________________
૮૪.
પ્રબુદ્ધ જીવન
આપણા દેશની પરિસ્થિતિ અમેરિકા કે ઈંગ્લાંડ કરતાં જુદી નથી?
શ્રી ગેલબ્રેથ ગાંધીવાદી નથી–તે વિખ્યાત અર્થશાસ્ત્રી છે, હિન્દુ સ્થાનમાં તેઓ અમેરિકન એલચી હતા. તેમણે આપણને કે આપણા જેવાને આપેલી શિખામણ અહિં ઉતારૂ. તેઓ કહે છે કે આગળ વધેલા દેશ પાસે ત્રણ વિશેષતાએ છે : મૂડી, યંત્રવિદ્યા અને વ્યવસ્થાતંત્ર. પછી કહે છે કે “પહેલી નજરે તે એ કલ્પવું અઘરું છે કે વધારે પડતી મૂડી મળવાને લીધે પછાત દેશને નુકશાન પણ થાય પણ ટૂંકા વ્યાજે કે શૂન્ય વ્યાજે ધીરાતી મૂડી અરે – ભેટ મૂડી સુદ્ધોને પણ ભયસ્થાને છે. મૂડી અમુક પ્રમાણની બહાર વાપરવાની શકિત તે પણ વિકાસનું પરિણામ હોય છે. આવી સ્થિતિ પેદા થાય તે પહેલાં જે મૂડી મળે તે તે બિનઅસરકારક રીતે વપરાય – શકય છે કે વેડફાય.”
તેઓ ચેતવે છે કે “યંત્રવિદ્યાના ઉછીઉધાસ પણ બહુ સૂમ બાબત છે. સિદ્ધાંતમાં એ ખૂબ ઈચ્છાવાજોગ છે પણ આગળ વધેલા દેશોની ઘણીખરી યંત્રવિદ્યા એ મજુરોની તંગીમાંથી રસ્તો કાઢવા માટે અથવા તે આગળ વધેલ રચનામાંથી ઊભી થયેલી કઈક ખાસ પરિસ્થિતિમાંથી નીવેડે લાવવા ખડી થયેલ છે. કપાસની લણણીનું યંત્ર, અથવા ખેડ માટે મોટાં તીંગ ટ્રેકની શોધ આ પ્રકારની છે. યુ. એસ. એ. નાં ખેતરો પર તેને થતે ઉપગ મજાની અત્યંત તંગી છે તેમ બતાવે છે. વિકાસના શરૂના તબક્કામાં બીજા દશેઆ યંત્રવિદ્યા ન લેવી જોઈએ. આમ કરવાથી જે અલ્પ સાધને છે તે વેડફાય — વિકાસ રૂંધાય, અને બેકારીમાં વધારે થાય.
“ડા વખત પહેલાં એક એશિયાઈ દેશ- જ્યાં ખૂબ બેકારી છે, અને મજૂરીના દર નીચા છે ત્યાં મેં રેલના ફાટક પર પરદેશથી આયાત થયેલ આપમેળે ઉઘડતા, અને આપમેળે બંધ થતા ફાટકને ગોઠવેલું જોયું. જે દેશમાં ફાટક બંધ કરનારની એકાંતવાળી જિંદગી પસંદ કરનારા ટૂંઢીએ તે પણ મળે તેમ નથી ત્યાં તે આવો વિકાસ જરૂરી છે, પણ અહીં નહિ, હું જે ભેદ સમજવાનું કહી રહ્યો છું તે જો નજર સામે હોત તે પૈસા બચાવ થાત, અને ફાટક પરના ચેકીદારે પેતાની કામગીરી ચાલુ રાખી શકયા હોત.”
આપણા દેશમાં બેકાર – કામ ઝંખતાં-કરોડો માણસે નથી? આપણા દેશમાં મૂડીને અભાવ નથી? અને છતાં યંત્રની ઘેલછામાં આપણે વિવેકહીન રીતે મૂડી વેડફવાનું કરતા નથી?
પશ્ચિમના દેશે અને આપણા વચ્ચે પરિસ્થિતિને જે ભેદ છે અને જે સમજાવવા ગાંધીજી મા ને ભૂલી જઈ આપણે ઉદ્યોગવાદ પાછળ દેટ મૂકી તેને પરિણામે મૂડીના રોકાણના પ્રમાણમાં બેકારી વધી નથી?
દેશમાં સારી બાબતે પણ થઈ છે. ખાસ કરીને ખેતી અને તેને આનુષાંગિક ક્ષેત્રમાં જે થયું છે તે નોંધપાત્ર છે પણ ઉદ્યોગવાદ કે યંત્રવિદ્યાને લગતાં ગાંધીજીએ કરેલાં વિધાન ઉલ્ટા આ દેશને માટે વધારે સાચાં સિદ્ધ થયાં છે. ગાંધીજીને જ આ દેખાતું તેમ નહિ પણ ગેલબ્રેથને પણ આ જ કહેવાનું થયું. ગાંધી ગેલબ્રેથ કરતાં યે ઘેડા આગળ જાય છે - પણ તે આગળ જોઈશું - પણ રજનીશજી ગાંધીજી યંત્રવિદ્યાની વિરૂદ્ધ હતા કે આદિમ અર્થવ્યવસ્થામાં માનતા હતા તેમ કહે છે ત્યારે તેઓ તેમને જાણ્યે-અજાણ્યે અન્યાય કરે છે. જાણે શબ્દ એટલા માટે વાપરું છું કે એમના જેવા વિદ્વાને ગાંધીજીનાં લખાણોને અભ્યાસ ન કર્યો હોય તેમ માનવું વધારે પડતું છે.
આદિમ ગાંધીએ યંત્રવિવેક કરવાનું આવશ્ય કહ્યું હતું–અને " અર્થશાસ્ત્રી ગલબ્રેથ પણ ઉપર જોયું તેમ વધારે વસ્તીવાળા પછાત દેશેને તે જ શિખામણ આપે છે.
“ગાંધી અને વિનોબા કેને ત્યાગ અને તપશ્ચર્યાના મોહમાં મૂકી પ્રગતિથી વંચિત રાખે છે. આ વસ્તુને હું વિરોધી છું. વિશ્વ
સમસ્તમાં આજે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ કરી રહ્યું છે ત્યારે ગ્રામઘોગની વાત કરવી તે બેવકૂફી છે, એક આખી પ્રજા સાથેની, રાષ્ટ્ર સાથેની છેતરપિડી છે.” એમ રજનીશજીરએ કહી નાંખ્યું છે. - રજનીશજીની પ્રગતિની વ્યાખ્યા શું છે તે તેમણે કહ્યું નથી. પણ ગાંધીજીએ તે તે બાબતમાં કશી સ્પષ્ટતા રાખી નથી. ૨૭-૨-૩૮ ના રોજ ડે. બેડર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે ‘પુષ્કળ માલ હોવો જોઈએ એનો રથ જો તમે એવા કરો કે દરેક માણસને પુષ્કળ અન્ન, દૂધ, દહીં અને વસ્ત્ર મળવાં જોઈએ, અને સુસજજ ને સુશિક્ષિત બનાવવા માટે પૂરતી સાધનસામગ્રી મળવી જોઈએ, તે મને સંતોષ થાય.
“પણ પચે એના કરતાં વધારે ખેરાક પેટમાં નાખી ને વાપરી શકાય એના કરતાં વધારે ચીજો ખડકવી એ મને ન ગમે. પણ બીજી બાજુ મારે દુ:ખ દારિદ્રય, કંગાલિયત ને ગંદકી પણ હિંદુસ્તાનમાં નથી જોઈતી.”
શ્રી રજનીશજીને એ જાણ હોવી જોઈએ કે આ પ્રશ્ન અંગેજ ગાંધીજીને કવિઠાકુર જોડે અસહકારયુગમાં તેજસ્વી વાદવિવાદ થયેલાઅને તે વખતે તેમણે મુંગા ભૂખ્યાંની અદ્ભુત વકીલાત કરેલી. તેમણે કવિનું અત્યંત નમ્રતાપૂર્વક ધ્યાન ખેંચેલું કે “તર ઊંડા ઉતરે અને જાતે જ જુએ કે ચરખાને સ્વીકાર આંધળી શ્રદ્ધાને લીધે થયો છે કે બુદ્ધિપૂર્વક જરૂરી લાગવાથી. આર્ષ અને આવાણીમાં તેમણે કહેલું. "To a people famishing and idle the only acceptable form in which God can dare appear is work and promise of food as wages ......Swaraj has no meaning for the millions if they do not know how to employ their enforced idleness.
"True to his poetical instinet the poet lives for the morrow. He presents to our admiring gaze the beautiful picture of the birds early in the morning singing hymns of praiss as they soar into the sky. These birds had their day's tood........ But I have had the pain of watching birds who for want of strength could not be coaxed even into a flutter of their wings.... The human bird under the India sky gets up weaker than when he pretended to retire. It is an indescribably painful state which has to be experienced to be realised. I have found it impossible to soothe suffering patients with a song from Kabir. The hungry millions ask for one poem-invigourating food. They cannot be given it. They must earn it-and they can earn only by sweat of their brow."
ચરખા કે ખાદીની હોળીની વાત કરતાં પહેલાં શ્રી રજનીશજીએ તે આદિવાસી પ્રદેશોમાં જવું જોઈએ કે જ્યાં વર્ષના ત્રણ મહિના આદિવાસીઓને આમલીના કચુકા કે રાખધૂળ જેવા કંદમૂળ ગોતવામાં દિવસ વિતાવવા પડે છે, અંગ ઢાંકવા પૂરાં વસ્ત્રો નથી અને ઝુંપડી. પર નવું છજું નાખવાની ત્રેવડ નથી. તેમણે એ કરોડો નાના ખેડૂતખાતેદારોને મળવું જોઈએ કે જેમની પાસે વર્ષના ચાર મહિના કશું કામ નથી લેતું–અને તેમણે એ જાણવું જોઈએ કે અબજો રૂપિયાનું મૂડીરોકાણ અને સરકાર તરફથી વિવિધ સહાયતાઓ અને પરદેશથી આયાત થતા એવા માલ સામે રક્ષણ મેળવ્યા પછી પણ આપણા બધા યંત્રોદ્યોગ અને કારખાના ૧૯૬૩ માં માત્ર ૪૩ લાખ માણસને રેજી આપતાં હતાં, જ્યારે તેની સામે ખાદી કામ જે દેશના કાપડ ના ટકા જેટલું હજુ ઉત્પન્ન કરે છે તે ચેડા કરોડની મૂડી રેકીને ૨૦ લાખને રોજી આપતું હતું. પણ આ વાતને સમજવા માટે ગાંધીજીએ કવિઠાકુરને ટકોર કરી છે તેમ એ દુ:ખિયારાની વેદના અનુભવવાની જરૂર છે; તેઓ અને મુખ્યત્વે જે સુખી સમાજને સંબંધે છે તેઓ
સ્વૈચ્છિક રીતે એ અનુભવ લેવાનો પ્રયાસ કરશે તો ગાંધીનું દર્શન પ્રીમીટીવ નહિ પણ વ્યવહારૂ આદર્શવાદીનું હતું તેમ દેખાશે. ' હો - જો તેઓ તરંગની દુનિયામાં રહેવા માગતા હોય કે પશે તેથી વધુ ખેરાક અને સચવાય તેના કરતાં વધારે સાધનસામગ્રી વાળી affluent સમાજરચનાના હિમાયતી હોય તે જુદી વાત છે.
પણ ગાંધીનું દર્શન એક સમ્યક્ જીવનવ્યવસ્થા માટેનું હતું.