SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૯ પ્રભુ જીવન પ્રકી નોંધ ✩ રવીન્દ સરોવર સ્ટેડિયમની પિશાચી લીલા અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો ઠરાવ તા. ૧૭-૪-૬૯ના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ નીચે મુજબ ઠરાવ કર્યો છે: “એપ્રિલ માસની છઠ્ઠી તારીખે મેઢી સાંજના સમયે કલકત્તા ખાતે રવીન્દ્ર સરોવર ડૅડિયમમાં યોજવામાં આવેલા એક મનોરંજન કાર્યક્રમ દરમિયાન એકાએક ધ્વનિવર્ધક યંત્રા બંધ કરવામાં આવ્યા, ઈલેકટ્રીસીટીનો સંબંધ કાપી નાખવામાં આવ્યો, અને એ રીતે પેદા થયેલા અંધારાનો લાભ લઈને હેતુપુર:સર આવેલા કેટલાએક ગુંડાઓએ અંધાધૂંધી ફેલાવી અને ત્યાં એકઠા થયેલા નાગરિકો સાથે કેવળ હેવાનિયતભર્યું આચરણ કર્યું અને અનેક બહેનેની બેઈજજતી કરી અને તેમનાં કપડાં, દાગીનાંઓની લૂંટ ચલાવી આ બધા છાપાઓ દ્રારા બહાર આવેલા સમાચારો જાણીને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઊંડા રોપ અને શરમની લાગણી અનુભવે છે અને આપણી પ્રજા કેવા નૈતિક અધ:પતનના માર્ગ ઉતરી પડી છે તેના ખ્યાલપૂર્વક, ઉગ્ર પ્રકોપની લાગણી દાખવે છે. અહેવાલો ઉપરથી જણાય છે કે આ શરમજનક દુર્ઘટના એક વ્યવસ્થિત યોજનાનું પરિણામ હતું અને ઉચ્ચ સ્થાન ધરાવતી કેટલીક વ્યકિતઓ તે સાથે સંકળાયેલ હતી. પશ્ચિમ બંગાળની સરકારે આ અંગે તપાસ સિમિત તે નીમી છે, પણ એ માત્ર દેખાવ પૂરતી ન રહે, પણ ઊંડી તપાસ કરી આ હેવાનિયત સાથે સંકળાયલા ગુંડાઓને શોધી કાઢી તેમની સાથે પ્રસ્તુત સરકાર સખ્ત હાથે કામ લે એવી આ સાંઘ અપેક્ષા રાખે છે.' એક અસ્પૃષ્યાત છતાં અણમેાલ ગૃહસ્થના દેહવિલય ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડતના એક વખતના સાથી શ્રી કલ્યાણદાસ ગોહનદાસ મહેતાનું ૮૬ વર્ષની ઉંમરે મુંબઈ ખાતે એપ્રિલ માસની ૧૧મી તારીખે અવસાન થયું. શ્રી રામદાસ ગાંધી જેમનું તાજેતરમાં મુંબઈ ખાતે અવસાન થયું છે તેમણે લખેલા સાંસ્મરણામાં જણાવવામાં આવ્યું છે તે મુજબ “સ્વ. કલ્યાણદાસભાઈ બાપુજી સાથે દક્ષિણ આફ્રિકા ઠેઠ ૧૯૦૨ માં રઢારેક વર્ષની ઉંમરે ગયા હતા, અને બાપુજીની ઑફિસમાં કામ કરતા હતા. બાપુજી તેમને ‘કલ્યાણદાસ ’ કહીને સંબાધતા હતા, કલ્યાણદાસભાઈ બા બાપુ સાથે એક સન્નિષ્ટ પુત્રની જેમ વર્તા હતા. જોહાનિસબર્ગના રંગીન જાતિના મલનિવાસમાં પ્લૅગ ફાટી નીકળ્યા હતા. એ ભાગમાં હિંદી ભાઈઓ પણ રહેતા હતા. એ વખતે બાપુની પડખે રહીને ખેંગમાં સપડાયલા ૭૦ માણસાની તેમણે સેવા કરી હતી, અને એ સિત્તેરમાંથી માત્ર એક જ માણસ બચી શકેલા. એ બધાતા અન્તિમ સંસ્કાર પણ તેમણે જ કરેલા, “ કલ્યાણદાસભાઈ બ્રેકોના ઉપયોગ માટે સ્વચ્છ પાણીના કૂવા ખાદવાનું કામ પણ કરતા, અને અમારી સાથે આત્મસાત થઈને રહેલા. અમારા સુખ દુ:ખમાં ભાગ લેવાનું કદી ચૂકતા નહિ, “ ૧૯૪૮ માં જ્યારે ગોડસેની ત્રણ ગોળીથી બાપુની દિલ્હીના બિરલા હાઉસની પ્રાર્થના ભૂમિ ઉપર ૩૦મી જાન્યુઆરીએ હત્યા થઇ તેના ૧૫ જ દિવસ પહેલાં કલ્યાણદાસભાઇ પેાતાના એક મિત્ર સાથે બાપુને મળવા ગયેલા. તે વખતે બાપુએ પેાતાની આસપાસની મંડળીને ઉદ્દેશીને કહ્યું હતું કે: “ કલ્યાણદાસે કદીયે મારી પાસે મદદ માગી નથી. મારી સાથેના સંબંધને તેમણે કદી પણ પોતાના ધંધા અર્થે વટાવ્યો નથી. ’ ‘છેક યુવાવસ્થાથી માંડીને આજની ઘડી સુધી એમનું જીવન ‘નિર્માનહાજિતસંગદોષા' (ગીતા અધ્યાય ૧૫, શ્લોક ૫) એ વાકયને સાર્થક કરતું અનુભવ્યું છે, એટલે સહજ ભાવે તેમના પ્રતિ મસ્તક નમે છે.” બાપુજીએ પણ ૧૯૦૬ ની સાલમાં જોહાનિસબર્ગથી શ્રી લક્ષ્મીદાસ ગાંધી ઉપરના પત્રમાં તેમના વિષે લખ્યું હતું કે “ જેઓ દિલના સાચા હોય છે તેઓ મને ગમે છે. જગ મોહનદાસના દીકરા કલ્યાણદાસનો આત્મા પ્રલ્હાદના જેવા છે. એટલા ખાતર તે તેમને, જે જન્મના કારણે મારો દીકરો છે તેના કરતાં વધારે પ્રિય છે.” આવી એક માનવવિભૂતિએ ઉપર જણાવ્યું તે મુજબ એપ્રિલ મારાની ૧૧ મી તારીખે આપણી વચ્ચેથી હંમેશને માટે વિદાય લીધી છે. તેઓ કોઇ રાજકારણમાં કે જાહેર જીવનની ધાંધલ ધમાલમાં પડયા નહાતા, અને આ દુનિયાના બહુ લાકોએ તેમને જાણ્યા નહોતા. આમ છતાં તેમને જેમણે જાણ્યા હશે તેઓ તેમને એક ઉત્કૃષ્ટ કોટિના શીલસંપન્ન સજજન તરીકે, સચ્ચાઇને વરેલા એક માનવી તરીકે, વિનમ્ર, નિર્દંભ, પ્રેમાળ સન્મિત્ર તરીકે કંઇ કાળ સુધી સંભારશે. ગાંધીજીએ જેમને આવું પ્રમાણપત્ર આપ્યું છે તેવા પુણ્યપુરુષને આ રીતે અંજલિ આપતાં હું એક પ્રકારની કૃતાર્થતા અનુભવું છું. સ્વ. કલ્યાણદાસભાઈ પોતાની પાછળ વયેવૃદ્ધ પત્ની, બે પુત્રા અને બે પુત્રીએ મૂકી ગયા છે. બન્ને પુત્રા વ્યાપાર-વ્યવસાયમાં સારી રીતે ગેાઠવાયા છે. બે પુત્રીઓમાં મેટાં પુત્રી સાહિત્યકાર શ્રી હીરાબહેન પાઠક ક્વે કાલેજમાં આધ્યાપિકા છે; અને બહેન શકુન્તલા કર્યું. કૉલેજના અધ્યાપન વિભાગની પ્રિન્સીપાલ છે. આ કુટુંબ પરિવાર સાથે હું વર્ષોથી સુપરિચિત છું અને સ્વજન ભાવે સંકળાયેલા છું. તેમના પ્રત્યે આ દુ:ખદ પ્રસંગે હું ઊંડા દિલની સહાનુભૂતિ અનુભવું છું. શ્રી એસ. કે. પાટિલને મત આપવા અનુરોધ ચાલુ થયેલા મે માસની ચેાથી તારીખે લોકસભાની એક બેઠક માટે બનાસકાંઠા જિલ્લામાં થનાર ચૂંટણીઅંગેના જંગ ત્રણ મહારથીએ વચ્ચે ખેલાઇ રહ્યો છે. તેમાં એક છે કૉંગ્રેસ તરફથી શ્રી એસ. કે. પાટિલ, બીજા છે સ્વતંત્ર પક્ષ તરફથી શ્રી મનુભાઈ અમરશી અને ત્રીજા છે અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી હિંમતસિંહજી. આ ત્રણ ઉમેદવારોમાંથી વર્ષો જુની જેની ઉજજવલ રાષ્ટ્રસેવાઓ છે એવા શ્રી એસ. કે. પાટિલને જોરદાર ટકા આપતું એક નિવેદન સ્વતંત્ર પક્ષના ઉપપ્રમુખ અને ગુજરાત ઉપર જેમનું અસાધારણ વર્ચસ ગણાય એવા ડૉ. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તા. ૨૩ મી એપ્રિલના રોજ એક છાપા ોનું નિવેદન બહાર પાડયું છે, જે નીચે મુજબ છે: “એવા પ્રાંગા આવે છે જ્યારે વ્યકિતએ રાજકીય પક્ષપાતથી પર થવું જોઇએ. અને આખાય રાષ્ટ્રને ધ્યાનમાં રાખી પરિસ્થિતિના વિચાર કરવા જોઇએ. આવા એક પ્રસંગ હમણાં ઊભા થયા છે. “છેલ્લાં થાડા વર્ષો દરમિયાન ભારત એક પછી એક ટોકટીમાંથી પસાર થતું આવ્યું છે. સાંકડાં ખંડનાત્મક પરિબળા વેગ પકડતાં જાય છે અને એના કારણે આપણી રાષ્ટ્રીય તાકાત શેષાઇ રહી છે. આ ખરેખર અકળાવનારી ઘટના છે. “ જયારે રાષ્ટ્ર ઈતિહાસને ત્રિભેટે ઊભું છે એ પ્રસંગે પક્ષ કે રાજકારણના તફાવતને ધ્યાનમાં લીધા વિના જે લોકો દઢ રાષ્ટ્રવાદને વરેલા છે તેમના હાથ મજબૂત કરવાની સૌ કોઇ રાષ્ટ્રવાદીની ફરજ છે એમ મને લાગે છે. “શ્રી એસ. કે. પાટિલ નિવડેલા કાર્યકર છે. તેમણે ચાર દાયકાથી અવિરતપણે રાષ્ટ્રની નિષ્ઠાપૂર્વક સેવા કરી છે. એ આઝાદીના વીર યોદ્ધા હતા. એમનામાં અપ્રતિમ વ્યવસ્થાશકિત છે અને તેઓ સબળ સંસદ–કાર્યપટ્ટુ છે. એમના રાજકીય ગુરુ સરદાર વલ્લભભાઈ પટેલની માફક શ્રી પાટિલ પણ રચનાત્મક દષ્ટિવાળા અને વ્યવહારૂ વળણવાળા રાજપુરુષ છે. “ પહેલાં, પછી અને હંમેશાં ‘હિંદી’ એવા મંત્રને વરેલા શ્રી પાટિલ જ્ઞાતિ અને સંપ્રદાયથી પર, પ્રદેશવાદ અને સંકુચિતતાથી
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy