્રમેા જ્યાં મન સહેજે જ સમાધિમાં આવી જાય એવા ઊંચા હરિયાળા પહાડોમાં છે. આ આશ્રામવાસીઓને પૂજ્યશ્રીને મળ્યા અનેં જાણે ભૂખ્યાને ભેજન મળ્યું. જ્ઞાનવાર્તા થઇ, હૈયાં ભીનાં થયાં. આશ્રમમાં ખૂબ ઠંડી પડતી હોવાથી એક આશ્રામવાસી બહેને તે મનમાં નવકારમંત્રના સ્મરણ સાથે હાથમાં ઊન લીધું. ત્રણ દિવસમાં શ્વેત સ્વેટર ગૂંજ્યું. પૂજ્યશ્રીને વહેરાવી જીવનની ધન્યતા અનુભવી. એમની શ્રાદ્ધા અને ભકિત માટે પૂછ્યુંશ્રીને પણ આશ્ચર્ય સાથે માન થયું. ટ્રાન્સમાં કેટલાય ઘરોમાં પગલાં કર્યાં, અહિંસાની સાચી સમજ આપી અને આધ્યાત્મિક પ્રગતિ ઇચ્છતા માનવાએ જીવનમાં શાકાહાર અપનાવ્યો. ટ્રાન્સના આચાર્ય હંસાનન્દ અને એના સાથીઓએ તો જાણે ભેખ લીધા. “પૂજ્યશ્રી જ્યાં સુધી ફ્રાન્સની ધરતી પર રહેશે ત્યાં સુધી સેવાના લાભ અમે જ લેવાના. લીઓન, નીસ, કાન, માર્સે ઈલ્સ વગેરે અનેક સ્થળામાં પ્રવચન આપ્યાં તથા પ્રેસ કોન્ફરન્સમાં અનેક વિષયો ચર્ચ્યા. શસ્ત્રવિરામ, વિયેટનામ, હીપ્પીઝ, કેપિટાલિઝમ અને કોમ્યુનિઝમ, શ્રી વાટ સ્વાતન્ત્ય વગેરે અનેક વિષયો ઉપર જૈન દર્શન કેવી રીતે રીતે સહાયક થઈ શકે તે અંગે બ્રોડકાસ્ટ કર્યું. પૂજ્યશ્રીએ ઊંડાણથી સમજાવ્યું કે અહિંસાથી યુદ્ધવિરામ થાય, અનેકાન્તથી લહ બંધ થાય અને અપરિગ્રહથી વાદો કમ થાય. ફ્રાન્સમાં બે હજાર માઈલ ફરીને પૂજ્યશ્રી પેરીસ પહોંચ્યા. પેરીસમાં આ હવા કયારની ય પ્રસરી ગઈ હતી. ત્યાંના યુવાન-યુવતીઓની જિજ્ઞાસા તો અદ્ભુત હતી. યોગ ઈન્સ્ટીટયૂટમાં પ્રવચનો આપ્યાં, રેડિયો સ્ટેશન દ્વારા બોડકાસ્ટ થયો.
જીનિવા અને ફ્રાન્સના સમાચાર લંડન પહોંચતા પૂજ્યશ્રી મહાવીર જ્યંતી જવવા માટે લંડનમાં વસતા પાંચ હજાર જૈન તથા