________________
'Ç
૧૮૦
પ્રબુદ્ધ જીવન
ફાંસીના શિક્ષા અંગે એક પત્ર
(ભાવનગરથી શ્રી હરભાઈ ત્રિવેદી તરફથી મળેલા પત્ર નીચે મુજબ છે.)
પ્રિય પરમાનદ,
તા ૧૬-૯-૬૯ના ‘પ્રબુદ્ધ જીવન’માં ડૉ. ભમગરાનું ચર્ચાપત્ર અને તે ઉપરની તમારી નોંધ વાંચી.
ઘેાડાએક મહિના પહેલાં મુંબઈના એક શિક્ષકભાઈ રણજીત દેસાઈને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવેલી ત્યારે મારા મન ઉપર પડેલા પ્રત્યાધાતાને વ્યકત કરતો એક પ્રશ્ન મેં ગુજરાતની યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરોને લખ્યો હતો. મારો વિચાર એવા હતા કે થાડા પણ સમજુ શિક્ષણકારો મારી વાત માને તે દેહાંતદડની શિક્ષા બંધ કરાવવાની બાબતમાં પ્રચારકાર્ય આગળ ધપાવવું, પરંતુ મારે ખેદ સાથે જણાવવું પડે છે કે મને મળેલા ઉત્તરા એ બાબતમાં મને કે મારા વિચારને કશી પણ મદદ કરી શકે તે પ્રકારના ન હતા. સૌને વિચાર તે ગમ્યો પણ કોઈએ કહ્યું કે એ તે કાયદો છે તેમાં આપણે શું કરીએ? કોઈકે એમ પણ કહ્યું કે અનેકોને ફાંસી દેવાય છે જેમાં ચાર, ડાકુ, ખૂની, લૂંટારા વગેરે હોય છે—તેમનો વિચાર · કેમ ન કર્યો ? શિક્ષક પણ ખૂન કરે તો ખૂની જ થયાને? કોઈકે એવા પણ વિચાર કર્યો કે દેહાંતદંડની સજા ન્યાય્ય ગણાય માટે તે બંધ કરવાનો વિચાર ન કરી શકાય.
હું ચોક્કસ માનું છું કે દેહાંતદંડની સજા એ તે કેવળ જંગલીપણું ગણાય. જંગલના કાયદો કયાં સુધી નભાવવા છે? માતને સાટે મોત એ તો અસંસ્કારિતાની નિશાની છે. શઠ પ્રતિ શાઠ્ય નહિ પણ ‘શ’ પ્રત્યપિ સત્ય એ બોધપાઠ તમામ પયગંબરોએ માનવજાતને સૈકાઓથી પઢાવ્યો છે. પણ આપણે શીખવા તૈયાર જ નથી. ત્યાં શું થાય?
ભગવાન બુદ્ધના જીવનનો એક પ્રસંગ ઘણા માર્મિક છે. કુમાર સિદ્ધાર્થના પિત્રાઈ ભાઈ દેવદત્તે તીરથી એક હસનો શિકાર કર્યા. ઘવાયેલું હતું; કુમાર સિદ્ધાર્થ પોતાના ઉદ્યાનમાં બેઠા હતા ત્યાં જઈ પડયું. કુમાર સિદ્ધાર્થે તેને ઊંચક્યું. ઘા ધોયો. પાટાપિંડી કર્યા અને પોતાના ખેાળામાં સુવાડયું. પેલા પિત્રાઈ ભાઈ દોડી આવ્યો. તેણે સિદ્ધાર્થ પાસેથી હંસની માગણી કરી. તેણે કહ્યું કે હંસ મારો શિકાર છે, મને આપી દે. સિદ્ધાર્થે તે કરણાયુકત વાણીમાં હંસ નહિ મળે તેવા પેાતાના નિર્ધાર જાહેર કર્યો. વાત હુંસાતુંસીએ ચડી. બન્ને ભાઈઓ ન્યાય મેળવવા મહારાજા શુદ્ધોધનની સભામાં ગયા. મહારાજાએ બન્નેની વાત સાંભળ્યા પછી નિર્ણય આપવા કહ્યું.
કુમાર દેવદત્તે કહ્યું કે શિકાર કરવા તે ક્ષત્રિયનો ધર્મ છે. મે આ હંસનો શિકાર કર્યો છે તેના ઉપર મારો અધિકાર સ્વીંકારાય તેમાં જ સાચા ન્યાય ગણાય.
કુમાર સિદ્ધાર્થે કહ્યું:–
જીવ લેનારાના ‘કરતાં જીવ બચાવનારના જ આ પંખી ઉ૫૨ અધિકાર હોઈ શકે. જીવન નાશ કરવા તે સહેલું છે. જીવન બચાવ કરવા મુશ્કેલ છે. જેની પાસે જીવ સર્જવાની શકિત નથી તેવી કોઈ પણ વ્યકિત તે જીવનો નાશ કરવાનો અધિકાર ભાગવી જ કેમ શકે?
રાજા શુદ્ધોદને ન્યાય તાળ્યા કે પ્રાણ હરનારના કરતા પ્રાણ રક્ષનાર મેટો છે. ન્યાય કુમાર સિદ્ધાર્થના પક્ષે તળાયો.
લાનિયાં લાગે અળખામણાં !
પરભુ ! આવાં લેનિયા લાગે અળખામણાં, ભાળવાનું હોય ઈ ભાળે નહીં ને, અણદેખ્યાનું દેખવાની જક્ક. લાંબે જાવાને મેલીએ છૂટા તંઈ, અટકે ઈ જઈ અધવચ્ચ. જીવતરમાં થાય છે ઝાઝાથી ઝાઝા એક નજરુથી બધાં તાવણાં – પરભુ. કડી સરીખડી આંખડી ને ઈને; બ્રહ્માંડ ભાળ્યાનું અભિમાન. ગજબ આ જોઈ લે તારા દીધેલ નેણ કહેતાં ન ભાળું ભગવાન.
આલ્યા લાચન તે અમરત વરસાવવા – ને માંડયા ઈને વહખનાં વાવણાં
-
પરભુ. સુશીલા ઝવેરી.
અવધૂતની સગાઇ
કહે રે ભાઈ અવિનથી શી કે સગાઈ? અવધૂતને વિનથી શી કે સગાઈ? વહેતાં એ વાયરે વહેંચાઈ જાવું એણે
વિશ્લે થઈ રે રાઈ રાઈ .......અવધૂતને
તા. ૧-૧૨-૧૯
ધ્યાનની ધૂણીમાં એણે ભસ્માના ઢેર કીધા એષણાના બાજને હળવેથી બાળી દીધા
ફ કણીથી ગયા વિખેરાઈ ......અવધૂતને
મનની મંજુષા ઉપર કરામતા કળની ઊઘાડવા આવ તો જરૂરત ના બળની ચાવી તે કર્યાંયરે વિસરાઈ ...... અવધૂતને
સુશીલા ઝવેરી.
સંધ સમાચાર શેકપ્રસ્તાવ
તા. ૨૧ મી નવેમ્બરના રોજ મળેલી સંઘની કાર્યાવાહક સિમતિએ તાજેતરમાં નીપજેલ શ્રી જીવરાજ ભાણજી શાહના અવસાન અંગે નીચે મુજબને શાકપ્રસ્તાવ પસાર કર્યો હતા:
“મુંબઈની મ્યુનિસિપલ કારપેરેશનના કૉંગ્રેસ પક્ષના એક આગેવાન અને માંડવી વિભાગના પ્રતિનિધિ તરીકે છેલ્લાં વર્ષથી મુંબઈની કોરપોરેશનની સેવા કરતા શ્રી જીવરાજ ભાણજી શાહના ધનબાદ ખાતે ૫૩ વર્ષની ઉમ્મરે નીપજેલા અવસાન બદલ આ સભા ઊંડા શેકની લાગણી પ્રદર્શિત કરે છે. મુંબઈના જાહેર જીવનનાં અનેક ક્ષેત્રોને તેમની સેવાનું સતત પ્રદાન થતું રહ્યું હતું. જૈન સમાજ અને તેમાં પણ કચ્છી સમાજના તેએ અગ્રગણ્ય કાર્યકર્તા હતા; મ્યુનિસિપલ કૉંગ્રેસ પક્ષના તેઓ ઉપનેતા હતા અને સુધરાઈની શિક્ષણ સમિતિના તેઓ ચેરમેન હતા. અનેક જાહેર સંસ્થાઓ સાથે તેઓ ગાઢપણે સંકળાયલા હતા. તેમના અવસાનથી માત્ર જૈન સમાજને જ નહિ પણ મુંબઈની વિશાળ જનતાને એક સન્નિષ્ઠ કાર્યકર્તાની જલદી ન પુરાય એવી ખાટ પડી છે. તેમના કુટુંબીજન પ્રત્યે આ સભા ઊંડી સહાનુભૂતિ દાખવે છે અને તેમના આત્માને શાશ્વત શાન્તિ ઈચ્છે છે.
12
આ સનાતન સત્ય આપણે હવે કયારે સમજીશું? ખૂની, ડાકુઓ આત્માથી મલિન નથી હાતાં. તેઓ તે મનથી રોગી હોય છે. તેમના જાન લેવાથી તે રોગનો પ્રતિકાર કરવાના માર્ગ બંધ થઈ જાય છે. મનોવિજ્ઞાન તે કહે છે કે રોગને મારો, રોગીને નહિ. આમ મનનું વિજ્ઞાન અને અધ્યાત્મ વિજ્ઞાન એક જ તત્ત્વ પ્રબધિ છે.
સંઘના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન
ડિસેમ્બર તા. ૨૫મીના રોજ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ખૂનીને કેદમાં રખાય તેમાં વાંધે ન હોઈ શકે. એવું કેદખાનું નવા કાર્યાલયનું (૩૮૫, સરદાર વી. પી. રોડ, ટોપીવાળા મેન્શન, તો તેવાઓને માટે દવાખાનું બની જવું જોઈએ. આજની જેલો બીજે માળે, મુંબઈ–૪). ઉદ્ઘાટન પૂજ્ય કાકાસાહેબ કાલેલકરના માનસ ચિકિત્સાલયો બની જાય તે સમય હવે પાકી ગયો છે. હાથે સવારના દશ વાગ્યે કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમારા હરભાઈ ત્રિવેદી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ માલિકઃ શ્રી મુબઇ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક ઃ શ્રી પરમાનં દ કુવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઇ–૪. મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ-૧