________________
Regd. No. M H, 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
પ્રબુદ્ધ જીવને
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૩
મુંબઈ, જુન ૧, ૧૯૬૯, રવીવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૪૦ પિસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
ભગવાન બુદ્ધ
તિ
(વૈશાખી પૂર્ણિમા–તા. ૨-૧-૬૯ના રોજ રાત્રિના ઑલ ઈન્ડિયા રેડિયો–મુંબઈથી પ્રસારિત વાર્તાલાપ –શેડો વિસ્તારીને–નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
આજે વૈશાખી પૂણિમા - બુદ્ધયંતી છે. ભારત વર્ષમાં અને સમસ્ત એશિયામાં કરોડો નરનારીઓ સરળ જઇછfજ, ધન સર જછમ, સંઘં સર નજીક એવું ત્રિવિધ શરણ સ્વીકારી, ધન્યતા અનુભવશે. કારણ, ભગવાન બુદ્ધનું શાસન, સર્વ પણ સરળ રા પાપનું નાશ કરવાવાળું, કુસરત સંઘના કલ્યાણનું કરવાવાળું છે.
કોઈ પણ વ્યકિતના નામથી પ્રવૃત્ત થયેલા ધર્મનું ખરૂં સ્વરૂપ સમજવા માટે તે વ્યકિતનું ચરિત્ર, તેણે કરેલ ધર્મ–સંસ્થાપનને પ્રયત્ન અને વ્યવસ્થા અને તેણે કરેલા ઉપદેશનું જ્ઞાન થવું જોઈએ. ભગવાન બુદ્ધને ઉપદેશ જેટલો ભવ્ય છે એટલી જ એમની જીવનકથા રોચક અને અદ્ભુત રસપૂર્ણ છે.
માયાદેવીની કૂખે, લુબિની ઉઘાનમાં સિદ્ધાર્થને જન્મ થયો ત્યારે જયોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું કે શુદ્ધોદન રાજાનો આ પુત્ર ચક્રવતી થશે અથવા બુદ્ધ થશે. પિતાની તીવ્ર ઈચ્છા હતી કે પુત્ર
ગમાર્ગ છોડી દઈ ચક્રવર્તી રાજા થાય. ભવિષ્યવેત્તાએ કહ્યું, “સિદ્ધાર્થની સામે વૃદ્ધ, વ્યાધિગ્રસ્ત અને મૃત મનુષ્ય આવશે તે તેમનાં દર્શનથી તેને વૈરાગ્ય ઉપજશે અને તે ગૃહત્યાગ કરશે. માટે એવા માણસ એની નજરે કદી યે પડે નહિ એવો બંદોબસ્ત કરો.” પિતાએ પુત્રને પૂર્ણ રાખમાં રાખવા બધી વ્યવસ્થા કરી. તેના મનનું વાઘ અને નૃત્યથી રંજન કરવા સંખ્યાબંધ નૃત્યાંગનાઓ રાખવામાં આવી. યશોધરા જેવી રૂપવતી કન્યા સાથે લગ્ન કર્યું. ભારે આનંદથી
વનના દિવસે ગાળવા લાગ્યો. ૨૯ વર્ષ આવી રીતે ભોગવિલાસમાં વીતી ગયાં. એક દિવસ પિતાની રાજધાની જોવાનું અને રાતોઘાનમાં ફરી આવવાનું સિદ્ધાર્થને મન થયું. પિતાને ખબર પડી એટલે રસ્તા સાફસૂફ કરાવ્યા અને આંધળા, પાંગળા, ઘરડા, દુબળી લોકોએ તે દિવસે રસ્તા પર ફરકવું નહિ એવો હુકમ કર્યો. પણ જેને હાથે જગતનું કલ્યાણ થવાનું હતું તેવા મહાપુરુષને જગતની , 7'
વાસ્તવિકતાથી અંધારામાં કયાં સુધી રાખી શકાય ? ઘડપણથી વાંકા વળી ગયેલ એક માણસને તેણે જોયે. છન્ન સારથિને પૂછયું: “આ સામે જે પ્રાણી જાય છે તે મનુષ્ય છે કે કોણ છે? એના વાળ ધોળાં થઈ ગયા છે, દાંત બિલકુલ નથી, ડોળા ઊંડા ઊતરી ગયા છે, લાકડીથી કાંપતે ચાલે છે, પીઠ છેક જ વળી ગઈ છે.” સારથિએ કહ્યું : “આર્યપુત્ર, વૃદ્ધાવસ્થા કહે છે તે આ. એક વખતે તમારા જેટલો જ યૌવનમદ એના અંગમાં હતો. હે રાજપુત્ર, યૌવન ચંચળ છે. આપણી પણ આ દશા થયા વિના રહેવાની નથી.” સિદ્ધાર્થે રથને પાછા વાગ્યો. ઉદ્યાનમાં ક્રીડા કરવાની ઈચછા રહી નહિ. વળી એક દિવસ ફરવા નીકળે તે રોગી માણસ મો. વૃદ્ધ નહીં છતાં તેનાથી પણ અધિક અશકત. સારથિને પૂછયું તે કહે, “આર્યપુત્ર, આનું નામ વ્યાધિ, મનુષ્યપ્રાણીનું બળ અસ્થાયી છે. આરોગ્ય મદ મિથ્યા છે. વળી એક દિવસ ફરવા નીકળ્યો અને વાટમાં મૃતદેહનું દર્શન થયું. સારથિને પૂછયું કે તેણે કહ્યું, “આર્યપુત્ર, આ મનુષ્ય ગતપ્રાણ છે, તેના શબને બાળી કે દાટી દેશે. તમને તથા અમને કયારેક તે આ અવસ્થા પ્રાપ્ત થવાની જ છે.” સિદ્ધાર્થન મન ચકડોળે ચડયું. જરા, વ્યાધિ અને મરણનો વિચાર કરવાથી માણસના યૌવનમદ, બળમદ અને આયુષ્યમદ નષ્ટ થાય. છતાં માણસ, અશાનથી, સુકાયેલા ખાબોચિયામાંની માછલીની જેમ, સંસારના પ્રપંચમાં તૃષ્ણાથી તરફડે છે. ખરો સુખી કોણ? સાચું સુખ શેમાં? સિદ્ધાર્થની
આવી મનેદશા હતી ત્યારે તેને ત્યાં પુત્રને જન્મ થયો. વધામણી આપનારને કહ્યું, આ બંધન આવ્યું, રાહુ પેદા થયો. પુત્રનું નામ રાહુલ પાડયું. સિદ્ધાર્થનું મન બીજી જ દિશામાં વળેલું હતું. તેને જરા, વ્યાધિ, મરણ ઈત્યાદિ દુ:ખમાંથી મુકત થઈ, આત્યંતિક સુખને માર્ગ શોધવો હતો, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હતી. મધરાતે જાગ્યો. અવ્યવસ્થિતપણે સુતેલી નર્તકીએ ભણી નજર ફેંકી. જીવંત માણસના સ્મશાનમાં બેઠો હોય છે તેને ભાસ થશે. સૌંદર્યની ક્ષણભંગુરતા અનુભવી. ગૃહત્યાગને નિર્ણય કર્યો. છનને બોલાવી કંચક ઘોડે સજજ કર્યો. પ્રિય પત્ની અને તે જ દિવસે
કt $
(I),
'('.'