________________
૨૦૨
પ્રભુ જીવન
માન કે અનુદાન”ની પ્રેરક
(શ્રી વિમળાબહેન ઠકારનાં ‘મૌન કે અનુદાન’ ઉપર સુપ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર શ્રી હજારીપ્રસાદ દ્વિવેદીએ પ્રસાદપૂર્ણ પ્રસ્તાવના લખી છે જેના ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે.
તંત્રી)
મને વિમલાબહેનના પ્રત્યક્ષ પરિચયના લાભ કદી નથી મળ્યો, પરંતુ બહેન પ્રેમલતાએ જ્યારે તેમનાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાયેલાં પુસ્તકો મને આપ્યાં, ત્યારે એ વાંચીને મેં ઘણી પ્રસન્નતા અનુભવી. એ પુસ્તકોની ભાષામાં જે સાહજિક પ્રવાહ અને ઊંડું જીવનદર્શન છે તેનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું. બહેન પ્રેમલતાએ એમનાં કેટલાંક હિન્દી કાવ્યો પણ મને વાંચવા આપેલાં. એમાં પણ એક પ્રકારની ખુમારી, નિજાનંદની મસ્તી અને આધ્યાત્મિક પ્રકાશ જોવા મળે છે. જીવનના અંતિમ સત્યની પ્રાપ્તિને તે સાચી આધ્યાત્મિકતા માને છે. “મન કે ઉસ પાર' પુસ્તકમાં તેમણે લખ્યું છે:
“અંતમાં એટલું જ ‘કહી દઉં કે સત્યનું દર્શન એટલે અધ્યાત્મ, જેમાં નથી આગ્રહ કે નિષેધ, નથી કશાને વળગી રહેવાનું કે નથી કશાથી ભાગવાનું. સ્થિર સમત્વપૂર્ણ એવું આ વિરલ જીવન સૌ કોઈને માટે છે. આ માર્ગ માટે કોઈ અમુક જ વ્યકિતઓ અધિકાર ધરાવે છે એવું લેશમાત્ર નથી. સારી માનવજાતિ માટે આ માર્ગ ખુલ્લા છે. ગૃહસ્થાનું કે સાધારણ માણસાનું તો આમાં કામ જ નહીં એમ જ જો હોય તો આપની સમક્ષ એક તદ્દન સામાન્ય વ્યકિત બેઠી છે, જેણે અગ્નિમાં હોમાઈ જવાના આનંદ માણ્યો છે, જેણે એ અગ્નિશિખાઓની સામે પાર જે જીવન છે, મન અને બુદ્ધિથી અતિ પર એવું ચેતનાનું જે સામ્રાજ્ય છે, તેની મજા ચાખીછે. સામાન્ય માણસની આમાં ચાંચ ન ડૂબે એમ જો કોઈ આપને કહે તો એ આપને ધોખા જ દઈ રહ્યા છે એમ હું તો માનું છું. ધર્મથી પર થઈ અધ્યાત્મમાં પ્રવેશ કરવા એ માનવમાર્ગના અધિકાર છે, અંતિમ લક્ષ્ય છે. ”
અહીંઆ એટલું કહી દેવાનું કેવિમલાબહેન ધર્મ અને અધ્યાત્મના અલગ અર્થ કરે છે. શાસ્ત્રોની આજ્ઞાનું અનુસરણ કરવું એ છે ધર્મ. આત્મસ્વરૂપમાં જીવનને પ્રતિષ્ઠિત કરવું એ છે અધ્યાત્મ.
“આવી પ્રતિષ્ઠા થયા બાદ બધી જ ક્રિયા અને વ્યાપારોને લય થઈ જઈ, જેના પર માનવઆત્માની પોતાની સત્તા હોય, પકડ હોય એવા કર્મના આર`ભ થાય છે.આ અવસ્થામાં દઢ થયા પછી વર્તન, વ્યવહાર અને દષ્ટિમાં જે આંશિકતા હોય છે તે દૂર થઈ માનવી સમગ્ર સાથે સમન્વય સાધે છે, સુખદુ:ખ, જ્ય-પરાજ્ય, આશાનિરાશા, પ્રવૃત્તિ-નિવૃત્તિ—આ બધાં જ દ્વંદ્વોથી પર એવી પરમ શાન્તિમાં સ્થિર થઈ જીવન જીવે છે. આ જીવનમાં નથી મસ્તી, નથી મૂર્છા કે જડતા, નથી ઝંઝાવાત, નથી રાગ કે નથી વૈરાગ્ય, નથી આસકિત કે નથી અનાસકિત. માનવને અકળાવી મૂકતાં કોઈ જ તત્વોને અહીં સ્થાન નથી. જો કાંઈ પણ હોય તો કેવળ એક જ વસ્તુ છે ... જીવન ... ખરા અને પૂર્ણ રૂપમાં વહેતું એવું જીવન, એવી તા એક અખંડિત અને સંવાદપૂર્ણ ગતિ કે જેને નથી કોઈ અમુક જ હેતુ કે દિશા.”
“હું તો માનું છું કે પરાત્પર ચેતનાના આવિર્ભાવ માટે આ સૃષ્ટિમાં માનવી જ એક એવું માધ્યમ છે, જેની દ્વારા એ શકિતને સ્રોત વહેતા થાય છે. આ ભાગવત ચેતનાનું માનવને આકર્ષણ છે જ. શારીરિક, માનસિક અને બૌદ્ધિક ભૂમિકાથી આગળ વધી ઊર્ધ્વ જગતમાં જવાનું છે; પેાતાની જાતને ત્યાં બરાબર સ્થિર કરી, માનવમાં રહેલી બધી જ શકયતાઓ અને પ્રચ્છન્ન શકિતઓને વિકસિત કરી વિશ્વમાં વહેતી મૂકવાની છે.”
વિમલાબહેનના કાવ્યોમાં અધ્યાત્મ તત્વનું એક એવું સ્પંદન
પ્રસ્તાવના
છે કે જે ઊંડા અંતરમાંથી પ્રગટેલું હાઈ વાચકના દિલને તરત સ્પર્શી જાય છે. ‘સક્ષિત્ર' કાવ્યમાં તેમણે લખ્યું છે:
જહા કિસી ભી પ્રકાર કી દ્વૈત - ભાવના કા પ્રવેશ હી નહીં,
તા. ૧-૧-૭૦
જહા કાલ કા પાવ રખને કા અવકાશ હી નહીં હૈ,
જહાં અહં કે
જğા ચિત્ત યા
સ્ફુરણ
કો અવસર હી નહીં હું,
બુદ્ધિ કો જનમ પાને
કી
આશા હી નહીં હૈં,
જહાઁ સહજ સમાધિ કા અબાધિત સામ્રાજ્ય હૈં, સહજતા કે પટ પર - વા, વ્યવહાર કે ચલચિત્ર અંકિત હાતે રહેતે હૈ,
પ્રતિક્રિયાતીત સહજ વ્યવહાર સાક્ષિત્વ અનિવાર્ય અભિવ્યકિત હૈ.
કી
આ કાવ્ય તેમની અનુભૂતિ અને રચનાની સાચી ભૂમિકાનો સુંદર પરિચય વાચકને કરાવે છે.
સાધારણ રીતે મોટા ભાગના લોકો જીવનના આધારરૂપ સ્થૂળ શરીરને સર્વસ્વ માને છે. જેઓ થોડું આગળ વિચારી શકે છે તેમની દષ્ટિ મનોમય સ્વરૂપ સુધી પહોંચીને ત્યાં જ અટકી જાય છે. પર તુ જે મનથી પર છે, બુદ્ધિથી પર છે તે પરમ તત્વના વિચાર કરવા, તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવા એ તો કોઈકના જ ભાગ્યમાં નિર્માણ થયું હોય છે. વિમલાબહેન જીવનને પૂર્ણરૂપમાં જુએ છે. જે મન અને બુદ્ધિથી પર છે તે પણ જીવનનું જ એક અંગ છે. શરીર, ઈન્દ્રિય પ્રાણ, મન અને બુદ્ધિમાનવસ્વરૂપનાં આ કરણો ઘણાં અપૂર્ણ હોવા છતાં આપણે તેની ઉપેક્ષા નથી કરી શકતા, કારણ કે માનવ પ્રકૃતિનાં આ નિમ્ન કરણા જ પૂર્ણતા તરફ લઈ જવામાં પાછા મદદ કરે છે. માનવે આ તત્વાની અપૂર્ણતા અને ઉપયોગિતા બંને સમજી લેવાની છે. અહીંથી વધુ ને વધુ આગળ જઈ ઊર્ધ્વના પ્રકાશને સ્થૂલ પ્રકૃતિ સુધી લાવવાના છે, તેને પૂર્ણ બનાવવાના છે. તમસ અને અજ્ઞાનથી ભરેલા આ જીવનમાં સત્ય અને જ્ઞાનન પ્રકાશ રેલાવવાના છે. મનુષ્ય જન્મનું આ જ અંતિમ સત્ય છે, તેનું આ જ સાચું સ્વરૂપ છે. આ પ્રકારનું ઊંડું ચિંતન વિમલાબહેનનાં કાવ્યોનું ખાસ આકર્ષણ છે. નિજાનંદની મસ્તી અને આવા ઉલ્લાસ આપણે કબીર જેવા ફક્કડ અને આખાબાલા સંતામાં જોઈએ છીએ. વિમલાબહેને પોતાનો પરિચય આપતાં નીચેના કાવ્યમાં લખ્યું છે: મૈં હૂઁ વિધાતા કી એક કવિતા મૈં હૂઁ છન્દો કા
નિજ છન્દ
આકાશ જિસને સવાર! મૈં હૂ વહુ નિરાલમ્બ અવકાશ!
કાલ હૈ જિસ કી માયા - લીલા મૈં હૂઁ વહ અનન્ત અકાલ રુપમે જો નિખર ઊઠા, મૈં હૂઁ વહુ રુપાતીત સ્વરુપ
પંચ પ્રાણાં કે સાજ પર ચેતના ગા ઊઠી મૈં હૂઁ વહ મધુર
ગીત !
મુક્ષ્મય ૫૨ ચિન્મય ને હાથ ફેરા, મેં હૈં વહુ સહજ સ્પન્દન !
હુઈ
વિશ્વચેતના કારણ ઝંકૃત મૈં હૂઁ વહ અનાયાસ કમ્પન
આ પ્રકારની રચનાઓમાં કવિયિત્રીનો સ્વાભાવિક ઉલ્લાસ પ્રગટ થાય છે. વિમલાબહેનની માતૃભાષા તે મરાઠી છે, પરંતુ હિન્દીમાં
(o