________________
તા. ૧૯-૧૧-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૬૩
4
કાર્ય સાથે અસંબદ્ધ એવા રાજકીય લેબલ
:
ઓળખ
સાથે, જુદા જુદા
* પૂરાં થયાં
છૂટી શક્યા નથી તે હજી સુધી આપણે પGિ
(સ્ટેટ્સમેનમાંથી ઉદ્ભૂત અને અનુવાદિત) આપણને રાજકીય સ્વતંત્રતા મળે બાવીસ વર્ષ પૂરાં થયાં છે, પણ બૌદ્ધિક રીતે હજી સુધી આપણે પશ્ચિમની ગુલામીમાંથી છૂટી શક્યા નથી. હજી પણ આપણે તેમના વિચારો અને તેમની ભાષા જ બોલીએ છીએ અને સૂત્રે પણ આપણે પશ્ચિમમાં પ્રચલિત થયેલા હોય તે જ અપનાવી લઈએ છીએ. આ સૂત્રે તે ત્યાં પ્રવર્તતી સામાજિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિના પરિણામે ઉદ્ભવ્યા હોય છે. આપણા દેશમાં પ્રવર્તતી પરિસ્થિતિને બંધ બેસે એવી મૌલિક વિચારશકિત હજી આપણે વિકસાવી શકયા નથી એમ લાગ્યા વિના રહેતું નથી.
દાખલા તરીકે, માકર્સના વિચારોનું અધટન જે રીતે રશિયામાં લેનિને કર્યું હતું અને માઓ-સે-તુંગ જે રીતે ચીનમાં કરી રહ્યા છે તે રીતે કરવામાં ભારતના જુદાજુદા સામ્યવાદી પક્ષી નિષ્ફળ ગયા છે. યુગોસ્લાવિયા જેવા નાના દેશે પણ માર્કસ વાદને પિતાની રીતે ઘટાવ્યો છે, જ્યારે આપણે ત્યાં માર્કસ ના વિચારોનું મૌલિક નિરુપણ હજી સુધી એકપણ ભારતીય સામ્યવાદીએ કર્યું હોવાનું જાણવામાં આવ્યું નથી. આપણે ત્યાં તે રશિયન છાપનો કે ચીનની છાપ વાળે માર્કસવાદ સ્વીકારી લેવામાં આવ્યો છે, જ્યારે યુગોસ્લાવિયા ઘણે નાને દેશ હોવાથી તેના વિચારોની ભારતના સામ્યવાદીઓમાં કશી ગણના થઈ નથી.
તે જ પ્રમાણે પશ્ચિમમાં જુદી જુદી પરિસ્થિતિઓના ઉપલક્ષમાં ચલણી બનેલા (Slogans) સૂત્રોને આપણે સ્વીકાર કરીએ છીએ અને વગરવિચાર્યું આપણે ત્યાં પ્રવર્તમાન જુદા જ પ્રકારની પરિસ્થિતિમાં એ જ સૂત્રોને ઉપયોગ પણ કરીએ છીએ. આપણા રાજકીય પક્ષો અને વ્યકિતઓને પણ એ જ લેબલ લગાવીએ છીએ, જે રીતે પશ્ચિમના દેશમાં બને છે : જમણેરી, ડાબેરી, મધ્યસ્થ, મધ્યથી જરા જમણી બાજુ ઢળેલા, મધ્યથી જરા ડાબી બાજુ વળેલા ઈત્યાદિ. સામાન્ય લોકો પણ આ લેબલ સ્વીકારીને ચાલે છે. કેટલીક વાર તે પક્ષ કે વ્યકિતઓને તેમના વિરોધીઓએ આપેલાં નામે પણ લેકે સ્વીકારી લે છે. જમણે શબ્દ એક પ્રકારની રૂઢિચુસ્તતા સૂચવે છે, પૈસાવાળાની તરફેણમાં ગરીબના હિતની અવગણના સૂચવે છે. સમાજવાદી અને સામ્યવાદીઓ એ શબ્દને ઊતરતી કક્ષાને ગણે છે.
કોઈપણ પક્ષ, વ્યકિત કે સમૂહની ઓળખાણ તે તે પક્ષ કે વ્યકિતએ અમલમાં મૂકેલ રાજનીતિ વડે નહીં પણ માત્ર તેમને લાગેલા લેબલ દ્વારા-અને કેટલીકવાર તે તેમના વિરોધીઓએ લગાવેલા લેબલ દ્વારા–થાય છે. આઝાદી પહેલાં સમાજવાદી અને સામ્યવાદી પક્ષે ઉદ્દામ અથવા ડાબેરી કહેવાતા હતા. ગાંધીજી અને એમના અનુયાયીઓ જમણેરી ગણાતા. ગાંધીજીને તેઓ મડી. પતિએના મિત્ર અને કયારેક તે શાહીવાદીઓના પણ મિત્ર તરીકે ઓળખાવતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લેબલો બદલાઈ ગયાં. રશિયાએ યુદ્ધમાં ઝંપલાવવાને પરિણામે “શાહીવાદી' યુદ્ધ ‘જનતાનું’ યુદ્ધ બની ગયું. દેશની આઝાદી માટે કામ કરનારા કેંગ્રેસવાદીઓ અને સમાજવાદી બંનેને સામ્યવાદીઓએ પ્રત્યાઘાતી કહ્યા.
પરંતુ ગાંધીજીએ જ્યારે બ્રિટીશ સરકારને બિનશરતી રીતે ભારત છોડવાનું આહ્વાન કર્યું ત્યારે તેઓ-અહિંસાવાદી હોવા છતાં- એક મેટામાં મોટા રેવેલ્યુશનરી તરીકે પુરવાર થયા. પરદેશમાંથી સુભાષે એમના આશીર્વાદ માંગ્યા અને તેમને “રાષ્ટ્રપિતા' તરીકે નવાજ્યા. હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતાનિવારણ અને પાયાની કેળવણી જેવી અનેક સુધારાની યોજનાઓમાં ગાંધીજી કોઈપણ જાતના કે રંગના સામ્યવાદી કરતાં વધારે ઉદ્દામ હતા.
કમનસીબે, જુદા જુદા રાજકીય પક્ષો અને વ્યકિતઓને ઓળખવા માટે આઝાદી પહેલાં જે વિશેષણ વપરાતાં હતાં તે ઘણાં ઓળખવા માટે આઝાદ જુનાં વિશેષણે આઝાદી પછી પણ ચાલુ રહ્યાં. સૌ પ્રથમ, કેંગ્રેસ અને આઝાદ ભારતની સરકારમાં બે ઉચ્ચકોટિના નેતાઓ હતાવલ્લભભાઈ અને જવાહરલાલ. પશ્ચિમાત્ય વિવેચકો એકને રૂઢિચુસ્ત ગણતા અને બીજાને ઉદ્દામવાદી ગણતા. સરદારની શું સિદ્ધિઓ હતી? દેશના તાજેતરના ઈતિહાસમાં એક કટોકટીના સમયે કે જ્યારે આપણી લોકશાહી સરકારનું સમગ્ર માળખું ચુંથાઈ જઈ શકયું હતા ત્યારે સરદારે નાનામોટા અનેક દેશી રાજયોને ભારતીય ગણરાજયમાં ભેળવી દીધાં.
વડાપ્રધાન નેહરુ આ જ પરિણામ લાવી શકયા હોત કે કેમ એ વિશે ચર્ચા કરવી નિરર્થક છે. તાત્પર્ય એ છે કે જમણેરી ગણાતા સરદાર આવા ઉદ્દામ સુધાર લાવી શક્યા. હૈદરાબાદમાં નિઝામની સામે પોલીસ પગલું સફળ રીતે ભરવામાં પણ તેઓ જ જવાબદાર હતા. તેઓ એમ પણ કહેતા કે કાશ્મીરને પ્રશ્ન એ જે જવાહરલાલની ખાસ જવાબદારી હેઠળ ન હોત તો તેમણે એને કયારને ફેંસલે આણ્યો હોત. તેમણે ઉચ્ચ કક્ષાની સરકારી સેવાઓને વધારે સદ્ધર બનાવી અને સરકારી નોકરોની વફાદારી સંપાદન કરી. સિવિલ સર્વિસના ઘણા હિંદી અફસરો જરા ઢીલા થઈ ગયા હતા, કારણકે પિતાના તે વખતના પરદેશી માલિકોને ખુશ કરવા માટે આઝાદીની લડતના સૈનિકો પ્રત્યે તેમણે દુર્વર્તાવ કર્યો હતો અને જેને માટે કેંગ્રેસવાળાઓએ તેમની અનેક વાર નિંદા કરી હતી.
સૈદ્ધાંતિક મતભેદોને બાદ કરતાં ઉપર ગણાવેલા પગલાંઓને ઉદ્દામ જ-Radical-માનવા જોઈએ.
એમ કહેવાય છે કે ઉદ્યોગોમાં ખાનગી સાહસને ઉત્તેજન આપવા માટે સરદાર જવાબદાર હતા. પરંતુ એ દિવસે માં બીજું કાંઈ શકય જ ન હતું; કારણકે દેશને સ્થિર સરકાર આપવાનો અને ઉત્પાદન વધારવાને સવાલ તાત્કાલિક અગત્યને હતે. પંચવર્ષીય
જનાઓ એમના અવસાન બાદ ઘડાઈ. કહેવાતા જાહેર ક્ષેત્રની સફળતા કેવી રહી એ એક બીજો પ્રશ્ન છે. યાદ રાખવા જેવો મુદ્દો એ છે કે સરદારને એ વિષય ન હતું. તેમ જ ન તે એ ભારતના વડા પ્રધાન હતા કે ન હતા એ ઉદ્યોગોના પ્રધાન. કેટલાક ઉદ્યોગપતિઓ સાથેની એમની મિત્રતા અંગત હતી. એવું જ જવાહરલાલના સંબંધમાં પણ હતું અને તેઓ પણ ઘણીવાર અગ્રણી ઉદ્યોગપતિઓની સલાહ લેતા.
મેં આ સરદારની પાયાની સિદ્ધિઓને જવાહરલાલની સિદ્ધિઓ સાથે સરખાવવા માટે લખ્યું નથી. એ તે જાણીતું છે કે બંને જણ સાથે મારે ઘણી મૂળભૂત બાબતે પરત્વે મતભેદો હતા, અને એથી જ મેં કોગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. અત્રે હું માત્ર ઐતિહાસિક કારણોને લઈને એમ જણાવવા ઈચ્છું છું કે જવાહરલાલ કશુંક સમાધાન કરવાનું સૂચવતા હતા, જયારે સરદાર મારું રાજીનામું સ્વીકારાવી લેવા ઈચ્છતા હતા. રાજેન્દ્રબાબુને પણ તેમણે જ અગત્યનું એવું ખેરાક ખાતું છાડીને તેમના પિતાના નિર્ણયની વિરુદ્ધ અને ખુદ ગાંધીજીની પણ ઈચ્છા વિરુદ્ધ મારા પછી કેંગ્રેસનું પ્રમુખપદ સ્વીકારવાનો આગ્રહ કર્યો હતે. -
મારા રાજીનામાના ફળ સ્વરુપ દેશને સંભવત: લાગનારા આઘાતને હળવા બનાવવા માટે સરકારે આમ કર્યું હતું. જોકે આ બધું એમણે જાણે કે મારી વિરુદ્ધમાં કર્યું હતું તે પણ મારે કહેવું જોઈએ કે નવીસવી સરકારની સામે પડેલા અનેક પ્રશ્નોને વિચાર કરતાં આ એક કુનેહવાળું પગલું હતું.
આ રીતે ઉદ્દામવાદી સુધારાની વ્યવહારુ યોજનાઓને જે અમલમાં મૂકીને સફળ બનાવે છે તેને જમણેરી ગણો, કે ઉદ્દામ