________________
પ્રબુદ્ધ જીવન
૧૪
દૂ૨ કરવા પાઈએ પાઈ જોઈએ છે ત્યાં, આશસ્ત્રો બનાવવા અબજો રૂપિયાનું ખર્ચ કરવું મહા પાપ છે. પ્રજાની ગરીબાઈ દૂર કરી હશે તે બીજી રીતે સામનો કરવાની શકિત કેળવાશે. અંતે તેા આ શ્રાદ્ધાનો વિષય છે.
કેમ્બોડિયા
-
પ્રેસિડન્ટ નિક્સને કેમ્બોડિયામાં અમેરિકન સૈન્ય માકલાવી એક ગંભીર કટોકટી સર્જી છે. તેમના આ પગલાંનો વિરોધ દુનિયાના ઘણા દેશેામાં થયો છે, એટલું જ નહિ પણ, અમેરિકામાં પણ સખ્ત વિરોધ થયો છે, ખાસ કરી વિદ્યાર્થીઓમાં. ઘણી કાલેજોમાં તોફાન થયા અને લગભગ ૭૫૦૦૦ માણસાના એક મેરા વ્હાઈટ હાઉસ ગયો. નિક્સનનું આ પગલું તેમના લશ્કરી સલાહકારોને આભારી છે. તેમની કેબિનેટના ઉચ્ચ કક્ષાના સભ્યોને પણ તેની જાણ ન હતી. સેનેટમાં ભારે વિરોધ થયો છે. નિક્સનને અંતે જાહેર કરવું પડયું કે અમેરિકન સૈન્ય બાડિયાની હદમાં ૨૦ માઈલથી વધારે નહિ જાય અને જૂનની આખર સુધીમાં અમેરિકન લશ્કર પાછુ ખેંચી લેવાશે. પ્રમુખ નિકસનની ભારે કફોડી સ્થિતિ છે. દક્ષિણ વિયેટનામમાંથી અમેરિકન લશ્કર કમશ: પાછું ખેંચી લેવાનું જાહેર કર્યા પછી આ રીતે યુદ્ધના વિસ્તાર કરવા પડે ત્યારે તેનો બચાવ થઈ શકતા નથી, છતાં નિક્સનનું પગલું સર્વથા અવિચારી નથી. દક્ષિણ વિયેટનામમાં લડતા વિયેટકોંગ અને ઉત્તર વિયેટનામના દળને, કેમ્બોડિયામાં તેના અડ્ડા છે ત્યાંથી સતત મદદ મળ્યા કરે છે. આ અડ્ડાઓ તોડવામાં ન આવે ત્યાં સુધી દક્ષિણ વિયેટનામમાં યુદ્ધ ઠંડુ ન પડે અથવા ત્યાં શાન્તિ ન થાય. કેમ્બોડિયામાં વિયેટકોંગ અને ઉત્તર વિયેટનામની આ જમાવટ વર્ષોથી છે. પૂર્વનું ઈન્ડો-ચાઈના, વિયેટનામ, લાઓસ અને કેમ્બાડિયામાં વહેંચાઈ ગયું ત્યારે તે ત્રણે દેશની સરહદોની ફૂલગુંથણી એવી રહી કે એકમાંથી બીજામાં પ્રવેશ ઝડપથી થઈ શકે છે. ઉત્તર વિયેટનામનાં દળા લાઆસ અને કેમ્બાડિયામાં રહી, દક્ષિણ વિયેટનામનું યુદ્ધ લડી રહ્યા છે. ત્યાંથી લશ્કર અને પુરવઠો જાય છે. કેમ્બોડિયામાં પ્રિન્સ સિહાનુક સત્ત્તાસ્થાને હતા ત્યાં સુધી અમેરિકન લશ્કર ત્યાં દાખલ થઈ શકે તેમ ન હતું. સિંહાનુંકે પેાતાના દેશને વિયેટનામના યુદ્ધમાં સંડોવાતા અટકાવ્યો હતાં. સિંહાનુકનું વલણ અમેરિકા વિરોધી રહ્યું છે. અકંદરે કેમ્બોડિયાના હિતમાં હતું. પણ થાડા સમય પહેલાં કેમ્બોડિયામાં રાજ્યપલ્ટો થયો અને સિંહાનુકની ગેરહાજરીમાં તેમને પદભ્રષ્ટ કર્યા. એમ કહેવાય છે કે આ રાયપટ્ટા કરવામાં અમેરિકાનો હાથ હતો. ગમે તેમ, નવા લશ્કરી રાજ્યકર્તાઓ અમેરિકાને કાંઈક અનુકુળ છે તેથી નિક્સન આ પગલું ભરી શકયા. એમ તે લાઓસમાં પણ ઉત્તર વિયેટનામ અને વિયેટ કોંગના સૈન્યોની જમાંવટ છે. પણ લાઓસ વહેંચાયેલું છે અને તેના એક ભાગ કોમ્યુનિસ્ટ—પાથૅટલાઓ—ના કબ્જામાં છે. દક્ષિણ વિયેટનામના યુદ્ધમાં અમેરિકાની પરિસ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી છે. ભેરવાઈ પડયા છે અને હવે આબરૂભર છૂટવાના માર્ગ નથી. અમેરિકા પોતાની પુરી શકિત લગાડૅ તે ઉત્તર વિયેટનામને શરણે લાવી શકે. પણ તેમ કરતાં વિશ્વયુદ્ધ થઈ પડે. અમેરિકામાં
આ યુદ્ધનો વિરોધ વધતો જાય છે એટલે ભાંગ્યા હૈયે અને પાછા પગ કરતાં લડે છે. ઉત્તર વિયેટનામ આ નબળાઈ બરાબર જાણે છે. ઉત્તર વિયેટનામને ચીન અને રશિયાનો ટેકો છે. પણ ચીન અને રશિયાએ લશ્કર મેાકલ્યું નથી. શસ્ત્રસરંજામ અને આર્થિક સહાય મેટા પ્રમાણમાં કરે છે. અમેરિકાને દુર્ભાગ્યે દક્ષિણ વિયેટનામમાં તેનું લશ્કર સંડોવાયું છે. પારકી ભૂમિ ઉપર સ્થાનિક પ્રજાના બળ અને સહકાર વિના કયાં સુધી લડી શકાય? અને અમેરિકાની પ્રજા પૂછે છે કે આ બધા ભાગ, હજારો યુવકોનો અને અબજો ડોલરના શેને માટે? દક્ષિણ વિયેટનામને સામ્યવાદી થતાં અટકાવવા ? ચીનની
2
તા. ૧૬-૫-૧૯૭૦
લાગવગ વિસ્તરતી અટકાવવા ? અમેરિકા આખી દુનિયામાં સામ્યવાદના સામના કરી શકશે? અમેરિકા જેવી શકિતશાળી અને મહાન પ્રજાને માટે હવે પ્રતિષ્ઠાનો સવાલ છે. પેરિસમાં લાંબા સમયથી મંત્રણાઓ ચાલે છે. પણ ઉત્તર વિયેટનામની, શાન્તિ માટે દાનત નથી. દુનિયાન દેશ જેઓ અમેરિકાના આ પગલાનો વિરોધ કરે છે તેમણે ઉત્તર વિયેટનામ ઉપર દબાણ લાવી આ યુદ્ધનો અંત લાવવો જોઈએ. માત્ર અમેરિકાનો જ દોષ કાઢવાથી આ યુદ્ધનો અંત નહિ આવે. ૧૯૫૪માં થયેલ જીનીવા કરારના અમલ કરાવવા કોઈ પ્રમાણિક પ્રયત્ન થયો નથી. સંયુકત રાષ્ટ્રસંઘની અસહાયતાથી ખેદ થાય છે. અમેરિકાનું દુર્ભાગ્ય છે કે આવા સંજોગામાં પ્રત્યાઘાતી બળાને તેણે ટેકો આપવા પડે છે અને મોટો ભાગ આપવા પડતા હોવા છતાં નિન્દા વ્હારવી પડે છે. હકીકતમાં અમેરિકામાં યુવાન પેઢી યુદ્ધથી કંટાળી છે અને કોઈ પણ ભેગે આ યુદ્ધમાંથી તેને છૂટવું છે. ઈઝરાયલની પેઠે દક્ષિણ વિયેટનામની પ્રજામાં બળ હોત તો અમેરિકાના
આ હાલ ન થાત.
કોમી તોફાનો
ભીવંડી અને જલગાંવમાં ગંભીર કોમી તાફાને થયાં. તેમાં લગભગ ૧૦૦ માણસો મરી ગયા, સેંકડો ઘાયલ થયા, ઘરબાર વિનાના થયા અને કરોડોનું નુકસાન થયું. કોમી ઝેર આપણે નથી નીચાવી શકયા કે નથી પચાવી શકયા. ભારેલા અગ્નિ પેઠે એક તણખા ઝરે અને આગ ભભૂકી ઉઠે છે. અનેં ઝડપથી ફેલાય છે. છેલ્લાં વીસ વર્ષમાં દેશમાં ઠેરઠેર થયેલ કોમી રમખાણા વિશે દુર્ભાગ્યે એમ કહેવું પડે છે કે શરૂઆતની ઉશ્કેરણી લઘુમતી કોમથી થાય છે. પછી પ્રતિઆક્રમણ થાય ત્યારે તેને ખૂબ સહન કરવું પડે છે અને પછી પ્રચાર થાય છે કે લઘુમતી કોમની સલામતી નથી. જનસંઘ, શિવસેના, રાષ્ટ્રિય સ્વયંસેવક દળ વગેરે હિન્દુરાજના સ્વપ્ના સેવતા રાજકીય પક્ષો છેજ, પણ કોંગ્રેસ પણ તેમાંથી મુકત નથી. ચૂંટણીએ કોમી અંતર વધારતી રહી છે. કેટલાક પક્ષા લઘુમતી કોમાને પંપાળે છે. મુસ્લિમ લીગે ઠીક ઠીક માથું ઊંચકર્યું છે. અને બીજા પક્ષેા તેના સહકાર માટે કીંમત ચૂકવે છે.
ભીવંડીમાં શિવાજી જ્યંતીનું સરઘસ નિમિત્તબન્યું. પણ જે રીતે તાફાને થયાં તે બતાવે છે કે પૂર્વ તૈયારી હતી. સત્તાવાળાઓને ચેતવણી હોવા છતાં, ગફલતમાં રહ્યા અને અગમચેતીના પગલાં લેવા જોઈએ. તે ન લીધા. અસામાજિક તત્ત્વો આવી પરિસ્થિતિના લાભ લેવા તૈયાર જ હોય છે. શિવાજી જયંતી જે રીતે ઊજવવામાં આવે છે અને તેને જે રાજકીય સ્વરૂપ આપવામાં આવે છે તે ઉશ્કેરણીનું કારણ બને છે. આવા પ્રસંગે માનવતાનાં દર્શન પણ થાય છે. પણ હેવાનીયત માઝા મૂકે છે, રાજકીય નેતાઓ અથવા સત્તાવાળાઆને જ દોષ દેવાથી આ અનિષ્ટ દૂર નહિ થાય. સામાન્ય પ્રજાના માનસમાં હિંસા અને ઉશ્કેરણી ભર્યા છે તેને પ્રયત્નપૂર્વક ઠારવા પડશે,
ચીમનલાલ ચકુભાઈ
૧૧-૫-૭૦.
આજે આપણા દેશ કયાં જઈ રહ્યો છે?
(૧) તા. ૬-૫-૭૦ ના ભૂમિપુત્રમાં શ્રી. એસ. જગન્નાથન જલાવે છે કે “ બંગાળમાં અને વિશેષ કરીને કલકત્તાની અંદર અને બહાર નકસલવાદીઓ દ્રારા મહાત્મા ગાંધીની પ્રતિમાઓ, ચિત્રા તથા સાહિત્યની ભાંગફોડ કરવામાં આવી છે અને તેને આગ લગાડવામાં આવી છે તે બિના આઘાતજનક છે. ક્યાંક નેતા સુભાષચંદ્ર બોઝની પણ તેવી જ વલે કરવામાં આવી. અરે, હમણાં જેમની જન્મશતાબ્દી વિશ્વભરમાં ચોમેર ઉજવાઈ રહી છે તેલેનીનને પણ નકસલવાદી- . ઓએ છેડયા નથી. આવી બાલિશ ચેષ્ટાઓ અત્યન્ત ઘૃણાસ્પદ હાઈ લાગતાવળગતા સૌએ તેને વખોડી નાખવી જોઈએ. આવા જંગલીવેડાથી કોઈ વિચારસરણી જનમાનસમાંથી ભૂંસી શકાશે નહિ. આ અવસરે બંગાળના નાગરિકોએ મક્કમ વલણ અપનાવી ગાંધીજી